બાળક બીમાર પડતા સારવાર પૈસા ન આપ્યા, પતિએ મારકૂટ શરૂ કરતા અંતે પરિણીતાએ ફરિયાદ નોંધાવી
Rajkot,તા,10
રાજકોટ જિલ્લાના જસદણના દહીંસરા ગામની અને હાલ રાજકોટના ઢાંઢણી ગામે માવતરના ઘેર રહેતા ભારતીબેન દિનેશભાઇ વઘેરા (ઉ.30) એ તેના પતિ દિનેશ કરશનભાઇ વઘેરા, જેઠ જયેશ અને જેઠાણી મનીષાબેન સામે ફરિયાદ કરી હતી.ફરિયાદમાં જણાવ્યું હતું કે, તેના લગ્ન સને.2018માં થયા હતા અને તેને સંતાનમાં જુડવા બે પુત્રો હોવાનું તેમજ સંયુક્ત પરિવારમાં રહેતા હતા. બાદમાં કોરાનાકાળમાં સાસુ-સસરાનું અવસાન થયું હતું. ઢાંઢણી ગામે આંગણવાડીમાં નોકરી મળી હતી. જે બાબતે પતિને જાણ થતા તે સમાધાન કરી તેડી જવા માટે આવતા મારા પિતાએ તમારા બાળકોને સારી રીતે રાખવાના હોય તો તેડી જાવ. બાદમાં એકાદ માસ સારી રીતે રાખ્યા બાદ પતિ મને કહેતા કે તારા પગારમાંથી પેસા આપ જેથી તે પતિને પૈસા આપતી હોય અને ના પાડું તો ઝઘડો કરી મારકૂટ કરતા હતા. ફરી ત્રાસ શરૂ થતાં અંતે ફરિયાદ નોંધાવાઈ હતી.