Washington,તા.01
અમેરિકા-કેનેડાની બેવડી નાગરિકતા ધરાવતા શીખ ખાલીસ્તાની નેતા ગુરપતવંતસિંઘ પન્નુની હત્યાના કહેવાતા ષડયંત્ર અંગે અમેરિકી અદાલતમાં ભારતના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત દોભલ સામે અમેરિકી અદાલતે જારી કરેલું. સમન્સ તા.12-13 ફેબ્રુઆરીના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાથે અમેરિકાની મુલાકાતે પહોંચેલા શ્રી દોભલ સામે આ સમન્સ બનાવવા પ્રયાસ થયો હતો પણ અમેરિકી સિક્રેટ સર્વિસના એજન્ટોએ તે પ્રવાસ નિષ્ફળ બનાવાયો હતો.
શ્રી દોભલ પણ અમેરિકામાં વ્હાઈટ હાઉસ પાસેના સતાવાર પ્રેસીડેન્ટ ગેસ્ટ હાઉસ તરીકે જાણીતા બ્લેર હાઉસમાં જ રોકાયા હતા અને અમેરિકી અદાલત દ્વારા ઈસ્યુ કરાયેલ સમન્સ સાથે કોર્ટના એક અધિકારી પહોંચ્યા હતા પણ અહી તૈનાત અમેરિકી સિક્રેટ સર્વિસના અધિકારીઓએ તેમને રોકયા હતા અને બ્લેર હાઉસ અંદર જવા પણ દેવા નહી.
જયારે અદાલતના અધિકારીએ ગેસ્ટહાઉસ બહાર આ સમન્સ મુકવા પ્રયાસ કર્યો તો તેમાં પણ સિક્રેટ સર્વિસે રોકીને જો તેમ કરશે તો તેની ધરપકડ કરાશે તેવી કોઈ અધિકારીને ચેતવણી આપી હતી.
બાદમાં અધિકારી વ્હાઈટહાઉસ એરીયા બહાર સ્ટારબકસના એક ટી-શોપમાં આ સમન્સ મુકીને ચાલ્યા ગયા પણ અમેરિકી અદાલતે તે સમન્સ બજવણી માન્ય રાખી નથી. પન્નુના ધારાશાસ્ત્રીએ જ અગાઉ શ્રી દોભલ અમેરિકા આવી રહ્યા હોય તેવી અદાલતને જાણ કરી હતી અને તેથી જ અદાલતે આ સમન્સ બજાવવા આદેશ આપ્યો હતો.
હવે પન્નુના ધારાશાસ્ત્રીને પુરી હકીકત જણાવી દેવામાં આવી છે. ન્યુયોર્કની સાઉયન ડિસ્ટ્રી.ના જજ કોર્ટના આદેશ છતાં પણ પ્રતિવાદી (દોભલ)ને કે તેમના એજન્ટ અથવા હોટેલ (ગેસ્ટહાઉસ) ના મેનેજમેન્ટને આ સમન્સ બજાવી શકાયુ પછી ભારતના વિદેશ સચીવ શ્રી વિક્રમ મિસરીએ આ પ્રક્રિયાને બિનજરૂરી અને સ્વીકાર્ય નહી હોવાની સ્પષ્ટ જાણ અમેરિકી સતાવાળાઓને કરવામાં આવી હતી.
ગત સપ્ટેમ્બર માસમાં દોભલ સામે અમેરિકન કોર્ટ સમન્સ ઈસ્યુ કર્યુ હતુ પણ તેઓ અમેરિકા બહાર હોવાથી તે બની શકયુ ન હતું. હવે તા.3 નવે.ના તેના પર વધુ સુનાવણી થશે.
પન્નુના ધારાશાસ્ત્રીને અપાયેલી માહિતી મુજબ તા.12 ફેબ્રુઆરીએ કોર્ટ અધિકારી એમ્બીકો આલેન્સ સોજે 7.22 કલાકે બ્લેર હાઉસ પહોંચ્યા હતો પણ પ્રથમ ચેકપોષ્ટ પર જ તેમને અટકાવાયા હતા અને અદાલતી કાગળો છતા તેમને અંદર જવા દેવાયા ન હતા.
બાદમાં વધુ એક કોર્ટ અધિકારી જે આ પ્રકારે સમન્સ બજાવવામાં 15 વર્ષના નિષ્ણાંત છે તેમાં બીજા દિવસે બપોરે 12.15 કલાકે પહોંચ્યા હતા. પણ સિક્રેટ સર્વિસના અધિકારીએ તે દસ્તાવેજ પણ સ્વીકારવા ઈન્કાર કર્યો હતો.
તેમણે તે જમીન પર મુકવા પ્રયાસ કર્યો પરંતુ તેમ પણ કરવા દેવાયા ન હતા. બાદમાં સમન્સ અધિકારી બહાર જાહેર સ્થળ પર જયાં તેની ધરપકડ ન થાય તે સ્થળે સમન્સ મુકીને ચાલ્યા ગયા હતા પણ અદાલતે તે પ્રક્રિયા માન્ય રાખી નથી તથા ડીજીટલ કોપી પણ સ્વીકાર્ય કરી ન હતી.