- Junagadh: ૨૦૧૭ના સરકારી કામગીરીમાં અડચણ અને હુમલા કેસમાં કોર્ટનો કડક ચુકાદો
- Keshod પોલીસે ઘોડી પાસાનો જુગાર રમતા ૪ ઇસમોને ઝડપી લીધાં
- Mangrol માં રાહુલ ગાંધીની ધરપકડ અને વિદ્યાર્થીઓ પર લાઠીચાર્જના વિરોધમાં જિલ્લા કોંગ્રેસનું વિરોધ પ્રદર્શન
- Amreli: કુંકાવાવ તાલુકા પંચાયત પ્રમુખના પતિદેવ અને વર્તમાન સરપંચ વચ્ચે થયુ ધીંગાણું
- Amreli: ભુરખિયા હનુમાનજી મંદિરનું થશે નવનિર્માણ, શ્રીરામ અને શ્રી મહાદેવના પણ ભવ્ય મંદિરો બનશે
- Amreli: લાઠીમાં ગાગડિયા નદીમાં ફસાયેલા વૃદ્ધનું રેસ્ક્યુ કરાતા દુર્ઘટના ટળી
- Rajkot: ૬ ઓગસ્ટથી ઓખા-બનારસ એક્સપ્રેસ ઓખા સ્ટેશનથી ૨૦ મિનિટ વહેલી ઉપડશે
- Amreli: જી.આઈ.ડી.સી. માટે જમીનની ફાળવણી થતા ઉદ્યોગકારો વેપારીઓમાં હર્ષની લાગણી
Author: Vikram Raval
New Delhi તા.31 આવતીકાલે 1 જુનથી કેટલાક નવા નિયમો લાગુ થઈ રહ્યા છે. આપના રોજના ખર્ચ, ક્રેડીટ કાર્ડનો ઉપયોગ અને બચત, પ્રોવિડન્ડ ફંડ સુધી બધા પર અસર કરશે. ક્રેડીટ કાર્ડમાં ઓટો ડેબિટ પેમેન્ટ ફેલ થયું તો તેમાં વધુ પેનલ્ટી આપવી પડશે. 1 જુનથી ક્રેડીટ કાર્ડને લઈને અનેક નિયમ બદલાઈ રહ્યા છે આ નિયમોની આપના ખર્ચ અને રિવોર્ડ પોઈન્ટ પર અસર પડશે. જો કોઈ ક્રેડીટ કાર્ડનું ઓટો ડેબિટ પેમેન્ટ કોઈપણ કારણે ફેલ થયું. તો બેન્કો દ્વારા એ ક્રેડીટ કાર્ડ બે ટકા પેનલ્ટી વસુલવામાં આવશે. યુટીલીટી બીલ અને ઈન્ટરનેશનલ પેમેન્ટ પર વધારાનો ચાર્જ લાગુ પડી શકે છે.
Odisha,તા.31 ઓડીસામાં આવકના જાણીતા સ્ત્રોત કરતા વધુ મિલ્કતના કેસમાં અહીના ગ્રામીણ વિકાસ વિભાગના મુખ્ય અધિકારી વૈકુઠનાથના નિવાસે પડેલા દરોડામાં રૂા.2 કરોડની રોકડ મળી આવી હતી. અધિકારી બે દિવસ પછી જ નિવૃત થવાના હતા. તે પુર્વે તેમના નિવાસ અને અન્ય બે સ્થળોએ દરોડા પાડવામાં આવ્યા હતા. રાજયના વિજીલન્સ વિભાગે પુરી-કટક સહિતના સ્થળોએ દરોડા પાડયા હતા. આ અધિકારી સામે આપેલી ફરિયાદ બાદ તમામ શરૂ થઈ હતી. તેમના પુરી સ્થિત ઘરમાંથી રૂા.1.10 કરોડની રોકડ અને ચીનુ ગ્રુપ સ્થિત આવાસમાંથી રૂા.90 લાખની રોકડ મળી હતી. બાદમાં તેના કુટુંબના વ્યવસ્થાના વધુ 7 સ્થળો પર દરોડા પાડયા હતા. જેમાં 2 ડીએસપી અને ઉચ્ચ અધિકારીઓ પણ જોડાયા…
