- Rajpipla ના ઐતિહાસિક મંદિરમાં ચોરીથી ભક્તોમાં રોષ
- Devbhoomi Dwarka માં ચાંદીપુરાનો શંકાસ્પદ કેસ, આરોગ્ય તંત્ર એલર્ટ
- ભારે હંગામા બાદ Lok Sabha and Rajya Sabha ની કાર્યવાહી સ્થગિત
- દાદા કે પિતા પાસેથી મળેલી દરેક મિલકત પર બાળકોનો જન્મસિદ્ધ અધિકાર નથી:Karnataka High Court
- વિદ્યાર્થિનીઓને આપશે મફત સ્કૂટી,યુપી કેબિનેટે આપી મંજૂરી
- Gujarat માં છેલ્લા ૨૪ કલાકમાં વલસાડના પારડીમાં ૮.૧૯ ઈંચ વરસાદ
- South Gujarat સહિત અનેક વિસ્તારોમાં અતિભારે વરસાદની શક્યતા
- રોકાણકારોમાં સાવચેતી વધી, ઉછાળે નફારૂપી વેચવાલી યથાવત્…!!!
Author: Vikram Raval
Uttar Pradesh,તા.26 સહારનપુરના દેવબંદમાં એક ફટાકડાંની ફેક્ટરીમાં ભયાવહ વિસ્ફોટ થયો છે. જેમાં આખી બિલ્ડિંગ ધ્વસ્ત થઈ હતી. વિસ્ફોટ સમયે ફેક્ટરની અંદર નવ શ્રમિકો કામ કરી રહ્યા હતાં. તે તમામના ચીથરાં ઉડી ગયા હોવાની આશંકા છે. જો કે, હજી સત્તાવાર ધોરણે મૃતકોની કોઈ ખાતરી થઈ નથી. પોલીસે જણાવ્યા પ્રમાણે, દુર્ઘટના સમયે ફેક્ટરીમાં નવ લોકો કામ કરી રહ્યા હતા. આ દુર્ધટના સ્થળે માનવ શરીરના ચીથરાં જોવા મળ્યા છે. ઘણાના હાથ-પગ છૂટા પડી ગયા છે. અમુક લોકો ફેક્ટરીની બિલ્ડિંગના કાટમાળ નીચે દબાયા હોવાની પણ આશંકા છે. દુર્ઘટના એટલી ભીષણ હતી કે, અમુક લોકોના શરીરના ટૂકડાં આશરે 200 મીટર દૂર સુધી જોવા મળ્યા હતા.…
કોલંબિયામાં ૫૨ વર્ષથી ચાલી રહેલા ગૃહયુદ્ધનો અંત લાવવામાં ભારતના આધ્યાત્મિક ગુરુના યોગદાનને ફિલ્મમાં દર્શાવાય તેવી શક્યતા Mumbai, તા.૨૬ નવી પેઢીના દમદાર એક્ટર્સમાં વિક્રાંત મેસ્સીનો સમાવેશ થાય છે. ગોધરા કાંડ અને ત્યારબાદના રમખાણો આધારિત ફિલ્મ ‘સાબરમતી એક્સપ્રેસ’માં પાવરફુલ પરફોર્મન્સ આપ્યા પછી વિક્રાંતે થોડો સમય બ્રેક લેવાની જાહેરાત કરી હતી. વિક્રાંત મેસ્સી હવે વધુ એક દમદાર રોલ સાથે કમબેક કરવા સજ્જ છે. રિપોટ્ર્સ મુજબ આગામી થ્રિલર ‘વ્હાઈટ’માં ભારતના પ્રતિષ્ઠિત આધ્યાત્મિક ગુરુ શ્રી શ્રી રવિશંકરના રોલ માટે વિક્રાંત મેસ્સીની પસંદગી થઈ છે. વિક્રાંત મેસ્સીને ‘૧૨વીં પાસ’ બદલ ભરપૂર પ્રશંસા મળી છે. રિયાલિસ્ટિક રોલ કરવા માટે જાણીતા બનેલા વિક્રાંતે આગામી ફિલ્મમાં શ્રી શ્રી રવિશંકર…
પલકની આગામી ફિલ્મ ‘ભૂતની’ છે, પણ પલકે ચર્ચામાં રહેવા માટે ફિલ્મની રિલીઝ સુધી રાહ જોવાની જરૂર નથી Mumbai,તા.૨૬ ફિલ્મોમાં આગમન કરતાં પહેલા પલક તિવારી સોશિયલ મીડિયા પર જાણીતી બની હતી. પલકને પોપ્યુલારિટી અપાવવામાં તેની ફેશન સેન્સનો મોટો ફાળો છે. પોતાની પર્સનાલિટીમાં ફેશનના મહત્ત્વની પલકને ખબર છે. પલકનું માનવું છે કે, દરેક પ્રકારની ફેશનમાં કમ્ફર્ટનું સૌથી વધુ મહત્ત્વ છે. આંખને જોવા ગમે અને કમ્ફર્ટેબલ લાગે તેવાં કપડાં જ પસંદ કરવા જોઈએ. ફેશન સેન્સ ડેવલપ કરવામાં માતા શ્વેતા તિવારીની શીખામણ પલકને ઘણી કામ લાગી છે. શ્વેતા હંમેશા પલકને કહેતી હતી કે, ફેશનનો બીજો અર્થ કમ્ફર્ટ છે અને જે કપડાં પહેરીને આપણે સારા…
