Author: Vikram Raval

Washington તા.10 ઈરાન અને અમેરિકા વચ્ચેના યુદ્ધનો ફરી પ્રારંભ થતા જ અમેરિકાએ જાહેર કર્યુ છે કે હોર્મુઝ પર ઈરાનનો અંકુશ નથી અને જે ગલ્ફ ઓફ ઓમાન પાસે નવો રૂટ તૈયાર કરાયો છે ત્યાંથી આંતરરાષ્ટ્રીય વ્યાપારી જહાજો સરળતાથી પસાર થઈ જાય તે અમેરિકા નિશ્ચિત કરશે. અમેરિકી સેન્ટ્રલ કમાન્ડે જાહેર કર્યુ કે હોર્મુઝ પર પુરેપુરો કબ્જો ઈરાનને આપી શકાય નહી. 800 જેટલા વ્યાપારી જહાજો અને 380 મિલિયન બેરલ ક્રુડતેલ અત્યારસુધીમાં નવા માર્ગ પરથી પસાર થઈ ગયા છે અને તે પ્રક્રિયા ચાલુ રહેશે.

Read More

તેલઅવીવ તા.10 અમેરિકા અને ઈરાન વચ્ચે સમજુતી તુટી પડયા બાદ અને બંને દેશો ફરી એક વખત એકબીજા પર હુમલા કરી રહ્યા છે તે વચ્ચે હવે ઈઝરાયેલ પણ એકશનમાં આવી જશે તેવા સંકેત છે અને ઈઝરાયેલના વડાપ્રધાન બેન્જામીન નેતાન્યાહુએ જાહેર કર્યુ હતું કે યુદ્ધ હજુ ખત્મ થયુ નથી. આમ હવે આગામી દિવસોમાં ઈરાન પરના હુમલામાં ઈઝરાયેલ પણ સામેલ થઈ જશે તેવા સંકેત છે અને લેબનાનમાં પણ હીઝબુલ્લા સામે ઈઝરાયેલે અટકાવેલી સૈન્ય કાર્યવાહી ફરી શરૂ થશે. નેતાન્યાહુનું આ નિવેદન એવા સમયે આવ્યુ છે કે જયારે અમેરિકાએ પણ જાહેર કર્યુ છે કે ઈરાન જે રીતે પાડોશી બહેરીન અને કુવૈત તથા કતાર પર હુમલા…

Read More

America,તા.10 અમેરિકાના ઉપ રાષ્ટ્રપતિ જેડી વેન્સે કહ્યું છે કે દેશની નોકરીઓ પર પહેલો હકક અમેરિકી લોકોનો જ રહેશે અને વિદેશી દગાબાજોને સ્થાનિક લોકોના અધિકાર નહીં છીનવવા દેવામાં આવે. આ સંકલ્પ અંતર્ગત અમેરિકી શ્રમ વિભાગે એચ-1 બી વીજા કાર્યક્રમનો દુરૂપયોગ કરનાર શંકાસ્પદ વિદેશી ઠગો સામે વ્યાપક તપાસ શરૂ કરી દીધી છે અને તેમને કાનૂની સમન ઈશ્યુ કરાયા છે. વિસ્કોન્સિનના મિલવૌકીમાં વેન્સે કહ્યું હતું કે ટ્રમ્પ પ્રશાસન આ નકકી કરવા માટે પ્રતિબધ્ધ છે. વેન્સે કહ્યું હતું, આ કાર્યક્રમની શરૂઆત અત્યંત કુશળ વિદેશી વ્યાવસાયિકો જેમ કે વૈજ્ઞાનિકો, ડોકટરો અને આઈટી વિશેષજ્ઞોને દેશમાં લાવવા માટે કરાઈ હતી. એચ-1 બી વીઝામાં ભારતીય સૌથી આગળ આ…

Read More

New Delhi, તા.10 એન્ટીબાયોટીક સહિતની દવાઓ પર સરકાર દ્વારા લગાવાતા નિયંત્રણો વચ્ચે હવે એક નવી જાહેરાત કરવામાં આવી છે જે અંતર્ગત 12 ટકાથી વધુ આલ્કોહોલ ધરાવતી દવાઓને શિડ્યુલ એચ-1 શ્રેણીમાં મુકવામાં આવી છે. તબીબોના પ્રસ્ક્રીપ્શન વિના આપી નહીં શકાય એટલું જ નહીં તેનું વેચાણ કરતાં દુકાનદારો-કેમીસ્ટોએ તેનો રેકર્ડ રાખવાનું પણ ફરજીયાત બનાવવામાં આવ્યું છે. આ નિર્ણયથી કફસિરપ અને ટોનિકના વેચાણ પર વ્યાપક અસર થવાની સંભાવના છે. અત્રે ઉલ્લેખનીય છે કે, કફસિરપમાં આલ્કોહોલની માત્રા વધુ હોય છે અત્યાર સુધી ગમે તે વ્યક્તિ સરળતાથી ખરીદી શકતી હતી પરંતુ નવા નિયમ હેઠળ પ્રિસ્ક્રીપ્શન જરૂરી બનશે. ભારતીય કાયદા પ્રમાણે શિડ્યુલ એચ-1 શ્રેણીમાં આવતી દવાઓના…

