- એકતા કપૂરની ફિલ્મ ‘રાગિણી 3’નું લંડનમાં શૂટિંગ શરૂ થઈ ગયું : Actress Tamannaah Bhatia
- Ranbir ને દીકરી રાહા થકી કન્જક્ટિવાઈટિસનો ચેપ લાગ્યો
- 3 ડિસેમ્બર 2026ના રોજ Prabhas ની ‘ફૌજી’ રિલીઝ થશે, Ajay-Akshayની ફિલ્મો સાથે થશે જોરદાર ટક્કર
- હું ચૂપ નહીં રહું’ – સોનમ વાંગચુકના સમર્થનમાં ઉતરી બોલિવૂડ અભિનેત્રી Sonakshi Sinha
- પોતાના દીકરાનું નામ ‘રામ ખાન’ રાખવા માંગતો હતો Sohail Khan
- હું મરી જઈશ ત્યાં સુધી Salman Khan મારો પીછો નહીં છોડે…, એક્સ-ગર્લફ્રેન્ડ Somi Ali
- BCCI સચિવ સૈકિયા ICC સમીક્ષા સમિતિના પ્રમુખ તરીકે નિયુક્ત
- જ્યાં સુધી મેદાન પર Lionel Messi હાજર છે, આર્જેન્ટિનાની આશા જીવંત છે
Author: Vikram Raval
Mumbai,તા.15 ‘તુમ્બાડ ટુ માં આલિયા ભટ્ટનું આગમન થતાં જ તુમ્બાડ ફ્લ્મિના ચાહકોના એક વર્ગે આલિયા ભટ્ટને જોરદાર ટ્રોલ કરી હતી. આ વર્ગે આલિયા ભટ્ટના કાસ્ટિંગને સાવ ખોટું ગણાવ્યું હતું.એક ચાહકે જણાવ્યું હતું કે ફિલ્મ ‘તુમ્બાડ’ પોતાની કથા કહેવાના અંદાજ, વિઝન અને કલાકારોના જબરદસ્ત કામને કારણે કલ્ટ ક્લાસિક ફિલ્મ બની રહી છે જેને બોલીવૂડના કોઇ મોટા કેમ્પનો સપોર્ટ નહોતો. એક ચાહક તરીકે નિરાશા અ ેવાતની થઇ રહી છે કે આવી અનોખી ફ્રેન્ચાઇઝી હવે સ્ટારપાવર ભણી ઝૂકી રહી છે. ‘તુમ્બાડ’ પોતાના મૂળિયાંને વળગી રહી કાબેલ કળાકારોને ચમકવાની તક આપશે તેવી મને આશા છે. અન્ય એક ચાહકે આલિયાને કાસ્ટ ન કરવાની વિનંતી કરતાં…
Mumbai,તા.15 મહારાષ્ટ્ર સરકારના મંત્રી નિતેશ રાણેના એક નિવેદન બાદ નવો વિવાદ શરૂ થયો છે. તેમણે અભિનેતા આમિર ખાનના ત્રીજા લગ્ન અંગે ટિપ્પણી કરતા તેમને ‘લવ જીહાદના બ્રાન્ડ એમ્બેસેડર’ ગણાવ્યા હતા. હવે આ વિવાદમાં કૂદીને તપસ્વી છાવણીના પીઠાધીશ્વર જગદગુરુ પરમહંસ આચાર્યે વિવાદાસ્પદ નિવેદન આપ્યું છે. તેમણે મંત્રીના નિવેદનને સમર્થન આપવાની સાથે આમિર ખાનને મારનાર માટે 5 કરોડ રૂપિયાના ઈનામની જાહેરાત કરી દીધી છે.જગદગુરુ પરમહંસે આક્ષેપ કર્યો હતો કે, ‘આમિર ખાને ત્રણ લગ્ન કર્યા છે અને ત્રણેય લગ્ન હિન્દુ મહિલાઓ સાથે કર્યા છે. આ ઉંમરે તે માત્ર લવ જીહાદનો સંદેશ આપવા માટે આવું કરી રહ્યો છે. મંત્રી નિતેશ રાણેએ જે કહ્યું છે…
Mumbai,તા.15 લદાખના પર્યાવરણ અને સ્થાનિક લોકોના અધિકારો માટે ભૂખ હડતાળ પર બેઠેલા જાણીતા સામાજિક કાર્યકર્તા સોનમ વાંગચુકના સમર્થનમાં હવે બોલિવૂડની વધુ એક દિગ્ગજ હસ્તી મેદાને આવી છે. ‘3 ઈડિયટ્સ’ ફેમ ઓમી વૈદ્ય બાદ હવે હિન્દી સિનેમાની પીઢ અને આઇકોનિક અભિનેત્રી ઝીનત અમાને પણ સોનમ વાંગચુકની લડતને પોતાનો સપોર્ટ આપ્યો છે. ઝીનત અમાને દેશના વર્તમાન ગંભીર માહોલ વચ્ચે કેન્દ્ર સરકારને આ મામલે મધ્યસ્થી કરવા અને વાતચીત શરૂ કરવા માટે વિનંતી કરી છે. પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર એક સત્તાવાર પોસ્ટ શેર કરીને ઝીનત અમાને જણાવ્યું હતું કે, સોનમ વાંગચુક જે રીતે દેશના નાજુક પર્યાવરણ અને ભવિષ્ય માટે પોતાના સ્વાસ્થ્યની પરવા કર્યા…
