Author: Vikram Raval

(નયના દવે દ્વારા) Jamnagar તા.૧૦ Jamnagar શહેરના સ્વામીનારાયણનગર સ્થિત ડ્રીમ સિટી વિસ્તારમાં ચાલતા જુગારધામ પર જામનગર સીટી ’બી’ ડિવિઝન પોલીસ સ્ટેશનના સર્વેલન્સ સ્ક્વોડે દરોડો પાડી ગંજીપત્તાના પાનાં વડે તીનપત્તી રોનપોલી નામનો જુગાર રમતી છ મહિલાઓને ઝડપી પાડી તેમની પાસેથી રૂ. ૩૦,૮૦૦ની રોકડ તથા ગંજીપત્તાના પાનાં કબજે કર્યા છે. જામનગરના સીટી ’બી ડિવિઝન પોલીસ ઇન્સ્પેક્ટર એન. એમ. ગઢવીના માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ સ્ક્વોડ પેટ્રોલિંગમાં હતું. દરમિયાન પોલીસને ખાનગી બાતમી મળી હતી કે સ્વામીનારાયણનગર ડ્રીમ સિટી, શેરી નં. ’સી’ ખાતે આવેલા એક મકાન પાસે મહિલાઓ ગંજીપત્તાના પાનાં વડે પૈસાની હારજીતનો જુગાર રમી રહી છે. જે બાતમીના આધારે પોલીસે સ્થળ પર દરોડો પાડતાં રીનાબેન…

Read More

(નયના દવે દ્વારા) Jamnagar તા.૧૦ Jamnagar તાલુકાના જાંબુડા ગામ નજીક આવેલા વેલકમ વોટર પાર્કમાં ન્હાવા ગયેલા ૧૪ વર્ષીય કિશોરનું અચાનક મોત નીપજતાં પરિવાર પર દુઃખનો પહાડ તૂટી પડ્યો છ મળતી માહિતી મુજબ, જામનગરના સરદાર પટેલ સોસાયટી, સંસ્કૃતિ એપાર્ટમેન્ટ, શરૂ સેકશન રોડ ખાતે રહેતો અને મૂળ ઉત્તર પ્રદેશનો રહેવાસી આરવ શિવકુમાર સ્વર્ણકાર (ઉંમર ૧૪વર્ષ) પોતાના પરિવારજનો અને સંબંધીઓ સાથે ગત ૧૩.૬.૨૦૨૬ ના રોજ વેલકમ વોટર પાર્કમાં ન્હાવા ગયો હતો. આ દરમિયાન તેને અચાનક છાતીમાં દુખાવો ઉપડ્યો હતો. પરિવારજનોએ તેને તાત્કાલિક સારવાર માટે પહેલા જાંબુડા સીએચસી ખાતે અને ત્યારબાદ વધુ સારવાર માટે જામનગરની જી.જી. હોસ્પિટલમાં ખસેડ્યો હતો. જોકે, ફરજ પરના તબીબે તપાસ…

Read More

Kundheli તા.૧૦ વેધશાળાના વૈજ્ઞાનિકો દ્વારા એક તરફ સુપર અલનીનોની દહેશત વ્યકત થતી અને બીજી બાજુ એથી તદ્દન વિપરીત સ્થિતિ ઉદ્ભવી હતી જેમાં દેશનાં અનેક ભાગોમાં ભારે વરસાદ પડી ગયો છે. ગુજરાતનાં સુરત શહેર અને જીલ્લો પણ તેમાં બાકાત ન રહ્યા. અતિ ભારે વરસાદના કારણે સુરત શહેર જળબંબાકાર થઇ ગયું હતું. ગઈકાલની વિગતો અનુસાર આ ફલડને લીધે ૧૫ લોકોનાં કરુણ મોત નિપજયા છે. મોટાભાગના લોકોનાં ડૂબી જતાં મોત નિપજયા હતા. Moraribapuએ જળ હોનારતમાં મૃત્યુ પામેલાઓને શ્રધ્ધાંજલિ પાઠવી છે અને તેમનાં પરિવારજનોને રુપિયા પંદર હજાર લેખે કુલ મળીને રુપિયા ૨,૨૫,૦૦૦ ની સહાય રાશિ અર્પણ કરી છે જે રામકથાના સુરત-નવસારી સ્થિત શ્રોતા દ્વારા…