Read More

New Delhi,તા.10 સુપ્રીમકોર્ટે એક મહત્વના ચુકાદામાં સગીર બાળાઓ સાથેના દુષ્કર્મો સહિતના જાતીય સતામણીમાં ઉગામાતા પ્રોટકશન ઓફ ચીલ્ડ્રન ફ્રોમ સેકસયુઅલ ઓફેન્સ-પોકસોમાં પીડીતા સગીરનું નિવેદન જ પુરતુ હોવાનું જાહેર કરીને તેમાં અન્ય કોઈ તપાસ કે ઈન્કવાયરીને બદલે સીધો કેસ દાખલ કરી દેવાનો આદેશ આપ્યો છે. સર્વોચ્ચ અદાલતના ન્યાયમૂર્તિ મનોજ મિશ્રાની ખંડપીઠે જણાવ્યું હતું કે, જયારે સગીરા પોતે તેની સાથે થયેલા કૃત્ય અંગે કહેતી હોય તો તે અપરાધ બન્યો છે તે નિશ્ચિત થઈ જવું જોઈએ અને તેમાં કોઈ વધારે તપાસ કે તેવી આવશ્યકતા રહેતી નથી. ખાસ કરીને જે સગીરા વાતચીત કરવા કે માહિતી આપવા સક્ષમ હોય તેમાં આ પ્રકારે તાત્કાલીક કેસ દાખલ કરવો…

Read More

Shirdi ,તા.10 શિરડીના શ્રી સાઈબાબા સંસ્થાને VIP પ્રોટોકોલ દર્શન પાસની ફીમાં વધારો કરવાનો મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. હવે VIP પ્રોટોકોલ દર્શન માટે ભક્તોએ પ્રતિ વ્યક્તિ 300 રૂપિયા ચૂકવવા પડશે, જ્યારે અગાઉ આ ફી 200 રૂપિયા  હતી. એટલે કે દર્શન પાસમાં સીધો 100 રૂપિયા નો વધારો કરવામાં આવ્યો છે. સંસ્થાનના જણાવ્યા મુજબ જરૂરી ટેકનિકલ પ્રક્રિયા પૂર્ણ થયા બાદ નવા દર અમલમાં આવશે. જોકે સામાન્ય પેઇડ દર્શન અથવા ઝટપટ દર્શનની વ્યવસ્થામાં હાલ કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. દરરોજ હજારો ભક્તો શિરડીમાં સાઈબાબાના દર્શન કરવા આવતા હોવાથી આ નિર્ણય ચર્ચાનો વિષય બન્યો છે. અત્યાર સુધી VIP પ્રોટોકોલ દર્શન અને સામાન્ય પેઇડ દર્શન બંને…

Read More

New Delhi,તા.10 દેશમાં E20 ફ્યુઅલ (20% ઇથેનોલ મિશ્રિત પેટ્રોલ) ને લઈને વાહન ચાલકોમાં ચાલી રહેલા વિવાદ અને હોબાળા વચ્ચે કેન્દ્રીય પેટ્રોલિયમ મંત્રી હરદીપ સિંહ પુરીએ એક મોટું એલાન કર્યું છે. તેમણે આગામી સમયમાં આવી રહેલા E85 ફ્યુઅલ (85% ઇથેનોલ મિશ્રિત ઇંધણ)ના ભાવ અંગે મોટો સંકેત આપ્યો છે. કેન્દ્રીય મંત્રીએ સ્પષ્ટ જણાવ્યું છે કે, E85 ફ્યુઅલની કિંમત ઊ20 પેટ્રોલ કરતાં રૂા.20 ઓછી હશે. એટલે કે આ નવું બળતણ બજારમાં અંદાજે રૂા.80થી રૂા.85 પ્રતિ લીટરના ભાવે મળી શકે છે. સરકારનો લાંબા ગાળાનો લક્ષ્યાંક પેટ્રોલમાં ઇથેનોલનું બ્લેન્ડિંગ (મિશ્રણ) 85% સુધી લઈ જવાનો છે. મંત્રીએ જણાવ્યું કે E85 ફ્યુઅલ પર અત્યારે ઝડપથી કામ ચાલી…

