Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Vadodara : હરસ-મસાનું ઓપરેશન કરતો નકલી ડોક્ટર ઝડપાયો

    August 27, 2026

    Vav-Tharad, : ભારતમાલા ચેકપોસ્ટ પરથી રૂ. ૨૭ લાખનો વિદેશી દારૂ ઝડપાયો

    August 27, 2026

    Ahmedabad : કૈલાશ યાત્રાએ ગયેલા અમદાવાદના ભાવિન રાવલ નેપાળમાં ગુમ

    August 27, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Vadodara : હરસ-મસાનું ઓપરેશન કરતો નકલી ડોક્ટર ઝડપાયો
    • Vav-Tharad, : ભારતમાલા ચેકપોસ્ટ પરથી રૂ. ૨૭ લાખનો વિદેશી દારૂ ઝડપાયો
    • Ahmedabad : કૈલાશ યાત્રાએ ગયેલા અમદાવાદના ભાવિન રાવલ નેપાળમાં ગુમ
    • Vadodara: સાવલીના રાણીપુરામાં રૂ. ૪ કરોડનું મનરેગા કૌભાંડ
    • Surat અડાજણમાં એરટેલના ખોદકામથી ડ્રેનેજ લાઈન તૂટતાં ગંદુ પાણી વરસાદી લાઈનમાં ભળ્યું
    • Surat માં કચરાનું રાજકારણ મેયરના ઘર સુધી પહોંચ્યું
    • Naswadi APMC ચૂંટણી જાહેર થતાં જ વિવાદ
    • Chhota Udepur ના ખેડૂતોએ જંગલ જમીનના પ્રશ્નો મુદ્દે કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Friday, August 28
    • મુખ્ય સમાચાર
    • રાષ્ટ્રીય
      • અન્ય રાજ્યો
    • ગુજરાત
      • અમદાવાદ
      • વડોદરા
      • સુરત
    • સૌરાષ્ટ્ર
      • જામનગર
      • મોરબી
      • જૂનાગઢ
      • રાજકોટ
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • લેખ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»સૌરાષ્ટ્ર»અમરેલી»Amreli જિલ્લાના દુધાળા નજીક ગાગડિયો નદી પર નિર્મિત ‘‘ગુજરાત ગૌરવ સરોવર‘‘નું કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના હસ્તે લોકાર્પણ
    અમરેલી

    Amreli જિલ્લાના દુધાળા નજીક ગાગડિયો નદી પર નિર્મિત ‘‘ગુજરાત ગૌરવ સરોવર‘‘નું કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના હસ્તે લોકાર્પણ

    Vikram RavalBy Vikram RavalAugust 27, 2026No Comments4 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    વડાપ્રધાન મોદીની દૂરંદેશી દ્રષ્ટિ અને નક્કર આયોજનના કારણે ગુજરાતમાં જળસંચય ક્ષેત્રે દુષ્કાળ હવે ભૂતકાળ બન્યો :શાહ

    (મિલાપ રૂપારેલ દ્વારા)

    Amreli તા.૨૭

    Amreli જિલ્લાના લાઠી તાલુકાના દુધાળા ગામ નજીક ગાગડિયો નદી પર ધોળકિયા ફાઉન્ડેશન દ્વારા નિર્મિત ગુજરાત ગૌરવ સરોવરનું આજરોજ કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહના હસ્તે લોકાર્પણ કરી તક્તી અનાવરણ કરવામાં આવ્યું હતું.

    આ પ્રસંગે ઉદ્દબોધન કરતાં કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહે જણાવ્યું હતું કે, અમરેલી પંથકમાં ધોળકિયા ફાઉન્ડેશન દ્વારા જળસંચય ક્ષેત્રે અદ્દભુત કામગીરી કરવામાં આવી છે. સંસ્થાપક શ્રી સવજીભાઈએ નદીઓને પુનઃજીવિત અને તળાવો ઊંડા કરવા માટે લીધેલા ભગીરથ સંકલ્પ હેઠળ આજે ‘‘ગુજરાત ગૌરવ સરોવર‘‘નું લોકાર્પણ કરીને માત્ર મારું મન આનંદિત નથી થયું પરંતુ આત્માને અદ્દભુત શાંતિ મળે તેવું પુણ્યનું કામ કર્યું છે. સવજીભાઈએ પરિવારને સાથે લઈને જળ સંરક્ષણ ક્ષેત્રે કરેલી નોંધપાત્ર કામગીરીને કારણે આ પંથકના લોકોનું જીવન પાણીદાર બન્યું છે.

