Author: Vikram Raval

Canada, કેનેડામાં 28 એપ્રિલના દિવસે ચૂંટણી યોજાઈ હતી, જેનું મતગણતરી બાદ પરિણામ સામે આવ્યું છે. લિબરલ પાર્ટીની 343 બેઠકોમાં બહુમતી સાથે માર્ક કાર્નીની જીત થઈ છે. આ ચૂંટણીમાં લિબરલ પાર્ટીએ સતત ચોથી વાર સરકાર બનાવી છે, જે કેનેડાના રાજનૈતિક ઈતિહાસમાં મોટી સફળતા માનવામાં આવી રહી છે. એવામાં જાણીએ કે માર્ક કાર્ની કોણ છે. માર્ક કાર્નીએ પોતાના કરિયરની શરૂઆતમાં ઇન્વેસ્ટમેન્ટ બેન્કર તરીકે કામ કર્યું અને ન્યૂ યોર્ક, લંડન, ટોક્યો અને ટોરોન્ટો જેવા મોટા શહેરોમાં કામ કરીને પૈસા કમાયા. બાદમાં તેમણે સિવિલ સર્વિસ પસંદ કરી અને 2008 માં, કેનેડાના તત્કાલીન વડા પ્રધાન સ્ટીફન હાર્પરએ તેમને બેન્ક ઓફ કેનેડાના ગવર્નર બનાવ્યા. માર્ક કાર્ની…

Read More

New Delhi,તા.29 જમ્મુ અને કાશ્મીરના પહલગામમાં થયેલા આતંકવાદી હુમલા બાદ ભારત પાકિસ્તાન વિરુદ્ધ કડક કાર્યવાહી કર રહ્યું છે. આ દરમિયાન, ભારતે હવે પાકિસ્તાનના સંરક્ષણમંત્રી ખ્વાજા આસિફ સામે કાર્યવાહી કરતા તેના X એકાઉન્ટને બ્લોક કરી દેવામાં આવ્યું છે. પાકિસ્તાનના સંરક્ષણમંત્રી ખ્વાજા આસિફે અગાઉ કહ્યું હતું કે, ‘પાકિસ્તાન હાઇ એલર્ટ છે અને અમારી સેના સંપૂર્ણપણે તૈયાર છે.’ તેમણે ચેતવણી પણ આપી હતી કે, ‘જો પાકિસ્તાનને પોતાના  અસ્તિત્વ લઈને ખતરો અનુભવાશે તો અમે પરમાણુ શસ્ત્રોનો ઉપયોગ કરીશું.’ તેમના નિવેદન બાદ ભારત સરકારે આ પગલું ભર્યું છે. ભારતે જમ્મુ અને કાશ્મીર પર ખોટી માહિતી અને ખોટા સમાચાર ફેલાવવા તેમજ આતંકવાદને સમર્થન આપવા બદલ પાકિસ્તાનના…

Read More

Canada,તા.29  કેનેડાની સામાન્ય ચૂંટણીમાં વડાપ્રધાન માર્ક કાર્ની (Mark Carney)ની લિબરલ પાર્ટી બહુમતિ તરફ આગળ વધી રહી છે. અત્યાર સુધીમાં લિબરલ પાર્ટી 165 બેઠકો પર આગળ ચાલી રહી છે, જ્યારે ખાલિસ્તાની નેતા જગમીત સિંહ હારી ગયા છે. ન્યૂ ડેમોક્રેટિક પાર્ટી (NDP) ના નેતા જગમીત સિંહ બર્નાબી સેન્ટ્રલ બેઠક પરથી ચૂંટણી હારી ગયા છે. તેમણે પોતાની હાર સ્વીકારી લીધી છે અને NDP નેતા પદેથી રાજીનામું પણ આપી દીધું છે. તેમની NDP પાર્ટી 7 બેઠકો પર આગળ છે. આ ચૂંટણીમાં NDPના સમર્થન આધાર ગુમાવવાને કારણે પાર્ટીએ રાષ્ટ્રીય પક્ષનો દરજ્જો પણ ગુમાવ્યો છે. સતત આઠ વર્ષ સુધી NDPના વડા રહેલા જગમીતે હાર સ્વીકારતા કહ્યું…

