- Junagadh: ૨૦૧૭ના સરકારી કામગીરીમાં અડચણ અને હુમલા કેસમાં કોર્ટનો કડક ચુકાદો
- Keshod પોલીસે ઘોડી પાસાનો જુગાર રમતા ૪ ઇસમોને ઝડપી લીધાં
- Mangrol માં રાહુલ ગાંધીની ધરપકડ અને વિદ્યાર્થીઓ પર લાઠીચાર્જના વિરોધમાં જિલ્લા કોંગ્રેસનું વિરોધ પ્રદર્શન
- Amreli: કુંકાવાવ તાલુકા પંચાયત પ્રમુખના પતિદેવ અને વર્તમાન સરપંચ વચ્ચે થયુ ધીંગાણું
- Amreli: ભુરખિયા હનુમાનજી મંદિરનું થશે નવનિર્માણ, શ્રીરામ અને શ્રી મહાદેવના પણ ભવ્ય મંદિરો બનશે
- Amreli: લાઠીમાં ગાગડિયા નદીમાં ફસાયેલા વૃદ્ધનું રેસ્ક્યુ કરાતા દુર્ઘટના ટળી
- Rajkot: ૬ ઓગસ્ટથી ઓખા-બનારસ એક્સપ્રેસ ઓખા સ્ટેશનથી ૨૦ મિનિટ વહેલી ઉપડશે
- Amreli: જી.આઈ.ડી.સી. માટે જમીનની ફાળવણી થતા ઉદ્યોગકારો વેપારીઓમાં હર્ષની લાગણી
Author: Vikram Raval
America,તા.31 અમેરિકન રાષ્ટ્ર પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે એકવાર ફરી ભારત-પાકિસ્તાન સંઘર્ષ વિરામનો શ્રેય લેતા વેપાર કરારને લઈને મોટું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે, જો ભારત પાકિસ્તાન વચ્ચે ફરી યુદ્ધ થાય છે તો અમેરિકા કોઈપણ કરાર નહીં કરે. અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે, ‘અમેરિકા ભારત અને પાકિસ્તાન સાથે વેપાર કરાર કરવા જઈ રહ્યું છે. મને તેમના પર ગર્વ છે. અમે ગોળીઓની સિવાય વેપાર દ્વારા પરમાણુ યુદ્ધની આશંકાને રોકવામાં સફળ રહ્યા. બંને દેશો વચ્ચે યુદ્ધનો ઈતિહાસ રહ્યો છે. દર વખતે તે બંને ગોળીઓ બાદ સમાધાન કરવા પર રાજી રહ્યા છે. પરંતુ, અમે વેપાર દ્વારા સમાધાન કરાવ્યું, તેથી મને તેના પર ખૂબ…
Gandhinagar,તા.31 ગાંધીનગરના ચિલોડા ખાતે બસમાં દિલ્હીથી બેંગ્લુરુ લઈ જવામાં આવી રહેલા રૂપિયા 2.38 કરોડના ગાંજા સાથે મુંબઈના દંપતિની ધરપકડ કરવામાં આવી છે. પકડાયેલા આ હાઈ બ્રીડ ગાંજા મુદ્દે ગાંધીનગર ASP આયુષ જૈને પ્રેસ કોન્ફરન્સ કરી મીડિયાને માહિતી આપી હતી. આરોપીઓએ પોલીસને આપેલી માહિતી પ્રમાણે બંને મહારાષ્ટ્રના રહેવાસી હોવાનુ જણાવેલ છે. રાશીદ મોહમ્દ યુનૂસ શેખ અને તેની પત્ની સભા રાશીદ શેખની ધરકપકડ કરી છે, આ બંને આરોપીઓ સોનાજીનગર મુંબઈના રહેવાસી છે અને ગાંજાની ડિલિવરી કરવા મુંબઈથી દિલ્હી ફ્લાઇટમાં ગયા હતા. દિલ્હીથી હાઇબ્રીડ ગાંજો લઇને ત્યાંથી ટ્રાવેલ્સ બસમાં બેસી વાયા અમદાવાદ થઇને બેંગ્લુરુ ખાતે ગાંજાની ડીલીવરી આપવા જવાના હતા. બન્ને આરોપીઓ વિરૂદ્ધ એન.ડી.પી.એસ.એકટ…
Madhya Pradesh,તા.31 વડાપ્રધાન નરેન્દ્ર મોદી હાલ મધ્ય પ્રદેશની મુલાકાતે છે. ઓપરેશન સિંદૂર બાદ એકબાજુ ભારતીય નેતાઓનું સર્વપક્ષીય ડેલિગેશન દુનિયાભરમાં ભારતનો પક્ષ મૂકી રહ્યું છે. ત્યાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ ભારતના વિવિધ રાજ્યોમાં રેલી, રોડ શો અને સભાને સંબોધિત કરી રહ્યા છે. વડાપ્રધાન મોદીએ શનિવારે (31 મે) લોકમાતા દેવી અહિલ્યાબાઈ હોલ્કરની 300મી જન્મજયંતી સાથે જોડાયેલા કાર્યક્રમમાં હાજરી આપી હતી. આ દરમિયાન જનતાના સંબોધન દરમિયાન તેમણે અહિલ્યાબાઈના મહાન કામથી લઈને ઓપરેશન સિંદૂર અને તેમાં મહિલાઓ જવાનોના યોગદાન વિશે વાત કરી હતી.જનતાને સંબોધિત કરતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે, ‘અહિલ્યાબાઈ હોલ્કરે પ્રભુસેવા અને જનસેવાને ક્યારેય અલગ નથી માન્યું. તે હંમેશા શિવલિંગ પોતાની સાથે…
