Author: Vikram Raval

Mumbai,તા.૨૬ મુકેશ અંબાણીની આગેવાની હેઠળની રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝે અનંત અંબાણીને પૂર્ણ-સમયના ડિરેક્ટર તરીકે નિયુક્ત કર્યા છે. તેમની નિમણૂક ૧ મે, ૨૦૨૫ થી શરૂ થતા પાંચ વર્ષના કાર્યકાળ માટે રહેશે. કંપનીએ એક્સચેન્જ ફાઇલિંગમાં જણાવ્યું હતું કે, “કંપનીના બોર્ડ ઓફ ડિરેક્ટર્સે આજે યોજાયેલી તેની બેઠકમાં,એચઆર, નોંધણી અને મહેનતાણું સમિતિની ભલામણને ધ્યાનમાં લેતા, કંપનીના નોન-એક્ઝિક્યુટિવ ડિરેક્ટર અનંત એમ. અંબાણીને કંપનીના પૂર્ણ-સમય ડિરેક્ટર તરીકે નિયુક્ત કર્યા છે.” આ નવી ભૂમિકા પહેલા, અનંત અંબાણી રિલાયન્સના બોર્ડમાં નોન-એક્ઝિક્યુટિવ ડિરેક્ટર તરીકે સેવા આપી રહ્યા હતા. તેઓ રિલાયન્સ ગ્રુપની અનેક કંપનીઓ જેમ કે જિયો પ્લેટફોર્મ્સ, રિલાયન્સ રિટેલ વેન્ચર્સ, રિલાયન્સ ન્યૂ એનર્જી અને રિલાયન્સ ન્યૂ સોલાર એનર્જીના બોર્ડનો ભાગ છે.…

Read More

Jamnagar,તા.૨૬ ભારત સરકાર સાથે દોઢસો કરોડની છેતરપીંડી-બોગસ દસ્તાવેજ બનાવનાર તથા બોગસ હથીયાર લાઇસન્સના ગુન્હાના ૩ ફરાર આરોપીઓને જામનગરની એસ.ઓ.જી.એ વોચ ગોઠવી કચ્છમાંથી પકડી પાડ્યા છે, અને તેઓને જામનગર લઈ આવ્યા બાદ સીટી સી. ડિવિઝન પોલીસ મથકમાં સુપ્રત કરી દીધા છે જામનગર સીટી સી ડીવી. પોલીસ સ્ટેશનના બી.એન.એસ. કલમ-૩૧૬(૨), ૩૧૬(૫), ૩૧૮(૪), ૩૩૬(૨), ૩૩૬(૩), ૩૩૮, ૩૪૧(૧), ૩૪૧(૨), ૩૪૧(૩), ૩૪૧(૪), ૬૧ મુજબ તથા સુરત શહેર ડી.સી.બી. ક્રાઇમ પો.સ્ટે.ના બી.એન.એસ. કલમ-૩૩૬(૨), ૩૩૭, ૩૩૮, ૩૩૯, ૩૪૧, ૫૪ તથા આર્મસ એકટ કલમ-૨૫(૧-બી)(એ), ૨૭, ૨૯, ૩૦ મુજબના ગુન્હાના આરોપીઓ સત્યજીતસિંહ યોગેન્દ્રસિંહ જાડેજા, મયુરસિંહ ભરતસિંહ સોઢા તથા વનરાજસિંહ પ્રવિણસિંહ વાળા વિરૂધ્ધમા ઉપરોકત મુજબના ગુન્હોઓ દાખલ થયેલા છે. જેમાં…

