Rajkot તા.૨૩
રેલવે વહીવટીતંત્ર દ્વારા લેવાયેલા નિર્ણય મુજબ ટ્રેન નંબર ૨૬૯૦૧/૨૬૯૦૨ સાબરમતીવેરાવળ Vande Bharat Express નું સંચાલન હવે બદલાયેલા રૂટ પર કરવામાં આવશે.
રાજકોટ ડિવિઝનના સીનિયર ડિવિઝનલ કોમર્શિયલ મેનેજર શ્રી સુનીલ કુમાર મીનાએ જણાવ્યું હતું કે, બદલાયેલા રૂટ પર વંદે ભારત એક્સપ્રેસ વેરાવળથી સાબરમતી અને સાબરમતીથી વેરાવળ વચ્ચે બંને દિશામાં જૂનાગઢ, ઢસા, ધોળા, બોટાદ, ધંધૂકા, ધોળકા અને ગાંધીગ્રામ સ્ટેશનો પર ઊભી રહેશે.
હાલમાં આ ટ્રેન વેરાવળ, જૂનાગઢ, રાજકોટ, વાંકાનેર, સુરેન્દ્રનગર જંકશન, વિરમગામ જંકશન અને સાબરમતી સ્ટેશનો પરથી ચલાવવામાં આવે છે.
રૂટમાં ફેરફાર થયા પછી આ ટ્રેન વેરાવળથી હાલના નિર્ધારિત સમય બપોરે ૧૪.૪૫ વાગ્યાના બદલે ૧૫.૫૦ વાગ્યે ઉપડશે અને ૨૧.૩૫ વાગ્યાના બદલે ૨૨.૨૫ વાગ્યે સાબરમતી પહોંચશે. એ જ રીતે પરત મુસાફરીમાં, આ ટ્રેન સાબરમતીથી હાલના નિર્ધારિત સમય સવારે ૦૫.૨૫ વાગ્યાના બદલે ૦૬.૦૦ વાગ્યે ઉપડશે અને ૧૨.૨૫ વાગ્યાના બદલે ૧૨.૫૦ વાગ્યે વેરાવળ પહોંચશે.

