Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Israel પહેલાથી જ ચેતવણી આપી હતી કે ઇરાન ટ્રમ્પને સ્નાઇપર્સ, છરીઓ અને મિસાઇલોથી મારી શકે છે

    August 14, 2026

    પાકિસ્તાની પત્રકારે ભૂતપૂર્વ PM ઇમરાન ખાનના મૃત્યુનો દાવો કર્યો, પાકિસ્તાન સેનાએ તેનો ઇનકાર કર્યો

    August 14, 2026

    15 ઓગસ્ટનું પંચાંગ

    August 14, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Israel પહેલાથી જ ચેતવણી આપી હતી કે ઇરાન ટ્રમ્પને સ્નાઇપર્સ, છરીઓ અને મિસાઇલોથી મારી શકે છે
    • પાકિસ્તાની પત્રકારે ભૂતપૂર્વ PM ઇમરાન ખાનના મૃત્યુનો દાવો કર્યો, પાકિસ્તાન સેનાએ તેનો ઇનકાર કર્યો
    • 15 ઓગસ્ટનું પંચાંગ
    • 15 ઓગસ્ટનું રાશિફળ
    • ફોનના વ્યસનથી તેણી બીમાર પડી ગઈ, જેના કારણે તેણીને ગરદનની સારવાર કરાવવાની ફરજ પડી
    • Rani Mukherjee ને ભારતીય ફિલ્મ મહોત્સવ મેલબોર્ન ખાતે ખાસ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવી
    • વૈશ્વિક અસ્થિરતાના માહોલમાં Stock Market, દરેક ઉછાળે વેચવાલી યથાવત્…!!!
    • Toxic ફિલ્મના શૂટિંગ દરમિયાન Kiara Advani ગર્ભવતી હતી, અને યશ તેની સંભાળ રાખતો હતો
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Saturday, August 15
    • મુખ્ય સમાચાર
    • રાષ્ટ્રીય
      • અન્ય રાજ્યો
    • ગુજરાત
      • અમદાવાદ
      • વડોદરા
      • સુરત
    • સૌરાષ્ટ્ર
      • જામનગર
      • મોરબી
      • જૂનાગઢ
      • રાજકોટ
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • લેખ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»સૌરાષ્ટ્ર»શ્રાવણના પ્રારંભે Somnathમાં હજારો શિવભકતોની શિવવંદના: ભકિતમય માહોલ
    સૌરાષ્ટ્ર

    શ્રાવણના પ્રારંભે Somnathમાં હજારો શિવભકતોની શિવવંદના: ભકિતમય માહોલ

    Vikram RavalBy Vikram RavalAugust 14, 2026Updated:August 14, 2026No Comments3 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    Somnath તા.14
    ભગવાન શિવજીના પ્રિય શ્રાવણ માસનો પ્રારંભ થતાં જ શિવભકતોમાં આરાધના કરવાનો અનેરો ધર્મોત્સાહ જોવા મળી રહ્યો છે. સોમનાથ મહાદેવ, નાગેશ્વર મહાદેવ (દ્વારકા) જડેશ્વર મહાદેવ (વાંકાનેર), ઘેલા સોમનાથ (જસદણ), ગૌતમેશ્વર મહાદેવ (સિહોર), ગોપનાથ મહાદેવ (ભાવનગર) સહિતના પ્રાચીન-અર્વાચીન શિવાલયોમાં  શ્રધ્ધા અને ભકિતનો સાગર ઘુઘવતો જોવા મળી રહ્યો છે.

    ઠેર ઠેર અભિષેક, પૂજન-અર્ચન, શિવ મહિમ્ન સ્તોત્રની ગુંજ, મહાઆરતી, પ્રસાદ-મહામૃત્યુંજયના જાપ સહિતના અનુષ્ઠાનોમાં ભકતો ગરકાવ થયા છે. રાજકોટમાં રામનાથ મહાદેવ, પંચનાથ મહાદેવ, જાગનાથ મહાદેવ, મહાકાલેશ્વર મહાદેવ સહિતના જાણીતા અને પ્રાચીન શિવાલયોમાં ભકતોની ભીડ જોવા મળી રહી છે.

