- Junagadh: ૨૦૧૭ના સરકારી કામગીરીમાં અડચણ અને હુમલા કેસમાં કોર્ટનો કડક ચુકાદો
- Keshod પોલીસે ઘોડી પાસાનો જુગાર રમતા ૪ ઇસમોને ઝડપી લીધાં
- Mangrol માં રાહુલ ગાંધીની ધરપકડ અને વિદ્યાર્થીઓ પર લાઠીચાર્જના વિરોધમાં જિલ્લા કોંગ્રેસનું વિરોધ પ્રદર્શન
- Amreli: કુંકાવાવ તાલુકા પંચાયત પ્રમુખના પતિદેવ અને વર્તમાન સરપંચ વચ્ચે થયુ ધીંગાણું
- Amreli: ભુરખિયા હનુમાનજી મંદિરનું થશે નવનિર્માણ, શ્રીરામ અને શ્રી મહાદેવના પણ ભવ્ય મંદિરો બનશે
- Amreli: લાઠીમાં ગાગડિયા નદીમાં ફસાયેલા વૃદ્ધનું રેસ્ક્યુ કરાતા દુર્ઘટના ટળી
- Rajkot: ૬ ઓગસ્ટથી ઓખા-બનારસ એક્સપ્રેસ ઓખા સ્ટેશનથી ૨૦ મિનિટ વહેલી ઉપડશે
- Amreli: જી.આઈ.ડી.સી. માટે જમીનની ફાળવણી થતા ઉદ્યોગકારો વેપારીઓમાં હર્ષની લાગણી
Author: Vikram Raval
પેટ્રોલ પંપ માં નોકરી કરનાર યુવાનને મધ્યરાત્રે લોહી લુહાણ હાલતમાં સિવિલમાં ખસેડાયો Rajkot,તા.31 શહેરના ભગવતી પરા માં મોડી રાત્રે ઘર પાસે જાહેરમાં દારૂ મહેફિલ કરનારાઓને ટપારનાર યુવકને ઝઘડો કરી પડખામાં છરી હુંલાવી દેવાના બનાવમાં યુવકને લોહી લુહાણ હાલતમાં સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. પ્રાપ્ત વિગત મુજબ ભગવતી પરા નંદનવન સોસાયટીમાં રહેતા અસલમ મહેબુબભાઇ બેલીમ૩૬ તેના ઘર પાસે હતો ત્યારે રાત્રે ૧૧ વાગે નંદનવન સોસાયટીમાં જ રહેતા એજાજ ફકીર એ ઝઘડો કરી અસલમ પર હુમલો કરી પડખાના ભાગે છરી હુલાવી દીધી હતી, અસલમને લોહી લુહાણ હાલતમાં સરકારી દવાખાનામાં દાખલ કરવામાં આવ્યો હતો. આ બનાવ અંગે અસલમ ના રીક્ષા ચાલક પિતા મહેબૂબ…
ક્રાઈમ બ્રાન્ચે સોનાનો ચેન અને એકટીવા મળી 1.30 લાખનું મુદ્દામાલ કબજે કર્યો Rajkot,તા.31 શહેરના મવડીના વિસ્તારમાં આવેલા સ્પીડવેલ પાર્ટી પ્લોટ પાસે વૃદ્ધાને નિશાન બનાવી સોનાના ચેનની ચીલ ઝડપ કરનાર આનંદ નગર વિસ્તારમાં રહેતા શ્યામ ઉર્ફે જાંબુ સોલંકીને ક્રાઈમ બ્રાન્ચએ દબોચી લઈ સોનાનો ચેન અને એકટીવા મળી રૂપિયા 1.30 લાખનો મુદ્દામાલ કબજે કરી ધોરણ સર ની કાર્યવાહી હાથ ધરી છે. વધુ વિગત શહેરમાં છેલ્લા એક માસથી તાલુકાને બી ડિવિઝન પોલીસ મથકોના વિસ્તારોમાં ચીલઝડપોના વધતા જતા બનાવોને અટકાવવા અને વણ ઉકેલ ગુનાઓને શોધી કાઢવા પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝા એ આપેલી સૂચનાને પગલે ક્રાઈમ બ્રાન્ચ ના પી.આઈ એમ આર ગોંડલીયા, એમ એલ ડામોર…