    કેન્દ્રીય ગૃહમંત્રીએ વવધુમાં જણાવ્યું હતું કે,વરસાદી પાણીને યોગ્ય વ્યવસ્થા સાથે સંરક્ષિત કરવા માટે નાગરિકોને પ્રેરણા પૂરી પાડતાં જણાવ્યું હતું કે, ભવિષ્યના આયોજન સાથે વરસાદના ટીપે ટીપાંને જમીનમાં ઉતારવામાં આવે ત્યારે ઊંડા કરેલા તળાવનું મહત્વ ખૂબ વધી જાય અને દુષ્કાળની સમસ્યાનો સામનો કરવો પડતો નથી. તેમણે ઉમેર્યું હતું કે, મને યાદ છે કે, ગુજરાતમાં વર્ષ ૧૯૮૫ થી ૧૯૮૭ સળંગ ત્રણ વર્ષ ભારે દુષ્કાળ પડ્યો હતો. જમીનના તળ સાવ સુકાઈ ગયાની સ્થિતિ સર્જાઈ હતી, પરંતુ જ્યારે વર્ષ ૨૦૦૧માં શ્રી નરેન્દ્રભાઈ મોદી ગુજરાતના મુખ્યમંત્રી બન્યા ત્યારે આખું સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાત પાણીથી તરબોળ થઈ ગયું અને દુષ્કાળ હવે ભુતકાળ બન્યો.

    વધુમાં તેમણે ઉમેર્યું હતું કે, તત્કાલિન મુખ્યમંત્રી અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીની દૂરંદેશીના કારણે ગુજરાતમાં વર્ષ ૨૦૦૩માં એક જ વર્ષમાં દોઢ લાખ ચેકડેમોનું નિર્માણ કરવામાં આવ્યું હતું. વર્ષ ૧૯૬૪માં ‘‘નર્મદા યોજના‘‘નું ભૂમિ પૂજન થયું હતું, જેના દરવાજા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈના હસ્તે ખોલવામાં આવ્યા હતા. ‘‘સૌની યોજના‘‘ થકી વરસાદના વધારાના પાણીનો સંગ્રહ કરીને આજે સમગ્ર સૌરાષ્ટ્ર – કચ્છ અને ખાવડા સુધી નર્મદાનું પાણી પહોંચ્યું છે. ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના દસ હજાર સરોવર નર્મદાથી ભરવામાં આવ્યા છે. આજદિન સુધી એકપણ સરકારે જળશક્તિ મંત્રાલયની રચના નથી કરી પરંતુ આપણા વડાપ્રધાનશ્રીએ જળશક્તિ મંત્રાલયની સ્થાપના કરીને દેશભરમાં જનભાગીદારીથી તળાવો ઊંડા કરાવી સિંચાઈની ક્ષમતા ૧૬૦ ટકા વધારીને જનકલ્યાણ હેતુ નકકર કામ કર્યું છે.

