- Rajpipla ના ઐતિહાસિક મંદિરમાં ચોરીથી ભક્તોમાં રોષ
- Devbhoomi Dwarka માં ચાંદીપુરાનો શંકાસ્પદ કેસ, આરોગ્ય તંત્ર એલર્ટ
- ભારે હંગામા બાદ Lok Sabha and Rajya Sabha ની કાર્યવાહી સ્થગિત
- દાદા કે પિતા પાસેથી મળેલી દરેક મિલકત પર બાળકોનો જન્મસિદ્ધ અધિકાર નથી:Karnataka High Court
- વિદ્યાર્થિનીઓને આપશે મફત સ્કૂટી,યુપી કેબિનેટે આપી મંજૂરી
- Gujarat માં છેલ્લા ૨૪ કલાકમાં વલસાડના પારડીમાં ૮.૧૯ ઈંચ વરસાદ
- South Gujarat સહિત અનેક વિસ્તારોમાં અતિભારે વરસાદની શક્યતા
- રોકાણકારોમાં સાવચેતી વધી, ઉછાળે નફારૂપી વેચવાલી યથાવત્…!!!
Author: Vikram Raval
મામા સાહેબના મંદિરે માંડવામાંથી આવતા મિત્રોને રસ્તામાં કાળ આંબી ગયો Rajkot,તા.29 રાજકોટ અમદાવાદ હાઈવે પર આવેલા કુચીયાદડ નજીક ડમ્પર પાછળ કાર ઘુસી જતા મોડી રાત્રે ગોઝારા અકસ્માતમાં બે યુવાનોના મોત નિપજ્યાનો બનાવ્ પોલીસ દફતરે નોંધાયો છે.આ બનાવ અંગે પ્રાપ્ત વિગતો મુજબ એરપોર્ટ પોલીસ મથકની હદમાં આવેલ રાજકોટ અમદાવાદ હાઈવે પર ગામ પાસે બ્રિજ ચડતી વખતે ડમ્પર નંબર જી જે ૦૩બી વાઈ ૯૦૨૪ ના ચાલકે બ્રિજ ચડતી વખતે એકાએક બ્રેક મારી દેતા પાછળથી આવતી વરના કાર નંબર જી જે ૦૩ ઇ સી ૭૪૫૧ પાછળથી ઘુસી જતા સર્જાયેલા અકસ્માતમાં મોટરમાં બેઠેલા અશોકભાઈ બટુકભાઈ સીતાપરા ૩૨ રહે રામાપીર મંદિર વીસીપરા વાંકાનેર અને મનીષભાઈ…
બે બાળકોએ માતાની છત્ર છાયા ગુમાવી, સંયુક્ત કુટુંબ માં રહેતી મહિલાના પગલાથી પરિવાર “અવાચક” Rajkot,તા.29 શહેરના માલવિયા નગર પોલીસ મથકની હદમાં આવેલ ખોડીયાર નગર શેરી નંબર ૩ માં રહેતા મુસ્લિમ પરિવારની પરણીતાએ ગળે ફાંસો ખાઈ આપઘાત કરી લેતા બે બાળકો નોંધારા થયાની કરુણ ઘટના સામે આવી છે.આ અંગે પોલીસમાંથી પ્રાપ્ત વિગતો મુજબ ખોડીયાર નગર શેરી નંબર ૩ માં રહેતા હુસેનભાઇ સપા ના પત્ની અમીનાબેન ઉર્ફે આશિયાના”૨૫”એ ગઈકાલે સાંજના સમયે પોતાના ઘેર ગળે ફાંસો ખાઈ લેતા મોત નીપજ્યું હતું. સંયુક્ત કુટુંબમાં રહેતા અમીનાબેન ના આ પગલાથી એક પુત્ર અને પુત્રી એ માની છત્ર છાયા ગુમાવી નોંધારા બન્યા હતા અમીના બેને આ…
