મુંબઈમાં માળવાળી બસો દોડે છે, ૭૫થી ૯૦ માળની ગગનચુંબી ઈમારતો બંધાતી જાય છે, એટલું જ નહીંં, હવે તો સાર્વજનિક શૌચાલયો પણ બે-બે ત્રણ-ત્રણ માળના બંધાય છે. ત્યારે બીજી તરફ રાજસ્થાનમાં એક એવું ગામ છે, જ્યાં બધા ંમકાન એક માળનાં છે. એક પણ મકાન બે કે ત્રણ માળનું નથી. ચૂરૂ જિલ્લાના ઉડસર ગામમાં છેલ્લાં ૭૦૦ વર્ષથી એક માળથી ઊંચા મકાનો બંધાયાં જ નથી. ગ્રામજનો પાસે પોતાપોતાની જમીન છે સુખી-સંપન્ન છે છતાં બે માળનું મકાન કોઈ બાંધતું જ નથી. એવી માન્યતા છે કે એક માળથી ઊંચું મકાન બાંધે તો તેના પરિવાર પર આફત આવી પડે છે. આ આ માન્યતા પાછળ એવી લોકવાયકા કાને પડી કે ૭૦૦ વર્ષ પહેલાં ભોમિયા નામનો એક હિમ્મતવાળો જણ ગામમાં રહેતો હતો. એક વાર ગામમાં સશસ્ત્ર ચોર-લૂંટારા ત્રાટક્યા. ભોમિયો એકલો હોવા છતાં બહાદુરીથી ચોર-લૂંટારાની ટોળી સાથે બાથ ભીડી. ગંભીર રીતે જખમી થયેલા ભોમિયાને અહેસાસ થઈ ગયો કે આટલા બધાની સામે એકલા ઝાઝી ઝીંક નહીં ઝીલાય. એટલે એ વખતે ભોમિયાના સસરાનું ઉડસરમાં બે માળનું મકાન હતું. એનાં પગથિયાં લથડતાં લથડતાં ચડી બીજે માળે પહોંચી સંતાઈ ગયો, પણ ચોર તેને ગોતતા ગોતતા ઉપર પહોંચી ગયા અને ભોમિયાનું ગળું છરાથી રહેંસી નાખ્યું. ભોમિયાની પત્ની કલ્પાંત કરતી આવી અને ગામવાળાને શ્રાપ આપ્યો કે મારા ધણીનો બીજે માળે જીવ ગયો એટલે જે કોઈ બે માળના મકાન બાંધશે તેનો સર્વનાશ થશે. બસ, ત્યારથી ગામમાં બે માળનું મકાન જ બંધાતું નથી.
Trending
- 22 એપ્રિલનું પંચાંગ
- 22 એપ્રિલનું રાશિફળ
- કેન ઉપનિષદનો પ્રથમ ખંડ બ્રહ્મ જીજ્ઞાસા થી શરૂ થાય છે અને ગુરુ શિષ્યના સંવાદ રૂપે છે.
- આજ મારાં નયણાં સફળ થયાં, એ રચનામાં નરસિંહ ભક્તિની કંઈ કક્ષા દર્શાવે છે??
- 21 એપ્રિલ, ‘વર્લ્ડ ક્રિએટીવીટી એન્ડ ઇનોવેશન ડે
- લોકસભા વિધાનસભા બેઠકોમાં અનામત વિરુદ્ધ રાજકીય સંગઠનોમાં અનામત – મહિલા અનામતનો પ્રશ્ન
- તંત્રી લેખ…માર્ગ અકસ્માતોની શ્રેણી
- દાર્જિલિંગમાં યોજાયેલી જનસભામાં કેન્દ્રીય ગૃહમંત્રી Amit Shah રાજ્યની રાજકીય સ્થિતિ પર આકરું નિવેદન આપ્યું

