પ્રાચી તીર્થ ખાતે આજ રોજ અંદાજે ૮૦૦૦૦ જેટલી માનવ મેદની ઉમટી હતી
હાર્દિક કાનાબાર
Prachi
સુત્રાપાડા તાલુકાના સો વાર કાશી એક વાર પ્રાચી સમાન ગણાતા એવા યાત્રાધામ પ્રાચી તીર્થ ખાતે આજ રોજ ભાદરવી અમાસ ના પાવન દિવસે મોક્ષ પીપળે પાણી રેડવા યાત્રિકોનો ભારે ઘસારો જોવા રહ્યો છે
ભાદરવી અમાસ નુ અનેરું મહત્વ હોવાથી પ્રાચી તેમજ ગ્રામ્ય વિસ્તારમાં થી તેમજ દૂર દૂરથી આવતા યાત્રિકો નો મધ્યરાત્રી થી જ લોકો નો ઘસારો જોવા મળ્યો હતો પ્રાચી તીર્થ ખાતે આવતા યાત્રીઓ સૌ પ્રથમ મોક્ષ પીપડે પોતાના પિતૃઓ ના મોક્ષાર્થે પાણી રેડી પૂજા અર્ચના કરી મોક્ષ પીપળા ની પ્રદક્ષિણા કરી બ્રાહ્મણો ને યથા શક્તિ દાન દક્ષિણા, સીધો,આપી ધન્યતા અનુભવી હતી તેમજ અહીં સરસ્વતી નદી કિનારે બિરાજમાન અતિ પૌરાણિક માધવરાયજી મંદિર તથા શિતળા માતાજી મંદિર, તેમજ પ્રાચી ખાતે આવેલા શિવ મંદિરો ના પણ દર્શન કરી ધન્યતા અનુભવી હતી આજના આ પવિત્ર દિવસ નિમિત્તે ભારે યાત્રિકોનો ઘસારો જોવા મળ્યો હતો જેમા અંદાજે ૮૦૦૦૦ ( એસી હાજર) જેટલી માનવ મેદની ઉમટી પડી હતી
પ્રાચી તીર્થ ખાતે પ્રાચી તીર્થ ના તીર્થ બ્રાહ્મણો દ્વારા તમામ પ્રકારની વિધિ કરવામાં આવે છે જેમા સર્વપિતૃ શ્રાદ્ધ, પિંડદાન, તર્પણ, લીલ , સહિત ના પિતૃ કાર્ય કરાવવામાં આવે આજ અમાસ ના દિવસે અહીં મેળા જેવો માહોલ જોવા મળે છે તેમજ મોક્ષ પીપળે આવતા યાત્રીઓ માટે લોટા કળશ તેમજ પાણી ની વ્યવસ્થા બ્રહ્મસમાજ, તેમજ સાધુસમાજ દ્વારા કરવામાં આવે છે
આ તકે કોઈ ટ્રાફિક સમસ્યા ન સર્જાય અને અકસ્માત કે અઘટિત ઘટના ન સર્જાય તેને ધ્યાને રાખી સુત્રાપાડા પોલીસ સ્ટાફ દ્વારા ગત રાત્રી થીજ એક્ટિવ રહી સુંદર કામ ગીરી કરવામાં આવી હતી.

