- Junagadh: ૨૦૧૭ના સરકારી કામગીરીમાં અડચણ અને હુમલા કેસમાં કોર્ટનો કડક ચુકાદો
- Keshod પોલીસે ઘોડી પાસાનો જુગાર રમતા ૪ ઇસમોને ઝડપી લીધાં
- Mangrol માં રાહુલ ગાંધીની ધરપકડ અને વિદ્યાર્થીઓ પર લાઠીચાર્જના વિરોધમાં જિલ્લા કોંગ્રેસનું વિરોધ પ્રદર્શન
- Amreli: કુંકાવાવ તાલુકા પંચાયત પ્રમુખના પતિદેવ અને વર્તમાન સરપંચ વચ્ચે થયુ ધીંગાણું
- Amreli: ભુરખિયા હનુમાનજી મંદિરનું થશે નવનિર્માણ, શ્રીરામ અને શ્રી મહાદેવના પણ ભવ્ય મંદિરો બનશે
- Amreli: લાઠીમાં ગાગડિયા નદીમાં ફસાયેલા વૃદ્ધનું રેસ્ક્યુ કરાતા દુર્ઘટના ટળી
- Rajkot: ૬ ઓગસ્ટથી ઓખા-બનારસ એક્સપ્રેસ ઓખા સ્ટેશનથી ૨૦ મિનિટ વહેલી ઉપડશે
- Amreli: જી.આઈ.ડી.સી. માટે જમીનની ફાળવણી થતા ઉદ્યોગકારો વેપારીઓમાં હર્ષની લાગણી
Author: Vikram Raval
ગેરસમજણમાં પાઇપ, હોકી અને પથ્થર વડે માર મારનાર એક મહિલા સહીત પાંચ વિરુદ્ધ ગુનો Jetalsar,તા.30 જેતપુરના જેતલસર ગામે કચરો ફેંકતી વેળાએ શેરીના કુતરાઓ ભેગા થઇ જતાં પુત્રીએ માતાને કુતરાઓને ભગાડવાનું કહેતા નજીકમાં રહેતા એક મહિલા સહીત પાંચ શખ્સોં હથિયાર ધારણ કરી ધસી આવ્યા હતા અને અમને કુતરા કેમ કહો છો કહી માતા-પુત્રી પર હુમલો કરી દેવામાં આવ્યો હતો. લોખંડના પાઇપ,હોકી અને પથ્થર વડે કરાયેલા હુમલામાં માતા-પુત્રીને માથા અને નાકના ભાગે ઇજાઓ થતાં સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા જયારે બીજી બાજુ જેતપુર તાલુકા પોલીસે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી. જેતપુરના જેતલસર ગામે ગાયત્રીનગર ડેડરવા રોડ પર રહેતા 45 વર્ષીય…
ભીડનો લાભ લઇ બે મહિલાના ગળા હળવા કરી સોનાનો ચેઇન અને મંગળસૂત્ર ચોરી લીધાં ‘તા Rajkot.તા.30 શહેરના ભુપેન્દ્ર રોડ સ્વામિનારાયણ મંદિરમાં ચાલી રહેલી જીજ્ઞેશ દાદાની કથામાં મહિલાના ગળામાંથી દાગીના સેરવી લેનાર ટોળકીને એ.ડિવિઝન પોલીસે દબોચી લઈ રૂ.૩.૩૯ લાખના દાગીના કબ્જે કર્યા હતાં. ગિરદીનો લાભ લઇ બે મહિલાના ગળા હળવા કરી સોનાનો ચેઇન અને મંગળસૂત્ર ચોરી નાસી છૂટ્યા હતાં. બનાવ અંગે રાજકોટમાં મોરબી રોડ પર સેટેલાઇટ ચોકમાં રહેતાં શિક્ષક હિતેષભાઈ રમેશભાઈ ડોલર (ઉ.વ.૨૪) એ નોંધાવેલ ફરીયાદમાં જણાવ્યું હતું કે, મોટા બાપાની દિકરી મનીષાબેનન તેમજ તેમના સાસરા વાળા સુરત ખાતે રહે છે.ગઇ તા.૨૫ ના તેઓ શ્રી સ્વામીનારાયણ મુખ્ય મંદીર (બોરડીવાળુ), ભુપેન્દ્ર રોડ…
મેષ આજે વધુ એક ઉચ્ચ-ઊર્જાયુક્ત દિવસ છે તથા અણધાર્યા લાભની શક્યતા છે. તમારી વધારાની ઊર્જા તથા અસાધારણ ઉત્સાહ તમારી તરફેણમાં પરિણામો લાવશે તથા ઘરના મોરચે રહેલું ટૅન્શન હળવું કરશે. આજે તમે કુદરતી સૌદર્ય દ્વારા અંજાઈ જાવ એવી શક્યતા છે. તમે પૂરૂં કરી શકો છો એની પૂરી ખાતરી થયા બાદ જ કોઈ પણ વચન આપજો. આજે તમે તમારી જાતને સ્પૉટલાઈટ હેઠળ મહેસૂસ કરશો જ્યારે તમે કોઈને કરેલી મદદને કારણે તેને વળતર મળશે અથવા તેના કામની નોંધ લેવાશે. તમારા જીવનસાથી આજ તમને વખાણશે, તમારા વિશે સારી વાત કરશે અને તમારા પ્રેમમાં નવેસરથી પડશે. વૃષભ આજે તમારૂં સ્વાસ્થ્ય નિરામય રહે એવી શક્યતા છે…
