New Delhi, તા.5
શું તમારી ગાડીનો ઈુસ્યોરન્સ નથી? તો નજીકના ભવિષ્યમાં તમને પેટ્રોલ પંપ પરથી પેટ્રોલ ન મળી શકે. સુપ્રીમ કોર્ટે ગઈકાલે મંગળવારે માર્ગો પર ઈુસ્યોરન્સ વિના દોડતી ગાડીઓ દોડતી હોવાની સમસ્યાનો સામનો કરવા માટે આ સૂચન કર્યું છે કે જે ગાડીઓનો વીમો નથી તેમનું ચલણ ફાડો અને આવી ગાડીઓને પેટ્રોલ પણ ન આપો.
કોર્ટે એ પણ નિર્દેશ આપ્યો કે હાઈવે અને માર્ગો પર લાગેલા કેમેરાનો ઉપયોગ કરી આવી ગાડીઓની ઓળખ કરો અને તેના માલિકોને ચલણ મોકલવામાં આવે.
ભારતીય માર્ગો પર દોડતા લગભગ 56 ટકા વાહનો (જેમાંથી મોટાભાગના ટુ વ્હીલર છે) નો વીમો ન હોવા પર આશ્ચર્ય બતાવી જસ્ટીસ સંજય કરોલ અને જસ્ટીસ પ્રશાંતકુમાર મિશ્રની બેન્ચે કહ્યું હતું કે આથી મોટર વ્હીકલ એકટની ધારા 146 અંતર્ગત ફરજીયાત વીમાનો ઉદેશ જ ખતમ થઈ જાય છે. પરિણામે માર્ગ અકસ્માતના પીડિતોને વળતર મેળવવા માટે લાંબા કાનુની સંઘર્ષમાંથી પસાર થવું પડે છે.
જો કુલ આંકડાની વાત કરીએ તો કુલ 30.4 કરોડ રજીસ્ટર્ડ વાહનોમાંથી 16.5 કરોડ વાહનો વીમા વિનાના છે. સરકારી આંકડા મુજબ માર્ગ દુર્ઘટનાઓમાં 22 ટકા કેસ વીમા વગરના વાહનો સાથે સંકળાયેલા હોય છે.
એમવી એકટ મુજબ જે લોકો વેલિડ મોટર થર્ડ પાર્ટી ઈુસ્યોરન્સ વગરની ગાડી ચલાવે છે કે ચલાવવા આપે છે તેમને કાયદો તોડવા માટે સજા થઈ શકે છે, જેમાં જેલ પણ થઈ શકે છે. જેમાં પહેલીવાર અપરાધ કરવા પર ત્રણ મહિનાની જેલ કે 2000 રૂપિયાનો દંડ કે બન્ને થઈ શકે છે અને બાદમાં અપરાધ કરવા બદલ ત્રણ મહિના સુધીની જેલ કે 4000 રૂપિયાનો દંડ કે બન્ને હોઈ શકે છે.
બેન્ચે જણાવ્યું હતું કે ઈુસ્યોરન્સ રેગ્યુલેટરી એન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટી (ઈરડા) માર્ગ પરિવહન મંત્રાલય સાથે મળીને પાયલોટ પ્રોજેકટ પર વિચાર કરશે અને તેને તૈયાર કરશે, જે અંતર્ગત ગાડીઓ માટે ફયુલ-ઈંધણ તેના વેલિડ સ્ટેટસ સાથે જોડવામાં આવશે. જો આમ નથી થતું તો સંબંધીત ગાડીને પેટ્રોલ પંપ પરથી ફયુલ નહીં આપવામાં આવે, જયાં સુધી તેનો ઈુસ્યોરન્સ વેલિડ નહીં થાય.
બેન્ચે જણાવ્યું હતું કે આના બે ફાયદા થશે, આથી ઈુસ્યોરન્સ વિના કે રજીસ્ટ્રેશન વિના ચાલતી ગાડીઓની ઓળખ કરવામાં મદદ મળશે. બીજુ, આ ગાડીના માલિકોને એ નિશ્ચિત કરવા માટે પ્રેરિત કરવામાં આવશે કે તેની પાસે વેલિડ ઈુસ્યોરન્સ હોય.
બેન્ચે કહ્યું હતું કે કાયદાનો સખ્તાઈથી અમલ કરવામાં આવે અને નિર્દેશ આપ્યો હતો કે રાજયની ટ્રાફીક પોલીસને હેન્ડ હેલ્ડ ડિવાઈસ કે ડાઉનલોડ કરવા યોગ્ય એપ્સ આપવામાં આવે. જે ઈુસ્યોરન્સ બ્યુરો અને `વાહન’ પોર્ટલથી ડેટાથી જોડાયેલ હોય, જેથી જમીની સ્તરે ઈુસ્યોરન્સ સ્ટેટસની તપાસ થઈ શકે.
બેન્ચે કહ્યું હતું કે એએનપીઆર કેમેરાને ઈુસ્યોરન્સ ઈન્ફર્મેશન બ્યુરો અને `વાહન’ પોર્ટલના ડેટા સાથે જોડવામાં આવશે, જેથી ઈુસ્યોરન્સ વગરની ગાડીઓ માટે ઓટોમેટિક ઈ-ચલણ ઈશ્યુ થઈ શકે. ગાડીઓનું ઈુસ્યોરન્સ વિના હોવાનું પરિણામ એ હોય છે કે દુર્ઘટનાનો ભોગ બનનાર લોકો અને તેના પરિવારોને ઉચીત સમયમાં પુરતું વળતર નથી મળતું.

