- Rajpipla ના ઐતિહાસિક મંદિરમાં ચોરીથી ભક્તોમાં રોષ
- Devbhoomi Dwarka માં ચાંદીપુરાનો શંકાસ્પદ કેસ, આરોગ્ય તંત્ર એલર્ટ
- ભારે હંગામા બાદ Lok Sabha and Rajya Sabha ની કાર્યવાહી સ્થગિત
- દાદા કે પિતા પાસેથી મળેલી દરેક મિલકત પર બાળકોનો જન્મસિદ્ધ અધિકાર નથી:Karnataka High Court
- વિદ્યાર્થિનીઓને આપશે મફત સ્કૂટી,યુપી કેબિનેટે આપી મંજૂરી
- Gujarat માં છેલ્લા ૨૪ કલાકમાં વલસાડના પારડીમાં ૮.૧૯ ઈંચ વરસાદ
- South Gujarat સહિત અનેક વિસ્તારોમાં અતિભારે વરસાદની શક્યતા
- રોકાણકારોમાં સાવચેતી વધી, ઉછાળે નફારૂપી વેચવાલી યથાવત્…!!!
Author: Vikram Raval
કીચ આર્કીટેક્ચર ને 1.17 લાખ વળતર ચૂકવવામાં કસુર ઠરે તો વધુ છ માસની સજા Rajkot,તા.26 શહેરમાં આર્કિટેક્ચર નામની પેઢી પાસેથી ખરીદ કરેલા માલ સામાન પેટે આપેલો ચેક વગર વસુલાતે પરત ફરવાના ગુનામાં અમદાવાદ ના રાજેશ મિસ્ત્રીને એક વર્ષની સજા અને એક મુજબ રૂપિયા 1.17 લાખનું વળતર ચૂકવવા હુકમ કર્યો છે. વધુ વિગત મુજબ શહેરમાં આવેલી કીચ આકીટેક્ચર નામની પેઢી પાસેથી અમદાવાદના રાજેશ સોમાભાઈ મિસ્ત્રી નામના વેપારીએ માલ સામાનની ખરીદી કરેલી હતી. જે રકમ ચૂકવવા 1.17 લાખનો ચેક આપ્યો હતો જે ચેક બેંકમાંથી વગર વસુલાતે ભરત હતા કાયદાકીય જોગવાઈ મુજબ અમદાવાદના રાજેશ મિસ્ત્રીને નોટિસ પાઠવવા છતાં સમય મર્યાદામાં રકમ ન ચૂકવતા…
Rajkot,તા.26 શહેરના ધરમ ટોકીઝ નજીક આવેલા લોર્ડ્સ હોટલ પાસે બાઈક રાહદારી સાથે અથડાતા સર્જાયેલા અકસ્માતમાં સોની વેપારીનું મોત નીપતા પરિવારમાં શોખનું મોજુ ફેલાયું હતું. વધુ વિગત મુજબ શહેરના કોઠારીયા મેનરોડ પર આવેલા દેવપરા નજીક વિવેકાનંદ નગર માં રહેતા વિજયભાઈ ખુશાલદાસ પાટડીયા નામના 49 વર્ષીય વ્યાપારી પોતાનું gj 3 cf 45 56 નંબરના બાઈક લઈને ધરમ ટોકીઝ નજીક લોર્ડ્સ હોટલ પાસેથી પસાર થઈ રહ્યા હતા ત્યારે અચાનક રાદારી મહિલા સાથે બાઈક અથડાતા સર્જાયેલા અકસ્માતમાં ગંભીર રીતે ગવાયેલા વિજયભાઈ પાટડીયા ને પ્રથમ ખાનગી અને વધુ સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા જ્યાં તેનું ચાલુ સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું આ બનાવની…
ખરીદ કરેલા સામાનની રકમ ચૂકવવા આપેલો ચેક બાઉન્સ થયા બાદ ગલ્લા તલ્લા કરી રકમ ન ચૂકવી Rajkot,તા.26 શહેરના ગાંધીગ્રામ વિસ્તારમાં આવેલા દુકાનદાર પાસેથી ખરીદ કરેલ ઇમિટેશન જ્વેલરી, અને કાચની વસ્તુ ખરીદ કર્યા પેટે આપેલો ચેક બેંકમાંથી વગર વસુલાતે પરત ફરિયા બાદ રકમ ચૂકવવા ગલતાના કરી રૂપિયા 1.44 લાખની ખેતરપિંડી આચાર્ય અંગેની ગાંધીગ્રામ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.શહેરના ગાંધીગ્રામ વિસ્તારમાં એસ.કે ચોક શેરી નંબર ૫ માં રહેતા અને ઘરે જ છેલ્લા 15 વર્ષથી ગૌતમ નામની પેઢી મારફત કાચની વસ્તુ તથા ઇમિટેશન જ્વેલરી અને વસ્તુઓનું વેપાર કરી પરિવારનું ગુજરાન ચલાવનાર કૈલાશ ગુલાબભાઈ સોલંકી દ્વારા ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનમાં રૈયા રોડ પર અમૃતા હોસ્પિટલની…