તા.31-05-2025 શનિવાર તિથિ પંચમી (પાંચમ) – 20:18:24 સુધી નક્ષત્ર પુષ્ય – 21:08:34 સુધી કરણ ભાવ – 08:45:49 સુધી, બાલવ – 20:18:24 સુધી પક્ષ શુક્લ યોગ વૃદ્ધિ – 10:43:23 સુધી વાર શનિવાર સુર્ય અને ચંદ્રની ગણતરીઓ સૂર્યોદય 05:53:52 સૂર્યાસ્ત 19:20:30 ચંદ્ર રાશિ કર્ક ચંદ્રોદય 09:54:59 ચંદ્રાસ્ત 23:40:00 ઋતુ ગ્રીષ્મ હિન્દૂ ચંદ્ર તારીખ શક સંવત 1947 વિશ્વાવસુ વિક્રમ સંવત 2082 કાળી સંવત 5126 પ્રવિષ્ટા / ગત્તે 17 મહિનો પૂર્ણિમાંત જયેષ્ઠ (જેઠ) મહિનો અમાંત જયેષ્ઠ (જેઠ) દિન કાળ 13:26:38 અશુભ સમય દુર મુહુર્ત 05:53:52 થી 06:47:38 ના, 06:47:38 થી 07:41:25 ના કુલિક 06:47:38 થી 07:41:25 ના દુરી / મરણ 12:10:18 થી 13:04:04 ના રાહુ કાળ 09:15:31 થી 10:56:21 ના કાલવેલા/અર્ધ્યામ 13:57:51 થી 14:51:37 ના યમ ઘંટા 15:45:24 થી 16:39:11 ના યમગંડ 14:18:01…
New Delhi,તા.૩૦ દિલ્હી હાઈકોર્ટે શુક્રવારે ઓખલાના જામિયા નગરમાં ઉત્તર પ્રદેશ સિંચાઈ વિભાગની ડિમોલિશન નોટિસ પર રોક લગાવી હતી. જામિયા નગરના રહેવાસીઓએ સિંચાઈ વિભાગના આદેશ પર રોક લગાવવાની માંગણી કરતી દિલ્હી હાઈકોર્ટમાં અરજી દાખલ કરી હતી. હાઈકોર્ટે ઉત્તર પ્રદેશ સિંચાઈ વિભાગને આગામી સુનાવણી સુધી કાર્યવાહી ન કરવાનો નિર્દેશ આપ્યો છે. જામિયા નગરના ૧૧૫ રહેવાસીઓએ દિલ્હી હાઈકોર્ટમાં અરજી દાખલ કરીને સિંચાઈ વિભાગને ઓખલાના જામિયા નગરના ખીજર બાબા કોલોનીના મુરાદી રોડ પર ઠાસરા નંબર ૨૭૭ માં સ્થિત તેમની સંબંધિત મિલકતોના તોડી પાડવાનો આદેશ આપવાની માંગ કરી હતી. ઉત્તર પ્રદેશ સિંચાઈ વિભાગે ગેરકાયદેસર બાંધકામ અંગે આ વિસ્તારની ઘણી દુકાનો અને મકાનો પર નોટિસ લગાવી…
Gandhinagarતા.૩૦ ગુજરાતમાં ધીમે ધીમે કોરોના માથું ઉંચકી રહ્યો છે. ત્યારે અમદાવાદમાં કોરોનાના વધુ ૨ કેસ નોંધાયા છે. અમદાવાદમાં સોલા સિવિલ હોસ્પિટલમાં હાલમાં ૨ દર્દી સારવાર હેઠળ છે. ૨૩ વર્ષીય મહિલા અને એક નવજાતને કોરોના પોઝિટિવ આવતા તેમને સારવાર હેઠળ રાખવામાં આવ્યા છે. તો આ સાથે જ નવજાત બાળકને કોરોનો પોઝિટિવ આવતા જ તેને દ્ગૈંઝ્રેંમાં ઓક્સિજનની મદદથી સારવાર અપાઈ રહી છે. મળતી માહિતી અનુસાર ગત સપ્તાહે આ નવજાત બાળકની માતાને પણ કોરોના પોઝિટિવ આવ્યો હતો. ત્યારબાદ આ બાળકને કોરોના થતા તેને સારવાર હેઠળ રાખવામાં આવ્યું છે. તેને એનઆઇસીયુમાં ઓક્સિજનની મદદથી સારવાર અપાઈ રહી છે. જો કે હાલ કોઈ ચિંતાજનક સ્થિતિ ન…