New Delhi તા.31 ભારતમાં કોરોનાની નવી લહેર હોય તેમ નવા દર્દીઓની સંખ્યામાં સડદડાટ વૃદ્ધિ થવા લાગી છે સાથોસાથ મૃત્યુઆંક પણ ચિંતા ઉપજાવવા લાગ્યો છે. ભારતમાં આજે કોરોનાના નવા 511 કેસ નોંધાવવા સાથે કુલ આંકડો 2710 નો થયો હતો. આજે વધુ સાત લોકોનાં મોત નીપજયા હતા. કેન્દ્રનાં આરોગ્ય મંત્રાલય દ્વારા જારી આંકડાકીય રીપોર્ટ પ્રમાણે ભારતમાં કોરોનાના એકટીવ કેસની સંખ્યા 2710 પર પહોંચી છે. તેમાં સૌથી વધુ 1147 કેરળમાં છે. આ સિવાય મહારાષ્ટ્રમાં 467 દિલ્હીમાં 294 તથા ગુજરાતમાં 265 છે. ગુજરાતમાં ગઈકાલે એક જ દિવસમાં નવા 68 કેસ નોંધાયા હતા. જયારે મહારાષ્ટ્રમાં નવા 84 કેસ હતા.કેરળમાં એક જ દિવસમાં નવા 227 કેસ…
Rajkot,તા.31 ભારત સરકારના ગૃહ મંત્રાલયની સૂચના મુજબ ગત તા. 7 મે ના રોજ દેશના સંવેદનશીલ વિસ્તારોમાં વસવાટ કરતા નાગરિકોની સુરક્ષા વ્યવસ્થાની ચકાસણી અને મૂલ્યાંકન કરવા માટે નાગરિક સંરક્ષણ કવાયત (સિવિલ ડિફેન્સ મોકડ્રીલ) હાથ ધરવામાં આવી હતી. જેના આધારે દેશના કેટલાક સંવેદનશીલ વિસ્તારોમાં નાગરિક સંરક્ષણની વ્યવસ્થાને વધુ સુદ્રઢ બનાવવામાં આવી છે. દુશ્મન દેશના હુમલા સામે નાગરિક સંરક્ષણની તૈયારીઓને વધારવા માટે દેશના પશ્ચિમી સરહદને અડીને આવેલા રાજ્યો તેમજ કેન્દ્રશાસિત પ્રદેશોના તમામ જિલ્લાઓમાં નાગરિક સંરક્ષણ કવાયત ‘ઓપરેશન શિલ્ડ’નું આયોજન કરવાની સૂચના આપવામાં આવી છે. સમગ્ર ગુજરાતમાં પણ શનિવાર તા. 31 ના રોજ સાંજે 5 વાગ્યે ફરી એક વાર નાગરિક સંરક્ષણ કવાયત હાથ ધરવામાં…
તમાકુને ના, જિંદગીને હા ‘વિશ્વ તમાકુ નિષેધ દિવસ’ મનાવવાનો મુખ્ય હેતુ તમાકુ નિષેધ પ્રત્યે લોકોમાં જાગૃતિ લાવવાનો છે. તમાકુ સ્વાસ્થ્ય માટે હાનિકારક છે. એક અંદાજ મુજબ સામાન્ય રીતે તમાકુનો શિકાર 12 થી 17 વર્ષની વયના યુવા થાય છે. આ પાછળનું કારણ ક્યારેક કઈક નવું કરવાની જિજ્ઞાસા હોય છે તો ક્યારેક અન્ય કરતાં પોતે મોટા છે એવું સાબિત કરવાની લાલસા પાછળ સગીર વયે વ્યક્તિ વિવિધ વ્યસનોનો શિકાર થાય છે. તમાકુ નિષેધ માટે જનજાગૃતિ હેતુ આ દિવસ પસંદ કરવામાં આવ્યો છે, પરતું ખરેખર તો આવા માદક પદાર્થોના નિષેધ માટે કોઈ પણ નિશ્ચિત્ત દિવસ હોતો નથી. કોઈ પણ વ્યક્તિ ઈચ્છે ત્યારે તેને બંધ કરી શકે છે બસ આ માટે…
પ્રત્યેક નિરંકારી સત્સંગમાં સદગુરૂદેવના પ્રવચન ૫હેલાં મંગલાચરણને સામુહિક રીતે ગાવામાં આવે છે. આવો આજે મંગલાચરણના શબ્દો અને ભાવાર્થને જાણીએ. હે સમરથ ૫રમાત્મા હે નિર્ગુણ નિરંકાર, તૂં કર્તા હે જગતકા તૂં સબકા આધાર, કણકણમે હૈ બસ રહા તેરા રૂ૫ અપાર, તીન કાલ હૈ સત્ય તૂં મિથ્યા હૈ સંસાર, ઘટ ઘટવાસી હૈ પ્રભુ અવિનાશી કિરતાર, દયાસે તેરી હો સભી ભવસાગરસે પાર, નિરાકાર સાકાર તૂં જગકે પાલનહાર, હૈ બેઅંત મહિમા તેરી દાતા અપરંમ્પાર, ૫રમપિતા ૫રમાત્મા સબ તેરી સંતાન, ભલા કરો સબકા પ્રભુ સબકા હો કલ્યાણ આ દશ પંક્તિઓમાં અપરોક્ષાનુભૂતિથી ઓતપ્રોત બ્રહ્મનું ગૂઢ જ્ઞાન સમાયેલું છે.બ્રહ્મજ્ઞાની સંતો આત્મતત્વની અપરોક્ષ અનુભૂતિ (દર્શન) કરીને પ્રભુ ૫રમાત્માને પોકાર…
