Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Rajkot: રેલનગરમાંથી યુવાનનો મૃતદેહ મળ્યો, હત્યાની આશંકા

    September 15, 2026

    Rajkot: ૪.૭૫ લાખનો ચેક બાઉન્સ કેસમાં મિત્રને ૧ વર્ષની જેલ

    September 15, 2026

    Rajkotના ઈશ્વરીયા ગામે જમવામાં ઝેરી પદાર્થ આવી જતા ૫ વર્ષની બાળકીનું મોત

    September 15, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Rajkot: રેલનગરમાંથી યુવાનનો મૃતદેહ મળ્યો, હત્યાની આશંકા
    • Rajkot: ૪.૭૫ લાખનો ચેક બાઉન્સ કેસમાં મિત્રને ૧ વર્ષની જેલ
    • Rajkotના ઈશ્વરીયા ગામે જમવામાં ઝેરી પદાર્થ આવી જતા ૫ વર્ષની બાળકીનું મોત
    • Amreli જિલ્લામાં છેલ્લા ચોવીસ કલાક દરમિયાન ચાર અપમૃત્યુ
    • Rajkot જિલ્લામાં સેવા, સમર્પણ અને વિકાસના સમન્વય સાથે ૧૭ સપ્ટે.થી તા. ૧૭ ઓક્ટો. સુધી સેવા સંકલ્પ અભિયાન યોજાશે
    • Amreli જિલ્લામાં ૧૧૨ ઈમરજન્સી સેવા બની રહી છે લોકોની મદદની આશા
    • Surendranagar: તરણેતરના ભાતીગળ મેળામાં ગ્રામીણ ઓલિમ્પિકનો ધમધમાટ, બીજા દિવસે રાજ્યભરમાંથી ઉમટી પડ્યા ખેલાડીઓ
    • ભગવાન શ્રી Ganeshના આઠ અવતારોની ધાર્મિક અને આધ્યાત્મિક પૃષ્ઠભૂમિ
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Wednesday, September 16
    • મુખ્ય સમાચાર
    • રાષ્ટ્રીય
      • અન્ય રાજ્યો
    • ગુજરાત
      • અમદાવાદ
      • વડોદરા
      • સુરત
    • સૌરાષ્ટ્ર
      • જામનગર
      • મોરબી
      • જૂનાગઢ
      • રાજકોટ
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • લેખ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»સૌરાષ્ટ્ર»અમરેલી»Amreli જિલ્લાના દુધાળા નજીક ગાગડિયો નદી પર નિર્મિત ‘‘ગુજરાત ગૌરવ સરોવર‘‘નું કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના હસ્તે લોકાર્પણ
    અમરેલી

    Amreli જિલ્લાના દુધાળા નજીક ગાગડિયો નદી પર નિર્મિત ‘‘ગુજરાત ગૌરવ સરોવર‘‘નું કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના હસ્તે લોકાર્પણ

    Vikram RavalBy Vikram RavalAugust 27, 2026Updated:September 4, 2026No Comments4 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    વડાપ્રધાન મોદીની દૂરંદેશી દ્રષ્ટિ અને નક્કર આયોજનના કારણે ગુજરાતમાં જળસંચય ક્ષેત્રે દુષ્કાળ હવે ભૂતકાળ બન્યો :શાહ

    (મિલાપ રૂપારેલ દ્વારા)

    Amreli તા.૨૭

    Amreli જિલ્લાના લાઠી તાલુકાના દુધાળા ગામ નજીક ગાગડિયો નદી પર ધોળકિયા ફાઉન્ડેશન દ્વારા નિર્મિત ગુજરાત ગૌરવ સરોવરનું આજરોજ કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહના હસ્તે લોકાર્પણ કરી તક્તી અનાવરણ કરવામાં આવ્યું હતું.