Mumbai,તા.૨૬ આઇપીએલ ૨૦૨૫ શાનદાર શૈલીમાં રમાઈ રહી છે. જ્યાં બધી ટીમો પ્લેઓફમાં પહોંચવા માટે ખૂબ જ પ્રયાસ કરી રહી છે. શ્રેયસ ઐયરની કેપ્ટનશીપ હેઠળ, પંજાબ કિંગ્સ ટીમે વર્તમાન સિઝનમાં સારું પ્રદર્શન કર્યું છે અને પ્લેઓફમાં પહોંચવા માટે મજબૂત દાવેદાર છે. હવે સીઝનની મધ્યમાં, તનુષ કોટિયન નેટ બોલર તરીકે પંજાબ કિંગ્સમાં જોડાયો છે. આઇપીએલ ૨૦૨૫ મેગા ઓક્શનમાં કોઈ ટીમે તેને રસ દાખવ્યો નહીં અને તે વેચાયા વિના રહ્યો, ત્યારે તેની બેઝ પ્રાઈસ માત્ર ૩૦ લાખ રૂપિયા હતી. કોલકાતા નાઈટ રાઈડર્સ સામેની મેચની પૂર્વસંધ્યાએ પંજાબ કિંગ્સના તાલીમ સત્ર દરમિયાન ૨૬ વર્ષીય કોટિયન બેટ્સમેનોને બોલિંગ કરતો જોવા મળ્યો હતો અને સ્પિન બોલિંગ કોચ…
Islamabad,તા.૨૬ પાકિસ્તાની મહિલા ટીમની અનુભવી ખેલાડી નિદા ડારે ક્રિકેટમાંથી વિરામ લેવાની જાહેરાત કરી છે. તેમણે સોશિયલ મીડિયા પોસ્ટ દ્વારા આ માહિતી આપી છે. પરંતુ નિદાએ પોતાની પોસ્ટમાં એ નથી જણાવ્યું કે આ વિરામ કેટલા દિવસનો રહેશે. તેણીએ પાકિસ્તાન માટે કેપ્ટન તરીકે પણ સેવા આપી છે. નિદા ડારે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એકસ પર પોસ્ટ કરી અને લખ્યું કે છેલ્લા કેટલાક મહિનામાં વ્યક્તિગત અને વ્યાવસાયિક રીતે ઘણું બધું બન્યું છે, જેના કારણે મારા માનસિક સ્વાસ્થ્ય પર અસર પડી છે. આવી સ્થિતિમાં, મેં મારા પર ધ્યાન કેન્દ્રિત કરવા માટે ક્રિકેટમાંથી વિરામ લેવાનું નક્કી કર્યું છે. હું બધાને વિનંતી કરું છું કે આ સમય…
વૈશ્વિક સ્તરે, સમગ્ર વિશ્વની નજર હવે ભારત પર છે કે ભારત પહેલગામ આતંકવાદી હુમલાનો તેના માસ્ટર્સને કેવી રીતે જવાબ આપે છે?, ઉતાવળમાં, 23 એપ્રિલ 2024 ના રોજ મોડી રાત સુધી, કેબિનેટ સુરક્ષા સમિતિ એ પાંચ કઠિન નિર્ણયો લીધા છે, જેમાં સિંધુ જળ સંધિ 1960 ને કામચલાઉ સ્થગિત કરવા, તાત્કાલિક અસરથી સંકલિત ચેક પોસ્ટ અટારી બંધ કરવા, SAAR ના પાકિસ્તાની નાગરિકો પર પ્રતિબંધ, વિઝા રદ કરવા અને હાઇ કમિશનના લશ્કરી સલાહકારોને પાછા ખેંચવા અને તેમની સંખ્યા ઘટાડીને 30 કરવાનો સમાવેશ થાય છે. આના જવાબમાં, પાકિસ્તાને 1972 માં ભારત અને પાકિસ્તાન વચ્ચે થયેલા શિમલા કરારને રદ કરવાનો પણ વિચાર કર્યો હતો, જે…
