Author: Vikram Raval

Surat,તા.29 સુરતને પ્લાસ્ટિક મુક્ત બનાવવાનો સુરત પાલિકાના પ્રયાસ ટુંકા પડી રહ્યાં છે ત્યારે સુરતના જહાંગીરપુરાના એક ગાર્ડનમાં કાયમ આવતી એક સંસ્થાઓ લોક જાગૃતિ થકી ગાર્ડનને પ્લાસ્ટિક મુક્ત બનાવવાનું અભિયાન શરૂ કર્યું છે. તેમાં માત્ર એક અઠવાડિયામાં 30 ટકા જેટલું પ્લાસ્ટિક અટકાવવામાં સફળતા મળી છે. એક મહિનામાં આ ગાર્ડન 100 ટકા પ્લાસ્ટિક મુક્ત થાય તેવો પ્રયાસ સંસ્થા દ્વારા કરવામાં આવી રહ્યો છે. આ એક સંસ્થાના પ્રયાસ બાદ શહેરના અન્ય ગાર્ડન તથા અન્ય જાહેર જગ્યાએ પ્લાસ્ટિક અટકાવવાના પ્રયાસ શરૂ કરવા પ્રેરણા મળશે. સુરતના જહાંગીરપુરા ગાર્ડન ખાતેના મોઝેક ગાર્ડનમાં નક્ષત્ર પ્રભાત શાખાના સ્વયં સેવકો દ્વારા ગાર્ડનને પ્લાસ્ટિક મુક્ત બનાવવા માટે અભિયાન શરૂ કર્યું…

Read More

Surat,તા.29 સુરતના મોટા વરાછા વિસ્તારમાં ખાનગી લક્ઝરી બસે રોડ ક્રોસ કરી રહેલા એક 42 વર્ષીય યુવકને અડફેટે લેતા તેનું મૃત્યુ નીપજ્યું હતું. અકસ્માતના પગલે મોટી સંખ્યામાં લોકો એકઠા થઈ ગયા હતા અને ડ્રાઇવરને પણ ઝડપી પાડ્યો હતો. આ મામલે  ઉત્રાણ પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે હોસ્પિટલ ખસેડ્યો હતો અને વધુ તપાસ હાથ ધરી છે.ખાનગી બસના ચાલક દ્વારા અકસ્માતના પગલે આસપાસથી મોટી સંખ્યામાં લોકો દોડી આવ્યા હતા. ઘટના અંગેની જાણ થતા ઉત્રાણ પોલીસનો કાફલો પણ ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. મળતી માહિતી પ્રમાણે, સુરતના મોટા વરાછા વિસ્તારમાં 42 વર્ષીય પ્રકાશ ઔડ સોમવારે (28મી એપ્રિલ) ઘર નજીક આવેલા રામચોકની પાસેના મણકી મા ચોક ખાતે…

Read More

Jamnagar,તા.29  જામનગર રાજકોટ ધોરીમાર્ગ પર ધ્રોલના સોયલ નજીક એક વિચિત્ર અકસ્માત બન્યો હતો. એક કારના ચાલકે અજાણ્યા યુવાનને ઠોકર મારીને ઇજાગ્રસ્ત બનાવ્યો હતો. જે ઇજાગ્રસ્ત યુવાનને ઊંચકીને સારવાર માટે લઈ જઈ રહેલા બે યુવાનોને અન્ય કારના ચાલકે ઠોકરે ચડાવતાં બંને ઈજાગ્રસ્ત બન્યા છે. ઉપરાંત ગંભીર સ્વરૂપે ઘાયલ થયેલા અજ્ઞાત યુવાન પર કારનું વ્હીલ ફાટી વળતાં કરુણ મૃત્યુ નીપજ્યું છે. જે અજ્ઞાત યુવાન ઘાયલ થઈને બેશુદ્ધ અવસ્થામાં માર્ગ પર પડ્યો હતો. દરમિયાન ધ્રોલ તાલુકાના નથુવડલા ગામમાં રહેતા હસમુખભાઈ જેન્તીભાઈ કગથરા નામના ખેડૂતે અન્ય યુવાનની મદદ લઈને ઇજાગ્રસ્ત યુવાનને માર્ગ ઉપરથી ઊંચકીને સારવાર માટે સાઈડમાં લઈ જવાનો પ્રયત્ન કર્યો હતો, જે દરમિયાન…

