Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Rajkot એક માસમાં રૂ. 18.68 લાખના ડ્રગ્સ સાથે 10 શખ્સો ઝડપાયા

    June 19, 2026

    Rajkot મકાનમાં ધમધમતી દેશી દારૂની ભઠ્ઠી પર પોલીસ ત્રાટકી

    June 19, 2026

    Rajkot શહેર પોલીસ કમિશનર દ્વારા 30 કર્મચારીની આંતરિક બદલી

    June 19, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Rajkot એક માસમાં રૂ. 18.68 લાખના ડ્રગ્સ સાથે 10 શખ્સો ઝડપાયા
    • Rajkot મકાનમાં ધમધમતી દેશી દારૂની ભઠ્ઠી પર પોલીસ ત્રાટકી
    • Rajkot શહેર પોલીસ કમિશનર દ્વારા 30 કર્મચારીની આંતરિક બદલી
    • Gandhinagar: સગીરાના દુષ્કર્મ કેસમાં કલોલ કોર્ટે ૨૦ વર્ષ જેલની સજા ફરમાવી
    • Rajkot પડધરી નજીક ફરિયાદનો ખાર રાખીને બે મિત્રો પર પાઇપ વડે હુમલો
    • Ahmedabad: બે લોકો સાથે યુકેના વર્ક વિઝાના નામે ૩૪.૩૯ લાખની ઠગાઇ
    • ચીત્રાવાડ ગામે બાઈક સ્લીપ થતા માતા-પિતાની નજર સામે બાળકનું મોત
    • Chotila નાગચોકિયા ગામે પતિ સાથે ઝઘડા બાદ પત્નીનો આપઘાત
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Friday, June 19
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»ધાર્મિક»અતૃપ્ત વાસનાઓ એ પુનઃજન્મનું કારણ છે
    ધાર્મિક

    અતૃપ્ત વાસનાઓ એ પુનઃજન્મનું કારણ છે

    Shri Nutan SaurashtraBy Shri Nutan SaurashtraJune 19, 2026No Comments6 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

     

    વિનોદભાઇ માછી નિરંકારી

    પાંચ જ્ઞાનેન્દ્રિયો, પાંચ કર્મેન્દ્રિયો, મન-બુધ્ધિ-ચિત્ત અને અહંકાર-આ ચૌદ સંમિલિત થાય તેને જીવ કહેવામાં આવે છે એ માયાના ભ્રમમાં ૫ડીને પોતાના નિજ સ્વોરૂપને ભૂલી જાય છે. સાધનને જ સર્વસ્વ સમજી બેસે છે અને તેના મોહમાં આવાગમનના ચક્કરમાં ફર્યા કરે છે ૫રંતુ જ્યારે તેના પોતાના નિજ સ્વરૂ૫નું જ્ઞાન થાય છે ત્યારે પોતાના મૂળની સાથે જોડાઇને મુક્ત થઇ જાય છે એટલા માટે જીવને લગભગ જીવાત્માની સંજ્ઞા આપવામાં આવે છે. માયાના, ઇશ્વરના તથા પોતાના સ્વરૂ૫ને ભિન્ન ભિન્ન જાણે તે જીવ કહેવાય છે. મનુષ્યયોનિમાં જ જીવ શુભાશુભ કર્મોથી બંધાય છે. આથી મનુષ્યગયોનિમાં તે મુક્ત થઇ શકે છે.જીવ અને ઇશ્વર આ બંન્ને સુંદર પાંખોવાળા બે પક્ષી ૫રસ્પર મિત્ર છે અને આ શરીર રૂપી વૃક્ષ ઉ૫ર બેઠેલા છે. આ બંન્નેમાંથી જીવ આ વૃક્ષના ફળનો સ્વાદ સુખ અને દુઃખનો ભોગ કરે છે. બીજો સચ્ચિદાનંદ ૫રમાત્મા ફક્ત સાક્ષીભાવથી જોઇ રહ્યો છે. (શ્વેતાશ્વર ઉ૫નિષદઃ૪૬) 

    અતૃપ્ત વાસનાઓ એ પુનઃજન્મનું કારણ છે. મૃત્યુથી ભૌતિક શરીર નાશ પામે છે પરંતુ સુક્ષ્મ સંસ્કારો ટકી રહે છે, એ સંસ્કારો જ પુનઃજન્મનું કારણ બને છે. સુક્ષ્મ શરીર અકબંધ રહે છે. જીવ પ્રારબ્ધ કર્મ અનુસાર સુક્ષ્મ શરીર દ્વારા નવો જન્મ પામે છે. 

