- Rajpipla ના ઐતિહાસિક મંદિરમાં ચોરીથી ભક્તોમાં રોષ
- Devbhoomi Dwarka માં ચાંદીપુરાનો શંકાસ્પદ કેસ, આરોગ્ય તંત્ર એલર્ટ
- ભારે હંગામા બાદ Lok Sabha and Rajya Sabha ની કાર્યવાહી સ્થગિત
- દાદા કે પિતા પાસેથી મળેલી દરેક મિલકત પર બાળકોનો જન્મસિદ્ધ અધિકાર નથી:Karnataka High Court
- વિદ્યાર્થિનીઓને આપશે મફત સ્કૂટી,યુપી કેબિનેટે આપી મંજૂરી
- Gujarat માં છેલ્લા ૨૪ કલાકમાં વલસાડના પારડીમાં ૮.૧૯ ઈંચ વરસાદ
- South Gujarat સહિત અનેક વિસ્તારોમાં અતિભારે વરસાદની શક્યતા
- રોકાણકારોમાં સાવચેતી વધી, ઉછાળે નફારૂપી વેચવાલી યથાવત્…!!!
Author: Vikram Raval
Mumbai મિલો મારફત મેમાં ખુલ્લા બજારમાં વેચાણ માટે ખાંડનો ૨૩.૫૦ લાખ ટન કવોટા જારી કરાયો છે જે ગયા વર્ષના મેની સરખામણીએ નોંધપાત્ર ઓછો છે. ગયા વર્ષના મેમાં ૨૭ લાખ ટન ખાંડ કવોટા છૂટો કરાયો હતો. વર્તમાન વર્ષના એપ્રિલમાં ૨૩.૫૦ લાખ ટન ખાંડ છૂટી કરાઈ હતી. વર્તમાન ખાંડ મોસમમાં સરકારે દસ લાખ ટન ખાંડની નિકાસ છૂટ આપી છે, પરંતુ સાત લાખ ટન ખાંડ નિકાસ થવાની શકયતા રહેલી છે. ખાંડનું ઉત્પાદન જે રીતે ઘટી રહ્યું છે તેને જોતા તેનું સ્તર માગ કરતા નીચે જોવા મળવાની શકયતા નકારાતી નથી આ હકીકતને ધ્યાનમાં રાખી ગયા વર્ષના મેની સરખામણીએ વર્તમાન વર્ષના મેમાં ઓછી ખાંડ છૂટી…
અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ૨૯ એપ્રિલે પોતાના કાર્યકાળના ૧૦૦ દિવસના સીમાચિહ્નરૂપ પર પહોંચવાના છે. આ ૧૦૦ દિવસમાં ટેરિફની જાહેરાત, તેનો અમલ મુલતવી રાખવો, એક્ઝિક્યુટિવ ઓર્ડર સહિતના અન્ય નિર્ણયોના કારણે ટ્રમ્પ વૈશ્વિક ચર્ચામાં ઉભરી આવ્યા છે. યુએસ રાષ્ટ્રપતિએ વિશ્વના બજારોને અનિશ્ચિતતા અને ઉથલપાથલ અને અરાજકતા વચ્ચે ફસાવી દીધું છે. ટ્રમ્પ દ્વારા ટેરિફની જાહેરાત અને બજારોની અનિશ્ચિતતા અને ઉથલપાથલ બાદ ઈન્ટરનેશનલ મોનેટરી ફંડે તેની તાજેતરની આગાહીમાં, વૈશ્વિક વૃદ્ધિના અંદાજને ઘટાડી ૩ ટકાથી નીચે કર્યો છે અને જો અનિશ્ચિતતા ચાલુ રહે તો વધુ ખરાબ થવાની ચેતવણી આપી છે. અમેરિકાના મિશિગન યુનિવર્સિટીના ગ્રાહક ભાવના સર્વે – ૫૨ પર છે, જે ડિસેમ્બરના સ્તર ૭૪ કરતા…
Vadodara,તા.29 વડોદરાના પ્રતાપ નગર પોલીસ હેડ ક્વાર્ટર ખાતે વાહનોમાં આગ લાગવાનો બનાવ બનતા ફાયર બ્રિગેડની ટીમો દોડી ગઈ છે. એક મહિના પહેલા એસઆરપીના સ્ટોર રૂમમાં ભીષણ આગ લાગી હતી. જેનું પ્રાથમિક કારણ સોટ સર્કિટ હોવાનું જાણવા મળ્યું હતું. આગના બનાવમાં એસઆરપીના ટેન્ટ તેમજ અન્ય સાધનોને ભારે નુકસાન થયું હતું.દરમિયાનમાં આજે સવારે પ્રતાપનગર પોલીસ હેડ ક્વાર્ટર ખાતે વાહનોમાં આગ લાગવાનો બનાવ બનતાં ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવી હતી. પ્રાથમિક વિગતો મુજબ ઉપરોક્ત સ્થળે સ્ક્રેપના તેમજ જુદા જુદા ગુનાઓમાં કબજે લેવાયેલા વાહનોનો મોટો ખડકલો કરવામાં આવ્યો હતો. જેથી આગ લાગવાનું ચોક્કસ કારણ જાણવા મળ્યું નથી. એક કલાકથી ફાયર બિગેડ દ્વારા આગ બુજાવાની કામગીરી…
