(મિલાપ રૂપારેલ દ્વારા)
Amreli,તા.6
અમરેલી શહેરમાં છેલ્લા ર દાયકા કરતાં પણ વધારે સમયથી રખડતા ગૌવંશની સમસ્યાનું યોગ્ય નિરાકરણ કરવામાં આવતુ નથી. ગૌવંશ ટાઢ, તડકો અને વરસાદમાં અનેક યાતનાઓ ભોગવી રહૃાા છે. અકસ્માતનોભોગ અને અકસ્માતનું કારણ પણ બની રહૃાા છે છતાં એકપણ જીવદયાપ્રેમી આ બાબતે રજૂઆત કરતાં નથી.
તાજેતરમાં પાલિકા ઘ્વારા રખડતા ગૌવંશને સલામત સ્થળે ખસેડવાની કામગીરી શરૂ કરવામાં આવી પરંતુ, તેમાં સફળતા મળી ન હતી. ગૌવંશને ઝડપીને કયાં સલામત સ્થળે રાખવા તે અંગે કોઈ વ્યવસ્થા જ જોવા મળતી નથી.
આગામી દિવસોમાં મુખ્યમંત્રીનું અમરેલીમાં આગમન થવાનું હોય તે સમયે પાલિકાનાં શાસકો ઘ્વારા ગૌવંશને સલામત સ્થળે ખસેડવા માટે ચર્ચા-વિચારણા કરવામાં આવી. પરંતુ, ગૌવંશને સાચવવા માટેની વિશાળ જગ્યાનો અભાવ જોવા મળી રહૃાો છે. એટલે શહેરની ગૌશાળાનાં સંચાલકોએ 300 ગૌવંશને રાખવાની બાંહેધરી આપવામાં આવી છે. જો કે શહેરમાં રખડતા ગૌવંશની સંખ્યા 3 હજાર આસપાસ હશે અન્યને કયાં સલામત સ્થળે ખસેડવા તે અંગે અન્ય ગૌશાળાનો સંપર્ક કરવો કે શહેર નજીક કોઈ પડતર જમીન મેળવીને ત્યાં પાણી, ઘાસચારાની વ્યવસ્થા કરવી તે અંગે વિચારણા થઈ રહી છે.
દરમિયાનમાં પાલિકાનાં પ્રમુખનાં પ્રતિનિધિ સંદિપ માંગરોળીયાએ શહેરીજનોને અનુરોધ કર્યો છે કે, ગૌમાતાને ઘાસચારો આપવો હોય તો ગૌશાળામાં જઈને પૂણ્ય કમાવવું જોઈએ જાહેરમાં કે રહેણાંક વિસ્તારમાં ગૌમાતાને રજકો આપવાથીતે વિસ્તારમાં ગૌવંશ કાયમી રહેશે અને તેને લીધે અન્ય સમસ્યાઓ પણ ઉભી થશે. જેથી, તમામ ગૌ ભકતોએ ગૌશાળામાં જઈને રજકો, લાપસી કે જે કાંઈ ગૌમાતાને ધરવુ હોય તે કરીને સહકાર આપે તેમ અંતમાં જણાવેલ છે.

