કરણ જોહરની ધર્મા પ્રોડક્શન્સ અને મહાવીર જૈન ફિલ્મ્સ દ્વારા નિર્મિત ‘નાગઝિલા’ આગામી ૧૨ ફેબ્રુઆરી, ૨૦૨૭ના રોજ રિલીઝ થશે
Mumbai,, તા.૨૮
કાર્તિક આર્યનની કરણ જોહરના ધર્મા પ્રોડક્શન્સ સાથેની ફિલ્મ ‘નાગઝિલા’નું શૂટિંગ સત્તાવાર રીતે પૂરું થઈ ગયું છે. ફિલ્મનાં શૂટિંગનાં છેલ્લા દિવસની ઉજવણી ટીમે ખાસ કેક કાપીને કરી હતી. શૂટિંગ પૂરું થતાં કલાકારો અને ક્રૂમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો.સુત્રો દ્વારા મળતી માહિતી અનુસાર, ફિલ્મનું મોટાભાગનું શૂટિંગ અગાઉ પૂરું થઈ ચૂક્યું હતું, જ્યારે છેલ્લા દિવસનું શૂટિંગ રવિવાર, ૨૬ જુલાઈએ મુંબઈમાં થયું હતું. આ અંતિમ શૂટિંગમાં અભિનેતા રવિ કિશન, દિગ્દર્શક મૃગદીપ સિંહ લાંબા, લેખક ગૌતમ મહેરા અને સહ-નિર્માતા દિવ્યાંશ જૈન હાજર રહ્યા હતા.આ પ્રસંગે ‘નાગઝિલા ફિલ્મ રેપ’ લખેલી ખાસ કેક કાપવામાં આવી હતી. રસપ્રદ વાત એ છે કે ૨૫ જુલાઈએ દિગ્દર્શક મૃગદીપ સિંહ લાંબાનો જન્મદિવસ પણ હોવાથી સેટ પર ઉજવણીનો માહોલ વધુ રંગીન બન્યો હતો.શૂટિંગ પૂરું થતાં નિર્માતા મહાવીર જૈન અને દિગ્દર્શક મૃગદીપ સિંહ લાંબાએ સંયુક્ત નિવેદનમાં જણાવ્યું, “ધર્મા પ્રોડક્શન્સ સાથે ભાગીદારી કરવી એ શ્રેષ્ઠ અનુભવ રહ્યો છે. કરણ જોહર, અપૂર્વ મહેતા, મેરિજ્કે ડી’સૂઝા અને તેમની સમગ્ર ટીમે અદ્ભુત સહયોગ આપ્યો છે. ‘નાગઝિલા’ના દરેક ક્રૂ સભ્યનો અમે દિલથી આભાર માનીએ છીએ. દરેકે આ ભવ્ય વિઝનને સાકાર કરવા માટે ખૂબ મહેનત કરી છે.”ફિલ્મના મુખ્ય અભિનેતા કાર્તિક આર્યને, તાજેતરમાં પોતાનો પહેલો રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર જીત્યો છે, તે અંતિમ દિવસના શૂટિંગમાં હાજર નહોતો. તેણે પોતાના તમામ સીનનું શૂટિંગ અગાઉ જ પૂરું કરી લીધું હતું.હવે ફિલ્મનું શૂટિંગ પૂરું થતાં ટીમ પોસ્ટ-પ્રોડક્શન તેમજ ફહ્લઠના કામમાં વ્યસ્ત થઈ ગઈ છે. નિર્માતાઓના જણાવ્યા મુજબ, ‘નાગઝિલા’ એક અનોખી અને મનોરંજક દુનિયા પર આધારિત ફિલ્મ છે, જેમાં જબરદસ્ત કોમેડી, મજબુત સ્ટારકાસ્ટ અને યાદગાર સંગીત દર્શકોને સિનેમાઘરો સુધી ખેંચી લાવશે.કરણ જોહરની ધર્મા પ્રોડક્શન્સ અને મહાવીર જૈન ફિલ્મ્સ દ્વારા નિર્મિત ‘નાગઝિલા’ આગામી ૧૨ ફેબ્રુઆરી, ૨૦૨૭ના રોજ રિલીઝ થશે.

