Author: Vikram Raval

Ahmedabad, તા. 30 દેશમાં સમય કરતા વહેલું પહોંચી ગયેલુ ચોમાસુ ધમાકાભેર આગળ વધ્યા બાદ હવે મુંબઇ પહોંચીને સ્થગિત થઇ ગયું છે અને હવામાન વિભાગે જાહેર કર્યુ છે કે ગુજરાતમાં હાલ કોઇ વ્યાપક વરસાદની સિસ્ટમ નથી. કેટલાક વિસ્તારોમાં છુટોછવાયો વરસાદ પડી શકે છે. ચોમાસુ કેરળથી આગળ વધીને ગોવા અને મહારાષ્ટ્ર તથા ગુજરાત ભણી આવશે તેવા સંકેત હતા અને મુંબઇમાં પણ મે માસમાં જ ભરપુર વરસાદ નોંધાઇ ગયો હતો. પરંતુ ચોમાસાની સિસ્ટમ મુંબઇ પહોંચ્યા પછી નબળી પડી ગઇ છે. જેના કારણે ચોમાસુ ગુજરાતમાં પહોંચવામાં વિલંબ થઇ શકે છે. હવામાન વિભાગે જણાવ્યું કે, વરસાદમાં વિલંબ અંગે પણ શકયતાઓ રહેલી છે. ગુજરાતમાં હાલ કોઇ…

Read More

JSW MG મોટર ઇન્ડિયાએ ભારતીય બજારમાં વિન્ડસર EVનું નવું એક્સક્લુઝિવ પ્રો વેરિઅન્ટ લોન્ચ કર્યું છે. આ ભારતમાં પહેલું ઇલેક્ટ્રિક ક્રોસઓવર યુટિલિટી વાહન છે, જે ગયા વર્ષે સપ્ટેમ્બરમાં લોન્ચ કરવામાં આવ્યું હતું. કંપનીએ તાજેતરમાં જ તેનું નવું ટોપ વેરિઅન્ટ એસેન્સ પ્રો લોન્ચ કર્યું છે. આ નવું એક્સક્લુઝિવ પ્રો વેરિઅન્ટ એસેન્સ અને એસેન્સ પ્રો વેરિઅન્ટ વચ્ચે મૂકવામાં આવ્યું છે. એસેન્સ પ્રો વેરિઅન્ટની જેમ, તેમાં 52.9kWh બેટરી પેક છે, જે ફુલ ચાર્જ પર 449km ની સ્ટાન્ડર્ડ રેન્જ આપશે.  વિન્ડસર એક્સક્લુઝિવ પ્રો વેરિઅન્ટની એક્સ-શોરૂમ કિંમત 17.25 લાખ રૂપિયા રાખવામાં આવી છે. પહેલાની જેમ, બેટરી એઝ અ સર્વિસ (BaaS) નો વિકલ્પ પણ છે, જેમાં તમે…

Read More

દરેક ઉંમરે સ્કિનની કેર કરવી જરૂરી હોય છે. પરંતુ બદલાતા સમય અને ઉંમર પ્રમાણે તમારી સ્કિન કેર બદલાઈ જાય છે. વધતી ઉંમર સાથે લોકો પોતાની સ્કિનની કેર અલગ-અલગ રીતે કરે છે. નાના બાળકો અને યુવાનો પોતાની સ્કિનને સ્વચ્છ અને હેલ્ધી રાખવાનો પ્રયાસ કરે છે. મિલેનિયલ્સ ઈચ્છે છે કે તેમની સ્કિન પર વધતી ઉંમરના નિશાન ન દેખાય. આ સાથે જ જનરેશન X ના લોકો પોતાની સ્કિનને સુંદર અને ચમકદાર બનાવી રાખવા પર ખાસ ધ્યાન આપે છે. 1965થી 1980ની વચ્ચે જન્મેલા લોકો ‘જેન એક્સ’ કેટેગરીમાં આવે છે. આવા લોકો પોતાની સ્કિન કેર દરમિયાન કરચલીઓ અને ઉંમરની ફોલ્લીઓ ઘટાડવા પર પણ ફોકસ કરે…

