Rajkot તા.૨૦
રાજકોટ. પશ્ચિમ રેલવેના રાજકોટ ડિવિઝનમાં રેલવે સેફ્ટીના ક્ષેત્રમાં ઉત્કૃષ્ટ કામગીરી કરનારા આઠ રેલકર્મીઓને ડિવિઝન રેલ પ્રબંધક (ડીઆરએમ) શ્રી ગિરીરાજ કુમાર મીના દ્વારા આજે ડીઆરએમ કાર્યાલય, રાજકોટના કોન્ફરન્સ રૂમમાં પ્રશસ્તિ-પત્ર આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા. પરિચાલન (ઓપરેટિંગ) વિભાગ તથા વીજળી (ટ્રેક્શન) વિભાગ સંબંધિત આ કર્મચારીઓને એપ્રિલ ૨૦૨૬ અને મે ૨૦૨૬ દરમિયાન ડ્યુટી સમયે અસાધારણ સતર્કતા અને જવાબદારી દર્શાવીને સંભવિત રેલ અકસ્માતો અટકાવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવવા માટે આ સન્માન આપવામાં આવ્યું છે.
રાજકોટ ડિવિઝનના સીનિયર ડિવિઝનલ કોમર્શિયલ મેનેજર (સિનિયર ડીસીએમ) શ્રી સુનીલ કુમાર મીનાના જણાવ્યા અનુસાર સન્માનિત થનારા કર્મચારીઓમાં શ્રી હિતેશ ડોડિયા (સ્ટેશન માસ્ટર, બિલેશ્વર), શ્રી મનોજ કુમાર બહેરા (સ્ટેશન અધીક્ષક, હેડક્વાર્ટરઅલિયાબાડા), શ્રી આકાશ કુમાર મીના (સ્ટેશન માસ્ટર, હેડક્વાર્ટરરામપરડા), શ્રી જિગ્નેશ ડી. દલસાણિયા (લોકો પાયલટ (ગૂડ્ઝ), હાપા), શ્રી રામરતન મીણા (લોકો પાયલટ (મેલ/ગૂડ્ઝ), સુરેન્દ્રનગર), શ્રી જયપ્રકાશ ગિનારે (લોકો પાયલટ, શંટર, રાજકોટ), શ્રી રાજકુમાર શર્મા (લોકો પાયલટ (માલગાડી), હેડક્વાર્ટરહાપા) તથા શ્રી વસીમ ચલંગા (લોકો પાયલટ (માલગાડી), હેડક્વાર્ટરહાપા) શામેલ છે.
આ કર્મચારીઓએ ડ્યુટી દરમિયાન જાગરૂકતા દર્શાવીને અનેક મહત્વપૂર્ણ ટેકનિકલ ખામીઓ સમયસર ઓળખી કાઢી હતી. જેમાં ટ્રેન સાથે ’ઓલ રાઇટ’નું આદાન-પ્રદાન કરતી વખતે ટેન્ક વેગન અને કોચમાં અનિયમિતતાની ઓળખ, રેલવે ટ્રેક નજીક ઘાસમાં આગની તીવ્ર જ્વાળાઓ દેખાતા ટ્રેનને સેફ સ્થળે ઊભી રાખીને આગ ઓલવ્યા બાદ તેનું સેફ સંચાલન, યાર્ડના ડોક મિડવે ક્ષતિગ્રસ્ત હોવાનું ધ્યાને આવતા ટ્રેનને તે પહેલાં જ રોકી દેવી તથા ડોક મિડવે સેફ થયા પછી જ ટ્રેન આગળ વધારવી શામેલ છે. આ ઉપરાંત માલગાડીના વેગનની તપાસ દરમિયાન નકલ પિન તૂટેલી હોવાનું ધ્યાને આવતા તેને તાત્કાલિક રીપેર કરાવવી એ પણ આ કર્મચારીઓની સતર્કતાના મુખ્ય ઉદાહરણો છે.