    સોમનાથ
    શ્રાવણના પ્રથમ દિવસે આદિ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવને પીળા પુષ્પોથી અલંકૃત કરાવામા આવ્યા હતા. જાણે મહાદેવ પોતે જ કુદરતના ઉજાસના મધુર રંગોથી ભક્તોને આનંદ સ્વરૂપ દર્શન આપી રહ્યા છે.

    પણ આજે વિશેષ શૃંગારમાં  પીળા પુષ્પો જ કેમ?
    કારણ કે પીળો રંગ પ્રકાશનું પ્રતિક છે.
    પીળો રંગ એ સૂર્યનો, જ્ઞાનનો, વિવેકનો અને આધ્યાત્મિક ઉન્નતિનો પ્રતિક છે. શિવ ભક્તિ અંધકારનો અંત લાવે છે અને પીળો રંગ એ દિવ્ય પ્રકાશનું સંકેત છે જે આપણને અજ્ઞાનમાંથી જ્ઞાન તરફ લઇ જાય છે.

    કેહવાય છે કે જે ભક્ત શ્રદ્ધાપૂર્વક મહાદેવને પુષ્પ અર્પિત કરે છે, તે મહાદેવ માટે કિંમતી રત્નોથી પણ ઊંચો ગણાય છે અને તેને અનેક રત્નોના દાન જેટલું પુણ્યફળ પ્રાપ્ત થાય છે.

    પીળા પુષ્પોથી શિવની પૂજા કરવાથી બુદ્ધિની શુદ્ધિ થાય છે અને દરેક પ્રકારના સંકટોનો નાશ થાય છે. આ અદ્ભુત શૃંગારથી સોમનાથજીનું ગર્ભગૃહ જાણે સૂર્યપ્રભા સમાન પ્રકાશમય બની ઊઠ્યું હતું.

    શ્રી સોમનાથ મહાદેવના આ અનન્ય શૃંગારથી આપણને એ સંદેશ મળે છે કે શિવ માત્ર સંહાર ના પ્રતિક નથી, પરંતુ તેઓ સૃષ્ટિ, જીવન અને ચેતનાના આધાર છે. મહાદેવ અર્પણમાં ભાવનાને મહત્વ આપે છે અને જ્યારે ભાવના શુદ્ધ હોય, ત્યારે એક પીળું પુષ્પ પણ સમગ્ર બ્રહ્માંડ જેટલું મૂલ્યવાન બની મહાદેવને પ્રસન્ન કરી શકે છે.

    આજે અંદાજિત 200 કિલો થી વધુ પીળા પુષ્પોથી ભગવાન સોમનાથ મહાદેવને આ સુંદર શૃંગાર પુજારી શ્રીઓ દ્વારા કરવામાં આવેલો.

    મહામૃત્યુંજય યજ્ઞ 
    પવિત્ર શ્રાવણ માસ ચાલી રહ્યો છે, ત્યારે શ્રાવણના પ્રથમ દિવસે જ સોમનાથ ટ્રસ્ટ દ્વારા ખાસ ‘સ્વાભિમાન પર્વ’ ને ધ્યાનમાં રાખીને કરવામાં આવેલા મહામૃત્યુંજય યજ્ઞના આયોજનનો લાભ ભક્તોએ આધ્યાત્મિક માહોલમાં લીધો હતો.

    જેમાં સવારથી બપોર સુધીના ચાર સ્લોટમાં ઘણા પરિવારોએ ભગવાન સોમનાથના સાંનિધ્યમાં યજ્ઞનારાયણને મહામૃત્યુંજય મંત્ર સાથે આહુતિ આપીને પુણ્યનું ભાથું બાંધ્યું હતું.

