- Rajpipla ના ઐતિહાસિક મંદિરમાં ચોરીથી ભક્તોમાં રોષ
- Devbhoomi Dwarka માં ચાંદીપુરાનો શંકાસ્પદ કેસ, આરોગ્ય તંત્ર એલર્ટ
- ભારે હંગામા બાદ Lok Sabha and Rajya Sabha ની કાર્યવાહી સ્થગિત
- દાદા કે પિતા પાસેથી મળેલી દરેક મિલકત પર બાળકોનો જન્મસિદ્ધ અધિકાર નથી:Karnataka High Court
- વિદ્યાર્થિનીઓને આપશે મફત સ્કૂટી,યુપી કેબિનેટે આપી મંજૂરી
- Gujarat માં છેલ્લા ૨૪ કલાકમાં વલસાડના પારડીમાં ૮.૧૯ ઈંચ વરસાદ
- South Gujarat સહિત અનેક વિસ્તારોમાં અતિભારે વરસાદની શક્યતા
- રોકાણકારોમાં સાવચેતી વધી, ઉછાળે નફારૂપી વેચવાલી યથાવત્…!!!
Author: Vikram Raval
Europe,તા.૨૯ યુરોપના ઘણા દેશોએ વીજળી સંકટનો સામનો કરવો પડ્યો છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે સ્પેન, પોર્ટુગલ અને દક્ષિણ ફ્રાન્સના કેટલાક ભાગોમાં મોટા પાયે વીજળી ગુલ થઈ ગઈ છે. જેના કારણે લોકોને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો છે. રેલ, મેટ્રો, હવાઈ મુસાફરી, મોબાઈલ ઈન્ટરનેટ જેવી મૂળભૂત બાબતો પર ખરાબ અસર પડી છે. ગ્રીડ ઓપરેટરોએ જણાવ્યું કે, બ્લેકઆઉટનું કારણ તાત્કાલિક જાણી શકાયું નથી. આ બ્લેકઆઉટ સ્પેન અને પોર્ટુગલની રાજધાનીઓ સહિત ઘણા મોટા વિસ્તારોમાં ફેલાયો. સ્પેનની સરકારી માલિકીની વીજ કંપની રેડ ઇલેક્ટ્રિકાએ જણાવ્યું કે, સમગ્ર ઇબેરિયન દ્વીપકલ્પ પ્રભાવિત થયો છે અને હવે ઘટનાની તપાસ કરવામાં આવી રહી છે. જો કે, વીજળી…
Rajula,તા.29 રાજુલા શહેરમાં આવેલ ગાયત્રી શક્તિપીઠ ખાતે બ્રહ્મ સમાજ યુવા સંગઠન દ્વારા પ્રથમવાર પરશુરામ જયંતિની ઉજવણીના ભાગરૂપે ભવ્ય બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જમ્મુ કાશ્મીરના પહેલગામ ખાતે આતંકવાદી હુમલામાં મુત્યુ પામેલ સ્વ. શિવમ ભરતભાઇ વ્યાસ તથા જ્યોતિબેન વ્યાસના સ્મરણાર્થે બ્લડ ડોનેશન કેમ્પ યોજવામાં આવ્યો હતો. આ બ્લડ કેમ્પમાં મોટી સંખ્યામાં રક્તદાતાઓએ રક્તરૂપી રક્તદાન કર્યું હતું. અને ૪૦ બ્લડની બોટલ એકત્રિત કરવામાં આવી હતી. રાજુલા શહેરમાં બ્રહ્મ સમાજ યુવા સંગઠન દ્વારા પ્રથમ વખત પરશુરામ જયંતિના દિવસની ઉજવણી કરી અને અન્ય સમાજને પ્રેરણારૂપ કાર્ય કર્યું હતું. આ સાથે ધારાસભ્ય હીરાભાઈ સોલંકી હાજરી આપી બે મિનિટનું મૌન પાળી મૃતકોને શ્રધ્ધાંજલિ અર્પણ…
વડીલો પાર્જીત જમીન ચાલતા જમીનના વિવાદમાં પિતરાઈને પાઇપ વડે માર માર્યો તો Rajkot,તા.29 રાજકોટ તાલુકાના ખરેડી ગામે 23 વર્ષ પહેલા વડીલો પાર્જીત જમીનના મામલે ચાલતા ઝઘડામાં ખેડૂત ઉપર લોખંડના પાઇપ વડે હુમલો કરવાના ગુનાનો કેસ ચાલી જતા અદાલતે ત્રણ ભાઈઓને તકસીરવાન ઠેરવી કલમ 325 હેઠળ બે વર્ષની સજા નો હુકમ કર્યો છે. વધુ વિગત મુજબ શહેરની ભાગોળે આવેલા ખેરડી ગામે રહેતા બાબુભાઈ મોહનભાઈ મોલીયાને પાઇપ વડે કાનજી બચુ મોલીયા, અશોક બચુ મોલીયા અને શંભુ બચુ મોલીયાએ માર માર્યાની તાલુકા પોલીસ મથકમાં તારીખ 18 2 2002 ના રોજ ફરિયાદ નોંધાવી હતી.ફરિયાદમાં જણાવ્યા પ્રમાણે આરોપી અને ફરિયાદીઓ પિતરાઈ ભાઈઓ થાય છે અને…