Read More

Rajkot,તા.29 ગુજરાતના રાજકોટમાંથી એક ચોંકવાનારી ઘટના સામે આવી છે. જેમાં પ્રેમ પ્રકરણના કારણે સોમવારે (28 એપ્રિલ) બાપુનગર વિસ્તારના સ્લમ ક્વાર્ટરમાં ત્રણ શખસે મુસ્લિમ યુવાન સાથે ઝઘડો કરી તેની હત્યા કરી દીધી હતી. બનાવની જાણ થતાં પોલીસે તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી હતી. જોકે, ગણતરીના કલાકોમાં બે આરોપીને ઝડપી અન્ય એક ફરારને ઝડપી લેવામાં આવ્યા છે. સમગ્ર ઘટનાની જાણ થતાં પોલીસ તેમજ એલસીબી ઝોન-1 અને ક્રાઇમ બ્રાન્ચની ટીમ પણ ઘટનાસ્થળે દોડી આવી હતી. પોલીસે સમગ્ર મામલે તપાસ હાથ ધરી હતી. જેમાં પ્રાથમિક માહિતીમાં પ્રેમ પ્રકરણ હોવાનું સામે આવ્યું હતું. તપાસ બાદ પોલીસે ગણતરીના કલાકમાં બે આરોપીને પકડી લીધા અને અન્ય…

Read More

Amreli,તા.29 રાજ્યમાં આપઘાતની ઘટનાઓમાં સતત વધારો થઈ રહ્યો છે અને સમયાંતરે વિવિધ કારણોસર જીવન ટૂંકાવવાનાં બનાવો સામે આવી રહ્યાં છે. ત્યારે સાવરકુંડલામાં એપીએમસીના ડિરેક્ટર અંકુર રામાણીએ આજે (29મી અપ્રિલ) પોતાના ઘરે વહેલી સવારે ગળાફાંસો ખાય જીવન ટૂંકાવ્યું છે. મૃતક અંકુર રામાણીની સ્યુસાઈડ નોટ પણ મળી આવી છે. હાલ આ સમગ્ર મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. મળતી માહિતી અનુસાર, સાવરકુંડલાના પિયાવા ગામે એપીએમસીના 32 વર્ષના ડિરેક્ટર અંકુર રામાણીએ પોતાના ઘરે વહેલી સવારે ગળાફાંસો ખાઈને આપઘાત કરી લીધો છે. પોલીસની તપાસમાં અંકુર રામાણીએ આપઘાત કરતા પહેલા લખેલી એક સ્યુસાઈડ નોટ મળી આવી છે. મૃતક અંકુર રામાણીને પત્ની રિસામણે હોવાથી તેનું…

Read More

Jaipur,તા.29 જયપુરના સવાઈ માનસિંહ સ્ટેડિયમમાં 28 એપ્રિલના રોજ  IPL 2025ની 47મી મેચમાં વૈભવ સૂર્યવંશીએ તોફાન મચાવી દીધું હતું. વૈભવે માત્ર 38 બોલમાં 101 રન બનાવીને ગુજરાત ટાઈટન્સને એકતરફી મેચમાં 8 વિકેટથી હરાવી દીધુ હતું. આ 14 વર્ષના બેટ્સમેને ગુજરાત ટાઈટન્સ સામે ઘણા રેકોર્ડ બનાવ્યા છે. મેચ બાદ ટીમની હારથી નિરાશ ગુજરાત ટાઈટન્સના કેપ્ટન શુભમન ગિલે રાજસ્થાન રોયલ્સના ઓપનર બેટ્સમેન વૈભવ સૂર્યવંશીની ઈનિંગ વિશે કંઈક એવું કહી દીધું કે જેનાથી પૂર્વ ભારતીય ક્રિકેટર અજય જાડેજા પણ ભડકી ગયો. તેણે GTના કેપ્ટનને ખૂબ ખરીખોટી સંભળાવી. રાજસ્થાન રોયલ્સ સામે મળેલી હાર બાદ GTના કેપ્ટન શુભમન ગિલે કહ્યું કે, વૈભવ સૂર્યવંશીનો ‘લકી દિવસ’ હતો.…

Read More

સનાતન ધર્મમાં અક્ષય તૃતીયાને વર્ષના સૌથી શુભ મુહુર્તોથી એક માનવામાં આવે છે, જ્યારે કોઈપણ શુભ કાર્ય માટે અલગથી શુભ સમય શોધવાની જરૂર નથી હોતી. પૌરાણિક માન્યતા છે કે આ દિવસે કરવામાં આવેલ કાર્યમાં ચોક્કસ સફળતા મળે છે અને સમૃદ્ધિ લાવે છે. આ દિવસે વિધિ-વિધાન પ્રમાણે માતા લક્ષ્મી અને ભગવાન કુબેરની પૂજા કરવાની સાથે-સાથે સોનું, ચાંદી અથવા કિંમતી ધાતુ ખરીદવી ખૂબ જ શુભ માનવામાં આવે છે. હિન્દુ પંચાગ પ્રમાણે આ વર્ષે અક્ષય તૃતીયા 30 એપ્રિલના રોજ છે અને ખાસ વાત એ છે કે આ દિવસે ગજકેસરી યોગ, લક્ષ્મી નારાયણ યોગ અને માલવ્ય રાજયોગ જેવા ખૂબ જ શુભ સંયોગો પણ બની રહ્યા…