થોરાળા પોલીસે આજીડેમ ચોકડીએ યુવક ચોરેલા બાઈક સાથે આટા ફેરા મારતા દબોચી લીધો Rajkot,તા.31 શહેર પંથકમાં અનડિટેક્ટ ગુના અને ખાસ કરીને ચોરીના ભેદ ઉકેલવાના આદેશના પગલે થોરાળા પોલીસે પેટ્રોલિંગ દરમિયાન આજીડેમ પાસે થી ચોરીની મોટરસાયકલ સાથે યુવાનને ઝડપી લીધો હતો. થોરાળા પોલીસ સ્ટાફ પેટ્રોલિંગમા હતા ત્યારે બાતમી મળી હતી કે આજીડેમ પાસે એક ઈસમ શંકાસ્પદ હાલતમાં આટા ફેરા મારે છે, પોલીસે આજીડેમ ચોકડી થી મોટરસાયકલ નંબર જી જે ૦૩એલ એ ૫૭૬૨ સાથે આજીડેમ ચોકડી નજીક રહેતા દડુ મનસુખભાઈ વાઘેલા ને ઝડપી આગવી ઢબે પૂછપરછ કરતા દડુ માંથી પોપટ બનેલા એ કબૂલ્યું હતું કે આ બાઈક અમુલ સર્કલ પાસેથી ચોર્યું હતું…
Raipur,તા.૩૧ ઘરે ઘરે જઈને સિંદૂર વહેંચવાનો ભાજપનો કાર્યક્રમ મહિલાઓનું અપમાન છે. ભારતીય સંસ્કૃતિ અનુસાર, પરિણીત મહિલાને સિંદૂર આપવાનો અધિકાર ફક્ત પતિને જ છે. જ્યારે કોઈ સ્ત્રી સિંદૂર લગાવે છે, ત્યારે તે તેના કપાળ પર સુહાગનું પ્રતીક છે. મહિલાઓ ફક્ત પોતાના પતિ દ્વારા આપવામાં આવેલું સિંદૂર લગાવે છે. ભલે કોઈ મહિલા સિંદૂર ખરીદે, પણ તે પોતાના પતિના નામે ખરીદે છે. ભાજપ સેનાની બહાદુરીનું રાજકારણ કરીને તેની વીરતાની મજાક ઉડાવી રહી છે. આ શબ્દો છત્તીસગઢ પ્રદેશ કોંગ્રેસ સંચાર વિભાગના અધ્યક્ષ સુશીલ આનંદ શુક્લાએ કહ્યા હતા. તેમણે કહ્યું કે ભાજપ દ્વારા સિંદૂર વહેંચવાનું કૃત્ય પરિણીત મહિલાના સ્ત્રીત્વ અને પવિત્રતાને પડકારવાનો પ્રયાસ છે. કોંગ્રેસ…
Mizoram,તા.૩૧ દેશમાં સમય પહેલા પહોંચેલું ચોમાસું ઉત્તરપૂર્વીય રાજ્યોમાં વિનાશ મચાવી રહ્યું છે. છેલ્લા ૨૪ કલાકમાં મિઝોરમમાં ભારે વરસાદને કારણે ઘણા ઘરો ધરાશાયી થયા છે. ઘણા લોકોના મોતની પણ આશંકા છે. તે જ સમયે, આસામમાં ભારે વરસાદને કારણે ઘણા વિસ્તારોમાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે. પાંચ લોકોના મોત પણ થયા છે. સિક્કિમ, ત્રિપુરા, મેઘાલય સહિત ઘણા