New Delhi તા.31 આવકવેરા રીટર્ન ફાઈલ કરવાની મુદતમાં વધારા વચ્ચે સીધા કરવેલા બોર્ડ દ્વારા આઈટીઆર-1 તથા આઈટીઆર-4 માટે એકસેલ સુવિધા ઉપલબ્ધ કરાવી દેવામાં આવી છે. કરદાતાઓ જ રીટર્ન ફાઈલ કરી કરવાનું શરૂ કરી શકે છે. રિટર્ન ફાઈલ કરવાની મુદત તા.31 જુલાઈથી વધારીને 15 સપ્ટેમ્બર કરવામાં આવી છે. ફોર્મ 1 અને 4 માં 50 લાખ સુધીની આવક ધરાવતાં વ્યકિતગત એચયુએફ તથા સંસ્થાકીય કરદાતાઓએ રિટર્ન ફાઈલ કરવાનાં હોય છે.આ કરદાતાઓને ઓડીટ કરાવવાનું હોતું નથી.
Ahmedabad,તા.31 ગુજરાત હાઈકોર્ટે એક મહત્વના ચૂકાદામાં જણાવ્યું હતું કે અસામાન્ય સંજોગો સિવાય પાંચ વર્ષથી નાના બાળકની કસ્ટડી માતા સિવાય કોઈને મળી શકે નહી. લગ્નજીવનની ટકરારના કારણે છેલ્લા એક મહિનાથી લાપતા બનેલી પત્ની અને પુત્રીનો કબ્જો મેળવવા એક વ્યક્તિએ ગુજરાત હાઈકોર્ટમાં હેબીયર્સ કોર્પસ સુનાવણી સમયે હાઈકોર્ટના આદેશ મુજબ પોલીસે આજે માતા અને પુત્રીને હાજર કર્યા હતા. જે સંદર્ભની સુનાવણીમાં હાઈકોર્ટના ન્યાયમૂર્તિ વિમલ કે.વ્યાસે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું હતું કે પુત્રીની ઉંમર પાંચ વર્ષથી ઓછી છે અને જયાં સુધી કોઈ અસાધારણ કે વ્યાજબી કારણ ન હોય તો માતા પાસેથી આ ઉંમરની પુત્રીની કસ્ટડી લઈ શકાય નહી અને તેથી જ પુત્રીની કસ્ટડી માતાને સુપ્રત…
Ahmedabad તા.31 ગુજરાત ટાઇટન્સની હાર બાદ ટીમના મુખ્ય કોચ આશિષ નેહરાની પુત્રી અને પુત્ર રડી પડ્યા હતા. ઇનિંગનો છેલ્લો બોલ ફેંકાયા પછી, કેમેરો ગુજરાત ટાઇટન્સની ટીમના પરિવારના સભ્યો પાસે ગયો. બધા શોકમાં ડૂબી ગયા હતા. પરંતુ આશિષ નેહરાના પુત્ર અને પુત્રીની આંખોમાં આંસુ હતા. શુભમન ગિલની બહેન પણ ગુજરાતને સપોર્ટ કરવા આવી હતી. આ દરમિયાન શુભમન ગિલ પણ આશિષ નેહરાની પુત્રીને શાંત પાડતો જોવા મળ્યો હતો. જોકે, તે આ દરમિયાન ભાવુક પણ દેખાતી હતી. મુંબઈ ઈન્ડિયન્સે ટોસ જીતીને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય લીધો. જવાબમાં, રોહિત શર્મા અને જોની બેયરસ્ટોએ મળીને શરૂઆતના ઓવરમાં 7.1 ઓવરમાં 84 રન ઉમેર્યા. ત્યારબાદ 22 બોલમાં…
Gandhinagar,તા.31 દેશના કેટલાંક રાજયોની જેમ ગુજરાતમા પણ કોરોનાના કેસ વધી રહ્યા છે. છેલ્લા 24 કલાકમાં નવા 68 કેસ કુલ સંખ્યા 265 ની થઈ હતી. સંક્રમણ ગંભીર કે ખતરનાક હોવાના દાવા સાથે સરકારે લોકોને ડરવાને બદલે માત્ર સાવચેતી રાખવા સુચવ્યુ છે. જયારે ગુજરાતમાં આરોગ્ય વિભાગે કોરોના અંગે હોસ્પીટલમાં મોકડ્રીલ યોજવાનો નિર્ણય લીધો છે. હોસ્પીટલોમાં કોરોના વોર્ડ તૈયાર કરાયા જ છે.ત્યારે આઈસોલેશન વોર્ડમાં તથા ઓકસીજન પ્લાંટમાં મોકડ્રીલ કરાશે. રાજયના આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે આરોગ્ય અધિકારીઓ સાથે તાકીદની બેઠક યોજીને સ્થિતિની સમીક્ષા પણ કરી હતી.
