New Delhi, તા.21
દિલ્હી સરકારના આરોગ્ય વિભાગમાં થયેલા કથિત રૂ. 700 કરોડના મેડિકલ પ્રોક્યોરમેન્ટ (તબીબી ખરીદી) કૌભાંડમાં એક ચોંકાવનારો ખુલાસો થયો છે. એન્ટી કરપ્શન બ્રાન્ચએ દિલ્હી કોર્ટને જણાવ્યું છે કે ડાયરેક્ટોરેટ જનરલ ઓફ હેલ્થ સર્વિસીસ અને સેન્ટ્રલ પ્રોક્યોરમેન્ટ એજન્સી દ્વારા કરવામાં આવેલી ખરીદી સંબંધિત મહત્ત્વપૂર્ણ ફાઇલોને આરોપીઓ દ્વારા ‘જાણપૂર્વક નાશ’ કરવામાં આવી છે.
આ ફાઇલોમાં X-Ray મશીનો, ઈ-અળિ મશીનો અને લિનન (કાપડ) વગેરેના ટેન્ડર તૈયાર કરનારા, શરતો નક્કી કરનારા તેમજ તકનીકી અને નાણાકીય મૂલ્યાંકન કરનારા અધિકારીઓની વિગતો સામેલ હતી, જે મુખ્ય પુરાવા સમાન હતી.
આ બહુચર્ચિત કૌભાંડના મુખ્ય આરોપીઓમાં ભૂતપૂર્વ વડા ડો. વત્સલા અગ્રવાલ, પૂર્વ CPA ડેપ્યુટી કંટ્રોલર ઓફ એકાઉન્ટ્સ નીરજ ચોપરા અને પૂર્વ CPA વડા ડો. વિનોદ કુમાર રંગાનો સમાવેશ થાય છે.
કોર્ટે ડો. વિનોદ કુમાર રંગાની રેગ્યુલર જામીન અરજી ફગાવી દીધી છે. જ્યારે બીજી તરફ, સ્પેશિયલ જજ વિદ્યા પ્રકાશની કોર્ટે ભૂતપૂર્વ પ્રમુખ ડો. વત્સલા અગ્રવાલને તેમની હાઈપરટેન્શન, ડાયાબિટીસ અને કરોડરજ્જુની ઈજા સહિતની તબીબી સ્થિતિને ધ્યાનમાં રાખીને માનવતાના ધોરણે 4 અઠવાડિયા માટે વચગાળાના જામીન મંજૂર કર્યા છે.
વિજિલન્સ વિભાગની ફરિયાદના આધારે ગત 2 જૂને આ કેસમાં FIR નોંધાઈ હતી અને 18 જૂને પહેલી ધરપકડ કરવામાં આવી હતી. આ કેસમાં દવાની સપ્લાય કરનાર અને ફાર્માસ્યુટિકલ વેપારી રાજીવ રંગીલા મુખ્ય આરોપીઓમાંનો એક છે, જેને જૂનના અંતમાં અન્ય એક કેસમાં આગોતરા જામીન મળ્યા બાદ તે ભારત છોડીને ફરાર થઈ ગયો છે. ACB એ કોર્ટને માહિતી
તપાસ મુજબ, આરોપીઓએ એકબીજાની મિલીભગતથી ચોક્કસ એજન્સીઓને જ ટેન્ડર મળે તે માટે ગેરકાયદેસર રસ્તો અપનાવ્યો હતો. અન્ય લાયક બીડરો ભાગ ન લઈ શકે તે માટે ટર્નઓવર, અનુભવ અને કામગીરીના માપદંડો બિનજરૂરી રીતે ખૂબ ઊંચા રાખવામાં આવ્યા હતા.

