New Delhi,તા.04
કોકરોચ જનતા પાર્ટીના આંદોલનની સફળતાના પગલે હવે વિપક્ષોમાં જોર આવ્યુ છે તથા ઈ-20 પેટ્રોલ સામે આમ આદમી પાર્ટીના વડા અરવિંદ કેજરીવાલે આજે 100 લોકો સાથે વડાપ્રધાન આવાસ સુધી પગપાળા કુચની તૈયારી શરૂ કરતા જ તંત્ર એલર્ટ થઈ ગયુ છે.
કોકરોચ આંદોલન સમયે વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ અચાનક જ વડાપ્રધાન આવાસ નજીક ધરણા કરી સુરક્ષા તંત્રને દોડતુ કરી દીધુ હતુ તે પછી હવે કેજરીવાલની ઈ-20 મુદે પીએમ આવાસ કુચને આગળ જ વધવા દેવાશે નહી તેવા સંકેત છે.
શ્રી કેજરીવાલ 100 ટેકેદારો સાથે જ જવાના છે. તેઓએ શનિવારે ટાઉનહોલ કાર્યક્રમમાં સરકારે લોકોની ચિંતા વગર જ આ પ્રકારે ઈથોનલ મિશ્રીત પેટ્રોલ વેચવાના નિર્ણય કરાયો હોવાનો આક્ષેપ કર્યો હતો.
હવે તેઓએ આ અંગે ઓનલાઈન રીટની પણ ઝુંબેશ શરૂ કરી છે જેમાં 2.33 લાખ લોકોએ સહી કરી હોવાનો દાવો છે તે સમયે પીએમ આવાસ કુચથી દિલ્હીમાં ફરી સુરક્ષા બંદોબસ્ત લાદી દેવાયો છે.
સરકારે સંસદમાં પણ દબાતા સ્વરે સ્વીકાર્યુ છે કે ઈ-20 પેટ્રોલના ઉપયોગથી એવરેજ ઘટે છે. વાહનનો રીપેરીંગ-જાળવણી ખર્ચ વધે છે પણ ક્રુડતેલમાં વિદેશી હુંડીયામણની બચતનું કારણ આગળ ધરે છે.