    આ પ્રસંગે ઉદ્દબોધન કરતાં કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહે જણાવ્યું હતું કે, અમરેલી પંથકમાં ધોળકિયા ફાઉન્ડેશન દ્વારા જળસંચય ક્ષેત્રે અદ્દભુત કામગીરી કરવામાં આવી છે. સંસ્થાપક શ્રી સવજીભાઈએ નદીઓને પુનઃજીવિત અને તળાવો ઊંડા કરવા માટે લીધેલા ભગીરથ સંકલ્પ હેઠળ આજે ‘‘ગુજરાત ગૌરવ સરોવર‘‘નું લોકાર્પણ કરીને માત્ર મારું મન આનંદિત નથી થયું પરંતુ આત્માને અદ્દભુત શાંતિ મળે તેવું પુણ્યનું કામ કર્યું છે. સવજીભાઈએ પરિવારને સાથે લઈને જળ સંરક્ષણ ક્ષેત્રે કરેલી નોંધપાત્ર કામગીરીને કારણે આ પંથકના લોકોનું જીવન પાણીદાર બન્યું છે.

    કેન્દ્રીય ગૃહમંત્રીએ વવધુમાં જણાવ્યું હતું કે,વરસાદી પાણીને યોગ્ય વ્યવસ્થા સાથે સંરક્ષિત કરવા માટે નાગરિકોને પ્રેરણા પૂરી પાડતાં જણાવ્યું હતું કે, ભવિષ્યના આયોજન સાથે વરસાદના ટીપે ટીપાંને જમીનમાં ઉતારવામાં આવે ત્યારે ઊંડા કરેલા તળાવનું મહત્વ ખૂબ વધી જાય અને દુષ્કાળની સમસ્યાનો સામનો કરવો પડતો નથી. તેમણે ઉમેર્યું હતું કે, મને યાદ છે કે, ગુજરાતમાં વર્ષ ૧૯૮૫ થી ૧૯૮૭ સળંગ ત્રણ વર્ષ ભારે દુષ્કાળ પડ્યો હતો. જમીનના તળ સાવ સુકાઈ ગયાની સ્થિતિ સર્જાઈ હતી, પરંતુ જ્યારે વર્ષ ૨૦૦૧માં શ્રી નરેન્દ્રભાઈ મોદી ગુજરાતના મુખ્યમંત્રી બન્યા ત્યારે આખું સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાત પાણીથી તરબોળ થઈ ગયું અને દુષ્કાળ હવે ભુતકાળ બન્યો.

    વધુમાં તેમણે ઉમેર્યું હતું કે, તત્કાલિન મુખ્યમંત્રી અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીની દૂરંદેશીના કારણે ગુજરાતમાં વર્ષ ૨૦૦૩માં એક જ વર્ષમાં દોઢ લાખ ચેકડેમોનું નિર્માણ કરવામાં આવ્યું હતું. વર્ષ ૧૯૬૪માં ‘‘નર્મદા યોજના‘‘નું ભૂમિ પૂજન થયું હતું, જેના દરવાજા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈના હસ્તે ખોલવામાં આવ્યા હતા. ‘‘સૌની યોજના‘‘ થકી વરસાદના વધારાના પાણીનો સંગ્રહ કરીને આજે સમગ્ર સૌરાષ્ટ્ર – કચ્છ અને ખાવડા સુધી નર્મદાનું પાણી પહોંચ્યું છે. ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના દસ હજાર સરોવર નર્મદાથી ભરવામાં આવ્યા છે. આજદિન સુધી એકપણ સરકારે જળશક્તિ મંત્રાલયની રચના નથી કરી પરંતુ આપણા વડાપ્રધાનશ્રીએ જળશક્તિ મંત્રાલયની સ્થાપના કરીને દેશભરમાં જનભાગીદારીથી તળાવો ઊંડા કરાવી સિંચાઈની ક્ષમતા ૧૬૦ ટકા વધારીને જનકલ્યાણ હેતુ નકકર કામ કર્યું છે.