Read More

Rajkot,તા.૨૬ છેલ્લા પાંચ દિવસથી રાજકોટ શહેરમાં હિટ વેવનો ભોગ બનેલાઓને ૧૦૮ એમ્બ્યુલન્સ દ્વારા સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી રહ્યા છે. ૧૦૮ દ્વારા ૩૦થી વધુ લોકોને સારવાર માટે મોકલવામાં આવ્યા છે. ૧૦૮ ઇમર્જન્સી સુવિધામાં આઇસીયુ વિથ બેડ સહિતની પ્રાથમિક સારવાર પૂરી પાડવામાં આવે છે, જેમાં ગ્લુકોઝ અને ઓઆરએસ પણ સામેલ છે. લોકલ ૧૮ સાથે વાત કરતા ૧૦૮ કર્મી ધીરેન પરમારે જણાવ્યું કે, હિટ વેવના કારણે ડિહાઇડ્રેશન, હીટ લગવી, હાઈ ફીવર, ઝાડા, અને ઉલટી જેવી તકલીફો જોવા મળી રહી છે. આ પ્રકારના દર્દીઓને તાત્કાલિક સિવિલ હોસ્પિટલે ખસેડી તેમની સારવાર શરૂ કરવામાં આવે છે. સિવિલ હોસ્પિટલે સ્પેશિયલ વોર્ડ ઉભો કર્યો છે, જ્યાં હિટ વેવની…

Read More

Jamnagar,તા.૨૬ જમ્મુ કાશ્મીરના પહેલગામમાં આતંકી હુમલા બાદ ભારત સરકાર એકશનમાં આવી છે. ગુજરાતમાં ગેરકાયદે બાંગ્લાદેશીઓ પર સરકારની સૌથી મોટી સ્ટ્રાઈક કરવામાં આવી છે.ત્યારે જામનગરમાં રહેતા પાકિસ્તાનીઓને ઘરભેગા કરવાની તૈયારી કરવામાં આવી છે. પાકિસ્તાની નાગરિકોને લઈ સરકારના અલ્ટિમેટમ બાદ પોલીસ સતર્ક થઈ છે. બાંગ્લાદેશીઓની હયાતી અંગે સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવે છે. હાલ જામનગરમાં લોન્ગ વિઝા પર ૩૧ પાકિસ્તાની વસી રહ્યાં છે. વિઝા પર રહેતા પાકિસ્તાનીઓની પોલીસ દ્વારા યાદી તૈયાર કરી છે. લાંબી-ટૂંકી મુદ્દત ધરાવતા ૩૧ પાકિસ્તાની નાગરિકોને પરત જવા માટે અલ્ટિમેટમ આપવામાં આવ્યું છે. હર્ષ સંઘવીએ ગેરકાયદે રહેતા તમામ લોકોએ આગામી બે દિવસમાં સામેથી પોલીસ સ્ટેશનમાં સરેન્ડર કરવાની ચેતવણી આપી…

Read More

Gandhinagarતા.૨૬ પહેલગામ આતંકી હુમલા બાદ દેશમાં ગેરકાયદે રહેતા લોકોને ઓળખીને દેશની બહાર કરવાની ઝૂંબેશ મોટાપાયે શરૂ કરી દેવાઇ છે.. જે અંતર્ગત અમદાવાદ પોલીસે ૮૯૦ અને સુરત પોલીસે ૧૩૪ લોકોની અટકાયત કરી છે. ગુજરાત પોલીસનું આ આજ દિન સુધીનું સૌથી મોટું ઓપરેશન છે. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ કહ્યું કે ગેરકાયદે રીતે ગુજરાતમાં રહેતા હોય તેઓ જાતે જ પોલીસ સમક્ષ હાજર થઈ જાય. નહીંતર કડક પગલાં લેવામાં આવશે. હર્ષ સંઘવીએ કહ્યું કે આવા તમામ લોકો જાતે જ પોલીસ સમક્ષ સરેન્ડર કરે, નહીંતર ઘરે ઘરે જઈ પકડી ડિપોર્ટ કરવાનું કામ કરાશે. તેમણે કહ્યું કે જે ઘૂસણખોરને જે આશરો આપશે તેની સામે પણ કડક…

