- ભારતના પ્રથમ પ્રાઇવેટ Vikram-1 rocket નું લોન્ચીંગ કરનાર ટીમને મોદીના અભિનંદન
- NEET Cut-Off 213 માર્કસના અત્યાર સુધીના રેકોર્ડસ્તરે
- જંતર-મંતર ખાતે અનશન પર બેઠેલા CJP નેતા Abhijeet Deepke પર મહિલાએ શાહી ફેંકી
- Surendranagar જન્મ-મરણનાં દાખલામાં સુધારાનું પોર્ટલ ઠપ્પ
- Surendranagar પાટડીના ઝીંઝુવાડા ગામે યુવાન ઉપર છરીથી જીવલેણ હુમલો
- Surendranagar ઇશ્વરીયા ગામે ડિગ્રી વગર કલીનીક ચલાવતો બોગસ તબીબને ઝડપી લેવાયો
- Surendranagar ખેત ઓજારો-ઇલે મોટરની ચોરી કરનાર શાતિર ત્રિપુટી ઝડપાઇ
- Surendaranagar વઢવાણનાં શ્યામનગરમાં ક્રાઇમ બ્રાંચની ટીમ ત્રાટકી,વિદેશી દારૂ સાથે એકને દબોચ્યો
Author: Vikram Raval
Amreli,તા.07 અમરેલી જિલ્લમાં પડી રહેલા ભારે વરસાદના કારણે વધુ એક માનવ જિંદગીનો ભોગ લીધો છે. ધારી તાલુકાના ખોખરા મહાદેવ વિસ્તારમાં રહેતા ચંદુભાઇ રવજીભાઇ વાઘેલા નામના ૩૫ વર્ષીય યુવક ગત તા.૫ ના સાંજના સાતેક વાગ્યાથી રાત્રીના દસેક વાગ્યા દરમ્યાન ધારી તાલુકાના સરસીયા ગામની સીમમાં રહેણાંક ફરજામાં સુતા હતા ત્યારે અતિ વરસાદને કારણે તે ફરજાની દિવાલ અચાનક પડી જતા યુવક ફરજાની છત નીચે તેમજ છતના બીમના વચ્ચે આવી જતા માંથામા તેમજ જમણા હાથે નાની મોટી ઇજાઓ થવાથી તેમજ મૂજારો થવાથી તેમનું મોત નીપજયાનું પોલીસમાં જાહેર થવા પામેલ છે. …
માત્ર સાફ-સફાઈ જ નહીં, ‘વેસ્ટમાંથી બેસ્ટ’ બનાવી બંધ પડેલાં મોંઘા સાધનો ફરી ઉપયોગમાં લેવાયા Rajkot, ગુજરાતભરમાં ૧ જુલાઈથી શરૂ થયેલા રાજ્યવ્યાપી “નમો સ્વચ્છતા અભિયાન”નો આજે સાતમો અને આખરી દિવસ છે. ૧ જુલાઈથી શરૂ થયેલા આ મહાઅભિયાનના માત્ર ૬ જ દિવસમાં રાજ્યભરની ૧૨ હજારથી વધુ આરોગ્ય સંસ્થાઓમાં ૩૮ હજારથી વધુ બિનઉપયોગી વસ્તુઓની ઓળખ કરવામાં આવી છે અને કુલ ૪.૪૭ લાખથી વધુ વસ્તુઓનો સ્થળ પર જ નિકાલ કરવામાં આવ્યો છે. જેના પરિણામે ૧૬૫ ઓરડાઓ ખાલી થયા છે. આ અભિયાન માત્ર સાફ-સફાઈ પૂરતું સીમિત ન રહેતા ‘વેસ્ટમાંથી બેસ્ટ’નું ઉત્તમ ઉદાહરણ બન્યું છે. હોસ્પિટલોમાં બંધ પડેલી અંદાજે ૩૪,૧૬૬ જેટલી વિવિધ વસ્તુઓનું સફળતાપૂર્વક રિપેરિંગ કરીને…