Read More

Gandhinagar,તા.29 ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા આ વર્ષે પ્રથમવાર ફેબ્રુઆરીમાં ધો.10 અને 12ની બોર્ડ પરીક્ષા શરૂ કરાઈ હતી અને વહેલી પરીક્ષા લેવાઈ હતી પરંતુ તેમ છતાં બોર્ડનું પરિણામ હજુ સુધી જાહેર થઈ શકયુ નથી. 12 સાયન્સની પરીક્ષા 10 માર્ચે પુરી થઈ ગઈ હતી છતાં પરિણામ જાહેર થયુ નથી ત્યારે મળતી માહિતી મુજબ નીટને લઈને બોર્ડ દ્વારા હવે ચોથી બાદ પરિણામ જાહેર કરાય તેવી શક્યતા છે. હવે આ સંજાગોમાં ધો.12 સાયન્સની બોર્ડ પરીક્ષાનું અને ગુજકેટની પરીક્ષાનું પરિણામ જાહેર કરવામા આવે તો વિદ્યાર્થીઓની નીટ પરીક્ષામાં અસર થઈ શકે છે અને મેડિકલ પ્રવેશ સંપૂર્ણ રીતે નીટના આધારે જ થાય છે ત્યારે વિદ્યાર્થીઓ નીટ પહેલા…

Read More

Junagadh,તા.29 કડી અને વિસાવદરની બેઠકો ખાલી પડી છે. રાજ્ય ચૂંટણી પંચ આ બંને બેઠકો પર પેટાચૂંટણી યોજવા તૈયારી કરી રહ્યુ છે. તા. 10મી મે સુધીમાં વિસાવદર અને કડી બેઠક માટે પેટાચૂંટણી જાહેર થાય તેવી શક્યતા છે.  જોકે, પેટાચૂંટણી જાહેર થાય તે પહેલાં જ આમ આદમી પાર્ટીએ તો  ઉમેદવાર જાહેર કરી પ્રચાર સુદ્ધાં કરવાનું શરૂ કરી દીઘુ છે. વિસાવદરમાં આપના ધારાસભ્ય ભૂપત ભાયાણીએ પક્ષપલટો કરતાં બેઠક ખાલી પડી છે જ્યારે કડીમાં વર્તમાન ધારાસભ્ય કરસન સોલંકીનું અવસાન થતાં બેઠક ખાલી પડી છે. આ વખતે કોંગ્રેસે આપ સાથે ગઠબંધન નહી કરવા નક્કી કર્યુ છે. આ જોતાં આપે ગોપાલ ઇટાલિયાને ટીકીટ આપી છે જ્યારે…

Read More

Rajkot,તા.29 રાજકોટમાં 46.2 ડિગ્રી સાથે સરેરાશ મહત્તમ તાપમાનમાં સામાન્ય કરતાં પાંચ ડિગ્રીનો વધારો નોંધાયો હતો. છેલ્લા ચાર  દિવસમાં જ રાજકોટના તાપમાનમાં ચાર ડિગ્રી જેટલો વધારો થયો છે. 2025 અગાઉ રાજકોટમાં એપ્રિલમાં સૌથી વધુ ગરમીનો અગાઉનો રેકોર્ડ 44.8 ડિગ્રી હતો, 14 એપ્રિલ 2017માં આ તાપમાન નોંધાયું હતું. આ વર્ષે એપ્રિલમાં રાજકોટમાં ગરમી સતત 9 એપ્રિલના 45.2  ડિગ્રીએ તાપમાનનો પારો પહોંચી ગયો હતો. આગામી 3 દિવસ રાજકોટનું તાપમાન 45 ડિગ્રીની આસપાસ જ રહેવાની આગાહી છે. અમદાવાદમાં 27 એપ્રિલ 1958ના 46.2 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. એપ્રિલમાં અમદાવાદમાં નોંધાયેલું આ સૌથી વધુ તાપમાન છે. અમદાવાદમાં 2012થી 2021માં સૌથી વધુ 43.8 ડિગ્રી તાપમાન 30 એપ્રિલ…

Read More

સવારે ઉઠતાની સાથે જ તમને થાક લાગે છે. નાસ્તો કર્યા પછી પણ આ થાક દૂર થતો નથી. તેમજ બપોરનું ભોજન કર્યા પછી પણ જો થાક તમારા પર હાવી રહે છે. તો આ જાણકારી તમારા માટે છે. મોટા ભાગના લોકો તેને આ નાની સમસ્યા સમજીને અવગણે છે, પણ ભવિષ્યમાં તમારા માટે આ મોટી સમસ્યા બની શકે છે. એવામાં આ સમસ્યાથી રાહત મેળવવા માટે, તમારે ડાયટમાં કેટલાક એનર્જી વધારતા ખોરાકનો સમાવેશ કરવો જોઈએ. જેનાથી માત્ર એનર્જી જ નથી વધતી પરંતુ બીજા ઘણા સ્વાસ્થ્ય લાભ પણ જોવા મળે છે. જો તમને નબળાઈ લાગે છે, તો તમે બદામનું સેવન કરી શકો છો. તેમાં રહેલા…

