- Junagadh: ૨૦૧૭ના સરકારી કામગીરીમાં અડચણ અને હુમલા કેસમાં કોર્ટનો કડક ચુકાદો
- Keshod પોલીસે ઘોડી પાસાનો જુગાર રમતા ૪ ઇસમોને ઝડપી લીધાં
- Mangrol માં રાહુલ ગાંધીની ધરપકડ અને વિદ્યાર્થીઓ પર લાઠીચાર્જના વિરોધમાં જિલ્લા કોંગ્રેસનું વિરોધ પ્રદર્શન
- Amreli: કુંકાવાવ તાલુકા પંચાયત પ્રમુખના પતિદેવ અને વર્તમાન સરપંચ વચ્ચે થયુ ધીંગાણું
- Amreli: ભુરખિયા હનુમાનજી મંદિરનું થશે નવનિર્માણ, શ્રીરામ અને શ્રી મહાદેવના પણ ભવ્ય મંદિરો બનશે
- Amreli: લાઠીમાં ગાગડિયા નદીમાં ફસાયેલા વૃદ્ધનું રેસ્ક્યુ કરાતા દુર્ઘટના ટળી
- Rajkot: ૬ ઓગસ્ટથી ઓખા-બનારસ એક્સપ્રેસ ઓખા સ્ટેશનથી ૨૦ મિનિટ વહેલી ઉપડશે
- Amreli: જી.આઈ.ડી.સી. માટે જમીનની ફાળવણી થતા ઉદ્યોગકારો વેપારીઓમાં હર્ષની લાગણી
Author: Vikram Raval
Jammu and Kashmir ,તા.29 ગત તા.22મી એપ્રિલે કાશ્મીરના પહેલગામમાં આતંકવાદી ઓના હુમલા બાદ સુમસામ બનેલા કાશ્મીરમાં ટુરિસ્ટોને પરત લાવવા જમ્મુ કાશ્મીરની સરકારના ટુરિઝમ વિભાગે કાશ્મીર ચલો અભિયાન શરૂ કર્યુ છે. જેના ભાગરૂપે મહારાષ્ટ્ર,અને ગુજરાતના ટુર ઓપરેટરોના ડેલિગેશનને કાશ્મીર બોલાવી મુખ્યમંત્રી ઓમર અબદુલ્લા સાથે મીટીંગ યોજી કાશ્મીરને ફરી ધમધમતુ કરવા પ્રયાસો હાથ ધર્યા છે. તેમણે પહેલગામમાં મંગળવારે જમ્મુ-કાશ્મીરના મુખ્ય પ્રધાન ઓમર અબદુલ્લા સાથે બેઠક કરી હતી, જેમાં મુખ્ય પ્રધાને કાશ્મીરમાં હવે શાંતિ છે એમ કહીને ટૂરિસ્ટોની સલામતીનું સંપૂર્ણપણે ધ્યાન રાખવાની ખાતરી ટૂર-ઑપરેટરોને આપી હોવાનું જાણવા મળ્યું હતું. મહારાષ્ટ્ર ટૂર ઑપરેટર્સ અસોસિએશન (MTOA)ના અધ્યક્ષ અને રાજા રાણી ટ્રાવેલ્સના ડિરેક્ટર વિશ્વજિત પાટીલે ના…
Mumbai, ઇંગ્લેન્ડની આગામી ટેસ્ટ-ટૂરમાં ભારતીય ટીમનો સૌથી અનુભવી પ્લેયર 36 વર્ષનો રવીન્દ્ર જાડેજા છે જે યુવા કેપ્ટન શુભમન ગિલ અને વાઇસ-કેપ્ટન રિષભપતના નેતૃત્વમાં રમતો જોવા મળશે, પરંતુ ભૂતપૂર્વ ભારતીય સ્પિનર રવિચન્દ્રન અશ્વિનના પોડકાસ્ટમાં સૌરાષ્ટ્રના આ ક્રિકેટરે રિટાયરમેન્ટ પહેલાં ટેસ્ટ-કેપ્ટન્સી કરવાની ઈચ્છા વ્યક્ત કરી છે. આ પોડકાસ્ટમાં જ્યારે અશ્વિને પૂછ્યું કે ક્રિકેટમાંથી નિવૃત્તિ પહેલાં તારી છેલ્લી ઇચ્છા શું છે ત્યારે એનો જવાબ આપતાં જાડેજાએ કહ્યું, ‘હવે ફક્ત એક જ વસ્તુ બાકી છે, ટેસ્ટ-કેપ્ટન્સી. મેં બાકીનું બધું જ હાંસલ કર્યું છે અને ટેસ્ટ-કેપ્ટન બનવું કે ભારતનું નેતૃત્વ કરવું એ ગર્વની વાત છે. ટીમને કેવી રીતે ચલાવવી એ વિશે દરેક કેપ્ટનની અલગ-અલગ વિચારસરણી…