રાત્રે નાસ્તો કરવા જતા મિત્રના બુલેટ આડે કાળ ઉતર્યો, પરિવારમાં શોકનું મોજુ ફેલાયું Rajkot,તા.29 રાજકોટ શહેરના રાજમાર્ગો પર યમના ધામા હોય તેમ સીટી બસની ગોજારી દુર્ઘટના ના આંસુ હજુ સુકાયા નથી ત્યારે શહેરમાં વધુ એક અકસ્માતમાં નવયુવાન નું મોત નિપજ્યાનો બનાવ પોલીસ દફતરે નોંધાયો છે, આ અંગેની ક્રાફ્ટ વિગતો મુજબ માલવિયા નગર પોલીસ મથકની હદમાં આવેલ કાલાવડ રોડ મહિલા અંડર બ્રિજ નો ઢાળ ઉતરતી વખતે બુલેટ નંબર જીજે ૦૩ એમ એમ ૬૯૩૬ ને અજાણ્યા વાહને ઠોકરે ચડાવતા બુલેટ સ્લીપ થઈ ગઈ હતી અને બુલેટ ચાલક વિમલ અશોકભાઈ આશરા ને ગંભીર ઈજા થતાં તેનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું જ્યારે તેની…
ખોવાયેલા મોબાઇલ ,લેપટોપ અને ફ્રોડથી ગુમાવેલી સવા ચાર લાખની રકમ પરત મેળવી અરજદારો થયા ભાવુક Rajkot,તા.29 મેં આઈ હેલ્પ યુ.. નું સૂત્ર સાર્થક કરી ગાંધીગ્રામ પોલીસ સ્ટેશન દ્વારા તેરા તુજકો અર્પણ અભિયાન અંતર્ગત એપ્રિલ મહિનામાં જ ખોવાયેલા લેપટોપ મોબાઈલ અને બેકના ખાતામાંથી છેતરપિંડી થી ઉપડી ગયેલી રકમ સહિતની લાખો રૂપિયાની મતા અરજદારોને પરત અપાવી પોલીસ ખરા અર્થમાં પ્રજાના મિત્ર સાબિત થયા હતા. શહેર પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝા ,અધિક પોલીસ કમિશનર મહેન્દ્ર બગડીયા, નાયબ પોલીસ કમિશનર જગદીશ બગરવા, પશ્ચિમ વિભાગના રાધિકા ભારાય ના માર્ગદર્શન હેઠળ શહેરના નાગરિકોએ ગુમાવેલ વસ્તુઓ પરત સોપવા તેરા તુજકો અર્પણ કાર્યક્રમ હેઠળ એ ડિવિઝન પોલીસે કરેલા આયોજનમાં…
Rajkot,તા.29 શહેરના ચુનારાવાડ શેરી નંબર ૩માં આવેલા ટીનુબેન ચૌહાણના મકાન પાસે જાહેરમાં જુગાર રમતો હોવાની બાતમી થોરાળા પોલીસની ટીમને મળી હતી. બાતમી પરથી ચુનારાવાડમાં જુગારનો દરોડો પાડી પત્તા ટિંચતી ટીનુબેન કાળુભાઈ ચૌહાણ, રતનબેન માનસિંગભાઈ સોલંકી, મીનાબેન રણજીતભાઈ ટાંક, મીનાબેન વિજયભાઈ રાઠોડ અને રમાબેન ગોરધનભાઈ જંજવાદિયા નામની મહિલાઓને, રૂ. ૧૦.૨૬૦ની રોકડ સાથે થોરાળા પીએસઆઇ એમ.એસ મહેશ્વરી સહિતના સ્ટાફે ઝડપી લીધી છે
Rajkot,તા.29 શહેરની ભાગોળે આવેલા ઢાંઢિયા ગામે ખુલ્લા વાડામાં વિદેશી દારૂનો જથ્થો રાજુ બોલિયા નામના શખ્સે છુપાવ્યો હોવાની બાતમી આજીડેમ પોલીસને મળી હતી. બાતમીના આધારે આજીડેમ પોલીસની ટીમે ગામમાં દરોડો પાડી, વિદેશ દારૂની ૫૭ બોટલ ઝડપી લીધી છે. જયારે દરોડા દરમિયાન બુટલેગર રાજુ હાજર ન મળતા તેની શોધ ખોળ હાથ ધરી છે.