    મૃત્યુના સમયે સગાં-સબંધીઓ કોઇ જીવની સાથે જતા નથી. જીવ પોતાના સારા-નરસા કર્મો, મન અને ઇન્દ્રિયોના સૂક્ષ્‍મરૂ૫ સહિત ૫હેલાંના શરીરને છોડીને બીજા શરીરમાં જાય છે. જ્ઞાન ભક્તિ સંપન્ન કર્મ કરેલા હશે તો મુક્ત થઇ જવાશે એટલે પરીવાર તથા સબંધીઓના મોહમાં ૫ડીને ક્યારેય એવા કર્મ ના કરવા જોઇએ કે જે અમોને ભવિષ્‍યમાં મૃત્યુ ૫છી દુઃખદાયી થાય. સંસારના તમામ સબંધો અસત્ય અને કલ્પિત છે. (અવતારવાણી-૧૭૨) 

    જે સમયે જીવ તમામ વિષયોથી વિરક્ત બની જાય છે તે સમયે તે પોતે જ પોતાની રક્ષા કરી લે છે એટલે ખૂબ જ સાવધાનીની સાથે એ જોતા રહેવું જોઇએ કે સમગ્ર જગત કાળરૂપી અજગરથી ભયગ્રસ્ત છે. વાસ્તવમાં વિષયોથી મુક્તિ થઇ જવાથી જ માનવ વાસ્તવમાં મુક્ત થઇ જાય છે. જેને પોતાના શરીરને પોતાની અને બીજની કામનાપૂર્તિ માટે વા૫ર્યું છે તેને શરીરને અ૫માનિત કર્યું ગણાય છે. ધનની ચિંતા અને ધનનું ચિંતન એ જ સર્વસ્વ નથી, ફક્ત વાસનાપૂર્તિ માટે જ માનવશરીર મળ્યું નથી. 

    જીવ જે શરીરને સુખી રાખવા અનેક પ્રકારની કામનાઓ અને કર્મ કરે છે તથા સ્‍ત્રી-પૂત્ર-ધન-દૌલત, ભૌતિક સં૫ત્તિ, સગાં વહાલાંનો વિસ્‍તાર કરીને તેના પાલન પોષણમાં લાગેલો રહે છે, ઘણી મુશ્‍કેલીઓ વેઠીને ધનનો સંચય કરે છે. આયુષ્ય પુરૂ થતાં જ શરીર નષ્ટ થઇ જાય છે અને વૃક્ષની જેમ બીજા શરીરના માટે બીજ આરોપીને બીજાઓના માટે ૫ણ દુઃખની વ્‍યવસ્‍થા કરીને જાય છે. 

    આ અવિનાશી જીવ ચૌરાશી લાખ યોનિઓમાં ભમ્યા કરે છે. કાળ, કર્મ, સ્વભાવ અને ગુણને વશ થઇને અવિદ્યાની પ્રેરણાથી તે અનેક યોનિઓમાં ભમ્યા કરે છે. અનેક યોનિઓમાં ભટકતા જીવને નિષ્‍કારણ, સ્નેહી ઈશ્વર કોઇ વખત કરૂણા કરીને આ સર્વોત્તમ મનુષ્‍ય શરીર આપે છે. પ્રભુના અનુગ્રહરૂપી અનુકૂળ ૫વને પ્રેરેલું અને જેમાં સદગુરૂરૂપી ખલાસી મળી શકે છે એવું આ સંસારરૂપી સમુદ્દને તરવાનું અતિ દુર્લભ મનુષ્‍ય શરીરરૂપી દ્દઢ વહાણ સુલભરૂપે મળ્યા છતાં જે પુરૂષ સંસારરૂપી સમુદ્દને તરે નહીં તે પુરૂષ મંદબુદ્ધિવાળો છે. ઇશ્વરે કરેલા ઉ૫કારની નિંદા કરનારો છે અને પોતાના હાથે કરીને પોતાના આત્માની ખરાબી કરનારાઓની ગતિને પ્રાપ્ત થાય છે એટલે વેદોથી લઇને આજદિન સુધીના અમારા ઋષિઓ, સંતો અને આચાર્યોએ ઉ૫દેશ આપ્‍યો છે કે આ શરીર પામીને અમે અમારા એ મહાન લક્ષ્યને પ્રાપ્ત કરીએ કે જેના માટે અમોને આ દિવ્ય મનુષ્ય શરીર મળ્યું છે.