    આ પ્રસંગે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે, સર્વપ્રથમ હું ધોળકિયા ફાઉન્ડેશનને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું. આ વિસ્તારની વર્ષો જૂની નદીઓ, જે સમય જતાં સુકાઈ ગઈ હતી અને માટીનું રણ બની ગઈ હતી, તેમને પુનર્જીવિત કરવાનું ભગીરથ કાર્ય સવજીભાઈ, તેમના પરિવારે અને ફાઉન્ડેશને પોતાના હાથમાં લીધું છે. આ કોઈ નાનો પડકાર નહોતો. ભરબપોરે, કાળઝાળ ગરમીમાં અને સૌરાષ્ટ્રના આકરા ઉનાળામાં કલાકો સુધી જે.સી.બી મશીનો પાસે ઊભા રહીને કાર્યકર્તાઓ સાથે ખભેખભા મિલાવીને કામ કર્યું, જેના પરિણામે આજે પાંચમું સરોવર પુનર્જીવિત કરવામાં સફળતા મળી છે. તેમણે ઉમેર્યું કે, સરોવર બની ગયા પછી જોવું સૌને ગમે, પરંતુ તે બનાવવા પાછળ માત્ર રૂપિયા ખર્ચીને નહીં કે, સરકારી વ્યવસ્થાના સહારે જ નહીં, પરંતુ પોતાનો અને પરિવારનો કિંમતી સમય આપીને આ સિદ્ધિ મેળવી છે. સમગ્ર ગુજરાતમાં ૨૦૮ જેટલા સરોવરોને આ જ રીતે પુનર્જીવિત કરવાનું જે અદ્દભૂત કાર્ય થયું છે, તે ખરેખર વંદનીય છે.

    તેમણે વધુમાં જણાવ્યું હતું કે, ’આપણે સૌએ ગૃહ મંત્રી અમિત શાહને એક મજબૂત નેતા તરીકે જોયા છે. પરંતુ તેમના હૃદયમાં જળસંચય, પર્યાવરણ અને સમાજ ઉત્થાન માટે જે ભાવ છે તેનાથી કદાચ ઘણા લોકો અજાણ હશે. વૃક્ષારોપણ કરીને ધરતીને લીલીછમ બનાવવી, ગામડે ગામડે લાઈબ્રેરીઓ ઊભી કરી નાના પરિવારના બાળકો શિક્ષણમાં આગળ વધે તેવા કાર્યો કરવા – આ તમામ કાર્યોમાં તેમની ઊંડી રૂચિ રહી છે. તેઓ ગુજરાત પ્રવાસે આવે ત્યારે ગામડાઓમાં તળાવોના ખાતમુહૂર્ત, પ્લાનિંગ અને લોકાર્પણમાં જાતે સમય ફાળવે છે. તેમનો મુખ્ય ઉદ્દેશ્ય માત્ર લોકાર્પણ પૂરતો નહીં, પરંતુ છેવાડાના ગામડાઓ સુધી પાણી બચાવવાનો સંદેશ પહોંચાડવાનો રહ્યો છે.

    ઉલ્લેખનીય છે કે, આ પ્રસંગે કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહના સૂચનને પગલે હેતની હવેલી પરિસર જાહેર જનતા માટે દર રવિવારે ખુલ્લું મૂકવાના નિર્ણયને સવજીભાઈ ધોળકિયાએ આવકાર્યો હતો. ગુજરાત ગૌરવ સરોવર લગભગ ૮૦,૦૦૦ ચોરસ ફૂટ વિસ્તારમાં અંદાજે રૂ. ૪ કરોડના ખર્ચે પૂર્ણ કરવામાં આવ્યું છે. હાલ સરોવરમાં આશરે ૨૩ કરોડ લિટર પાણીનો સંગ્રહ થયો છે. ચાલુ ચોમાસા દરમિયાન સારો વરસાદ થતાં સરોવરમાં વિપુલ પ્રમાણમાં પાણીની આવક થઈ છે. ધોળકિયા ફાઉન્ડેશન દ્વારા ગાગડિયો નદી સહિતના વિસ્તારોમાં જળસંચયને પ્રોત્સાહન આપવા અનેક સરોવરોનું નિર્માણ કરવામાં આવ્યું છે.

    Amreli NEWS
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Previous ArticleJamnagar: ફલ્લા પાસેથી ૨.૯ કિલો ગાંજા સાથે એક શખ્સ ઝડપાયો,રૂ. ૧.૫૦ લાખનો મુદ્દામાલ કબજે
    Next Article Ahmedabad: જીએસઆરટીસીનો નવો કીર્તિમાનઃ એક જ દિવસમાં ૮૮ હજારથી વધુ ટિકિટના બુકિંગ સાથે નવો ઇતિહાસ રચાયો
    Vikram Raval
    • Website