Read More

Dwarka ,તા.૨૬ જમ્મુ-કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકી હુમલામાં ૨૬ નિર્દોષ નાગરિકનાં મોતની ઘટનાને દ્વારકા શારદાપીઠના શંકરાચાર્ય સ્વામી સદાનંદ સરસ્વતીએ વખોડી કાઢી છે અને ચિંતા પણ વ્યક્ત કરી છે. શંકરાચાર્યએ કહ્યું હતું કે ભારત જેવા લોકતાંત્રિક દેશ માટે ચિંતાની વાત છે કે ધર્મવિશેષ લોકોને પૂછીપૂછીને મારવામાં આવે. નોંધનીય છે કે પહેલગામ આતંકી હુમલા બાદ દેશભરના લોકોમાં રોષ ફાટી નીકળ્યો છે. ચાર શંકરાચાર્યમાંથી સૌપ્રથમ દ્વારકાના શારદાપીઠના શંકરાચાર્યએ વખોડી કાઢી અને દેશના લોકોને એકતા બતાવી આતંકવાદનો મુહતોડ જવાબ આપવા અપીલ કરી છે. શંકરાચાર્યએ વધુમા જણાવ્યું હતું કે, મુસ્લિમ ધર્મના લોકો પાસે અપેક્ષા છે કે, તેઓ આતંકવાદ વિરુદ્ધ બોલીને ભારતીયતા સિદ્ધ કરવી જોઈએ.ધર્મ શબ્દનો અર્થ…

Read More

Junagadh,તા.૨૬ જૂનાગઢના તબીબો ૨૨ વર્ષીય મહિલા માટે દેવદૂત સાબિત થયા છે. ગીર સોમનાથ જિલ્લાના વતની વનીતાબેન વાઘેલાએ પોતાની જિંદગી માટેના જંગમાં વિજય મેળવ્યો અને પોતાના બાળકનો પણ જીવ બચાવ્યો. તબીબોએ આ કસોટીભર્યા સમયમાં તેમની મદદ કરી, જ્યારે લોહીના કણ ઘટતા હતા અને પ્રસુતિનો સમય નજીક આવી રહ્યો હતો. વનીતાબેન અને તેમના બાળકનો જીવ બચાવવો અત્યંત જરૂરી હતો. આ માટે જૂનાગઢના ન્યુ લાઈફ કેર હોસ્પિટલના ડૉ. કે. પી. ગઢવી, હોપ હોસ્પિટલના ડૉ. ભાર્ગવ ફળદુ અને રમેશ માલમેએ અફરાતફરી વચ્ચે તેમની જિંદગી બચાવી હતી. જૂનાગઢના તબીબ ડૉ. કે.પી. ગઢવીએ સમગ્ર પરિસ્થિતિ વિશે જણાવતા કહ્યું કે, વનીતાબેન વાઘેલાને નવ મહિના પૂર્ણ થયા હતા…

Read More

Ahmedabad,તા.૨૬ રાહુલ ગાંધી ગુજરાત છોડ્યા ત્યારથી કોંગ્રેસમાં ઉથલપાથલ ચાલી રહી છે. બે વરિષ્ઠ નેતાઓના પત્ર કૌભાંડ પછી, કોંગ્રેસ કાર્યાલયમાં પૈસા અંગે ચર્ચા થઈ હતી, જેમાં મામલો ગરમાયો હતો. ગઈકાલે ગુજરાત કોંગ્રેસ કાર્યાલયમાં ઇન્સ્પેક્ટર બી.કે. હરિપ્રસાદની હાજરીમાં બોલાચાલી થઈ હતી. સૂત્રો તરફથી પ્રાપ્ત માહિતી અનુસાર અમદાવાદ શહેર પ્રમુખની પસંદગી પ્રક્રિયા કોંગ્રેસ કાર્યાલયમાં ચાલી રહી હતી. જ્યારે ઇન્સ્પેક્ટર બી.કે. હરિ પ્રસાદ રજુઆત સાંભળી રહ્યા હતા, ત્યારે અચાનક કેટલાક કાર્યકરો ચેરમેનના રૂમમાં પહોંચી ગયા હતા. શહેર પ્રમુખ હિંમત સિંહના ભત્રીજાએ કાર્યકરો પર પૈસા લેવાનો આરોપ લગાવ્યો. આના પર કોંગ્રેસ કાર્યાલયમાં હાજર કાર્યકરો ગુસ્સે ભરાયા અને હિંમતસિંહ પટેલના ભત્રીજાને ઘેરી લીધો હતો. આ પછી…