    સોમનાથમાં આવનારા તમામ ભક્તો યજ્ઞ કરીને જ્યોતિર્લિંગ ક્ષેત્રમાં અનંત ઊર્જાનું ફળ પ્રાપ્ત કરી શકે, તેવા શુભાશય સાથે આ યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે.
    ભક્તો સમગ્ર શ્રાવણ માસ દરમિયાન સોમનાથ ટ્રસ્ટની વેબસાઈટ પર તેમજ રૂબરૂ નોંધણી કરાવીને આ યજ્ઞમાં યજમાન બનવાનું સૌભાગ્ય પ્રાપ્ત કરી શકે છે.

    માણાવદર
    પવિત્ર શ્રાવણ માસની શરૂઆત થતાં જ માણાવદર તાલુકામાં ભક્તિમય માહોલ છવાઈ ગયો છે. આ પવિત્ર માસ નિમિત્તે માણાવદરના સુપ્રસિદ્ધ બે પોઠીયા વાળા ત્ર્યંબકેશ્વર મહાદેવ મંદિર ખાતે વહેલી સવારથી જ દર્શનાર્થે શિવભક્તો, બહેનો અને બાળકોની ભીડ જોવા મળી રહી છે.

    હર હર મહાદેવ અને બોમ ભોલેના નાદથી સમગ્ર પરિસર ગુંજી ઉઠ્યું છે.
    શ્રાવણ માસના દર સોમવારે ત્ર્યંબકેશ્વર ધામ ખાતે ભક્તોનું મોટું ઘોડાપૂર ઉમટે છે અને અહીં સ્વયંભૂ મેળા જેવો ભક્તિમય માહોલ સર્જાય છે. આ મંદિરની એક અનોખી અને વિશિષ્ટ ઓળખ એ પણ છે કે તે ‘બે પોઠીયાવાળું’ સુપ્રસિદ્ધ ધામ છે, જે સામાન્ય રીતે અન્ય મંદિરોમાં દુર્લભ જોવા મળે છે.

    માણાવદર ત્રંબકેશર મહાદેવ મંદિરના ટ્રસ્ટી મનીષભાઈ ખખ્ખર જણાવ્યું હતું કે, આ સુપ્રસિદ્ધ ત્ર્યંબકેશર મહાદેવ મંદિરમાં પવિત્ર સ્વયંભૂ શિવલિંગ આવેલું છે, જે ભક્તો માટે આસ્થાનું મોટું કેન્દ્ર છે. આ મંદિર પરિસરમાં શિવજી ઉપરાંત માં અંબાજી, હનુમાનજી મહારાજ તેમજ લક્ષ્મીનારાયણ ભગવાનના સુંદર મંદિરો પણ આવેલા છે. આ સિવાય માણાવદર તાલુકાના લોકહૃદયમાં સ્થાન પામેલા પરમ પૂજ્ય રઘુવીરદાસજી બાપુની વિશાળ મૂર્તિ અહીં સ્થાપિત કરવામાં આવી છે.

    પવિત્ર શ્રાવણ માસના પ્રારંભે મંદિર ટ્રસ્ટ તરફથી સમગ્ર માણાવદર તાલુકાની ઉત્તરોત્તર પ્રગતિ થાય, ક્ષેત્રમાં સુખ-શાંતિ અને સમૃદ્ધિ જળવાઈ રહે તથા મહાદેવજીના આશીર્વાદ સૌ પર વરસતા રહે તેવી શુભકામનાઓ પાઠવવામાં આવી છે.

    Somnath temple
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Previous Articleકાલે રાષ્ટ્રભક્તિના રંગે રંગાશે સમગ્ર સૌરાષ્ટ્ર – કચ્છ: ઠેર ઠેર ધ્વજવંદન
    Next Article કેન્દ્રીય આરોગ્ય મંત્રી J.P. Naddaની તબિયત લથડી, દિલ્હી AIIMSમાં દાખલ
    Vikram Raval
    • Website

