સ્માર્ટ મીટર – સ્માર્ટ વપરાશ – સ્માર્ટ બચત
ટાઈમ ઓફ યુઝ યોજના અંતર્ગત સવારે ૧૧ થી સાંજે ૫ વાગ્યા સુધીના વીજ વપરાશ બદલ ગ્રાહકોને મળ્યું રૂ. ૧.૭૦ કરોડથી વધુનું વળતર
Rajkot તા. ૧૪ઃ
પશ્ચિમ ગુજરાત વીજ કંપની લિ. (પી.જી.વી.સી.એલ.) દ્વારા વીજ ગ્રાહકોને આધુનિક, પારદર્શક અને સુવિધાજનક વીજ સેવા પૂરી પાડવાના હેતુથી સમગ્ર પશ્ચિમ ગુજરાત વીજ ઝોનમાં સ્માર્ટ મીટર સ્થાપનની કામગીરી તબક્કાવાર હાથ ધરવામાં આવી રહી છે. અત્યાર સુધીમાં પશ્ચિમ ગુજરાત વીજ વિસ્તારમાં ૮.૨૦ લાખથી વધુ સ્માર્ટ મીટર સ્થાપિત કરવામાં આવ્યા છે.
રાજકોટ ગ્રામ્ય વર્તુળ કચેરી હેઠળ પણ સ્માર્ટ મીટર સ્થાપનની કામગીરી વિવિધ ડિવિઝનોમાં વેગવંતી બની છે. કચેરી દ્વારા જણાવ્યા મુજબ, રાજકોટ ગ્રામ્ય વર્તુળ વિસ્તારમાં ૪૨,૦૦૦થી વધુ ગ્રાહકોએ સ્માર્ટ મીટર અપનાવ્યાં છે, જેમાં ધોરાજીમાં ૧૦,૧૦૦, ગોંડલમાં ૧૧,૦૦૦, જસદણમાં ૮,૪૦૦, જેતપુરમાં ૪.૮૫૦ તથા રૂરલ ડિવિઝનમાં ૭,૮૫૦ ગ્રાહકોનો સમાવેશ થાય છે.
સ્માર્ટ મીટર અપનાવનાર ગ્રાહકો માટે ટાઈમ ઓફ યુઝ () યોજના ખાસ લાભદાયી બની રહી છે. ના વર્ષ ૨૦૬-૨૭ના ટેરિફ ઓર્ડર મુજબ પાત્ર સ્માર્ટ મીટર ધરાવતા ગ્રાહકોને સવારે ૧૧૦૦ થી સાંજે ૫૦૦ વાગ્યા સુધીના સમયગાળામાં વીજ વપરાશ કરવા બદલ રૂ. ૦.૬૦ પ્રતિ યુનિટનું વળતર આપવામાં આવે છે.
આ વ્યવસ્થાથી ગ્રાહકો પોતાના વીજ વપરાશનો સમય યોગ્ય રીતે નક્કી કરીને વીજ બિલમાં બચત કરી શકે છે. ખાસ કરીને વોશિંગ મશીન પાણીની મોટર તથા અન્ય વીજ ઉપકરણોનો વપરાશ શક્ય હોય ત્યાં સુધી સમયગાળા દરમિયાન કરવાથી ગ્રાહકોને આ ડિસ્કાઉન્ટનો લાભ મળી શકે છે.
રાજકોટ ગ્રામ્ય વર્તુળ કચેરી હેઠળ એપ્રિલ-૨૦૬થી ઓગસ્ટ-૨૦સ્ક દરમિયાન હેઠળ ૨૩,૮૦૦થી વધુ સ્માર્ટ મીટર અપનાવનાર ગ્રાહકોને રૂ. ૧.૭૦ કરોડથી વધુનું ડિસ્કાઉન્ટ વીજ બિલમાં આપવામાં આવ્યું છે.
આ આંકડા દર્શાવે છે કે, સ્માર્ટ મીટર ગ્રાહકો માટે માત્ર વીજ વપરાશ માપવાનું આધુનિક સાધન જ નહી પરંતુ વીજ વપરાશને યોગ્ય સમયે સુનિયોજિત કરીને બિલમાં બચત મેળવવાનું અસરકારક માધ્યમ પણ બની રહ્યું છે.
પી.જી.વી.સી.એલ. સ્માર્ટ મીટર એપ દ્વારા ગ્રાહકો પોતાના વીજ વપરાશ અને બિલ સંબંધિત માહિતી સરળતાથી મેળવી શકે છે. એપમાં વીજ વપરાશની વિગતો, બિલ તથા પેમેન્ટ હિસ્ટ્રી જેવી સુવિધાઓ ઉપલબ્ધ હોવાથી ગ્રાહકો પોતાના વપરાશની પેટર્નને વધુ સારી રીતે સમજી શકે છે.
સ્માર્ટ મીટર દ્વારા કયા સમયે કેટલો વીજ વપરાશ થાય છે તેની માહિતી ઉપલબ્ધ થતાં ગ્રાહકો પોતાના વીજ વપરાશને વધુ વ્યવસ્થિત કરી શકે છે અને ઊર્જા બચત તરફ આગળ વધી શકે છે.
પી.જી.વી.સી.એલ. રાજકોટ ગ્રામ્ય વર્તુળના તમામ ગ્રાહકોને સ્માર્ટ મીટર સ્થાપન કામગીરીમાં સહકાર આપવા તથા ના સમયગાળા દરમિયાન વીજ વપરાશ કરીને ઉપલબ્ધ ડિસ્કાઉન્ટનો મહત્તમ લાભ લેવા કચેરી દ્વારા અપીલ કરવામાં આવી છે.