New Delhi,તા.15 બોલિવૂડની ઓલ-ટાઇમ બ્લોકબસ્ટર ફિલ્મ ‘3 ઈડિયટ્સ’માં ‘ચતુર રામલિંગમ’નું આઇકોનિક પાત્ર ભજવીને ઘરે-ઘરે જાણીતા બનેલા એક્ટર ઓમી વૈદ્યએ લદાખના સામાજિક કાર્યકર્તા, સાયન્ટિસ્ટ અને પર્યાવરણવિદ સોનમ વાંગચુકના સમર્થનમાં એક મોટું નિવેદન આપ્યું છે. સોનમ વાંગચુક લદાખને બંધારણની છઠ્ઠી અનુસૂચિમાં સામેલ કરવા અને ત્યાંના પર્યાવરણના રક્ષણ માટે હાલમાં અનિશ્ચિત મુદ્દતની ભૂખ હડતાળ પર બેઠા છે. તેમના બગડતા સ્વાસ્થ્ય વચ્ચે ઓમી વૈદ્ય સોશિયલ મીડિયા પર તેમના સપોર્ટમાં આગળ આવ્યો છે.સોનમ વાંગચુક લાંબા સમયથી લદાખના નાજુક પર્યાવરણીય તંત્રને ઉદ્યોગોના અંધાધૂંધ વિકાસથી બચાવવા માટે આંદોલન કરી રહ્યા છે. લદાખને રાજ્યનો દરજ્જો આપવા અને સ્થાનિક જમીન તેમજ સંસ્કૃતિના રક્ષણ માટે છઠ્ઠી અનુસૂચિ લાગુ કરવાની તેમની…
Mumbai,તા.15 સાઉથ સિનેમા અને બોલિવૂડની જાણીતી અભિનેત્રી શ્રુતિ હાસન માટે 14 જુલાઈનો દિવસ તેના જીવનની સૌથી ખુશીની અને ખાસ પળો લઈને આવ્યો છે. વર્સેટાઈલ એક્ટર કમલ હાસનની પુત્રી અને સિંગર-એક્ટ્રેસ શ્રુતિ હાસને તમિલનાડુની રાજધાની ચેન્નઈમાં પોતાનું એક નવું આલિશાન ઘર ખરીદ્યું છે. મંગળવારે સવારે શ્રુતિએ પોતાના નવા ઘરમાં વૈદિક મંત્રોચ્ચાર સાથે પરંપરાગત ‘ગૃહ પ્રવેશ પૂજા’ કરી હતી. આ પૂજા અને નવા ઘરના ફર્સ્ટ લુકની તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ છે, જેની સાથે એક્ટ્રેસે એક અત્યંત ભાવુક સિક્રેટ પણ શેર કર્યું છે. આ ખાસ પ્રસંગે શ્રુતિ હાસનના જીવનની એક કડવી અને ભાવુક ક્ષણ એ પણ રહી કે તેના માતા-પિતા આ…
Mumbai,તા.15 ટેલિવિઝન ઇન્ડસ્ટ્રીના સૌથી લોકપ્રિય અને લાંબા સમયથી ચાલી રહેલા કોમેડી શો ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ના કરોડો ચાહકો માટે એક અત્યંત મહત્ત્વના સમાચાર સામે આવ્યા છે. છેલ્લા કેટલાક દિવસોથી સોશિયલ મીડિયા પર એવી અફવાઓ જોર પકડી રહી હતી કે શોના મુખ્ય કલાકાર અને દર્શકોના ફેવરિટ પાત્ર ‘જેઠાલાલ’ એટલે કે દિલીપ જોશી આ શોને અલવિદા કહી રહ્યા છે. આ સમાચારે ચાહકોને ચિંતામાં મૂકી દીધા હતા, પરંતુ હવે આ સમગ્ર વિવાદ અને અફવાઓ પર શોના પ્રોડક્શન હાઉસ અને મેકર્સે સત્તાવાર રીતે પોતાની ચૂપકીદી તોડી છે. મેકર્સે અફવાઓનું કર્યું ખંડન, દિલીપ જોશી શોનો હિસ્સો રહેશે ચોતરફ ફેલાઈ રહેલી આ નકારાત્મક અફવાઓ પર…