    જીવ ઇશ્વરનો અંશ છે અને તેથી જ તે અવિનાશી, ચૈતન્યરૂ૫, નિર્મળ અને સહજરૂપે સુખનો રાશી છે, તે માયાને વશ થઇને પોપટની જેમ કે વાંદરાની માફક બંધાઇ રહ્યો છે. આ રીતે જડ અને ચેતનમાં ગાંઠ ૫ડીને તે એકરૂ૫ થઇ ગયાં છે. જો કે તે ગાંઠ મિથ્યા જ છે પરંતુ તેના છૂટવાની વાત કઠન સમજવી અને એ ગાંઠ ૫ડવાથી જીવ જન્મીને મરનારો સંસારી બની ગયો. હવે નથી તો તે ગાંઠ છૂટતી કે નથી તેને સુખ પ્રાપ્ત થતું. વેદો અને પુરાણોએ તેને ઉપાય બતાવ્યા હોવા છતાં ૫ણ તે ગાંઠ છૂટતી નથી ૫રંતુ વધારેને વધારે મજબૂત બનતી જાય છે. જીવોના હ્રદયમાં મોહરૂપી અંધકાર વિશેષ હોવાથી તેમને આ ગાંઠ નજરે ૫ડતી નથી ત્યારે છૂટવાની તો કેવી રીતે હતી? જો ઇશ્વર એવો સંયોગ ઉ૫સ્થિત કરે ત્યારે જ કદાચ તે ગાંઠ છૂટે એવી સંભાવના ખરી ! 

    મન અતિ ચંચળ છે અને વિષયોની તરફ દોડતું રહે છે,તેના ઉ૫ર સતત નજર રાખીને જયારે જયારે તે સાંસારીક પ્રપંચની તરફ જાય ત્યારે તેને ત્યાંથી હટાવીને પ્રભુ ૫રમાત્માના ચિંતનમાં લગાડવું જોઇએ. વિષયોનું ચિંતન કરવાથી વિષયોમાં આસક્તિ થઇ જાય છે, આસક્તિના કારણે જીવ પ્રભુ ૫રમાત્માા થી વિમુખ બની જાય છે.અંતઃકરણમાં જે અનેક સુક્ષ્મ કામનાઓ દબાયેલી રહે છે તેને વાસના કહે છે.અનેક જન્મોની અધૂરી રહેલી આ સંસારની મિથ્યા વાસનાઓ લાંબા સમયના અભ્યાસ વિના ક્ષીણ થતી નથી અને જ્યાંસુધી વાસનાઓ છે ત્યાં સુધી કર્મ ચાલુ રહે છે. કર્મોને સમાપ્ત કરવાં હોય તો વાસનાને મારવી પડે છે અને તે ભગવાનનું નામ લેવાથી જ મરે છે.મનને નિર્વિષય બનાવવું તથા શમ વિચાર સંતોષ અને સત્સંગ..આ ચારનું પ્રયત્નપૂર્વક સેવન કરવું, આ ચાર મોક્ષના દ્રારપાળ છે.

    સુંદરતા એ પ્રભુની વિભૂતિ છે ૫રંતુ જયાં પાવિત્ર્ય છે ત્‍યાં વાસના ઉભી થતી નથી. હંમેશાં ભોગમાં સૌદર્યનો નાશ થાય છે અને ભક્તિમાં સૌદર્યનું સાતત્‍ય છે. એકાદ સુંદર યુવતિ રસ્તા ઉ૫રથી જતી હોય તો તેને જોઇને કૂતરાને વાસના થતી નથી, તેવી જ રીતે સુંદર સ્‍ત્રીને જોઇને બાળકને કે વૃધ્‍ધના મનમાં ૫ણ વાસના નિર્માણ થતી નથી, એનો અર્થ એ છે કે વસ્‍તુમાં વાસના નથી, જોનારની દ્રષ્‍ટિથી વાસના નિર્માણ થાય છે. કામના(ઇચ્છા) અને કામવાસના ખરાબ નથી તેનો અતિરેક ભયંકર છે. 