Kutch,તા.29 ગુજરાત સહિત દેશભરમાં હાલ ગરમીનો પારો સાતમા આસમાને છે. એવામાં 46 ડિગ્રી તાપમાન સાથે રાજકોટમાં 133 વર્ષ જૂનો રેકોર્ડ તૂટ્યો છે. જોકે, રાજકોટવાસીઓને હજુ રાહત નહીં મળે. કારણ કે, હવામાન વિભાહ દ્વારા સૌરાષ્ટ્ર-કચ્છમાં હીટવેવની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગ દ્વારા સૌરાષ્ટ્ર-કચ્છમાં હીટવેવની સાથે રાજકોટમાં ઓરેન્જ એલર્ટ આપ્યું છે. હવામાન વિભાગ અનુસાર, મંગળવારે (29 એપ્રિલ) રાજકોટમાં ઓરેન્જ એલર્ટ છે. જ્યારે કચ્છ-મોરબી, સુરેન્દ્રનગર, બોટાદમાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે. 30 એપ્રિલે ગરમીનો પ્રકોપ વધતો જોવા મળશે. કારણ કે, બુધવારે પણ રાજકોટમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. આ ઉપરાંત રાજ્યના ત્રણ જિલ્લા કચ્છ, મોરબી, સુરેન્દ્રનગરમાં પણ યલો એલર્ટ આપવામાં આવ્યું છે.…
Vadodara, પહેલગામ દુર્ઘટનાથી આક્રોશિત લોકોએ કારેલીબાગ વિસ્તારની વાઘેશ્વરી સોસાયટીથી બ્રહ્માકુમારી માર્ગ પર પાકિસ્તાની ધ્વજના ચાંદના ચિન્હો ઠેર ઠેર જમીન પર ચિપકાવી દેતા પોલીસ દોડતી થઈ હતી. આક્રોશિત લોકોનો એકમાત્ર ધ્યેય એવો હતો કે, પહેલગામ દુર્ઘટના સંદર્ભે પાકિસ્તાની ધ્વજના ચાંદ પર પગ મૂકીને ચાલે તથા વાહનો પણ તેના પર થઈને જઈને મૂક આક્રોશ વ્યક્ત કરી શકે. ઉલ્લેખનીય છે કે કાશ્મીરના પહેલગામ ખાતે ગઈ તા.22મીએ આતંકવાદીઓએ ધર્મ પૂછીને 22 નિર્દોષોને ગોળીઓ મારીને મારી નાખ્યા હતા. આ દુર્ઘટનાથી સમગ્ર ભારતમાં ભારે આક્રોશ ફેલાયો છે. વડાપ્રધાન મોદીએ પણ આ દુષ્કૃત્યના ગંભીર પરિણામો ભોગવવાની પાકિસ્તાનને ચીમકી આપી છે. જ્યારે બીજી બાજુ દેશભરમાં વિવિધ રીતે આ…
Ahmedabad,તા.29 ચંડોળા ડિમોલિશન મુદ્દે ગુજરાત હાઇકોર્ટમાં આજે સુનાવણી હાથ ધરાઇ હતી. જેમાં બંને પક્ષોની રજૂઆતની સાંભળ્યા બાદ હાઇકોર્ટ દ્વારા અરજીને કાઢી હતી અને ડિમોલિશનની કાર્યવાહીને લીલીઝંડી આપી હતી. આ દરમિયાન મીડિયાને મૌખિક રીતે રોકવામાં આવ્યા હતા. કોઇપણ જાહેરત વિના મૌખિક રીતે કવરેજ કરવા પર મનાઇ ફરમાવવામાં આવી હતી. 18 અરજદારોએ ડિમોલિશન મામલે ગુજરાત હાઇકોર્ટમાં અરજી કરી હતી. આજે પરશુરામ જયંતિ નિમિત્તિ જાહેર રજા હોવા છતાં હાઇકોર્ટની કાર્યવાહી ચાલુ રહી હતી અને 18 અરજીઓ સ્વીકારવામાં આવી હતી. હાઇકોર્ટના લેખિત હુકમ વિના જ અધિકારીઓએ ક્રાઇમ ડી.સી.પી. અજિત રાજયાન અને સોલા પોલીસ સ્ટેશનના પી.આઇ. કે.એન.ભૂકણ દ્વારા હાઇકોર્ટના મુખ્ય દરવાજાથી પત્રકારોને રોકી દીધા હતા.…