Vichhiya,તા.29 વિછીયા પોલીસ મથકની હદમાં આવેલ જસ ના ખરચિયા ગામની સીમ માં ઢાળિયામાં ગળે ફાંસો ખાઈ પરણીતા એ આપઘાત કરીલેતા સિવિલમાં પોસ્ટમોર્ટમની તજવીજ હાથ ધરવામાં આવી હતી આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ વિછીયા તાલુકાનાખરચીયા”જસ” ગામે સાસરુ અને વિછીયા માં પિયર ધરાવતી કાજલબેન રમેશભાઈ ગોહિલ એ ગઈકાલે પરિવારજનો લગ્નમાં ગયા બાદ વાડીએ જઇ ઢોર બાંધવાના ફરજામા આડસર સાથે ચુંદડી બાંધી ગળેફાંસો ખાઈ લેતા પરિવારજનો એ આવીને કાજલબેન ને નીચે ઉતારી રાજકોટ સિવિલમાં દાખલ કરવામાં આવતા ફરજ પરના તબીબો એ મૃત જાહેર કરી હતી, પારિવારિક સૂત્રો માંથી જાણવા મળતી વિગત મુજબ કાજલબેન ના બે વર્ષ પહેલા લગ્ન થયા હતા અને કોઈ બાળક…
Upleta,તા.29 ઉપલેટાના નાગનાથ ચોક નજીક ભારે વાહનો માટે પ્રવેશબંધી ને લઈને લગાવવામાં આવેલા લોખંડના એંગલ માં માથું ભટકાઈ જતા ૧૧ વર્ષના તરુણને ગંભીર હાલતમાં રાજકોટ સિવિલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યો છે .આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ ઉપલેટા નાગનાથ ચોક નજીકની સોસાયટી માં રહેતા અને તાળા ચાવી નું કામ કરતા દીપસિંહ ચીખલીગર નો પરિવાર બાળકોને લઈ જુનાગઢ સકરબાગ ફરવા ગયા હતા. છોટા હાથીમાં પાટિયા નાખી બાળકોને ઉપર બેસાડ્યા હતા વળતી વખતે ગાડી નાગનાથ ચોક નજીકથી પસાર થતાં રસ્તા પર ભારે વાહનો ની પ્રવેશબંધી માટે લગાવવામાં આવેલા એંગલ સાથે પાટીયા પર બેસેલા ૧૧ વર્ષના પરમ દીપસિંહ ચીખલીગર નું માથું એંગલ સાથે…
રામાણી સર્જીકલ હોસ્પિટલમાં ચેકિંગ દરમિયાન સોનોગ્રાફી રજીસ્ટર મેન્ટેન ન કરતા ગુનો નોંધાયો હતો Jasdan,તા.29 જસદણ શહેરના આટકોટ રોડ પર આવેલા ગાયત્રી મંદિર સામે રામાણી સર્જીકલ હોસ્પિટલના તબીબ પીએનડીટી એકટના કાયદા હેઠળ ડોક્ટર ડી કે રામાણીને અલગ અલગ તકસીરવાન ઠેરવી અને દંડ ફટકારી છ માસની સજા નો હુકમ જસદણની અદાલતે હુકમ કર્યો છે. વધુ વિગત મુજબ જસદણ શહેર અને તાલુકાના આવેલા સોનોગ્રાફી ધરાવતા ક્લિનિકોમાં કાયદા મુજબની કાર્યવાહી થતુ ન હોવાની મળેલી ફરિયાદના અનુસંધાને જસદણ તાલુકા હેલ્થ ઓફિસર સંજીવભાઈ સચ્ચિદાનંદ શ્રીવાસ્તવ દ્વારા જસદણના આટકોટ રોડ પર આવેલી ગાયત્રી મંદિર સામે રામાણી સર્જીકલ હોસ્પિટલમાં ચેકિંગ કરતા સોનોગ્રાફીનું રજીસ્ટર તેમજ ફોર્મમાં અધૂરી વિગત…