    આ પ્રસંગે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે, સર્વપ્રથમ હું ધોળકિયા ફાઉન્ડેશનને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું. આ વિસ્તારની વર્ષો જૂની નદીઓ, જે સમય જતાં સુકાઈ ગઈ હતી અને માટીનું રણ બની ગઈ હતી, તેમને પુનર્જીવિત કરવાનું ભગીરથ કાર્ય સવજીભાઈ, તેમના પરિવારે અને ફાઉન્ડેશને પોતાના હાથમાં લીધું છે. આ કોઈ નાનો પડકાર નહોતો. ભરબપોરે, કાળઝાળ ગરમીમાં અને સૌરાષ્ટ્રના આકરા ઉનાળામાં કલાકો સુધી જે.સી.બી મશીનો પાસે ઊભા રહીને કાર્યકર્તાઓ સાથે ખભેખભા મિલાવીને કામ કર્યું, જેના પરિણામે આજે પાંચમું સરોવર પુનર્જીવિત કરવામાં સફળતા મળી છે. તેમણે ઉમેર્યું કે, સરોવર બની ગયા પછી જોવું સૌને ગમે, પરંતુ તે બનાવવા પાછળ માત્ર રૂપિયા ખર્ચીને નહીં કે, સરકારી વ્યવસ્થાના સહારે જ નહીં, પરંતુ પોતાનો અને પરિવારનો કિંમતી સમય આપીને આ સિદ્ધિ મેળવી છે. સમગ્ર ગુજરાતમાં ૨૦૮ જેટલા સરોવરોને આ જ રીતે પુનર્જીવિત કરવાનું જે અદ્દભૂત કાર્ય થયું છે, તે ખરેખર વંદનીય છે.

    તેમણે વધુમાં જણાવ્યું હતું કે, ’આપણે સૌએ ગૃહ મંત્રી અમિત શાહને એક મજબૂત નેતા તરીકે જોયા છે. પરંતુ તેમના હૃદયમાં જળસંચય, પર્યાવરણ અને સમાજ ઉત્થાન માટે જે ભાવ છે તેનાથી કદાચ ઘણા લોકો અજાણ હશે. વૃક્ષારોપણ કરીને ધરતીને લીલીછમ બનાવવી, ગામડે ગામડે લાઈબ્રેરીઓ ઊભી કરી નાના પરિવારના બાળકો શિક્ષણમાં આગળ વધે તેવા કાર્યો કરવા – આ તમામ કાર્યોમાં તેમની ઊંડી રૂચિ રહી છે. તેઓ ગુજરાત પ્રવાસે આવે ત્યારે ગામડાઓમાં તળાવોના ખાતમુહૂર્ત, પ્લાનિંગ અને લોકાર્પણમાં જાતે સમય ફાળવે છે. તેમનો મુખ્ય ઉદ્દેશ્ય માત્ર લોકાર્પણ પૂરતો નહીં, પરંતુ છેવાડાના ગામડાઓ સુધી પાણી બચાવવાનો સંદેશ પહોંચાડવાનો રહ્યો છે.

    ઉલ્લેખનીય છે કે, આ પ્રસંગે કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહના સૂચનને પગલે હેતની હવેલી પરિસર જાહેર જનતા માટે દર રવિવારે ખુલ્લું મૂકવાના નિર્ણયને સવજીભાઈ ધોળકિયાએ આવકાર્યો હતો. ગુજરાત ગૌરવ સરોવર લગભગ ૮૦,૦૦૦ ચોરસ ફૂટ વિસ્તારમાં અંદાજે રૂ. ૪ કરોડના ખર્ચે પૂર્ણ કરવામાં આવ્યું છે. હાલ સરોવરમાં આશરે ૨૩ કરોડ લિટર પાણીનો સંગ્રહ થયો છે. ચાલુ ચોમાસા દરમિયાન સારો વરસાદ થતાં સરોવરમાં વિપુલ પ્રમાણમાં પાણીની આવક થઈ છે. ધોળકિયા ફાઉન્ડેશન દ્વારા ગાગડિયો નદી સહિતના વિસ્તારોમાં જળસંચયને પ્રોત્સાહન આપવા અનેક સરોવરોનું નિર્માણ કરવામાં આવ્યું છે.

    Amreli NEWS
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Previous ArticleJamnagar: ફલ્લા પાસેથી ૨.૯ કિલો ગાંજા સાથે એક શખ્સ ઝડપાયો,રૂ. ૧.૫૦ લાખનો મુદ્દામાલ કબજે
    Next Article Ahmedabad: જીએસઆરટીસીનો નવો કીર્તિમાનઃ એક જ દિવસમાં ૮૮ હજારથી વધુ ટિકિટના બુકિંગ સાથે નવો ઇતિહાસ રચાયો
    Vikram Raval
    • Website

    Related Posts

    અમરેલી

    Amreli જિલ્લામાં છેલ્લા ચોવીસ કલાક દરમિયાન ચાર અપમૃત્યુ

    September 15, 2026
    અમરેલી

    Amreli જિલ્લામાં ૧૧૨ ઈમરજન્સી સેવા બની રહી છે લોકોની મદદની આશા

    September 15, 2026
    અમરેલી

    Amreli-રાજુલા પાણી-પાણી, બજારોમાં નદી વહી !