Read More

ઇન્સ્ટન્ટ મેસેજિંગ માટે WhatsApp દુનિયામાં સૌથી વધુ ઉપયોગમાં લેવાતી એપ છે. દુનિયાભરમાં ૩.૫ અબજથી વધુ લોકો પોતાના ફોન પર WhatsAppનો ઉપયોગ કરે છે. વોટ્સએપ આટલું લોકપ્રિય થવા પાછળનું એક મોટું કારણ એ છે કે કંપની યુઝર્સને સરળ ઇન્ટરફેસની સાથે અનેક પ્રકારની સુરક્ષા સુવિધાઓ પ્રદાન કરે છે. વપરાશકર્તાઓને નવો અનુભવ આપવા માટે, કંપની સમયાંતરે નવી સુવિધાઓ અને અપડેટ્સ લાવતી રહે છે. આ ક્રમમાં WhatsApp એક શાનદાર સુવિધા લઈને આવ્યું છે જેણે લાખો વપરાશકર્તાઓના મોટા ટેન્શનનો અંત લાવ્યો છે. WhatsApp તેના વપરાશકર્તાઓની ગોપનીયતા અને તેમના વ્યક્તિગત ડેટાની સુરક્ષા જાળવવા માટે ઘણી સુવિધાઓ પ્રદાન કરે છે. જો તમે તમારી ચેટ્સને લઈને ટેન્શનમાં છો…

Read More

Bhavnagar,તા.29 શહેરના શિવાજી સર્કલથી મંત્રેશ કોમ્પલેક્ષ સર્કલ જવાના રોડ પરથી રૂ.૧.૧૬ કરોડની કિંમતના વ્હેલ માછલીની ઉલ્ટીના જથ્થા સાથે એક શખ્સને સ્પેશિયલ ઓપરેશન ગૃપે ઝડપી લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. બનાવ અંગે પોલીસ સૂત્રો પાસેથી પ્રાપ્ત થતી માહિતી અનુસાર ભાવનગરમાં ગેરકાયદેસર ચાલતા વિવિધ આંતરરાષ્ટ્રીય દાણચોરીના ગોરખ ધંધા ઉપર વોચ રાખવા સ્પેશિયલ ઓપરેશન ગૃપની ટીમ ભાવનગર શહેર વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી. તે દરમ્યાન એસ.ઓ.જી.ની ટીમને શહેરના શિવાજી સર્કલથી મંત્રેશ કોમ્પલેક્ષ સર્કલ જવાના રોડ પર યોગીસ્મૃતિ કોમ્પલેક્ષ પાસે અમરૂ સેલારભાઇ દેસાઇ (રહે.ખડસલીયા, તા.જી ભાવનગર)નામનો શખ્સ વ્હેલ માછલીની ઉલ્ટી ચોરી છુપીથી લાવી શંકાસ્પદ વેચાણ કરવા સારૂ રાખેલ હોવાની બાતમી મળી હતી. જે બાતમીના આધારે…

Read More

Nadiad,તા.29 મહુધા તાલુકાના સિંઘાલી ગામની ભાગોળે એકટીવાને ટ્રેક્ટરની ટક્કર વાગતા કિશોરીનું ટ્રેક્ટર નીચે આવી જતા મોત નિપજ્યું હતું. જ્યારે રાસ્કા તેમજ ભૂમેલ રોડ ઉપર સર્જાયેલા અકસ્માતમાં બાઈક ચાલકોના મોત નિપજ્યા હતા. આ બનાવ અંગે જે તે પોલીસે ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી. આણંદ તાલુકાના મોગરીમાં રહેતા મનીષાબેન કલ્પેશભાઈ રોહિત વેકેશન હોવાથી સંતાનોને લઈ સિંઘાલી ગામે ભાઈ પ્રવીણભાઈ રમેશભાઈ રોહિતના ઘરે આવ્યા હતા. દરમિયાન તા.૨૭મીએ સવારે મનીષાબેનની દીકરી વર્ષા એકટીવા લઈ બજારમાં આઈસ્ક્રીમ લેવા ગઈ હતી. ત્યારે પાટીદાર વાડી સામે ચિરાગભાઈ પાસે કંકોત્રી લેવા વર્ષા એકટીવા લઈને ઉભી હતી. ત્યારે પૂરઝડપે આવેલા ટ્રેક્ટરે ટક્કર મારતા વર્ષાબેન કલ્પેશભાઈ રોહિત (ઉં.વ.૧૦)…

Read More