બી ડિવિઝન પોલીસે વધુ તપાસ હાથ ધરી પરિવાર ગમગીની છવાઈ
Rajkot તા.૯ઃ
શહેરના ભગવતી પરા વિસ્તારમાં જયપ્રકાશ નગરમાં રહેતા ૪૫ વર્ષે આધેડે માનસિક બીમારીથી કંટાળીને ઝેરી દવા પી લેતા તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા જ્યાં સારવાર મળે તે પહેલા તબીબે આધેડને મૃત જાહેર કરતા ઘટના સ્થળ પર બી ડિવિઝન પોલીસ સ્ટેશન નો સ્ટાફ દોડી ગયો હતો અને મૃતદેહને પીએમ અર્થે ખસેડવામાં આવ્યો હતો
આ અંગે મળતી માહિતી મુજબ શહેરમાં દિવસે અને દિવસે આપઘાતના બનાવો ચિંતાજનક રીતે વધી રહ્યા છે ત્યારે ભગવતી પરા વિસ્તારમાં જયપ્રકાશ નગરમાં રહેતા ધનજીભાઈ લઘરાભાઈ વાઘેલા ઉંમર વર્ષ ૪૫ વર્ષીય આધેડે ગઈકાલે માનસિક બીમારીથી કંટાળી ઝેરી દવા પી લેતા તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા જેનું ટૂંકી સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું ઘટનાની જાણ થતા બે ડિવિઝન પોલીસ સ્ટેશનનો સ્ટાફ દોડી ગયો હતો અને મૃતદેહને પીએમ અર્થે ખસેડવામાં આવ્યો હતો આ અંગે મૃતકે માનસિક બીમારીથી કંટાળીને આપઘાત કર્યો હોવાનું પ્રાથમિક તારણ છે અને મૃતક પોતે એકલવાયું જીવન જીવતા હોય આ અંગે બી ડિવિઝન મથકના પીએસઆઈ જેઠવા એ પોલીસે વધુ તપાસ હાથ ધરી