Read More

Gondal,તા.૨૬ રાજકોટના ગોંડલમાં અલ્પેશ કથીરિયા અને ગણેશ જાડેજાની પોસ્ટ વાયરલ થઈ છે. ‘૨૭ એપ્રિલે અલ્પેશ કથીરિયા ગોંડલ આવશે’ તેવી પોસ્ટ વાયરલ થઈ છે. ગોંડલને બદનામ કરનાર લોકોનું સ્વાગત કરવા તૈયાર તેવી ગણેશ જાડેજાની પોસ્ટ વાયરલ થઈ છે. બંનેના સમર્થકોએ પણ સામસામે પોસ્ટ કરી છે. ગોંડલમાં ફરીથી રાજકારણ ગરમાયું છે. ગણેશ ગોંડલ અને ગુજરાતના પાટીદાર નેતાઓ વચ્ચે શાબ્દિક વોર ચાલી રહ્યો છે. આવામાં અલ્પેશ કથીરિયા અને ગણેશ જાડેજાની પોસ્ટ વાયરલ થઈ છે. ૨૭ એપ્રિલે અલ્પેશ કથીરિયા ગોંડલ આવશે તેવી પોસ્ટ વાયરલ થઈ છે. તો જ્યારે ગોંડલને બદનામ કરનાર તેમજ જાતિવાદી માનસિકતા ધરાવતા લોકોનું સ્વાગત કરવા ગોંડલ તૈયાર તેવી ગણેશ જાડેજાની પોસ્ટ…

Read More

Ahmedabad,તા.૨૬ ઈન્સ્ટાગ્રામ એપ્લિકેશન પર લકોને ઓનલાઈન ગેમીંગ એપ્લિકેશનના કોઈન સસ્તા ભાવમાં આપવાની લોભામણી જાહેરાતો અને પોસ્ટ અપલોડ કરીને અલગ અલગ ૨૧ રાજ્યોના લોકો સાથે છેતરપીડી કરનારી ટોળકીને સ્ટેટ સાયબર ક્રાઈમ સેલ સીઆઈડી ક્રાઈમ ગાંઘીનગરે ઝડપી લીધી છે. આ કેસની વિગત મુજબ આરોપીએ પોતાના મોબાઈલમાં ઈન્સ્ટાગ્રામ એપ્લિકેશનમાં બીજીએમઆઇ હેમીંગ એપ્લિકેશન નામથી અલગ અલ આઈડી બનાવીને બીજીએમઆઇ ગેમના યુસી કોઈન સસ્તા ભાવમાં ખરીદવા માંગતા લોકોને વેટ્‌સએપ એપ્લિકેશન મારફતે પોતાની બેન્કના ખાતાનો ઊઇ કોડ મોકલી આપતા હતા. બાદમાં યુસી કોઈન ખરીદવા માંગતા લોકો પાસેથી રૂપિયા પોતાના બેન્ક ખાતામાં મેળવી લઈને ગેમીંગ એપ્લિકેશનના આઈડીમાં શરૂઆતમાં થોડા કોઈન જમા કરાવતા હતા. બાદમાંભોગ બનનારના ગેમીંગ આઈડી…

Read More