Read More

(રવિ નિમાવત દ્વારા) Morbi તા.૧૦ ખખાણા ગામમાં આઠ દિવસ પૂર્વે ગારો-કીચડ ઉડવા બાબતનો ખાર રાખી ચાર ઇસમોએ ઘર પાસે આવી સાસુ અને વહુને પાઈપ અને લાકડી વડે માર મારી ઈજા પહોંચાડી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી તેમજ મોપેડમાં નુકશાન કર્યું હતું વાંકાનેર તાલુકાના ખખાણા ગામના હેતલબેન અનિલભાઈ થોરિયા (ઉ.વ.૨૫) વાળાએ આરોપીઓ સુરેશ ગોવિંદભાઈ ગોધાણી, સંજય સંગ્રામભાઇ ગોધાણી, કરણ સંગ્રામભાઇ ગોધાણી અને રવિ સંગ્રામભાઇ ગોધાણી રહે બધા ખખાણા વાળા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે કે આરોપીઓ સાથે સાત આઠ દિવસ અગાઉ રસ્તામાં ગારો કીચડ ઉડવા બાબતે બોલાચાલી થઇ હતી જેનો ખાર રાખી ચારેય ઈસમો હેતલબેનના ઘર પાસે આવી ગાળો આપી લોખંડ…

Read More

(રવિ નિમાવત દ્વારા) Morbi તા.૧૦ સામાકાંઠા વિસ્તારમાં રહેતી શ્રમિક પરિવારની ૧૫ વર્ષીય સગીર દીકરી દુકાને ભાગ લેવા ગયા બાદ ક્યાંક જતી રહી છે સગીરાના પિતાએ પોલીસ મથકમાં અપહરણની ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે મોરબીના સામાકાંઠા વિસ્તારમાં રહેતી સગીરાનું અપહરણ થયાની ફરિયાદ બી ડીવીઝન પોલીસ મથકમાં નોંધાઈ છે જેમાં ભોગ બનનારના પિતાએ ફરિયાદમાં જણાવ્યું છે કે ફરિયાદીની ૧૫ વર્ષની સગીર દીકરી ગત તા. ૦૩ ના રોજ સાંજે સાડા સાતેક વાગ્યે દુકાને ભાગ લેવા જવાનું કહીને ગયા બાદ ક્યાંક જતી રહી છે અથવા ફરિયાદીના વાલીપણામાંથી કોઈ ઇસમ અપહરણ કરી લઇ ગયો છે મોરબી સીટી બી ડીવીઝન પોલીસે ફરિયાદ નોંધી…

Read More

(રવિ નિમાવત દ્વારા) Morbi તા.૧૦ Morbi નજીક આવેલ ફેકટરીમાં કામ કરતો શ્રમિક યુવાન રાત્રીના સુતો હતો ત્યારે સાપ કરડી જતા યુવાનનું મોત થયું હતું મોરબી તાલુકા પોલીસે બનાવ અંગે તપાસ હાથ ધરી છે મોરબીના જેતપર ઈ ટાઈલ્સ કંપનીમાં કામ કરતા સનોજ નગીનાભાઈ યાદવ (ઉ.વ.૨૫) નામના યુવાન રાત્રીના કંપનીમાં સુતો હતો ત્યારે ઝેરી સાપ કરડતા યુવાનનું મોત થયું હતું પોલીસે મૃતદેહ પીએમ અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડ્યો છે અને બનાવ મામલે વધુ તપાસ ચલાવી છે

Read More

(રવિ નિમાવત દ્વારા) Morbi તા.૧૦ જુના ઘૂટું રોડ પરની ફેકટરીમાં રહીને મજુરી કરતા ૨૩ વર્ષના યુવાને ગળેફાંસો ખાઈ લેતા મોત થયું હતું પોલીસે બનાવ મામલે વધુ તપાસ હાથ ધરી છે મોરબીના જુના ઘૂટું રોડ પર આવેલ ઝીલટોપ સિરામિકમાં રહીને મજુરી કરતા બિજેન્દ્રસિંહ નારાયણસિંહ (ઉ.વ.૨૩) નામના યુવાને ગત રાત્રે ૧૦ કલાકે પોતાની રૂમમાં ગળેફાંસો ખાઈ લેતા મોત થયું હતું પોલીસે મૃતદેહ પીએમ અર્થે હોસ્પિટલ ખસેડ્યો છે અને આપઘાતનું કારણ જાણવા મોરબી તાલુકા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે

