નવાગામ રાણપુર ,મનહર સોસાયટીમાં યુવતી અને ઉદ્યોગનગરમાં યુવાને ભરેલા પગલાથી પરિવારમાં અરેરાટી
Rajkot,તા.31
શહેરમાં બે યુવતી અને યુવાન સહિત ત્રણ. વ્યક્તિએ ગળાફાંસો ખાય જીવન ટૂંકાવી લીધું છે. જેમાં જેમાં રાજકોટ તાલુકાના નવાગામ રાણપુર ગામે ચંદ્રિકાબેન પરસાણા , ભાવનગર રોડ પર મનનાર સોસાયટીમાં રહેતા મિતલબેન સરવૈયા અને લાખાજી રાજ ઉદ્યોગનગર ભરતભાઈ ભીલ ત્રણ લોકોએ આપઘાત કરી લેતા પરિવારમાં શોખનું મોજુ ફેલાયું છે. વધુ વિગત મુજબ રાજકોટની ભાગવળે આવેલા નવાગામ રાણપુર ખાતે રહેતા ચંદ્રિકાબેન ભીમજીભાઈ પરસાણા નામની 35 વર્ષીય યુવતીએ ગાત્કાલે પોતાના ઘરે વહેલી સવારે ગળાફાંસો ખાઈ લેતા બેભાન હાલતમાં કુવાડવા સરકારી હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા જ્યાં ફરજ પરના તબીબે ચંદ્રિકાબેન ને મૃત જાહેર કર્યા હતા આ બનાવની જાણ કુવાડવા રોડ પોલીસ મથકને થતા હેડ કોન્સ્ટેબલ લક્ષ્મણભાઈ મહાજન સ્ટાફ સાથે દોડી ગયા હતા અને ચંદ્રિકાબેન ના મૃતદેહને પીએમ અર્થે ખસેડી આપઘાતનું કારણ જાણવા તપાસ આદરી છે. જ્યારે શહેરના ચુનારા વાળો ચોક પાસે લાખાજીરાજ ઉદ્યોગ નગર શેરી નંબર ત્રણમાં રહેતા ભરતભાઈ બીજલભાઇ ભીલ નામના 40 વર્ષે યુવાને પોતાના ઘરે ગળાફાંસો ખાઈ લીધાની જાણ 108 ને થતા દોડી આવી ઈએમટીએ ભરતભાઈ ભીલને મૃત જાહેર કર્યા હતા અને આ બનાવની જાણ થોરાળા પોલીસને થતા એ.એસ.આઇ એ આર ડોબરીયા એન આર ડોબરીયા સહિતનો સ્ટાફ દોડી ગયા હતા અને મૃત દેહ ને સિવિલ હોસ્પિટલે ખસેડી આપઘાતનું કારણ જાણવા તપાસનો ધમધમાટ આદર્યો છે. આ ઉપરાંત ભાવનગર રોડ પર મનોજ સોસાયટી શેરી નંબર એકમાં રહેતા મિતલબેન કિશોરભાઈ સરવૈયા નામની 23 વર્ષીય યુવતીએ પોતાના ઘરે ગળા પાસો ખાઈ લેતા બેભાન હાલતમાં હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા જ્યાં ફરજ પરના તબીબી મિતલબેન સરવૈયા નું મૃત્યુ મોત જાહેર કરવામાં આવ્યું હતું બાદ આ બનાવની જાણ થોરાળા પોલીસ મથકને કરતા પી.એસ.આઇ.ડી.કે ધાંધલા સહિતનો સ્ટાફ દોડી ગયા હતા અને મૃતદેહ ને પીએમ અર્થે ખસેડી આપઘાતનું કારણ જાણવામાં માટે તપાસ ચલાવી રહ્યા છે