પંજાબ અને સાઉથની ઇન્ડસ્ટ્રીમાં જે રીતે લોકોને તેમની ફિલ્મ માટે જે લગાવ અને પોતાપણું છે, એ આપણામાં નથીઃ સુપ્રિયા પાઠક Mumbai, તા.૨૬ પંજાબ અને સાઉથની ઇન્ડસ્ટ્રીમાં જે રીતે લોકોને તેમની ફિલ્મ માટે જે લગાવ અને પોતાપણું છે, એ આપણામાં નથીઃ સુપ્રિયા પાઠક “મેં દર વર્ષે એક ગુજરાતી ફિલ્મ કરવાનું વિચાર્યું છે, કારણ કે આ મારા મૂળ છે. હું સમજું છું કે સુવિધાઓ અને બજેટની તકલીફો હોય પણ છતાં આપણી પાસે ઘણા સારા વિષયો છે. મને ગુજરાતીમાં હિન્દી કરતાં સારા રોલ મળ્યાં છે. ઘણાં ગુજરાતી કલાકારોને એવું થાય છે, તેથી એ લોકો પણ પાછા આવવા ઇચ્છે છે.” આવું કહે છે, સુપ્રિયા…
રાજકુમાર રાવે અગાઉ ‘બરેલી કી બરફી’, ‘શાદી મૈં જરૂર આના’ અને ‘છલાંગ’ જેવી ફિલ્મોમાં કોમેડી રોલ કર્યા છે Mumbai, તા.૨૬ રાજકુમાર રાવે મોટાભાગની ફિલ્મોમાં સંવેદનશીલ રોલ કર્યા છે. કોમેડી, રોમાન્સ, ગંભીર પ્રકારના રોલ કરનારા રાજકુમાર રાવે હવે એક્શન ફિલ્મ પર હાથ અજમાવ્યો છે. રાજકુમારની એક્શન ડ્રામા ‘માલિક’ને ૨૦ જૂને રિલીઝ કરવાનો પ્લાન હતો. જો કે હવે ફિલ્મને પોસ્ટપોન કરવામાં આવી છે. આ ફિલ્મ હવે ૧૧ જુલાઈએ રિલીઝ કરવામાં આવશે. રાજકુમાર રાવે સોશિયલ મીડિયા પર ફિલ્મની નવી રિલીઝ ડેટ જાહેર કરી હતી. રાજકુમારે હાથમાં બંદૂક પકડેલી હોય તેવા પોસ્ટર સાથે નવી ડેટ જાહેર થઈ હતી. પોસ્ટર પર લખ્યુ હતું કે, રૌબ,…
છેતરપિંડી આચરાઈ હોવાનું જણાતાં તેમણે આ મામલે રાજકોટના બે સહિત કુલ ત્રણ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી Vijayawada, તા.૨૬ વિજાપુર તાલુકાના દેવપુરા અને મણિપુરાના કાકા-ભત્રીજાને એકના ડબલ કરી આપવાની લાલચમાં ૧૪ લાખ ગુમાવ્યા હતા. પોતાની સાથે છેતરપિંડી આચરાઈ હોવાનું જણાતાં તેમણે આ મામલે રાજકોટના બે સહિત કુલ ત્રણ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. દરમિયાન ગુરુવારે ત્રણ પૈકી એક આરોપી એક ઠગ સ્મશાને આવતાં તેને ઝડપી લઈ પોલીસને સોંપાયો હતો.વિજાપુર તાલુકાના નવા દેવપુરા પટેલ વાસમાં રહેતા ભરતભાઈ બળદેવભાઈ પટેલ વર્ષ ૨૦૨૧માં ગૌતમભાઈ પંચાલ (રહે. વાવડી, તા. ગાંભોઇ) પાસે ગાયો લેવા ગયા હતા. એ સમયે ગૌતમભાઈએ કહ્યું હતું કે હું પૈસાનો વરસાદ કરવાનું કામ…
જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલા બાદ ભારતે આતંકવાદ સામેની લડાઈ વધુ તીવ્ર બનાવી દીધી છે New Delhi, તા.૨૬ જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલા બાદ ભારતે આતંકવાદ સામેની લડાઈ વધુ તીવ્ર બનાવી દીધી છે. જ્યારે જળશક્તિ મંત્રી સાથે બેઠક યોજ્યા બાદ ગૃહમંત્રી અમિત શાહે નિર્ણય લીધો છે કે સિંધુ નદીનું એક પણ ટીપું પાણી પાકિસ્તાનમાં નહીં જાય . તેની બાદ પાકિસ્તાનના નેતાઓ પાયાવિહોણા નિવેદનો આપી રહ્યા છે. વૈશ્વિક સ્તરે અમેરિકા સહિત તમામ દેશોએ આ આતંકવાદી હુમલાની નિંદા કરી છે.જ્યારે બીજી તરફ પાકિસ્તાની સેનાએ સતત બીજા દિવસે સરહદ પર ગોળીબાર કર્યો. આ પહેલા પણ ગુરુવાર અને શુક્રવારની રાત્રે…