ગ્રે વોટર પ્લાન્ટ અને ગટર લાઇનનું કામ કરવા આવેલા મહેસાણાના શ્રમિક માનસિક અસ્થિર હોવાથી પગલું ભર્યું, પરિવારમાં શોક રાજકોટ શહેરના ઢાઢણી ગામમાં ગ્રામ પંચાયતના ગ્રે વોટર પ્લાન્ટ અને ગટર લાઇનનું કામ કરવા આવેલા મહેસાણાના યુવકે માનસિક બીમારીના કારણે ચેકડેમમાં કૂદીને આપઘાત કરી લીધો હોવાની હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. સવારથી ગુમ થયેલા યુવકનો મૃતદેહ ગઢકા અને ઢાઢણી ગામ વચ્ચે આવેલા ચેકડેમમાંથી મળી આવતા ફાયર બ્રિગેડ અને પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો. આ બનાવને પગલે મૃતક યુવકના પરિવારમાં શોક છવાઈ ગયો છે. પ્રાપ્ત વિગતો મુજબ, મહેસાણાના રહેવાસી શૈલેષભાઈ કિશાભાઈ ઠાકર (ઉં ૨૬)એ આજે સવારે માનસિક બીમારીના કારણે ગઢકા અને ઢાઢણી…
આહીર ચોક નજીક ઓપરેશનના ડરથી વૃદ્ધાએ ઝેરી ટીકડા ખાધા Rajkot,તા.07 શહેર અને આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં આપઘાતના પ્રયાસના ત્રણ અલગ-અલગ કિસ્સાઓ પ્રકાશમાં આવ્યા છે. મધરવાડા ગામ અને લક્ષ્મીનગરમાં ઘરકંકાસથી કંટાળીને બે પરણીતાએ ઝેરી દવા અને ફિનાઇલ પી લીધું હતું, જ્યારે આહીર ચોક પાસે વૃદ્ધાએ બીમારીના ઓપરેશનના ડરથી ઝેરી ટીકડા ખાઈને જીવન ટૂંકાવવાનો પ્રયાસ કર્યો હતો. હાલ ત્રણેય મહિલાઓને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવી છે. પ્રાપ્ત વિગતો મુજબ, મૂળ મધ્યપ્રદેશના વતની અને હાલ રાજકોટ નજીક મધરવાડા ગામમાં આવેલી ચિરાગભાઈની વાડીએ રહીને ખેતીકામ કરતા લીલાબેન સેનાભાઈ હટીલા (ઉં.વ. ૩૨) સવારે ૮:૩૦ વાગ્યાના અરસામાં વાડીએ ઇયળ મારવાની જંતુનાશક દવા પી લીધી હતી. પ્રાથમિક…
લાલપાર્ક આહીર ચોક પાસે બાકી ભાડાની ઉઘરાણી કરતા પેસેન્જરએ રિક્ષાચાલકને છરી ઝીંકી Rajkot,તા.07 શહેરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળી રહી હોય તેમ રાત્રિના સમયે હિંસક હુમલાની બે અલગ-અલગ ઘટનાઓ સામે આવી છે. જેમાં લાલપાર્ક આહીર ચોક પાસે બાકી નીકળતા ભાડાના પૈસા માંગવા બાબતે એક ડ્રાઈવર પર છરી વડે અને જંગલેશ્વર વિસ્તારમાં પાનની દુકાનનું કેરેટ કેમ તોડ્યું તેમ પૂછતા દુકાનદાર પર તલવાર વડે હુમલો કરી લોહીલુહાણ કરી દેવાતા બંને ઇજાગ્રસ્તોને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.પ્રાપ્ત વિગતો મુજબ, શહેરના ન્યુ લાલ બહાદુર મેઇન રોડ, પાણીના ટાંકા સામે રહેતા વિજયભાઈ દિનેશભાઈ વાગડીયા (ઉં.વ. ૪૫) રાત્રિના ૯:૩૦ વાગ્યાના અરસામાં લાલપાર્ક આહીર ચોક…