Vadodara,તા.29 પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ બિલ ભાયલી અને સેવાસી ખાતે તૈયાર થનારા ઇડબલ્યુએસ-2 ટાઈપના આવાસો ફાળવવા અંગે ઓનલાઇન ફોર્મ ભરવાની મુદત તા. 20-મે સુધી લંબાવવામાં આવી છે. વડોદરા મહાનગર પાલિકાની એફોર્ડેબલ હાઉસિંગ શાખા દ્વારા પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ બિલ ભાયલી અને સેવાસી ખાતેના ઇડબલ્યુએસ-2 ટાઈપના આવાસ મેળવવા માટે ઓનલાઇન ફોર્મ મંગાવ્યા હતા. જેમાં ફોર્મ ભરવાની છેલ્લી તા.30, એપ્રિલ સાંજના 6 વાગ્યા સુધીની હતી. પરંતુ આ યોજનાને મળેલા અભૂતપૂર્વ જન પ્રતિસાદના કારણે આવાસ યોજના માટે ઓનલાઈન ફોર્મ ભરવાની સમય મર્યાદા 20 દિવસ વધારીને 20-મે સાંજે છ વાગ્યા સુધી લંબાવવામાં આવી છે. જેથી આ યોજનાનો લાભ લેવા ઇચ્છિત જરૂરિયાત મંદો આગામી તા.20-મે…
Vadodara ફ્લેટ રીનોવેશનનાં કામ માટે રોકવામાં આવેલ કોન્ટ્રાક્ટર સાથે કરેલ લેખિત કોન્ટ્રાક્ટની શરતોનું પાલન ન કરતાં વકીલ પરિવારે સિક્યોરિટી પેટે આપેલ રૂપિયા 12,50,000/- નો ચેક બેંકમાં ભરી દેતા ચેક અપૂરતા ભંડોળના શેરા સાથે પરત ફર્યો હતો અને તે મુજબની નેગોશીયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટ 1881, ની કલમ 138 મુજબની ફરિયાદ વડોદરાની કોર્ટમાં દાખલ થઈ હતી. મે 21 માં એડી. સિની. સિવીલ જજ અને એડી. ચીફ જયુ. મેજી.ની કોર્ટમાં ઉપરોક્ત ફરિયાદ 04-10-2024 ના રોજ દાખલ થઈ હતી અને ફક્ત 6 મહિનાને 22 દિવસમાં જજ એ.એચ.દવેએ ફરિયાદની સુનાવણી પુરી કરીને આ ફરિયાદના આરોપીને નિર્દોષ જાહેર કર્યો હતો. આરોપી પક્ષની દલીલ કે આ કામના આરોપીએ ફરીયાદીના…
Vapi,તા.29 વાપી GIDC ની કંપનીમાં બ્લાસ્ટની ઘટના સામે આવી છે. જેમાં બ્લાસ્ટના કારણે એક કામદારનું મોત નિપજ્યું છે. હાલ, ઈજાગ્રસ્તને હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો છે. સમગ્ર ઘટનાની જાણ થતાં પોલીસે ઘટનાસ્થળે પહોંચી આ અંગે તપાસ હાથ ધરી છે. ઘટના બાદ મૃતકને પોસ્ટ મોર્ટમ અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જોકે, અન્ય એક ઈજાગ્રસ્ત વ્યક્તિ હજુ સારવાર હેઠળ છે. નોંધનીય છે કે, હજુ સુધી આ મામલે બ્લાસ્ટ થયાનું કારણ કોઈ નક્કર કારણ સામે નથી આવ્યું. મળતી માહિતી મુજબ, વાપી GIDCમાં સોમવારે અમોલી ઓર્ગેનિક કંપનીમાં બ્લાસ્ટ થયો હતો. આ કંપનીના ડ્રાયર પ્લાન્ટમાં બ્લાસ્ટના કારણે એક કામદારનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યું હતું અને…
Surat,તા.29 સુરત પાલિકાના કોન્ટ્રાક્ટરો જ નિયમોનો ભંગ કરીને ગંદકી ફેલાવવા સાથે લોકોના આરોગ્ય સામે ખતરો ઉભો કરી રહ્યાની ફરિયાદ રાંદેર ઝોનમાંથી બહાર આવી છે. રાંદેર ઝોનમાં પાલ વિસ્તારમાં ડ્રેનેજની કામગીરી ચાલી રહી છે પરંતુ ડી વોટરીંગની કામગીરી ગટરના ગંદા અને ગંધાતા પાણીથી કરવામાં આવતા હોવાથી ફરિયાદ થઈ રહી છે. આ ઉપરાંત અડાજણ પાલ, પાલોપનર, રાંદેર સહિતના વિસ્તારમાં અનેક જગ્યાએ કચરાનો નિકાલ ન થતા હોવાથી લોકોના આરોગ્ય સામે ખતરો ઉભો થઈ રહ્યો છે. સુરત પાલિકાના રાંદેર ઝોનમાં પાલ વિસ્તારમાં છેલ્લા ઘણા વખતથી ડ્રેનેજની કામગીરી ચાલી રહી છે જેના કારણે અનેક જગ્યાએ ખોદાણ થઈ રહ્યું છે તેથી ધુળ ઉડી રહી છે અને…