    Related Posts

    અમરેલી

    80મા સ્વાતંત્ર્ય પર્વની રાજ્યકક્ષાની ઉજવણી, CM ભૂપેન્દ્ર પટેલનું Amreliમાં આગમન

    August 14, 2026
    રાજકોટ

    શ્રાવણ માસના સોમવાર અને જન્માષ્ટમીએ કતલખાના બંધ રાખવા કોર્પો.નું જાહેરનામું

    August 14, 2026
    સૌરાષ્ટ્ર

    Surendranagarમાં થતા લોકમેળાની ગ્રાઉન્ડની હરાજી પૂર્ણ

    August 14, 2026
    અમરેલી

    Amreli: સાવરકુંડલાનાં ખોડિયારના ગામે જમીન ખાલી કરાવવા ધાક-ધમકી મળતા ગ્રામજનોનું આવેદન

    August 14, 2026
    અમરેલી

    Amreli: 300 મીટરના તિરંગા સાથે યાત્રા યોજાઇ

    August 14, 2026
    અમરેલી

    Amreli: સાવરકુંડલામાં આન-બાન અને શાન સાથે તિરંગા યાત્રા સંપન્ન

    August 14, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    સોના-ચાંદીના ભાવ (Gold & Silver Rates)

    સોનું 24 કેરેટ (Gold 24K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹154,620
    સોનું 22 કેરેટ (Gold 22K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹141,740
    ચાંદી (Silver) પ્રતિ 1 કિલોગ્રામ / per 1kg
    ₹228,980
    લાઈવ રેટ્સ • અપડેટ: 15-08-2026 10:28
    Categories
    Latest News

    Israel પહેલાથી જ ચેતવણી આપી હતી કે ઇરાન ટ્રમ્પને સ્નાઇપર્સ, છરીઓ અને મિસાઇલોથી મારી શકે છે

    August 14, 2026

    પાકિસ્તાની પત્રકારે ભૂતપૂર્વ PM ઇમરાન ખાનના મૃત્યુનો દાવો કર્યો, પાકિસ્તાન સેનાએ તેનો ઇનકાર કર્યો

    August 14, 2026

    15 ઓગસ્ટનું પંચાંગ

    August 14, 2026

    15 ઓગસ્ટનું રાશિફળ

    August 14, 2026

    ફોનના વ્યસનથી તેણી બીમાર પડી ગઈ, જેના કારણે તેણીને ગરદનની સારવાર કરાવવાની ફરજ પડી

    August 14, 2026

    Rani Mukherjee ને ભારતીય ફિલ્મ મહોત્સવ મેલબોર્ન ખાતે ખાસ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવી

    August 14, 2026
    Search
    Main News

    Israel પહેલાથી જ ચેતવણી આપી હતી કે ઇરાન ટ્રમ્પને સ્નાઇપર્સ, છરીઓ અને મિસાઇલોથી મારી શકે છે

    August 14, 2026

    પાકિસ્તાની પત્રકારે ભૂતપૂર્વ PM ઇમરાન ખાનના મૃત્યુનો દાવો કર્યો, પાકિસ્તાન સેનાએ તેનો ઇનકાર કર્યો

    August 14, 2026

    15 ઓગસ્ટ પહેલા જ દિલ્હીમાં એરપોર્ટ, હાઈકોર્ટ અને જામનગર હાઉસમાં બોમ્બની ધમકી

    August 14, 2026

    કેન્દ્રીય આરોગ્ય મંત્રી J.P. Naddaની તબિયત લથડી, દિલ્હી AIIMSમાં દાખલ

    August 14, 2026

    CM આજે અમરેલીમાં: કાલે ધ્વજવંદન બાદ 403 કરોડના વિકાસ કામોની ભેંટ આપશે

    August 14, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Israel પહેલાથી જ ચેતવણી આપી હતી કે ઇરાન ટ્રમ્પને સ્નાઇપર્સ, છરીઓ અને મિસાઇલોથી મારી શકે છે

    August 14, 2026

    પાકિસ્તાની પત્રકારે ભૂતપૂર્વ PM ઇમરાન ખાનના મૃત્યુનો દાવો કર્યો, પાકિસ્તાન સેનાએ તેનો ઇનકાર કર્યો

    August 14, 2026

    15 ઓગસ્ટનું પંચાંગ

    August 14, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@gmail.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.