એક દિકરીએ એક સંતને વિનંતી કરી કે આપ અમારા ઘેર પધારો અને મારા વૃદ્ધ બિમાર પિતાને મળી તેમના માટે પ્રાર્થના કરો કેમકે મારા પિતાજી પથારીવશ હોવાથી પલંગ ઉપરથી ઉઠી શકતા નથી. સંતે દિકરીની વિનંતી સ્વીકારી તેના ઘેર આવે છે ત્યારે તેના પિતા પલંગ ઉપર બે તકીયા મુકીને સૂઇ રહ્યા હતા અને તેમની સામે એક ખાલી ખુરશી પડી હતી.સંતે આવીને પુછ્યું કે આપ મારા આવવાની જ રાહ જોઇ રહ્યા હતા? ત્યારે પિતાજી ના પાડે છે અને કહે છે કે આપ કોન છો? સંતે પોતાનો પરીચય આપ્યો અને પુછ્યું કે તમારી સામે પડેલ ખાલી ખુરશી જોઇને મને લાગ્યું કે આપ મારી રાહ જોઇ રહ્યા…
વૈશ્વિક સ્તરે, વિશ્વના દરેક દેશને ખ્યાલ આવી રહ્યો છે કે ડોનાલ્ડ ટ્રમ્પ અમેરિકાના રાષ્ટ્રપતિ તરીકે ચૂંટાયા પછી, તેઓ તેમના ચૂંટણી પ્રચારમાં આપેલા વચનો પૂરા કરવામાં ઝડપથી વ્યસ્ત છે. જો આપણે ટ્રમ્પના ચૂંટણી પ્રચારની લગભગ દરેક બેઠક પર નજર કરીએ તો, તેમણે અમેરિકન ફર્સ્ટ, ટેરિફ, યુક્રેન-રશિયા યુદ્ધવિરામ, હમાસ-ઇઝરાયલ યુદ્ધવિરામ સહિત ઘણા વચનો આપ્યા હતા, જે અમેરિકાને ફરીથી નંબર વન પર લાવવામાં મદદરૂપ સાબિત થશે. આખી દુનિયા જોઈ રહી છે કે ટ્રમ્પ એક પછી એક પોતાના વચનો પૂરા કરી રહ્યા છે. આ સંદર્ભમાં, નવા વિદ્યાર્થીઓ માટે યુએસ વિઝા બંધ કરવાનો નિર્ણય પણ જોવા મળી રહ્યો છે. મારું માનવું છે કે જો વિદેશી…
રાજકોટના પાંચ પત્તા પ્રેમી ઝડપાયા: રૂ. ૧૬ હજારની રોકડ કબ્જે Kotda Sangani.તા.30 કોટડા સાંગાણીના રાજપરા ગામે જુગાર રમતા રાજકોટના પાંચ પત્તા પ્રેમીને પોલીસે ઝડપી લઇ, જુગારના પટમાંથી રૂ ૧૬ હજારની રોકડ કબ્જે કરી છે.પોલીસ સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ, કોટડા સાંગાણી પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન બાતમી મળી હતી કે, રાજપરા ગામે રહેતો સંજય બાબુભાઈ ભાલાળા ના ઘર નજીક જાહેરમાં જુગાર રમાઈ રહ્યો છે. કોટડા સાંગાણી પોલીસની ટીમ તાત્કાલિક રાજપરા ગામે પહોંચી, જુગાર રમતો રાજકોટનો નૂરાની પરામાં રહેતો નાસીર સાજીદભાઈ ઠેબા, કોઠારીયા સોલવન્ટ નજીક રત્નદીપ સોસાયટીનો રાજેશ ભુપતભાઈ ગોહિલ, હસમુખ બાબુભાઈ શિંગડીયા, કોઠારીયા રસુલપુરાનો ઈકબાલ કાસમભાઇ બુકેરા અને કોઠારીયા…