    Related Posts

    અમરેલી

    Amreli જિલ્લામાં યમરાજાએ પડાવ નાંખ્યોઃબે મહિલા સહીત અપમૃત્યુના ૬ બનાવ

    August 26, 2026
    અમરેલી

    Amreli જિલ્લામાં અલગ-અલગ બે બનાવમાં બે યુવકોના મોત

    August 25, 2026
    અમરેલી

    Amreli: માનવ ઉપર સિંહના હુમલાનું મુખ્ય કારણ શું? અભ્યાસમાં સામે આવ્યા ચોંકાવનારા તારણો

    August 24, 2026
    અમરેલી

    Bhavnagar લઠ્ઠાકાંડના પડઘા અમરેલીમાં પડ્યાઃ આમ આદમી પાર્ટીનો વિરોધ

    August 22, 2026
    અમરેલી

    Amreli: ગુજરાત ગૌરવ સરોવરનું દેશના ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહના હસ્તે લોકાર્પણ

    August 22, 2026
    અમરેલી

    Amreli: જાફરાબાદ નજીક જુગારધામ પર SMCનો દરોડો, 15 શખ્સો જૂગટુ ખેલતા ઝડપાયા

    August 19, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    સોના-ચાંદીના ભાવ (Gold & Silver Rates)

    સોનું 24 કેરેટ (Gold 24K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹162,550
    સોનું 22 કેરેટ (Gold 22K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹149,010
    ચાંદી (Silver) પ્રતિ 1 કિલોગ્રામ / per 1kg
    ₹244,970
    લાઈવ રેટ્સ • અપડેટ: 28-08-2026 02:12
    Categories
    Latest News

    Vadodara : હરસ-મસાનું ઓપરેશન કરતો નકલી ડોક્ટર ઝડપાયો

    August 27, 2026

    Vav-Tharad, : ભારતમાલા ચેકપોસ્ટ પરથી રૂ. ૨૭ લાખનો વિદેશી દારૂ ઝડપાયો

    August 27, 2026

    Ahmedabad : કૈલાશ યાત્રાએ ગયેલા અમદાવાદના ભાવિન રાવલ નેપાળમાં ગુમ

    August 27, 2026

    Vadodara: સાવલીના રાણીપુરામાં રૂ. ૪ કરોડનું મનરેગા કૌભાંડ

    August 27, 2026

    Surat અડાજણમાં એરટેલના ખોદકામથી ડ્રેનેજ લાઈન તૂટતાં ગંદુ પાણી વરસાદી લાઈનમાં ભળ્યું

    August 27, 2026

    Surat માં કચરાનું રાજકારણ મેયરના ઘર સુધી પહોંચ્યું

    August 27, 2026
    Search
    Main News

    Amit Shah ગૂજરાત વિદ્યાપીઠના ૭૨માં પદવીદાન સમારોહમાં હાજરી આપી

    August 27, 2026

    ચીનનું એલર્ટ: ખતરો હજુ ટળ્યો નથી, આગામી ૩ દિવસ Nepal માટે ભારે

    August 27, 2026

    રમતગમત આપણને ફક્ત ચેમ્પિયન બનવાનું જ નહીં પણ વધુ સારા સ્પર્ધક બનવાનું પણ શીખવે છે,PM Modi

    August 27, 2026

    Shankaracharya અવિમુક્તેશ્વરાનંદે રાહુલ ગાંધીને માફી માંગવા અથવા બહિષ્કારનો સામનો કરવા ચેતવણી આપી

    August 27, 2026

    Omar Abdullah મંત્રીમંડળના વિસ્તરણ અંગે ઉમર અબ્દુલ્લા મંત્રીમંડળમાં ચર્ચા, કોંગ્રેસને ફરીથી સોદો ઓફર

    August 27, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Vadodara : હરસ-મસાનું ઓપરેશન કરતો નકલી ડોક્ટર ઝડપાયો

    August 27, 2026

    Vav-Tharad, : ભારતમાલા ચેકપોસ્ટ પરથી રૂ. ૨૭ લાખનો વિદેશી દારૂ ઝડપાયો

    August 27, 2026

    Ahmedabad : કૈલાશ યાત્રાએ ગયેલા અમદાવાદના ભાવિન રાવલ નેપાળમાં ગુમ

    August 27, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@gmail.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.