Mumbai,તા.05
ભારતીય ક્રિકેટ ટીમના અનુભવી અને ટોચના ઝડપી બોલર મોહમ્મદ શમીને લઈને એક મોટો અપડેટ સામે આવ્યો છે. ભારતીય ટીમનો સ્ટાર બોલર જસપ્રીત બુમરાહ ઘૂંટણની ઈજામાંથી સંપૂર્ણપણે ઉગરી ન શકવાને કારણે શ્રીલંકા સામેની બે ટેસ્ટ મેચોની સીરિઝમાંથી બહાર થઈ શકે છે. બુમરાહ ગેરહાજર હોવાથી એવું અનુમાન લગાવવામાં આવી રહ્યું હતું કે મોહમ્મદ શમીને ભારતીય ટીમમાં પુનઃ સ્થાન મળશે, પરંતુ પસંદગીકારોએ શમીના સ્થાને જમ્મુ-કાશ્મીરના યુવા ઝડપી બોલર આકિબ નબીને ટીમમાં સામેલ કરવાનો નિર્ણય લીધો છે.આકિબ નબી ભારતીય સીનિયર ટીમમાં સ્થાન મેળવનાર જમ્મુ-કાશ્મીરનો ત્રીજો ખેલાડી બનશે. આ પહેલાં પરવેઝ રસૂલ અને ઉમરાન મલિકને ભારતીય સીમિત ઓવરોની ટીમમાં તક મળી ચૂકી છે. આકિબની સરપ્રાઈઝ એન્ટ્રી બાદ હવે શમી માટે ભારતીય ટીમમાં વાપસીના દ્વાર લગભગ બંધ થતાં દેખાઈ રહ્યા છે.શ્રીલંકા પ્રવાસ માટે પસંદગીકારો દ્વારા અણદેખા કરાયા બાદ મોહમ્મદ શમીએ એક ઈન્ટરવ્યુમાં પોતાની વાપસી અને ટીમ સિલેક્શન અંગે પ્રતિક્રિયા આપી હતી. શમીએ જણાવ્યું હતું કે,શરૂઆતમાં ફિટનેસની સમસ્યાઓના કારણે શમી ટીમમાંથી બહાર થયો હતો. જોકે છેલ્લા એક વર્ષમાં ઘરેલુ ક્રિકેટમાં સતત ઉત્કૃષ્ટ પ્રદર્શન કરવા છતાં રાષ્ટ્રીય ટીમમાં તેની વાપસી શક્ય બની નથી. જસપ્રીત બુમરાહના સ્થાને યુવા બોલર આકિબ નબી પર પસંદગીનો કળશ ઢોળવો એ BCCIના ચીફ સિલેક્ટર અજીત અગરકર તરફથી શમીને ભવિષ્યની યોજનાઓ અંગેનો એક સ્પષ્ટ સંદેશ માનવામાં આવી રહ્યો છે.