સેલ્ફ ડ્રાઇવિંગ કાર વિકસાવતી યુએસ કંપનીઓને ટેસ્ટિંગ હેતુઓ માટે સુરક્ષા અંગેના કેટલાંક ફેડરલ નિયમોમાંથી મુક્તિ અપાશે New York, તા.૨૬ અમેરિકામાં ટ્રમ્પ વહીવટીતંત્ર સેલ્ફ ડ્રાઇવિંગ કાર વિકસિત કરવા માટે ઇલોન મસ્કની ટેસ્લા જેવી કંપનીઓને હાલના નિયમોમાં છૂટછાટ આપશે. અમેરિકાની ઓટો કંપનીઓ ચીની કંપનીઓની સ્પર્ધાનો સામનો કરી શકે તે માટે આ હિલચાલ કરવામાં આવી છે. પરિવહન વિભાગે ગુરુવારે જણાવ્યું હતું કે સેલ્ફ ડ્રાઇવિંગ કાર વિકસાવતી યુએસ કંપનીઓને ટેસ્ટિંગ હેતુઓ માટે સુરક્ષા અંગેના કેટલાંક ફેડરલ નિયમોમાંથી મુક્તિ અપાશે. તે સેલ્ફ ડ્રાઇવિંગ સોફ્ટવેર સંબંધિત ક્રેશ રિપોર્ટિંગ નિયમોને સરળ બનાવશે તથા આ માટે રાષ્ટ્રીય નિયમો બનાવશે. હાલમાં વિવિધ રાજ્યોમાં અલગ અલગ નિયમો છે અને તેની…
મહાત્મા ગાંધી પણ વાઇસરોયને સંબોધતી વખતે ‘તમારા વિશ્વાસુ સેવક’ જેવા શબ્દોનો ઉપયોગ કરતા હતા New Delhi, તા.૨૬ સુપ્રીમ કોર્ટે શુક્રવારે વિનાયક દામોદર સાવરકર પર બેજવાબદાર ટિપ્પણી કરવા બદલ કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીની આકરી ઝાટકણી કાઢી હતી અને ચેતવણી આપી હતી કે જો રાહુલ ગાંધી સ્વાતંર્ત્ય સેનાની પર બેજવાબદાર નિવેદન કરશે તો કોર્ટ તેની જાતે નોંધ લઈને કાર્યવાહી કરશે. જોકે સર્વોચ્ચ અદાલતે રાહુલ ગાંધી સામેની ફોજદારી કાર્યવાહી પર રોક લગાવી હતી.ન્યાયાધીશ દીપાંકર દત્તા અને મનમોહનની બનેલી ખંડપીઠે રાહુલ ગાંધી વતી હાજર રહેલા વકીલ અભિષેક સિંઘવીને સવાલ કર્યો હતો કે શું તમારા અસીલને જાણકારી છે કે મહાત્મા ગાંધી પણ બ્રિટિશ વાઇસરોયને સંબોધતી…
સંસદ દ્વારા બનાવવામાં આવેલા કાયદાઓને લાગુ પડતી બંધારણીયતાની અવધારણા છે તેમ સરકારે જણાવ્યું છે New Delhi, તા.૨૬ કેન્દ્ર સરકારે વકફ (સુધારા) કાયદાનો સુપ્રીમ કોર્ટમાં બચાવ કર્યો હતો અને સંસદ દ્વારા પસાર બંધારણીયતાની અવધારણા સાથેના કાયદા પર બ્લેન્ક્ટે (સંપૂર્ણ) સ્ટે મુકવાના પગલાનો વિરોધ કર્યો હતો. પોતાના ૧,૩૩૨ પાનાની એફિડેવિટમાં કેન્દ્રસરકારે વકફ કાયદાની બંધારણીયતાને પડકારતી અરજીઓને નકારી દેવાની અપીલ કરી હતી. તેનું કહેવું હતું કે કેટલીક જોગવાઇઓ માટે ખોટી-ખોટી વાર્તા ચલાવવામાં આવી રહી છે. કેસોની સુનાવણી થાય છે ત્યારે આ કોર્ટ આ પડકારોની ચકાસણી કરશે. પરંતુ સંપૂર્ણ કે આંશિક સ્ટે યોગ્ય નહિ રહે. પરિણામે, કેન્દ્રએ મુખ્ય ન્યાયાધીશ સંજીવ ખન્નાની આગેવાની હેઠળની બેન્ચને…