Read More

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બિહારના કારાકાટથી એકવાર ફરી પાકિસ્તાન અને આતંકવાદ પર પ્રહાર કર્યા છે. વડાપ્રધાન મોદીએ કહ્યું કે, ‘જો હવે આતંકવાદ કરવા ઊભા થયા તો કચડી નાંખવામાં આવશે. બિહારની ધરતીથી ફરી પુનરાવર્તન કરૂ છુ કે, ઓપરેશન સિંદૂરમાં ભારતની તાકાત દુશ્મને જોઈ લીધી છે, દુશ્મન હવે જાણી લે કે આ તો ફક્ત એક ટ્રેલર છે.’ આર્મીના વખાણ કરતા વડાપ્રધાન મોદીએ કહ્યું કે, ‘ઓપરેશન સિંદૂરમાં દુનિયાએ આપણી BSFનો પણ અભૂતપૂર્વ પરાક્રમ જોયો. આપણી સરહદ પર તૈનાત BSFના સૈનિકો સુરક્ષાની અભેદ ચટ્ટાન બનીને ઊભા છે. અમારી લડાઈ દેશના દરેક દુશ્મન સાથે છે. પછી ભલે તે સરહદ પાર હોય કે સરહદની અંદર. બિહારની જનતા…

Read More

Mumbai,તા.30 બોલિવૂડની કોમેડી ફ્રેન્ચાઇઝ ફિલ્મ ‘હેરા ફેરી 3’ ઘણા સમયથી સમાચારમાં છે. આ ફિલ્મની ત્રિપુટી, રાજુ, શ્યામ અને બાબુ ભૈયા, દરેક ઘરમાં પ્રખ્યાત છે. આમાંથી બાબુ ભૈયા એટલે કે પરેશ રાવલની ફિલ્મ છોડી દેવાથી ચાહકોના દિલ તૂટી ગયા છે. આ દરમિયાન, કોમેડી એક્ટર જૉની લીવરે ‘હેરા ફેરી 3’ માંથી બહાર નીકળવા અંગે પોતાની પ્રતિક્રિયા આપી છે. આ સાથે, તેમણે પરેશ રાવલને એક ખાસ સલાહ આપી છે. જૉની લીવરે આગળ કહ્યું, ‘પરેશ જી વગર ફિલ્મ મજા નહીં આવે. તેથી, વાત કરીને મામલો ઉકેલવો જોઈએ, મારા મતે આ યોગ્ય વાત છે.’ જ્યારે જૉની લીવરને પૂછવામાં આવ્યું કે શું તેઓ ‘હેરા ફેરી 3’નો…

Read More

Mumbai,તા.30 વૈભવ સૂર્યવંશી 30 મે શુક્રવારના રોજ પટના એરપોર્ટ પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળ્યો હતો. વૈભવે પીએમ મોદીના ચરણ સ્પર્શ કરીને તેમના આશીર્વાદ મેળવ્યા હતા. આ દરમિયાન વૈભવના માતા-પિતા પણ હાજર હતા.  14 વર્ષીય વૈભવે ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) ની વર્તમાન સીઝનમાં રાજસ્થાન રોયલ્સ (RR) માટે શાનદાર રમત રમી હતી. વૈભવે એક મેચમાં માત્ર 35 બોલમાં સદી ફટકારતાં તે રાતોરાત સ્ટાર બની ગયો હતો. આ સાથે જ વૈભવ IPLમાં સદી ફટકારનાર સૌથી ઝડપી ભારતીય ખેલાડીઓની યાદીમાં પણ સામેલ થઈ ગયો હતો. પીએમ નરેન્દ્ર મોદીએ વૈભવ સૂર્યવંશી સાથેની મુલાકાતનો ઉલ્લેખ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર પણ કર્યો હતો. પીએમ નરેન્દ્ર મોદીએ …

Read More

New Delhi,તા.30 NEET (NATIONAL ELIGIBILITY CUM ENTRANCE TEST) 2025ની પરીક્ષાનું આયોજન દેશભરમાં નક્કી કરેલા વિવિધ કેન્દ્રો પર એક જ શિફ્ટમાં યોજાશે. બે શિફ્ટમાં પરીક્ષાના આયોજનને પડકારતી અરજી પર સુનાવણી દરમિયાન શુક્રવારે (30 મે) સુપ્રીમ કોર્ટે પરીક્ષાનું એક જ શિફ્ટમાં આયોજન કરવાનો નિર્ણય લીધો છે. NEET પરીક્ષાનું આયોજન 15 જૂનથી સીબીટી મોડમાં કરવામાં આવશે. નોંધનીય છે કે, આ પહેલા NEET પરીક્ષા બે શિફ્ટમાં આયોજિત કરવાનો કાર્યક્રમ જાહેર કરાયો હતો. સુપ્રીમ કોર્ટે શુક્રવારે નેશનલ બોર્ડ ઑફ એગ્ઝામિનેશનને નિર્દેશ કર્યો કે, તે NEET PG 2025ની પરીક્ષાનું આયોજન બે શિફ્ટમાં ન કરવું પરંતુ, એક શિફ્ટમાં જ ગોઠવો. કોર્ટે NBE (National Board of Examinations in…