Read More

New Delhi,તા.29 પહલગામ હુમલા બાદ ભારત સરકાર પાકિસ્તાન વિરૂદ્ધ આકરી કાર્યવાહી કરવા તૈયાર છે. આવતીકાલે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળ ચાર મહત્ત્વની બેઠકો યોજાશે. આ બેઠકોમાં પાકિસ્તાન વિરૂદ્ધ વધુ કડક પગલાં લેવાઈ શકે છે. જેની બ્લૂપ્રિન્ટ તૈયાર હોવાનું સૂત્રોએ જણાવ્યું છે. બુધવારે સવારે 11 વાગ્યે સૌથી પહેલા કેબિનેટ સુરક્ષા કમિટીની બેઠક યોજાશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળ સીસીએસની બેઠક યોજાશે. આ બેઠકમાં સુરક્ષા તૈયારીઓ પર ચર્ચા થશે. પહલગામ હુમલા બાદ આ બીજી સીસીએસ બેઠક યોજાશે. જમ્મુ-કાશ્મીરના પહલગામમાં 22 એપ્રિલે થયેલા ઘાતકી આતંકી હુમલા બાદ કેન્દ્ર સરકારની આ બીજી CCS બેઠક યોજાવવા જઈ રહી છે. જેમાં સુરક્ષા તૈયારીઓ પર ચર્ચા થશે.…

Read More

Pakistan,તા.29 પહલગામ આતંકવાદી હુમલા બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે તંગદિલીનો માહોલ સર્જાયો છે. ભારત સતત પાકિસ્તાન વિરૂદ્ધ આકરી કાર્યવાહી હાથ ધરી રહ્યું છે. હાલમાં જ તેણે ફ્રાન્સમાંથી રાફેલ-એમ ફાઈટર એરક્રાફ્ટની ડીલ કરી પોતાનું સામર્થ્ય વધાર્યું છે. બીજી બાજુ પાકિસ્તાન યુદ્ધના ભણકારા વચ્ચે તુર્કિયે, ચીન, બ્રિટન જેવા દેશો પાસે મદદ માગી રહ્યું છે. પાકિસ્તાન હવે મદદ માટે રશિયા પહોંચ્યું છે. પાકિસ્તાનના રાજદૂત મોહમ્મદ ખાલિદ જમાલીએ હાલમાં જ રશિયાના નાયબ વિદેશ મંત્રી આંદ્રે રૂદેનકો સાથે મુલાકાત કરી હતી. તેમણે ભારત અને પાકિસ્તાન વચ્ચે ચાલી રહેલા તણાવ મુદ્દે વાતચીત કરી ભય વ્યક્ત કર્યો હતો કે, ભારત તેના પર હુમલો કરી શકે છે. રશિયાને…

Read More

Turkish,તા.29 22 એપ્રિલ 2025 ના રોજ જમ્મુ અને કાશ્મીરના પહલગામની બૈસરન ઘાટીમાં થયેલા આતંકવાદી હુમલાનાં કારણે  ભારત-પાકિસ્તાન સંબંધો વધુ તણાવપૂર્ણ બન્યા છે. તુર્કીયેના રાષ્ટ્રપતિ તૈયપ એર્દોગને બંને દેશોને તણાવ ઓછો કરવા અપીલ કરી છે. તુર્કીયેના રાષ્ટ્રપતિ તૈયપ એર્દોગને પાકિસ્તાનને ટેકો આપવાની પણ જાહેરાત કરી છે. એર્દોગનનું આ નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે તુર્કીના C-130 હર્ક્યુલસ વિમાન દ્વારા પાકિસ્તાનને લશ્કરી સામગ્રી પહોંચાડવાના અહેવાલો સામે આવ્યા છે. એર્દોગને સોમવારે રાજધાની અંકારામાં કહ્યું, ‘પાકિસ્તાનના વડા પ્રધાન શાહબાઝ શરીફે તાજેતરમાં આપણા દેશની મુલાકાત લીધી હતી. આ દરમિયાન અમે સંરક્ષણ અને વેપારની સાથે સાથે પાકિસ્તાન સાથેના બહુપક્ષીય સંબંધો પર ચર્ચા કરી. આ સમય સમગ્ર…

Read More