Ghaziabad,તા.27
જંતર મંતર પર છાત્રોને ખાવાનું પીરસનાર મોહમ્મદ જુનૈદના ઘેર પોલીસ પહોંચી છે અને તેના પરિવાર અને સગા સબંધીઓની પુછપરછ કરી હતી અને તેમની પાસેથી દસ્તાવેજોની માંગણી ચકાસણી કરી હતી. જૂનૈદના પિતાને પોલીસ સ્ટેશન બોલાવી પૂછપરછ કરી હતી.
જૂનૈદના પિતા મુસ્તુફાનો આરોપ છે કે યુપી પોલીસ તેના પરિવાર અને સગા સબંધીઓને પૂછપરછના નામે હેરાન કરી રહી છે. આ કારણે જૂનૈદની માની તબીયત બગડી ગઈ છે.
જૂનૈદના પિતા કહે છે કે મારા દીકરાએ કોઈ ખોટું કામ નથી કર્યું, તે લોકોની સેવા કરતો હતો. તે બાળપણથી જ લોકોની સેવા કરે છે.