Read More

Jaipur, તા. 10 ઉજ્જૈનમાં `મંદિર બોન્ડ’ ની શરૂઆત થયાં બાદ હવે દેશમાં ટૂરિઝમ બોન્ડ લાવવાની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. આની પહેલી શરૂઆત રાજસ્થાનનાં નાથદ્વારાથી થઈ શકે છે. આ સાથે જ પુષ્કરને પણ આ મોડેલમાં સામેલ કરવા પર કામ ચાલી રહ્યું છે. સરકારી નાણાકીય સંસ્થા હુડકો (આવાસ અને શહેરી વિકાસ નિગમ લિમિટેડ) રાજસ્થાન સરકાર સાથે મળીને આ બંને ધાર્મિક-પર્યટન સ્થળો માટે યોજના તૈયાર કરી રહી છે. હુડકોના ચેરમેન સંજય કુલશ્રેષ્ઠના જણાવ્યાં અનુસાર, ટૂરિઝમ બોન્ડ દ્વારા પર્યટન, ધાર્મિક સ્થળો, હોટલ, હેરિટેજ સંરક્ષણ જેવી પરિયોજનાઓ માટે રોકાણ એકત્ર કરવામાં આવશે. શું છે ટૂરિઝમ બોન્ડ?  * રોકાણકારો પાસેથી બોન્ડના માધ્યમથી નાણાં એકત્ર કરવામાં…

Read More

Ahmedabad , તા.10 અમદાવાદમાં રૂ. 62 કરોડના ખર્ચે નવી RTO કચેરીનું ગૃહ રાજ્યમંત્રી હર્ષભાઇ સંઘવીએ ઉદ્ઘાટન કર્યું છે. આ કચેરીમાં સર્વર ડાઉનની સમસ્યા ઘટશે અને સેન્ટ્રલ એસી ડોમ જેવી સુવિધાઓ મળશે. હર્ષભાઇ સંઘવીએ સ્પષ્ટ કર્યું કે, હવે કોઈની પણ ભલામણથી લાયસન્સ નહીં મળે; AI સિસ્ટમ ટેસ્ટ પાસ કરનાર અને વાહન ચલાવતા આવડતું હશે તેને જ લાયસન્સ મળશે. અમદાવાદ  RTO કચેરીના ઉદ્ઘાટન પ્રસંગે ગૃહ અને પરિવહન રાજ્યમંત્રી હર્ષભાઇ સંઘવીએ એક ખૂબ જ મહત્વની અને કડક જાહેરાત કરી છે. તેમણે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું છે કે, હવેથી RTO માં કોઈની પણ ભલામણથી ડ્રાઇવિંગ લાયસન્સ ઇસ્યુ કરવામાં આવશે નહીં. એટલું જ નહીં, ખુદ ‘હર્ષભાઇ…

Read More

New Delhi,તા.10 જીએસટીમાં આઈટીસી સહિતની સીસ્ટમને વધુ ટાઈટ બનાવતા હવે જીએસટી સીસ્ટમ ફાઈલીંગને હવે મેન્યુઅલ-માનવ સંચાલીતના બદલે સીસ્ટમ આધારિત બનાવાઈ છે. જીએસટીઆર-3 બી માં સરકારે ટેબલ-4ની માહિતી ઓટો પોપ્યુલેટેડ એટલે કે જીએસટીઆર-2બી માંથી આપોઆપ તેના આંકડા સહિતની માહિતી સીસ્ટમ જ ભરી લેશે તથા ઈનપુટ ટેક્ષ ક્રેડીટ `લોક’ થઈ જશે. જેના કારણે ઈનપુટ ટેક્ષ ક્રેડીટમાં કોઈ વ્યક્તિ ચેડા કરી શકશે નહી તથા એક વખત રિટર્ન ફાઈલ કર્યા બાદ તેમાં સુધારાની શકયતા બહું મર્યાદીત બની જશે. આ નવી સીસ્ટમ જુલાઈ-2026ની રિટર્ન ફાઈલીંગથી અમલી બની જશે. જીએસટીઆર-3બીમાં જે ટેબલ-4 માં આંકડા છે તે જીએસટીઆર-2બી માંથી આપોઆપ કોમ્પ્યુટર સીસ્ટમ મેળવી લેશે. જેને ઈનવોઈસ મેનેજમેન્ટ…

Read More