New Delhi,તા.૩૦ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ જમ્મુ અને કાશ્મીરની મુલાકાતે છે. અહીં તેઓ સુરક્ષા પરિસ્થિતિની સમીક્ષા કરશે. અહીં પૂંચમાં, તેમણે ગોળીબારથી પ્રભાવિત લોકોને મળ્યા. અમિત શાહે આ દરમિયાન કહ્યું કે પાકિસ્તાને નિર્દોષ લોકો પર હુમલો કર્યો. આપણા ધાર્મિક સ્થળો પર હુમલો કર્યો. આ હુમલાઓમાં આપણા નાગરિકો માર્યા ગયા છે. આપણે બધા જાણીએ છીએ કે વળતર, સરકારી નોકરીઓ તમારા જીવનમાં થયેલા નુકસાનની ભરપાઈ કરી શકતી નથી. આ જમ્મુ અને કાશ્મીર સરકાર, ભારત સરકાર અને સમગ્ર દેશના લોકોની તમારી સાથે જોડાયેલી લાગણીઓનું પ્રતીક છે. તમારા પરિવારને જે નુકસાન થયું છે તેમાં આખો દેશ તમારી સાથે ખડકની જેમ ઉભો છે. તેમણે વધુમાં કહ્યું,…
New Delhi,તા.૩૦ ઓપરેશન સિંદૂર પછી, પોલીસ અને સુરક્ષા એજન્સીઓ ભારતના વિવિધ શહેરોમાંથી પાકિસ્તાન સાથે જોડાયેલા જાસૂસોની ધરપકડ કરી રહી છે. આ ક્રમમાં, સુરક્ષા એજન્સીઓએ તાજેતરમાં રાજસ્થાનથી કાસિમ નામના વ્યક્તિની ધરપકડ કરી હતી. કાસિમની હવે દિલ્હી પોલીસના સ્પેશિયલ સેલે પૂછપરછ કરી છે. દિલ્હી પોલીસના સ્પેશિયલ સેલે જાસૂસી કેસમાં ફસાયેલા કાસિમ વિશે મોટો ખુલાસો કર્યો છે. કાસિમ સાથેની પૂછપરછમાં જાણવા મળ્યું છે કે તેણે લાહોરના આર્મી કેમ્પમાં તાલીમ લીધી હતી. તેને ૩ આઇએસઆઇ અધિકારીઓએ તાલીમ આપી હતી. તપાસમાં બહાર આવ્યું છે કે ૩ આઇએસઆઇ અધિકારીઓ કાસિમ સહિત કેટલાક આરોપીઓને પાકિસ્તાનમાં તાલીમ આપી રહ્યા હતા. આ આઇએસઆઇ અધિકારીઓમાંથી બે કોડ નામ શાહજી અને…
Surat,તા.૩૦ સુરતની અઠવા પોલીસે લુંટેરી દુલ્હનની ટોળકી પકડી પાડી છે. લુંટેરી દુલ્હને અમદાવાદના યુવાન સાથે લગ્ન કર્યા હતા. લુટેરી દુલ્હનની માતાએ તેના પિતા ન હોવાનું કહીને એક લાખ રૂપિયા માંગ્યા હતા અને તે યુવાને આપી પણ દીધા હતા. પણ લગ્નના બીજા જ દિવસે લુંટેરી દુલ્હન બહાનું કાઢીને માતા સાથે ભાગી ગાઈ હતી. તેના પછી તેણે પતિ સાથે રહેવાનો પણ ઇન્કાર કર્યો હતો અને એક લાખ રૂપિયા આપવાની પણ ના પાડી દીધી હતી. ફરિયાદના આધારે પોલીસે મહિલા ટોળકીની ધરપકડ કરી છે. આમ હવે લગ્નોત્સુક યુવાનો સાથે છેતરપિડીના કિસ્સાનું પ્રમાણ સતત વધવા લાગ્યું છે. પહેલા લુંટેરી દુલ્હનના કિસ્સા પણ ભાગ્યે જ જોવા…
Ahmedabad,તા.૩૦ કડી અને વિસાવદર બેઠકની પેટાચૂંટણીમાં પ્રચાર માટે આમ આદમી પાર્ટીએ સ્ટાર પ્રચારકોની યાદી જાહેર કરી છે.આપના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલ અને તેમના પત્ની સુનિતા કેજરીવાલ સ્ટાર પ્રચારકની યાદીમાં સામેલ છે. આમ આદમી પાર્ટીએ કડી અને વિસાવદર બેઠક માટે સ્ટાર પ્રચારકોની યાદી જાહેર કરી છે. આપના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલ, પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન, દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી આતિશી, પ્રદેશ પ્રભારી ગોપાલ રાય, દિલ્હીના પૂર્વ શિક્ષણ મંત્રી મનીષ સિસોદિયા અને સાંસદ સંજય સિંહ તથા સાંસદ રાઘવ ચઢ્ઢા વિસાવદર અને કડીની પેટા ચૂંટણીમાં પ્રચારમાં ઉતરશે. અરવિંદ કેજરીવાલજીના પત્ની સુનિતા કેજરીવાલ સ્ટાર પ્રચારક તરીકે ગુજરાતમાં પ્રચાર કરશે. રાજ્યસભા સાંસદ રાઘવ ચઢ્ઢા, દિલ્હીના ધારાસભ્ય…