Morbi,તા.29 માળિયા (મી.) માં રહેતા મોવર પરિવારના ૧૪ સભ્યોને ફૂડ પોઈઝનીંગ થતા સારવાર માટે મોરબી ખસેડાયા હતા પરિવારના બાળકો, મહિલાઓ સહિતનાએ ભોજન લીધા બાદ ફૂડ પોઈઝનીંગ થયાની પ્રાથમિક માહિતી પ્રાપ્ત થઇ છે માળિયાના ખારા વિસ્તારમાં શહેનશાવલીના પાટિયા પાસે રહેતા રહીમ કરીમ મોવર પરિવારના ૧૪ સભોયને ફૂડ પોઈઝનીંગ થયું છે બપોરે નોનવેજમાં ઝીંગાનં શાક ખાધા બાદ પરિવારના સભ્યોને ઝાડા અને ઉલટી થયા હતા પરિવારના ૬ પુરુષ, ૫ મહિલાઓ અને ૩ બાળકો એમ કુલ ૧૪ સભ્યોને ફૂડ પોઈઝનીંગ થતા સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ લાવવામાં આવ્યા હતા જે બનાવ અંગે માળિયા પોલીસે વધુ તપાસ ચલાવી છે
Morbi,તા.29 ઝૂલતો પુલ દુર્ઘટના કેસમાં તમામ ૧૦ આરોપીઓએ બિનતહોમત છોડી મુકવા માટે ડીસ્ચાર્જ અરજી મુદે અગાઉ સુનાવણી બાદ ચુકાદો અનામત રાખવામાં આવ્યો હતો આજે મોરબી સેશન્સ કોર્ટે આરોપીઓની ડીસ્ચાર્જ અરજી મુદે ચુકાદો સંભળાવ્યો હતો જેમાં અરજી રીજેક્ટ કરવામાં આવી છે મોરબીનો ઝૂલતો પુલ તૂટી પડતા ૧૩૫ નિર્દોષ નાગરિકોના મોત થયા હતા જે મામલે પોલીસે ઓરેવા ગ્રુપના એમડી જયસુખભાઈ પટેલ સહિતના ૧૦ આરોપીને ઝડપી લીધા હતા જે કેસ મોરબી સેશન્સ કોર્ટમાં ચાલી રહ્યો છે સમયાન્તરે આરોપીઓએ જામીન મેળવ્યા બાદ કોર્ટમાં ડીસ્ચાર્જ અરજી કરી હતી જેમાં તમામ આરોપીઓ નિર્દોષ છે અને બિનતહોમત છોડી મુકવામ માટેની અરજી કરવામાં આવી હતી જે મામલે કોર્ટે…
મગફળી ભુંસાની બોરીઓની આડમાં દારૂની હેરાફેરી,મોરબી એલસીબી ટીમે મોટો જથ્થો ઝડપી લીધો Morbi,તા.29 પંજાબથી ટ્રેલરમાં દારૂનો મોટો જથ્થો ભરીને રાજકોટ તરફ જવાનો હોવાની બાતમી મળતા એલસીબી ટીમે વાંકાનેર બાઉન્ડ્રી નજીકથી ટ્રેલર ઝડપી લઈને ૬૭ લાખથી વધુના દારૂના જથ્થા સાથે ૧.૦૨ કરોડનો મુદામાલ જપ્ત કરી ટ્રક ચાલકને ઝડપી લીધો છે મોરબી એલસીબી/પેરોલ ફર્લો સ્કવોડ ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન અમદાવાદ તરફથી એક ટ્રક ટ્રેઇલર આરજે ૧૪ જીજી ૫૨૦૫ વાળું રાજકોટ તરફ જવાનું છે જેમાં મગફળીના ભુંસાની આડમાં દારૂની હેરાફેરી કરવામાં આવતી હોવાની બાતમી મળી હતી જેથી ટીમે વાંકાનેર બાઉન્ડ્રી પાસે ટોલ પ્લાઝા ખાતે વાહન ચેકિંગ કામગીરી હાથ ધરી હતી જેમાં ટ્રેઇલર નીકળતા…
Morbi,તા.29 મોરબી શહેર પેટા ૦૨ વિભાગ હેઠળ આવતા વાવડી રોડ ફીડરમાં તા. ૩૦ ને બુધવારે મેન્ટેનન્સ કામગીરી કરવાની હોવાથી સવારે ૬ થી બપોરે ૧૨ : ૩૦ સુધી બંધ રહેશે જેથી વાવડી રોડ ફીડરમાં આવતા ક્રિષ્ના પાર્ક૧/૨, શ્યામપાર્ક, રાધા પાર્ક, કારીયા સોસા,સોમૈયા સોસા, ગાયત્રી નગર, કુબેર નગર,ન્યુ મારુતિ નગર, અશિકપાર્ક, વિગેરે વિસ્તાર તથા આસપાસના વિસ્તારોમાં બપોર સુધી વીજકાપ રહેશે અને કામગીરી પૂર્ણ થયે કોઈપણ પ્રકારની જાણ કર્યા વગર વીજ પુરવઠો પુનઃ ચાલુ કરવામાં આવશે જેની ગ્રાહકોએ નોંધ લેવા જણાવ્યું છે