    September 14, 2026
    અમરેલી

    રાજ્ય કક્ષાની હોકી સ્પર્ધામાં રજત પદક મેળવી ગજેરા કેમ્પસ-વિદ્યાસભાના ખેલાડીઓએ Amreliનું નામ રોશન કર્યું

    September 14, 2026
    અમરેલી

    રસ્તાઓ માટે સલામત અવરજવર માટે Amreli જિલ્લામાં હાઈવે પર અનધિકૃત દબાણો દૂર કરાયા

    September 11, 2026
    અમરેલી

    Amreli: લીલીયાના સલડી ગામે ૧૦ ટનની પરમિટ સામે આશરે ૧૨ ટન રેતી ભરેલો ટ્રક ઝડપાયો

    September 11, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    સોના-ચાંદીના ભાવ (Gold & Silver Rates)

    સોનું 24 કેરેટ (Gold 24K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹154,370
    સોનું 22 કેરેટ (Gold 22K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹141,500
    ચાંદી (Silver) પ્રતિ 1 કિલોગ્રામ / per 1kg
    ₹229,450
    લાઈવ રેટ્સ • અપડેટ: 16-09-2026 18:41
    Categories
    Latest News

    Rajkot: રેલનગરમાંથી યુવાનનો મૃતદેહ મળ્યો, હત્યાની આશંકા

    September 15, 2026

    Rajkot: ૪.૭૫ લાખનો ચેક બાઉન્સ કેસમાં મિત્રને ૧ વર્ષની જેલ

    September 15, 2026

    Rajkotના ઈશ્વરીયા ગામે જમવામાં ઝેરી પદાર્થ આવી જતા ૫ વર્ષની બાળકીનું મોત

    September 15, 2026

    Amreli જિલ્લામાં છેલ્લા ચોવીસ કલાક દરમિયાન ચાર અપમૃત્યુ

    September 15, 2026

    Rajkot જિલ્લામાં સેવા, સમર્પણ અને વિકાસના સમન્વય સાથે ૧૭ સપ્ટે.થી તા. ૧૭ ઓક્ટો. સુધી સેવા સંકલ્પ અભિયાન યોજાશે

    September 15, 2026

    Amreli જિલ્લામાં ૧૧૨ ઈમરજન્સી સેવા બની રહી છે લોકોની મદદની આશા

    September 15, 2026
    Search
    Main News

    Masood Azhar ક્યાં છે પાકિસ્તાન જાણે છે: ભારતનો આકરો પ્રહાર

    September 15, 2026

    Rajkot: ’સોમનાથથી વડનગર બાઇક યાત્રા’, બાઈક યાત્રાને ઠેર-ઠેર આવકારી કળશમાં જળ અર્પણ કરતા ગ્રામજનો અને શહેરીજનો

    September 14, 2026

    National Stock Exchange of India લિમિટેડનું ભરણું ૧૭ સપ્ટેમ્બરના રોજ ખૂલશે

    September 14, 2026

    Nepal Floods પછી બધું સમારકામ કરવા માટે ૭,૨૩,૩૧૫.૨ મિલિયનની જરૂર પડશે

    September 11, 2026

    Delhi High Courtએ વર્લ્ડ ચેમ્પિયનશિપ ટ્રાયલ્સમાં વિનેશ ફોગાટને ભાગ લેવાની પરવાનગી નકારી

    September 11, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Rajkot: રેલનગરમાંથી યુવાનનો મૃતદેહ મળ્યો, હત્યાની આશંકા

    September 15, 2026

    Rajkot: ૪.૭૫ લાખનો ચેક બાઉન્સ કેસમાં મિત્રને ૧ વર્ષની જેલ

    September 15, 2026

    Rajkotના ઈશ્વરીયા ગામે જમવામાં ઝેરી પદાર્થ આવી જતા ૫ વર્ષની બાળકીનું મોત

    September 15, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@gmail.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.