Read More

New Delhi તા.10 હાલ ઈ-20 પેટ્રોલ એટલે કે 20 ટકા એથેનોલ મિશ્રીત પેટ્રોલને લઈને દેશભરમાં વિવાદ જાગ્યો છે અને આ પેટ્રોલથી વાહનોના માઈલેજ ઘટવાની, એન્જીનને ક્ષતિ પહોંચવાની ફરિયાદો ઉઠી છે ત્યારે સરકરા નવો વિકલ્પ આપવાનું વિચારી રહી છે, જે મુજબ ગ્રાહકને પ્યોર પેટ્રોલ અને એથેનોલ મિશ્રીત પેટ્રોલનો વિકલ્પ પેટ્રોલપંપે અપાશે. આગામી સમયમાં દેશભરના પેટ્રોલ પંપ પર ગ્રાહકો પાસે એક નવો વિકલ્પ હોઈ શકે છે. સરકાર લોકોને E-20 પેટ્રોલ અને નોર્મલ પેટ્રોલ વચ્ચે પસંદગી કરવાની મંજૂરી આપવાનું વિચારી રહી છે. આ દરખાસ્તનો હેતુ વાહન માલિકોને તેમની જરૂરિયાતો અને વાહન અનુસાર ફ્યૂલ પસંદ કરવાની તક આપવાનો છે. છેલ્લા કેટલાક સમયથી, E-20 પેટ્રોલ…

Read More

Mumbai,તા.10 બોલિવૂડના જાણીતા અભિનેતા રાજપાલ યાદવ અત્યારે કાયદાકીય મુશ્કેલીઓના ભારે વમળમાં ફસાયા છે. દિલ્હી હાઈકોર્ટે શુક્રવારે એક મોટો ચુકાદો આપતા ચેક બાઉન્સના વિવિધ કેસોમાં રાજપાલ યાદવની સજાને યથાવત રાખી છે.કોર્ટે સ્પષ્ટ કર્યું છે કે કાયદો બધા માટે સમાન છે, પછી ભલે તે વ્યક્તિ ગમે તેટલી જાણીતી સેલિબ્રિટી કેમ ન હોય.જસ્ટિસ શર્માએ ચુકાદો સંભળાવતા રાજપાલ યાદવને દરેક કેસમાં 3 મહિનાની સાદી જેલની સજા ફટકારી છે. રાહતની વાત માત્ર એટલી છે કે આ તમામ સજાઓ એકસાથે ચાલશે, એટલે કે એક્ટરે કુલ 3 મહિના જેલમાં વિતાવવા પડશે.દિલ્હી હાઈકોર્ટના જસ્ટિસ સ્વર્ણ કાંતા શર્માએ આ કેસની સુનાવણી કરતા જણાવ્યું હતું કે અગાઉની બેન્ચે આ મામલાને…

Read More

Mumbai,તા.10 સિદ્ધાર્થ મલ્હોત્રા અને તમન્ના ભાટિયાની જોડીની આગામી ફિલ્મ ‘વી વન’ જે ૨૮ ઓગસ્ટે રજૂ થવાની હતી તેને હવે એક મહિના પછી ૨૮ સપ્ટેમ્બરે રજૂ કરવાનો નિર્ણય લેવાયો છે.૨૬ઓગસ્ટે યશ તથા કિયારાની ‘ટોક્સિકઃ એ ફેરી ટેલ ફોર ગ્રોન અપ્સ’ અને ૨૮ ઓગસ્ટે શ્રદ્ધા કપૂરની ‘ઇઠા’ ફિલ્મ રજૂ થવાની હોઇ તેમની સાથે બોક્સ ઓફિસ પર ત્રિપાંખિયો જંગ ટાળવા માટે હવે ‘વી વન’ ફિલ્મની રજૂઆતને એક મહિનો પાછળ ઠેલવામાં આવી છે. આમ બોક્સ ઓફિસ પર પતિ સિદ્ધાર્થ મલ્હોત્રા તથા પત્ની કિયારા અડવાણીની ટક્કર હવે ટળી ગઈ છે.બાલાજી ટેલિફિલ્મ્સની આ ફિલ્મમાં મનિષ પોલ, સુનીલ ગ્રોવર, શ્વેતા તિવારી અને અનુપ સોની પણ મહત્વની ભૂમિકામાં…

Read More