ડબલ સવારી મોટરસાયકલનો કાર વડે અથડાવી ગંભીર ઈજા પહોચાડવામા ચાર સામે ગુનો નોંધાયો તો
Rajkot તા.૨૪ઃ
શહેરના મોરબી રોડ પર આવેલા હડાળાના પાટીયા પાસે જુના ઝઘડાનો ખાર રાખી પાડોશી ડબલ સવારી મોટરસાયકલ સાથે કાર વડે અથડાવી ગંભીર ઈજા પોચાડવાના ગુનામાં જેલ હવાલે રહેલા સાહિદ વરદરિયાના જામીન અરજી અદાલતે ફગાવી દીધી છે. વધુ વિગત મુજબ શહેરના મોરબી રોડ હડાળા ના પાટીયા પાસે આવેલ આસોપાલવ સોસાયટી મેઇન રોડ માં રહેતા અકબરભાઈ કરીમભાઈ પલેજા અને તેના મિત્ર સહિત બને મોટરસાયકલ લઈને મોરબી રોડ પરથી પસાર થઈ રહ્યા હતા ત્યારે ૩ ૪૪ ૨૩ નંબરની કારમાં એજાજ ગોવિંદ પાટીલ પ્રશાંત પાટીલ અને ગુલામ હુસેન વરદરીયા સહિતના શખ્સોએ મોટરસાયકલ નો પીછો કરી અને ઠોકરે ચડાવી ફરિયાદી તથા તેના મિત્રને ગંભીર ઈજા પહોંચાડ્યા અંગેની ફરિયાદ નોંધાવી હતી જે ગુનામાં કુવાડવા રોડ પોલીસ મથકના સ્ટાફે શાહિદ ગુલામ હુસેન ની ધરપકડ કરી તપાસ પૂર્ણ થતા જેલ હવાલે કર્યો હતો. બાદ જેલ વાલે રહેલા સાહિદ વરદરીયા એ જામીન પર છૂટવા અદાલતમાં અરજી કરી હતી જે અરજીની સુનાવણી અધિક સેસન કોર્ટમાં ચાલવા પર આવતા જેમાં બંને પક્ષોની રજૂઆત બાદ મૂળ ફરિયાદીના એડવોકેટ જે એલ બારૈયાએ લેખિત વાંધાઓ રજૂ કર્યા હતા.સરકારી વકીલ બિનલબેન રવેશિયા દ્વારા કરવામાં આવેલી લેખિત મૌખિક દલીલમાં મેડિકલ પેપરો જોતા ગંભીર પ્રકારની ઈચ્છાઓ જોવા મળેલ છે.આથી ગુનાની ગંભીરતા જોવા અદાલતનું ધ્યાન દોર્યું હતું. તેમજ હાઇકોર્ટ અને સુપ્રીમ કોર્ટના ટાંકેલા ચુકાદાઓને ધ્યાને લઈ અદાલતે શાહીદ વરદીયાની જામીન અરજી ફગાવી દીધી છે.