New Delhi,તા.15 દેશમાં ચોમાસાની અનિશ્ચિત સ્થિતિ તથા ઈરાન યુદ્ધ ફરી ભડકતા ક્રુડતેલના ભાવમાં પણ ફરી વધારો થશે તેવા સંકેત છે તે સમય જૂન માસમાં જથ્થાબંધ ફુગાવો વધીને 9.87% થયો છે. મે માસમાં 9.68% હતો. ખાસ કરીને ખાદ્ય ચીજોના ભાવ વધ્યા છે. અર્થશાસ્ત્રીઓ ફુગાવો 9.15% રહેવાની આશા રાખતા હતા તેના બદલે મે માસની સરખામણીમાં તે વધુ ઉંચો ગયો છે. ખાસ કરીને ખાદ્ય ચીજોના ભાવે ફુગાવાને વેગ આપ્યો છે તો પેટ્રોલિયમ પેદાશો કાચા માલ તથા બેઝીક મેટલના ભાવ પણ વધ્યા છે. ખાદ્ય ફુગાવો 4.49% આમ વધીને 6.14% થયો છે. જયારે નોન ક્રુડ આર્ટીકલના ભાવ 1.43% વધ્યા છે અને મીનરલના ભાવમાં 0.58% નો…
New Delhi, તા. 15 નાબાલિગ છોકરી પર દુષ્કર્ષ ગુજારવાના કેસમાં જોધપુર જેલમાં આજીવન કેદની સજા કાપી રહેલાં આસારામે ફરી એકવાર મેડિકલના આધારે જામીન મેળવવા સુપ્રીમ કોર્ટનાં દરવાજા ખખડાવ્યા છે. આસારામ વતી હાજર રહેલાં વરિષ્ઠ વકીલે સુપ્રીમ કોર્ટની બેન્ચ સમક્ષ દલીલ કરી હતી કે 90 વર્ષીય આસારામની તબિયત અત્યંત નાજુક છે. અને ગત 8 જુલાઈએ તેમને અચાનક ઇન્ટરનલ બ્લીડિંગ (આંતરિક રક્તસ્રાવ) થવાનાં કારણે ગંભીર હાલતમાં જોધપુર એમ્સ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં છે. કોર્ટે આ મામલાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને 17 જુલાઈએ સુનાવણી હાથ ધરવાનું નક્કી કર્યું છે. અદાલતમાં વકીલોએ જણાવ્યું કે આસારામને હોસ્પિટલમાં લોહી ચઢાવવું પડ્યું છે અને ડોક્ટરોએ તેમને ‘હાઈ રિસ્ક…
New Delhi, તા. 14 મધ્ય પ્રદેશનાં ધારમાં આવેલાં ઐતિહાસિક અને વિવાદાસ્પદ ભોજશાલા સંકુલને લઈને સુપ્રીમ કોર્ટનાં ચીફ જસ્ટિસ સૂર્યકાંતની પીઠે એક મહત્વનો વચગાળાનો આદેશ આપ્યો છે. કોર્ટે મધ્ય પ્રદેશ સરકારને એવી વ્યવસ્થા કરવા નિર્દેશ આપ્યો છે કે, જેથી બંને પક્ષોને કોઈ મુશ્કેલી ન પડે અને મુસ્લિમ સમુદાય પહેલાની જેમ ત્યાં નમાઝ અદા કરી શકે. અદાલતે સ્પષ્ટ કર્યું છે કે આ વ્યવસ્થાનો મુખ્ય હેતુ કેસનાં છેલ્લાં નિકાલ સુધી વિસ્તારમાં શાંતિ અને સૌહાર્દ જાળવી રાખવાનો છે. આ વચગાળાની વ્યવસ્થા હેઠળ સુપ્રીમ કોર્ટે જણાવ્યું છે કે, ભોજશાલા સંકુલની બિલકુલ અડીને આવેલી એક ખુલ્લી જગ્યા મુસ્લિમ પક્ષને શુક્રવારની નમાઝ પઢવા માટે ઉપલબ્ધ કરાવવામાં આવે.…
New Delhi,તા.15 દેશના છ સૌથી મોટા મ્યુચ્યુઅલ ફંડ માર્કેટમાં મુંબઈ ટોચ પર છે. જ્યારે અમદાવાદ છઠ્ઠા ક્રમે છે.અમદાવાદે દેશના છઠ્ઠા સૌથી મોટા મ્યુચ્યુઅલ ફંડ માર્કેટ તરીકે પોતાનું સ્થાન જાળવી રાખ્યું હતું. માર્ચ 2026માં અમદાવાદનું એસેટ્સ અન્ડર મેનેજમેન્ટ (AUM) વાર્ષિક ધોરણે અંદાજે 19 ટકા વધીને રૂ।. 202 લાખ કરોડ થઈ હતું, જે ગયા વર્ષે સમાન ગાળામાં રૂ।. 1.8 લાખ કરોડ હતું. દેશના કુલ મ્યુચ્યુઅલ ફંડ અઞખમાં અમદાવાદનો હિસ્સો 2.82 ટકા હતો, જે માર્ચ 2025ના 2.83 ટકાની સરખામણીએ લગભગ યથાવત હતો. બજારમાં સતત અસ્થિરતા હોવા છતાં અમદાવાદના રોકાણકારોની ભાગીદારી સ્થિર રહી હોવાનું દર્શાવે છે. અત્રે ઉલ્લેખનીય છે કે, વર્ષ 2024ની શરૂઆતમાં અમદાવાદ…