New Delhi,તા. ૭ દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તા અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે મંગળવારે દિલ્હીના આરકે પુરમ વિસ્તારમાં વૃક્ષારોપણ અભિયાન શરૂ કર્યું, જેનો ઉદ્દેશ્ય રાષ્ટ્રીય રાજધાની ક્ષેત્રમાં ૭૦ લાખ વૃક્ષો વાવવાનો છે. આ વૃક્ષારોપણ અભિયાન નવી દિલ્હી મ્યુનિસિપલ કાઉન્સિલ (દ્ગડ્ઢસ્ઝ્ર) ના સહયોગથી હાથ ધરવામાં આવશે. આ અભિયાનના ભાગ રૂપે, દિલ્હીના મુખ્યમંત્રી અને ગૃહમંત્રીએ ’એક પેડ મા કે નામ’ પહેલ હેઠળ સેન્ટ્રલ રિજ વિસ્તારમાં વૃક્ષારોપણ કર્યું. આ વિસ્તારમાં રાષ્ટ્રપતિના બોડીગાર્ડ (ઁમ્ય્) રહે છે. ભાજપના સાંસદ રામવીર સિંહ બિધુરી, કમલજીત સેહરાવત, પ્રવીણ ખંડેલવાલ અને દિલ્હીના મંત્રી મનજિન્દર સિંહ સિરસા અને કપિલ મિશ્રા પણ હાજર હતા. ઝુંબેશ આપણી પ્રકૃતિને માન આપવા માટે છેઃ રેખા…
તા.08-07-2026 બુધવાર તિથિ અષ્ટમી (આઠમ) – ૧૨ઃ૨૪ઃ૧૫ સુધી નક્ષત્ર રેવતી – ૧૬ઃ૦૧ઃ૦૩ સુધી કરણ કૌલવ – ૧૨ઃ૨૪ઃ૧૫ સુધી, તૈતુલ – ૨૩ઃ૩૭ઃ૧૫ સુધી પક્ષ કૃષ્ણ યોગ અતિગંડ – ૧૨ઃ૩૭ઃ૨૧ સુધી વાર બુધવાર સુર્ય અને ચંદ્રની ગણતરીઓ સૂર્યોદય ૦૫ઃ૨૯ઃ૨૩ સૂર્યાસ્ત ૧૯ઃ૨૨ઃ૩૨ ચંદ્ર રાશિ મીન – ૧૬ઃ૦૧ઃ૦૩ સુધી ચંદ્રોદય ૨૪ઃ૨૧ઃ૦૦ ચંદ્રાસ્ત ૧૩ઃ૦૦ઃ૦૦ ઋતુ વર્ષા હિન્દૂ ચંદ્ર તારીખ શક સંવત ૧૯૪૮ પરાભવ વિક્રમ સંવત ૨૦૮૩ કાળી સંવત ૫૧૨૭ પ્રવિષ્ટા / ગત્તે ૨૪ મહિનો પૂર્ણિમાંત અષાઢ મહિનો અમાંત જયેષ્ઠ (જેઠ) દિન કાળ ૧૩ઃ૫૩ઃ૦૯ અશુભ સમય દુર મુહુર્ત ૧૧ઃ૫૮ઃ૧૧ થી ૧૨ઃ૫૩ઃ૪૩ ના કુલિક ૧૧ઃ૫૮ઃ૧૧ થી ૧૨ઃ૫૩ઃ૪૩ ના દુરી / મરણ ૧૭ઃ૩૧ઃ૨૬ થી ૧૮ઃ૨૬ઃ૫૯ ના રાહુ કાળ…