જેવી રીતે માણસ બીમાર થાય છે ત્યારે ડોક્ટર પાસે જાય છે એવી જ રીતે પ્રાણીઓ માટે જે ચિકિત્સા વ્યવસ્થા કરવામાં આવે છે તેને વેટરીનરી કહે છે. ઘવાયેલા કે બીમાર પશુ – પક્ષી, પ્રાણીઓની ચિકિત્સાને પ્રોત્સાહન મળે તે માટે દર વર્ષે વેટરીનરી ડે સેલીબ્રેટ કરવામાં આવે છે. જે ડોક્ટર્સ આ જીવોની ચિકિત્સા કરે છે તેમને વેટરનર્સ કહેવામાં આવે છે. વિશ્વમાં જુદા જુદા સ્થાનો પર આવા વેટરનર્સને ટ્રેનિંગ આપવા માટે સ્પેશિયલ ટ્રેનિંગ ઇન્સ્ટીટ્યુટસ પણ છે. વેટરનર્સ દરરોજ કોઈ ને કોઈ નવી સમસ્યાઓનો સામનો કરતા રહે છે એ વાત સમજી શકાય એમ છે કે ટ્રીટમેન્ટમાં માણસ જેટલી શાંતિ અને સમજદારીથી સહયોગ કરે છે…
પહેલગામમાં થયેલ નૃશંસ આતંકવાદી હુમલાના બે દિવસ બાદ વડાપ્રધાન મોદીએ એમ કહીને આતંકીઓને અને આ હુમલાનું કાવતરું ઘડનારા લોકોને તેમની કલ્પના કરતાં પણ મોટી સજા મળશે, જનતાના આક્રોશને સ્વર આપવાની સાથે જ કાશ્મીર સહિત આખા દેશના લોકોને આશ્વસ્ત કરવાની કોશિશ તો કરી છે, આંતરરાષ્ટ્રીય સમુદાયને સંકેત અને પાકિસ્તાનને ચેતવણી પણ આપી છે કે ભારત હવે કોઇપણ કિંમત પર આતંકવાદને સહન નહીં કરે. આ એ તાકાતો માટે સીધો સંદેશ છે, જે ભારતને અસ્થિર કરવા માગે છે – ચાહે તે સીમા પાર બેઠી હોય કે દેશની અંદર છૂપાયેલી હોય. પહેલગામમાં આતંકીઓએ પર્યટકોની ધાર્મિક ઓળખ પૂછીન જે રીતે નફરત અને વિભાજનનું ષડયંત્ર રચ્યું…
‘વશ’, ‘શૈતાન’ જેવી ફિલ્મોથી જાણીતી બનેલી ગુજરાતી એક્ટ્રેસ પોલીસ ઓફિસરનો રોલ કરશે Mumbai, તા.૨૬ રાની મુખર્જી ફરી એક વાર બહાદુર પોલીસ ઓફિસર શિવાની શિવાજી રોયનો રોલ કરવા સજ્જ છે. ૨૦૧૪માં રિલીઝ થયેલી ‘મર્દાની’ની ત્રીજી ફિલ્મમાં ગુજરાતી એક્ટ્રેસ જાનકી બોડીવાલાનો સમાવેશ કરાયો છે. જાનકી બોડીવાલા આ ફિલ્મમાં રાની મુખર્જીની જેમ જ પોલીસ ઓફિસરનો રોલ કરશે. ૨૦૧૯માં ‘મર્દાની ૨’ને પણ બોક્સઓફિસ પર સફળતા મળી હતી. હવે આ ળેન્ચાઈઝીની ત્રીજી ફિલ્મ બનાવવાની શરૂઆત થઈ છે. ફિલ્મના પ્રોડ્યુસર આદિત્ય ચોપરા અને રાની મુખર્જી પોલીસ ઓફિસરના રોલમાં એક દમદાર એક્ટ્રેસને લેવા માગતા હતા. રાની મુખર્જીની એક્ટિંગ સાથે તાલ મિલાવી શકે તેવી એક્ટ્રેસ તરીકે આખરે જાનકી…
સ્કૂલની બાળકીઓ સાથે સમય વીતાવતી વખતે તાપસીએ તેમને શિક્ષણ અને સ્પોટ્ર્સના માધ્યમથી આત્મનિર્ભર બનવા પ્રેરણા આપી હતી Mumbai, તા.૨૬ તાપસી પન્નુએ ઉત્તર પ્રદેશના બારાબંકી ખાતે આવેલી સરકારી શાળાની મુલાકાત લીધી હતી. સ્કૂલની બાળકીઓ સાથે સમય વીતાવતી વખતે તાપસીએ તેમને શિક્ષણ અને સ્પોટ્ર્સના માધ્યમથી આત્મનિર્ભર બનવા પ્રેરણા આપી હતી. તાપસીએ શાળાની બાળકીઓને સાઈકલ ભેટમાં આપી હતી. તાપસીની સાથે તેનો પતિ અને પૂર્વ બેડમિન્ટન ખેલાડી મેથિઆસ બો પણ હાજર હતો. સેલિબ્રિટી કપલે બાળકીઓ સાથે સમય વિતાવ્યો હતો અને તેમનો ઉત્સાહ વધાર્યો હતો. બાળકીઓને શિક્ષણ અને સ્પોટ્ર્સ માટે પ્રોત્સાહન આપવાના હેતુથી તાપસી નિયમિત રીતે બાળકીઓને મળતી રહે છે. બાળકીઓ પણ તાપસી સાથે મુલાકાતથી…
