Jamnagar તા.29
જામનગર સહિત દેશભરમાં સાયબર ક્રાઇમ એ સૌથી મોટી સળગતી સમસ્યા છે. ભેજાબાજ શખ્સો દ્વારા નીતનવા પેતરા રચી છેતરપિંડી અને ફ્રોડને અંજામ આપવામાં આવી રહ્યો છે. ત્યારે આ મામલે જામનગર પોલીસ દ્વારા લોકોમાં જાગૃતિ ફેલાવવા માટે અનેક પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. હાલ પોલીસ દ્વારા જુદા જુદા શહેરોમાં બોર્ડ બેનર પ્રસિદ્ધ કરી લોકોને જાગૃત કરાઇ રહ્યાં છે.
જામનગરમાં સાયબર ક્રાઇમ અંગે લોકો જાગૃત બને તે માટે દરબાર ગઢ, હનુમાન ગેટ ચોકી, ધુંવાવ બાયપાસ, મહિન્દ્રા શો રૂમ રાજકોટ રોડ, દ્વારકા બાયપાસ, ખીજડિયા બાયપાસ, અંબર ચોકડી, બસ સ્ટેનડ જામનગર, માણેક સેન્ટર, ચાંદીબજાર સર્કલ, દિપક ટોકીઝ સર્કલ, બેડી ગેઇટ સર્કલ, ખંભાળિયા ગેટ, ઓશવાળ હોસ્પિટલ સર્કલ ખાતે જાન ભાગીદારીથી જાગૃતિના બોર્ડ બેનર મૂકવામાં આવ્યા છે.
જુદા જુદા વિસ્તારમાં બોર્ડ બેનર પ્રસિદ્ધ કરવામાં આવ્યા છે અને તેમાજ જો સાયબર ક્રાઇમનો ભોગ બનો તો કયા પગલાં લેવા અને શું કરવું તે અંગેની માહિતી આપવામાં આવી રહી છે. આ ઉપરાંત પોલીસ દ્વારા નવરાત્રીના દિવસોમાં પણ લોકોને જાગૃત કરવા માટે નવરાત્રીના મોટા મોટા આયોજનો પર બોર્ડ બેનર પ્રસિદ્ધ કરવામાં આવ્યા હતા.