રાજ્યો વરસાદને કારણે ખરાબ રીતે પ્રભાવિત થયા છે. ટ્રેન્ડિંગ વીડિયો દક્ષિણ મિઝોરમના લોંગટલાઈ શહેરમાં ભારે વરસાદને કારણે ભૂસ્ખલનને કારણે પાંચ ઘર અને એક હોટલ ધરાશાયી થતાં ઘણા લોકોના મોતની આશંકા છે. આ ઘટના શુક્રવારે રાત્રે લગભગ ૧૦ઃ૩૦ વાગ્યે લોંગટલાઈના બજાર વેંગ અને ચાંદમારી વિસ્તારના સરહદી…
New Delhi,તા.૩૧ ઓપરેશન સિંદૂર પછી પાકિસ્તાનનો પર્દાફાશ કરવા માટે વિદેશ ગયેલા સર્વપક્ષીય પ્રતિનિધિમંડળના સભ્ય ભૂતપૂર્વ વિદેશ પ્રધાન અને કોંગ્રેસ નેતા સલમાન ખુર્શીદે પાડોશી દેશનો પર્દાફાશ કર્યો. વારંવાર યુદ્ધવિરામનું ઉલ્લંઘન કરવા બદલ તેઓ પાકિસ્તાન પર ખૂબ ગુસ્સે થયા. તેમણે કહ્યું કે પાકિસ્તાન સતત યુદ્ધવિરામનું ઉલ્લંઘન કરી રહ્યું છે. આનાથી સ્પષ્ટ થાય છે કે પાકિસ્તાનમાં કોઈનું નિયંત્રણ નથી. સર્વપક્ષીય પ્રતિનિધિમંડળના સભ્ય સલમાન ખુર્શીદે કહ્યું કે પાકિસ્તાનમાં અરાજકતા પ્રવર્તે છે. સેનાના આંતરિક જૂથો વચ્ચે સત્તા માટે સ્પર્ધા છે અને સરકારનો નિયંત્રણનો અભાવ છે. તેમણે કહ્યું કે સરહદ પાર અને નિયંત્રણ રેખા પર ઓછામાં ઓછા ત્રણ કે ચાર કલાક સુધી ગોળીબાર ચાલુ રહ્યો. ફરી…
New Delhi,તા.૩૧ કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી દ્વારા લખાયેલ પુસ્તક ’સંઘાતીલ માનવ વિભાગ’ આરએસએસ અખિલ ભારતીય પ્રચાર પ્રમુખ સુનીલ આંબેકરની હાજરીમાં વિમોચન કરવામાં આવ્યું. પુસ્તક વિમોચન પ્રસંગે કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ કહ્યું, ’પૈસા કમાવવા એ ગુનો નથી. હું બધા કાર્યકરોને કહું છું કે પૈસા કમાવવા જોઈએ, પરંતુ રાજકારણ પૈસા કમાવવાનો વ્યવસાય નથી.’ ગડકરીએ સ્વામી વિવેકાનંદના વિચારોનું ઉદાહરણ આપતા કહ્યું, ’ખાલી પેટે કોઈ ફિલસૂફી શીખવી શકાતી નથી.’ કેન્દ્રીય મંત્રી ગડકરીએ આગળ કહ્યું, ’તે કોઈ વિદ્વાન વ્યક્તિ નથી, હોશિયાર વિદ્યાર્થી નથી. હું એવા વર્ગમાંથી આવ્યો છું જે આગળથી ફિલ્મો અને પાછળથી નાટક જુએ છે. કાલે હું દહેરાદૂનમાં મારી ૧૩મી ડીઈ મેળવીશ. હું ડૉક્ટર…
