10 વર્ષ પહેલાં મિત્ર વચ્ચે લેતી દેતીમા સમાધાન કરાવી દેવા બદલ રૂ.15 હજારની લાંચ લીધી હતી
Rajkot,તા.04
મિત્ર વચ્ચેના નાણાકીય વ્યવહારમા સમાધાન કરાવી દેવા બદલ રૂ.15 હજારની લાંચ લેતા ઝડપાયેલા બજરગવાડી પોલીસ ચોકીના કોન્સ્ટેબલને ખાસ અદાલતે એક વર્ષની જેલની સજા અને રૂ.૫,૦૦૦નો દંડનો હુકમ ફરમાવ્યો છે.
આ કેસની હકિકત મુજબ વર્ષ–૨૦૧૩મા રાજકોટમાં રહેતા ફરીયાદી પ્રફુલભાઈ પંડયાએ તેમના મિત્ર રવિભાઈ કોટકને રૂા.૨ લાખ મિત્રતાના દાવે ઉછીના આપ્યા હતા. આ રકમની ઉઘરાણી કરતા રવિ કોટકએ બજરગવાડી પોલીસ ચોકીના કોન્સ્ટેબલ ફિરોઝબીન અહેમદબીન આરબનો સપર્ક કરી ફરીયાદી પ્રફુલભાઈ વિરૂધ્ધ ખોટી અરજી દાખલ કરી હતી. આ અરજીના આધારે કોન્સ્ટેબલ ફરોઝબીનએ ફરીયાદીને ધરાર સમાધાન કરાવી અને રૂા.૧૫ હજારની લાંચની માગણી કરી હતી અને જો સમાધાન ન કરે તો તેમના વિરૂધ્ધ બીજી ફરીયાદ દાખલ કરવાની ધમકી આપી હતી. ફરીયાદી પ્રફુલભાઈ પંડયાએ આ અંગે એસીબીમાં ફરિયાદ કરતા કોન્સ્ટેબલ ફીરોઝબીન આરબ રૂા.૧૫ હજારની લાંચ સ્વીકારતા ઝડપાઈ ગયો હતો. ચાર્જશીટ બાદ કેસ ખાસ અદાલતમાં ચાલવા ઉપર આવતા આરોપી કોન્સ્ટેબલ ફીરોઝબીન આરબ પાસેથી આ લાચની રકમ જપ્ત કરવામાં આવેલ હોવા અંગે સાહેદે જુબાનીમાં જણાવેલ નથી. ફરીયાદી પોતે હોસ્ટાઈલ થયેલ છે. જ્યારે સરકાર વકીલ દ્વારા દલીલ કરવામા આવેલ હતી કે, બચાવ પક્ષે આ લાચની રકમ આરોપીએ સ્વીકારેલ છે તેવી હકિકત જયા સુધી સાબિત ના થાય ત્યા સુધી લાચ સ્વીકાર્યાને સ્થળ અંગે વિરોધાભાષ કોઈ જ મહત્વનો નથી. લાચની રકમ રૂા.૧૫,૦૦૦ વાળી ચલણી નોટો કોર્ટમા રજુ થયેલ હોય અને આરોપીએ તે સમયે પહેરેલ પેન્ટ પણ જપ્ત કરવામાં આવેલ હોય ત્યારે આ પુરાવો અખડીત અને સુપ્રિમ કોર્ટમાં કહેવાય જેના સમર્થનમા બીજા કોઈપણ પુરાવાની જરૂરત રહેતી નથી. ફરીયાદીએ પ્રોસીકયુશનના કેસથી વિરૂધ્ધની જુબાની આપેલ છે તે બાબતે સરકાર તરફે રજુઆત કરવામા આવેલ હતી કે, ફક્ત એક જ સાક્ષી હોસ્ટાઈલ થાય તેનાથી સમગ્ર કેસને કોઈ નુકશાન થતુ નથી કારણ કે ટ્રેપ દરમ્યાનના પચે સમગ્ર ટ્રેપ અગેની વિગતોને સમર્થન આપેલ છે. કાયદાની જોગવાઈ મુજબ તમામ સાક્ષીઓમાથી ફકત એક જ સાક્ષી સાચી જુબાની આપે તો તેવા એકમાત્ર સાક્ષીની જુબાનીના આધારે આરોપીને તકસીરવાન ઠરાવી શકાય છે. સરકાર તરફેની દલીલોને ગ્રાહ્ય રાખી મુખ્ય સેશન્સ જજ વી.બી. ગોહીલે આરોપી કોન્સ્ટેબલ ફિરોઝબીન અહેમદબીન આરબને તકસીરવાન ઠરાવી એક વર્ષની જેલની સજા અને રૂ.૫,૦૦૦નો દંડનો હુકમ ફરમાવ્યો છે.આ કેસમા સરકાર તરફે જિલ્લા સરકારી વકિલ સંજયભાઈ કે. વોરા રોકાયા હતા.