તા.08-07-2026 બુધવાર મેષ આજે સામાજિક જીવન કરતાં સ્વાસ્થ્યને પ્રાથમિકતા આપજો. આજે તમને ધન સંબંધી કોઈ સમસ્યા આવી શકે છે જે ને ઉકેલવા માટે તમે પોતાના પિતા અથવા પિતાતુલ્ય માણસ થી સલાહ લઈ શકો છો સાંજે તમારા જીવનસાથી સાથે સિનેમાઘરમાં ફિલ્મ અથવા ડીનર તમને નિરાંતવા તથા અદભુત મૂડમાં લાવી મુકશે. લાંબા સમયથી કોઈક સાથે ચાલતો તમારો વિવાદ આજે ઉકેલવાનો પ્રયાસ કરો કેમ કે આવતી કાલે કદાચ બહુ મોડું થઈ જશે. તમારા અભિગમમાં ઈમાનદાર અને ચોકસાઈભર્યા રહો-તમારી પ્રતિબદ્ધતાની નોંધ લેવાશે તથા એ સાથે તમારી આવડતની પણ નોંધ લેવાશે. અચાનક આજે તમે કામથી વિરામ લેવાની શકો છો અને તમારા પરિવાર સાથે સમય પસાર…
Washington,તા.૭ અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ જોઈન્ટ બેઝ એન્ડ્રૂઝથી તુર્કી જવા રવાના થયા. તેઓ અંકારામાં નાટો સમિટમાં હાજરી આપવા માટે એરફોર્સ વનમાં સવાર થયા. ૭-૮ જુલાઈના રોજ આ મહત્વપૂર્ણ બેઠક પહેલા, નાટો સભ્યો વચ્ચે સંરક્ષણ ખર્ચ, બોજ-વહેંચણી અને યુરોપિયન સુરક્ષામાં યુએસની ભૂમિકા અંગે તણાવ વધી રહ્યો છે. વ્હાઇટ હાઉસના પ્રવક્તા અન્ના કેલીએ જણાવ્યું હતું કે ટ્રમ્પ શિખર સંમેલન દરમિયાન યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોડીમીર ઝેલેન્સ્કી અને સીરિયાના રાષ્ટ્રપતિ અહેમદ અલ-શારા સાથે પણ વાતચીત કરશે. નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, “રાષ્ટ્રપતિ ટ્રમ્પ મંગળવારે બપોરે અંકારા પહોંચશે, જ્યાં તુર્કીના રાષ્ટ્રપતિ એર્દોગન તેમનું સ્વાગત કરશે. તેઓ રાષ્ટ્રપતિ એર્દોગન સાથે દ્વિપક્ષીય બેઠક પહેલા રાજ્ય સ્વાગત સમારોહ અને…
મુંબઇ,તા.૭ બોલીવુડ અભિનેત્રી સેલિના જેટલી તેના પતિથી મુશ્કેલ છૂટાછેડા માટે સમાચારમાં છે. દરમિયાન, તેમણે મહિલાઓને એક વિનંતી કરી છે. તેમણે બધી મહિલાઓને લગ્ન પહેલા કરાર કરવા વિનંતી કરી છે. એક ઇન્ટરવ્યુમાં, સેલિના જેટલીએ દાવો કર્યો હતો કે પીટરે તેમને તેમની અંગત મિલકત તેમના નામે ટ્રાન્સફર કરવા દબાણ કર્યું હતું. પરિણામે, તેમના છૂટાછેડા સમયે તેમની પાસે કંઈ બચ્યું ન હતું.તેથી, સેલિનાએ કહ્યું કે સ્ત્રીઓએ લગ્ન પહેલાં પ્રી-નપ પર સહી કરવી જોઈએ, ખાસ કરીને જેમની પાસે અંગત મિલકત હોય.સેલિના જેટલી મહિલાઓને અપીલ કરે છે કે તેઓ લગ્ન સમયે તેમની મિલકત તેમના નામે નોંધાયેલી રાખે. તેણીએ કહ્યું, “હું સ્ત્રીઓને સલાહ આપીશ કે જો…