ફરિયાદીને ચેકની રકમનું ડબલ 10 લાખ રૂપિયાનો ડોન ડો ફટકારતો હુકમ Junagadh,તા.29 વિસાવદર તાલુકાના જાંબુડા ગામના યુવાન પાસેથી મિત્રતાના દાવે ધંધાના વિકાસ માટે લીધેલી રકમ ચૂકવવા આપેલો 10 લાખનો ચેક પર ફરવાનો કેસ ચાલી જતા અદાલતે શ્રીજી લેડીઝ વેરના ધંધાર્થીને બે વર્ષની સજા ચેક મુજબનું વળતર ચૂકવવા હુકમ કર્યો છે. વધુ વિગત મુજબ વિસાવદર ખાતે રહેતા અને શ્રીજી લેડીઝ વેર નામે ધંધો કરતા ભરતભાઈ હરિભાઈ સુખડિયાએ પોતાના ધંધાના વિકાસ માટે આર્થિક જરૂરિયાત ઉપસ્થિત થતા હતા. પોતાના મિત્ર અને જાંબુડા ગામે રહેતા લગધીરભાઈ વાસુરભાઈ બોરીચા પાસેથી બે માસ માટે હાથ ઊંછીના પાંચ લાખ રૂપિયા લીધા હતા. જે રકમ લગધીરભાઈ એ માગણી…
બે મોબાઈલ સાથે ત્રણ શખ્સ ઝડપાયા: બે ની શોધખોળ Jetpur,તા.29 જેતપુર શહેરમાં આવેલા કણકીયા પ્લોટ, એચડીએફસી બેન્કની સામે અને સારણપુl પાસે આવેલા સુકુન પ્લાઝા પાસે જેતપુર સીટી પોલીસે ક્રિકેટના સટ્ટો પર દરોડા પડી , બે મોબાઈલ સાથે ત્રણ શખ્સોને ઝડપી લીધા છે.હાલમાં આઈ પી એલ ક્રિકેટ મેચની સીઝન ખુલી છે ત્યારે, પંટરો અને ક્રિકેટ સટ્ટો રમાડવા વાળા મેદાનમાં ઉતરી ગયા છે ત્યારે, જિલ્લા પોલીસ તંત્ર પણ સક્રિય બની ક્રિકેટ સટ્ટો ના નેટવર્ક પર દરડા પાડી રહ્યા છે.ત્યારે જેતપુર સીટી પોલીસની ટીમે બાતમીના આધારે કણકીયા પ્લોટ પાસે આવેલી એચડીએફસી બેન્કની સામેથી મોબાઇલમાં ઓનલાઈન હાલમાં ચાલતા આઈપીએલ ક્રિકેટ મેચ પર સટ્ટો રમતો…
દારૂ પીવાના બારમાંથી માલિક સહિત ત્રણ ની અટકાયત એક ફરાર Jetpurતા.29 જેતપુરના અમરનગર રોડ ઉપર શુકન પ્લાઝામાં ઓફિસમાં દારૂની મેહફીલ અને બાર જેવી સવલત સાથે દારૂ પીવાની પ્રવૃત્તિ ચાલતી હોવાની બાકીના આધારે પોલીસે રેડ કરી ઓફિસ માલિક સહિત ત્રણ ને દારૂ પિતા ઝડપી લીધા હતા જ્યારે રેડ દરમિયાન એક નબીરો નાશિ છું ટવામાં સફળ થયો હતો.આ અંગે પોલીસ માંથી પ્રાપ્ત વિગતો મુજબ જેતપુરનઆવેલ સુકન પ્લાઝામાં ઓફિસ ધરાવતા રોહિત રતિલાલ શેખડા ની ઓફિસમાં સીટી પોલીસે રેડ પાડી રોહિત શેખડા, વિક્રમ રામ લુણી, અશોક બાઘા ખાંભલા ને દારૂ પીતા અડધી બોટલ દારૂ સાથે ઝડપી લીધા હતા રેડ દરમિયાન દારૂ પહોંચાડનાર નીતિન રઘુ…
બેંગલોર સ્થિત પતિએ પત્નીનો ત્યાગ કરતા જીવન નિર્વાહ ચલાવવા દાદ માંગી તી Rajkot,તા.29 પોતે કાંઈ કમાતો નથી તેવો બચાવ લેનાર પતિને વચગાળામાં પત્ની, બાળકનું રૂ. ૫૦૦૦ વચગાળાનું ભરણ પોષણ ચૂકવવાનો જેતપુરની અદાલતે આદેશ કર્યો છે. આ કેસની હકીકત મુજબ હાલ જેતપુર મુકામે રહેતી પરિણીતા ભાવનાના લગ્ન બેંગલોર રહેતા ભરત ગોપાલરામ પટેલ સાથે સને ૨૦૨૧ની સાલમાં થયા હતા, લગ્નબાદ સાસરે સયુંકત કુટુંબ જીવનમાં એક પુત્રનો જનમ થયો હતો, ત્યાર બાદ પતિ પત્ની વચ્ચે અણબનાવ થતાં પરિણીતા પોતાના માવતરે પરત ફરેલ હતી અને તેણે પતિ ભરત ગોપાલરામ પટેલ સસરા ગોપાલરામ ચીનારામ પટેલ અને સાસુ મોહીનીદેવી ગોપાલરામ પટેલ, નણંદ ઈન્દીરાદેવી ધીરજ પટેલ, ધીરજ…