Read More

Uttarakhand,તા.30  ઉત્તરાખંડના બહુચર્ચિત અંકિતા ભંડારી હત્યા કેસમાં જિલ્લા કોર્ટે મહત્ત્વપૂર્ણ ચુકાદો આપ્યો છે. ચુકાદો આપતાં એડિશનલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ જજની કોર્ટે ત્રણેય આરોપી પુલકિત આર્ય, સૌરભ ભાસ્કર અને અંકિત ગુપ્તાને દોષિત જાહેર કર્યા છે. કોર્ટે ત્રણેય આરોપીઓને આજીવન કેદની સજા ફટકારી છે. આ ઉપરાંત 50-50 હજાર રૂપિયાનો દંડ ફટકાર્યો છે. ઋષિકેશ નજીક વંતારા રિસોર્ટમાં રિસેપ્શનિસ્ટ તરીકે કામ કરતી 19 વર્ષીય અંકિતાની સપ્ટેમ્બર 2022માં રિસોર્ટના સંચાલક પુલકિત આર્ય અને તેના બે અન્ય કર્મચારીએ ચીલા કેનાલમાં ધક્કો મારીને હત્યા કરી હતી. પ્રારંભિક તપાસમાં જાણવા મળ્યું છે કે અંકિતાએ રિસોર્ટમાં ‘વીઆઈપી’ મહેમાનને ‘વધારાની સેવા’ પૂરી પાડવાનો ઇનકાર કર્યો હતો અને આના કારણે ઉદ્ભવેલા…

Read More

Telangana,તા.30 તેલંગાણાના મુખ્યમંત્રી રેવંત રેડ્ડીએ પાકિસ્તાન સાથેના સંઘર્ષ બાદ કેન્દ્ર સરકાર દ્વારા થઈ રહેલી વાહવાહી પર કેટલાક સવાલો ઉઠાવ્યા છે. તેમણે હૈદરાબાદમાં ‘જય હિંદ યાત્રા’ પહેલાં એક જનસભાને સંબોધિત કરતાં ભાજપ પર આરોપ મૂક્યો હતો કે, ‘ભાજપ પાકિસ્તાન સાથેના સંઘર્ષનો રાજકીય હથિયાર તરીકે ઉપયોગ કરી રહ્યું છે. આ સંઘર્ષમાં પારદર્શકતા પણ નથી. ચાર દિવસના સંઘર્ષ પછી શું થયું, કોણે આત્મસમર્પણ કર્યું એ વિશે આપણે કંઈ જાણતા નથી.’ રેવંત રેડ્ડીએ યુદ્ધ વિરામના નિર્ણય પર ચર્ચા કરવા માટે સર્વપક્ષીય બેઠક ન બોલાવવા બદલ પણ વડાપ્રધાન પર પ્રહાર કર્યા હતાં. તેમણે ક્હ્યું કે, ‘સંઘર્ષ શરૂ કરતાં પહેલાં તમે સર્વપક્ષીય બેઠક બોલાવી, જ્યારે તમને…

Read More

New Delhi તા.30 દેશભરમાં એન્ફોર્સમેન્ટ વિભાગ દ્વારા ભ્રષ્ટાચારીઓ સામે દરોડા પાડવામાં આવે છે તે સમયે જ ઈડીના ડેપ્યુટી ડાયરેકટર ચિંતન રઘુવંશીને સીબીઆઈએ રૂા.20 લાખની લાંચ કેસમાં ઝડપી લીધા છે. ભુવનેશ્વર સ્થિત એક વ્યાપારી પાસેથી ઈડી સંબંધી કેસનો નિકાલ કરવા તેણે આ લાંચની રકમ માંગી હતી. ચિંતન રઘુવંશી ઓડિશામાં ફરજ બજાવે છે. 2013 બેચના આ ઈન્ડીયન રેવન્યુ સર્વિસના અધિકારીએ એક વ્યાપારી એકમના સંચાલક પાસેથી માંગેલી લાંચની ફરિયાદ સીબીઆઈને થઈ હતી. તેમાં છટકુ ગોઠવાયુ હતું. ઈડી ડેપ્યુટી ડાયરેકટર લાંચ લેતા ઝડપાઈ ગયા હતા અને તુર્તજ તેમની ધરપકડ કરવામાં આવી છે અને હવે વિધીવત કેસ દાખલ કરાશે.

Read More