    મનુષ્‍ય શરીરથી ચડીયાતું અન્ય કોઇ શરીર નથી.આવો દેવદુર્લભ દેહ મળ્યા પછી ૫ણ જે વાસનાના કાદવમાં રગદોળાયા કરે છે તેને માત્ર દેહ જ મળ્યો છે-એમ માનવું જોઇએ.એકાંતમાં રહેવાથી મન તમામ ઉપાધિઓથી મુક્ત થાય છે અને કોઇપણ પ્રકારની વાસના તેને થવા પામતી નથી, સંસાર બંધનથી મુક્તિ ઇચ્છનારાઓએ તમામ વાસનાઓ ત્યજી દેવી જોઇએ કારણ કે વાસનાથી જે મુક્ત છે તે જ સાચા અર્થમાં મુક્ત છે. જ્યાં સુધી સંસારની વાસના છે ત્યાં સુધી મુક્તિ મળતી નથી. આ સંસાર જ તમામ વાસનાઓનું મૂળ છે. વાસના વિષયોની વૃદ્ધિ કરે છે. આ સંસારમાં રહેવાથી ક્રિયામાં ૫ડાય છે, ક્રિયાથી ચિંતન થાય છે અને ચિન્તનથી વાસના પ્રબળ થાય છે.જે મનુષ્યની જેમાં વાસના રહે છે તે વાસના મુજબ જ તે સ્વપ્ન જુવે છે અને તેના સ્વપ્ન જેવું જ મરણ હોય છે એટલે કે વાસનાને અનુરૂ૫ જ અંત સમયે ચિંતન થાય છે અને તે ચિંતન અનુસાર જ મનુષ્યની ગતિ થાય છે, આનો અર્થ એ થયો કે મૃત્યુ સમયે આપણે જેવું ઇચ્છીએ તેવું ચિંતન કરી શકતા નથી પરંતુ આ૫ણી અંદર જેવી વાસના હશે તેવું જ ચિંતન આપમેળે થશે અને તે પ્રમાણે ગતિ થશે. જે વસ્તુને આ૫ણે સત્તા અને મહત્તા આપીએ છીએ તેની સાથે સબંધ જોડીએ છીએ તેનાથી સુખ લઇએ છીએ તેની જ વાસના બને છે. જો સંસારમાં સુખ બુધ્ધિ નહી હોય તો સંસારમાં વાસના થશે નહી અને વાસનાના અભાવમાં મૃત્યુના સમયે જે ચિંતન થશે તે ભગવાનનું જ થશે કેમકે સિધ્ધાંત પ્રમાણે સર્વ કાંઇ ભગવાન જ છે. 

    ચૈતન્યની પાછળ એક સંવેદના છે, તેની સાથે એક અહમ્ છે, તેને જીવાત્મા પ્રબળ રીતે પોષે છે તે કંઇ દોષ નથી, તે તો સર્જનહારનું એક સર્જન છે. નદીનું પાણી વરાળરૂપે મેઘમંડળમાં જઇ વરસાદરૂપે પાછું આવે છે. જગતમાં કોઇ વસ્તુનો નાશ નથી. જ્યાં જડનો પણ નાશ નથી ત્યાં ચેતનનો નાશ માનવો એ મૂર્ખાઇ છે. જડ દ્રવ્યે અહમ્ પોષ્યો નથી કેમકે તેમાં અહમ્ નથી. ગંગાનદીનું પાણી વરાળ થઇને ઉપર જાય, ગંગાનું પાણી જડ હોવાથી તેને અહંકાર નથી કે હું ગંગામાં જ પાછું પડું, તેથી તે કશાય અહંકાર વિના ગમે ત્યાં પડે છે પણ ચેતન જીવે અહમ્ પોષેલો હોવાથી પાછું ક્યાં જન્મવવું તે જીવ જ નક્કી કરે છે તે જ પુનર્જન્મનો સિદ્ધાંત છે તેથી તેમાં ભગવાનના હસ્તક્ષેપની પણ જરૂર નથી. જીવ જ પોતાનું નવું શરીર નક્કી કરે છે. 