નવીદિલ્હી,તા.૩૧ વૈશ્વિક સ્તરે આતંકવાદ સામે ભારતના કડક વલણ અને પાકિસ્તાનને ખુલ્લા પાડવાના પ્રયાસોને નોંધપાત્ર સફળતા મળી છે. કોંગ્રેસ નેતા શશી થરૂરના નેતૃત્વમાં સર્વપક્ષીય સંસદીય પ્રતિનિધિમંડળે કોલંબિયામાં પાકિસ્તાનનો પર્દાફાશ કર્યો. કોલંબિયાએ અગાઉ પોતાના નિવેદનમાં પાકિસ્તાનમાં થયેલા જાનહાનિ પર સહાનુભૂતિ વ્યક્ત કરી હતી, પરંતુ શશિ થરૂરે વાંધો ઉઠાવ્યા બાદ તેણે પોતાનું નિવેદન પાછું ખેંચી લીધું છે. કોંગ્રેસના સાંસદ શશિ થરૂરે બોગોટામાં એક પ્રેસ કોન્ફરન્સ દરમિયાન કોલંબિયાની પરિસ્થિતિ પર અસંતોષ વ્યક્ત કર્યો હતો. તેમણે કહ્યું હતું કે કોલંબિયા સરકારે પાકિસ્તાનમાં થયેલા નુકસાન પર શોક વ્યક્ત કર્યો તે ભારતને નિરાશ કરે છે, જ્યારે પહેલગામ આતંકવાદી હુમલાના પીડિતો પ્રત્યે સહાનુભૂતિ વ્યક્ત કરવી જોઈતી હતી. શશી…
Morbi,તા.31 સદનસીબે કોઈ જાનહાની નહિ, સતત ધમધમતા વિસ્તારમાં બની ઘટના શહેરના મોટાભાગના હોલસેલરની દુકાનો આવેલ છે તેવા સતત ધમધમતા નવાડેલા રોડ વિસ્તારમાં આજે દુર્ઘટના સર્જાઈ હતી જર્જરિત દુકાનનો છજાનો ભાગ અચાનક તૂટી પડ્યો હતો ત્યારે સ્થળ પર પડેલા બે વાહનોમાં નુકશાન થવા પામ્યું હતું સદનસીબે જાનહાની થઇ નથી મોરબીને મહાનગરપાલિકા બનાવ્યા બાદ તંત્ર જર્જરિત મકાનો તોડી પાડવાની કામગીરી કરી રહ્યું છે જોકે શહેરમાં અનેક આવા જોખમી ઈમારતો આવેલ છે જેના હજુ સર્વે પણ કરાયા નથી સતત મોતના માંચડા સમાન આવી ઈમારતો તોડી પાડવી જરૂરી છે મહાપાલિકા તંત્રએ તાજેતરમાં મકાનો તોડવાની કામગીરી કરી હતી અને બાકી રહેલા મકાનો તોડી પાડે તે…
Morbi,તા.31 ભૂકંપ સમયથી જર્જરિત હાલતમાં પડ્યું છે મકાન મકાન માલિક નથી મકાન પાડી નાખતા કે નથી વેચતા મોરબી શહેરમાં અનેક જર્જરિત ભયજનક ઈમારતો આવેલ છે ત્યારે મોરબી મહાનગરપાલિકા દ્વારા ચોમાસાની ઋતુમાં આવા મકાનો તૂટી પડી કોઈ અકસ્માત સર્જે તે પૂર્વે મકાનો તોડવાની કામગીરી કરી રહ્યું છે પરંતુ શહેરમાં અનેક મકાનો એવા છે જેના હજુ સુધી તંત્ર દ્વારા સર્વે પણ કરવામાં આવ્યા નથી મોરબીની વિશ્વકર્મા મંદિર વાળી શેરીમાં આવું જ એક મકાન ભૂકંપ સમયથી જર્જરિત હાલતમાં પડ્યું છે જેના માલિક નથી મકાન પાડી નાખતા કે નથી વેચતા જેથી લત્તાવાસીઓને મોટી દુર્ઘટનાનો ભય સતાવી રહ્યો છે મોરબીના નાની બજાર મેઈન રોડ પર…