Mumbai,તા.31 ઈન્ડિયન પ્રીમિયર લીગ 2025ના એલિમિનેટર મેચમાં ગુજરાત ટાઈટન્સને 20 રનથી હારનો સામનો કરવો પડયો. આ હાર સાથે ટીમ ફાઇનલની રેસમાંથી બહાર થઈ ગઈ. એલિમિનેટરમાં ગુજરાતની હારનો મોટો વિલન કુશલ મેન્ડિસ અને ફાસ્ટ બોલર ગેરાલ્ડ કોટઝી રહ્યો હતો. મુંબઈના બેટ્સમેનોએ ગેરાલ્ડ કોટઝીની ઓવરમાં સૌથી વધુ રન બનાવ્યાં. પરિસ્થિતિ એવી બની કે કેપ્ટન શુભમન ગિલે તેને ફક્ત 3 ઓવર બોલિંગ કરાવી, જેમાં તેણે 51 રન આપ્યા અને એક પણ વિકેટ લઈ શક્યો નહીં. જ્યારે શ્રીલંકાના કુશલ મેન્ડિસે ગુજરાત માટે IPL ડેબ્યૂ કર્યું, જે બહુ ખાસ નહોતું. તેને જોસ બટલરની જગ્યાએ ગુજરાતની ટીમમાં સ્થાન મળ્યું હતું. શ્રીલંકાના વિકેટકીપર-બેટરનું મુંબઈ ઇન્ડિયન્સ સામે પ્રદર્શન…
Ayodhya, તા.31 યોગી આદિત્યનાથ સરકારે અયોધ્યામાં રામભક્તો માટે એક મહત્ત્વપૂર્ણ નિર્ણય લીધો છે. રામપથ, ધર્મપથ અને પંચકોસી પરિક્રમા માર્ગ જેવાં પવિત્ર સ્થળોએ માંસાહારી વસ્તુઓના વેચાણ પર સંપૂર્ણપણે પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.અહીં શરાબના વેચાણ પર પણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. આ મુદ્દે પ્રશાસને કડક પગલાં લીધાં છે અને માંસાહારી અને દારૂની દુકાનો 7 દિવસમાં બંધ કરવાનો નિર્દેશ આપ્યો છે. અયોધ્યા સુધરાઈના આ નિર્ણય બાદ ધર્મપથ, રામપથ, 14 કોસી અને પંચકોસી પરિક્રમા રૂટ પર હવે માંસાહારી ચીજો વેચી શકાશે નહીં. આ મુદ્દે મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથના નિર્દેશ પર અયોધ્યાના ફૂડ ડેપ્યુટી કમિશનર તેમની ટીમ સાથે 13 કિલોમીટર લાંબા રામપથ વિસ્તારમાં પહોંચ્યા હતા…
Mumbai,તા.31 ભારતીય ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહે હાલમાં ભૂતપૂર્વ ઑસ્ટ્રેલિયન કેપ્ટન માઇકલ ક્લાર્કના ક્રિકેટ પોડકાસ્ટ બિયોન્ડ23માં હાજરી આપી હતી. 31 વર્ષના બુમરાહે આ પોડકાસ્ટમાં કહ્યું, ‘મારા માટે પરિવાર મારી કરીઅર કરતાં વધુ મહત્ત્વપૂર્ણ છે, કારણ કે તમે જાણો છો કે એ સ્થિર છે. બે બાબતો છે જેને ગંભીરતાથી લઉં છું. એક મારો પરિવાર હું છે અને એક મારી રમત છે, પરંતુ પરિવાર પહેલાં આવે છે. મારે પ્રાથમિકતા આંપવી પડશે અને હું પ્રાથમિકતા આપું છું, કારણ કે હું હંમેશાં ક્રિકેટર રહીશ નહીં. તેમના માટે, હું ક્રિકેટર નથી, હું એક માલસ છું.’ જસપ્રીત બુમરાહે ખુલાસો કર્યો તેનો દીકરો અગંદ બોલ ઉપાડવાની સાથે એની…