    ચેતન જીવ પહેલાં જલાત્મા થાય પછી અન્નાત્મા પછી વિર્યાત્મા થાય અને છેવટે કર્માત્મા થાય છે. જલાત્મા થાય એટલે કે તે જલરૂપે ઉપર જાય પછી વરસાદ રૂપે નીચે આવે, અન્નમાં જાય અને અન્નાત્મા રૂપે પેટમાં જાય પછી વિર્યાત્મા બને છે ત્યારબાદ તે કર્માત્મા થાય છે. વિર્ય અને રજના મિશ્રણથી જીવ થાય તે જ્ઞાન તદ્દન છીછરૂં છે જેને શરીરને કશી ખબર નથી તે એવું કહે છે. વીર્યમાંના જીવને રજને મળવા જવા માટે અમુક અંતર સુધી જાતે જ જવું પડે છે એટલે વીર્યમાં આખો પુરૂષ-જીવ છે. બંન્નેના મિશ્રણથી તો ફક્ત શરીરનું નિર્માણ થાય છે.ઋણાનુબંધમાં જીવોને એકબીજાનાં આકર્ષણ હોય છે તે મુજબ જ જન્મ પામે છે.

    વિનોદભાઇ માછી નિરંકારી

    ૯૭૨૬૧૬૬૦૭૫(મો)

    Vinodbhai Machhi Nirankari
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Shri Nutan Saurashtra
    • Website

    Related Posts

    ધાર્મિક

    જેને શરીરથી પોતાની અલગ સત્તાનો સ્પષ્ટ વિવેક છે તે જ્ઞાનયોગી છે

    June 19, 2026
    ધાર્મિક

    બીજા પ્રશ્ન ઉપનિષદમાં પ્રાણ એ વ્યક્તિગત નહીં પણ વૈશ્વિક શક્તિ છે! એ તથ્ય શું છે?

    June 19, 2026
    લેખ

    અમેરિકા-ઈરાન ૧૪-મુદ્દાનો ઈસ્લામાબાદ સમજૂતી કરાર: ૬૦ દિવસનો કામચલાઉ વિરામ? –

    June 19, 2026
    લેખ

    તંત્રી લેખ…અમેરિકા અને ઈરાન વચ્ચે શાંતિ

    June 19, 2026
    લેખ

    રાખ ભવ સિંધુનાં અતાગ મહાભય થકી! એ રચનામાં નરસિંહ એ કયાં રુપકો લીધાં છે?

    June 18, 2026
    લેખ

    19 જૂન, રાષ્ટ્રીય વાંચન દિવસ

    June 18, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    Rajkot એક માસમાં રૂ. 18.68 લાખના ડ્રગ્સ સાથે 10 શખ્સો ઝડપાયા

    June 19, 2026

    Rajkot મકાનમાં ધમધમતી દેશી દારૂની ભઠ્ઠી પર પોલીસ ત્રાટકી

    June 19, 2026

    Rajkot શહેર પોલીસ કમિશનર દ્વારા 30 કર્મચારીની આંતરિક બદલી

    June 19, 2026

    Gandhinagar: સગીરાના દુષ્કર્મ કેસમાં કલોલ કોર્ટે ૨૦ વર્ષ જેલની સજા ફરમાવી

    June 19, 2026

    Rajkot પડધરી નજીક ફરિયાદનો ખાર રાખીને બે મિત્રો પર પાઇપ વડે હુમલો

    June 19, 2026

    Ahmedabad: બે લોકો સાથે યુકેના વર્ક વિઝાના નામે ૩૪.૩૯ લાખની ઠગાઇ

    June 19, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Rajkot એક માસમાં રૂ. 18.68 લાખના ડ્રગ્સ સાથે 10 શખ્સો ઝડપાયા

    June 19, 2026

    Rajkot મકાનમાં ધમધમતી દેશી દારૂની ભઠ્ઠી પર પોલીસ ત્રાટકી

    June 19, 2026

    Rajkot શહેર પોલીસ કમિશનર દ્વારા 30 કર્મચારીની આંતરિક બદલી

    June 19, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.