સુરત,તા.30 ચાતુર્માસ નજીક આવી રહ્યા છે ત્યારે દેશભરમાં જૈન સાધુ-સંતો તેમના જ્યાં ચાતુર્માસ નિર્ધારિત થયા છે એ સ્થાનકો-ઉપાશ્રયોમાં પહોંચવા માટે દૂર-દૂરથી પગપાળા ચાલીને એક સ્થાનેથી બીજા સ્થાને પહોંચી રહ્યા છે. એ સાથે જ આ સાધુ-સંતોના રોડ-અકસ્માતોના બનાવોની પણ શરૂઆત થઈ જતાં જૈન સમાજ આ સાધુ-સંતોના સુરક્ષાના મુદ્દે ચિંતિત થઈ ગયો છે. હજી બુધવારે રાજસ્થાનના પાલી પાસે એક જૈન આચાર્યના રોડ-અકસ્માતના શોકમાંથી જૈન સમાજ બહાર આવ્યો નથી ત્યાં ગઈ કાલે ગુજરાતના સુરત અને બારડોલી વચ્ચે હાઇવે પર એક જૈન સાધુના અકસ્માતના સમાચારથી દેશભરમાં જૈન સમાજો શોકમાં ડૂબી ગયા છે. અભિનંદન મુનિ મહારાજસાહેબ અને તેમની સાથે બીજાં 11 સાધુ-સાધ્વીઓ ગઈ કાલે સવારે…
Mumbai,તા.30 બોલિવૂડ અભિનેતા ઇમરાન હાશ્મી, જેઓ છેલ્લે ફિલ્મ ‘ગ્રાઉન્ડ ઝીરો’માં જોવા મળ્યા હતા, તે હાલમાં તેની આગામી ફિલ્મના શૂટિંગમાં વ્યસ્ત છે. આ ફિલ્મ સુપરસ્ટાર પવન કલ્યાણની સાથે છે અને તે ઇમરાનનું તેલુગુ સિનેમામાં ડેબ્યૂ છે. ફિલ્મનું શૂટિંગ મુંબઈમાં ચાલી રહ્યું હતું. પરંતુ, મુંબઈમાં શૂટિંગ દરમિયાન સમાચાર આવ્યા કે અભિનેતાની તબિયત અચાનક બગડી ગઈ. તાજેતરના અહેવાલો અનુસાર, ઇમરાન હાશ્મીને ડેન્ગ્યુ હોવાનું નિદાન થયું છે. ઇમરાન હાશ્મી મુંબઈના ગોરેગાંવ સ્થિત આરે કોલોનીમાં ફિલ્મ ‘ઓજી’નું શૂટિંગ કરી રહ્યા હતા. ત્યાં જ તેમને આ રોગ થયો. તેમની તબિયત સારી ન હતી અને તેમને ડેન્ગ્યુ જેવા લક્ષણો દેખાઈ રહ્યા હતા. ડોક્ટરોની સલાહ પર, તેણે તેના…
Mumbai, IPL 2025ની એલિમિનેટર મેચ આજે શુભમન ગિલના નેતૃત્વવાળી ગુજરાત ટાઈટન્સ (GT) અને કેપ્ટન હાર્દિક પંડયાની ટીમ મુંબઈ ઇન્ડિયન્સ (MI) વચ્ચે રમાશે. ન્યુ ચંડીગઢના મુલ્લાપુરમાં આયોજિત આ મેચમાં જે ટીમ હારશે એ ટ્રોફી જીતવાની રેસમાંથી બહાર થઈ જશે, જયારે જીતનારી ટીમ અમદાવાદમાં 1 જૂને રમાનારી ક્વોલિફાયર-ટૂ મેચ રમશે. બન્ને ટીમ વચ્ચેની આ ટક્કર રોમાંચક બનશે, કારણ કે ગુજરાતની ટીમે વર્તમાન સીઝનની બે મેચ સહિત મે 2023 બાદ ચારેય મેચમાં મુંબઈને હરાવ્યું છે. હાર્દિક પંડયા પોતાની જૂની ટીમ સામે આ સિલસિલો તોડશે તો જ ટ્રોફીની વધુ નજીક પહોંચી શકશે. મુલ્લાપુરમાં બન્ને ટીમ એકબીજા સામે પહેલી વાર ટકરાશે. ગુજરાત અને મુંબઈ આ…
નવી દિલ્હી : સરકાર DIGIPIN નામનું ડિજિટલ એડ્રેસ માટેનું નવું ફ્રેમવર્ક તૈયાર કરવા જઈ રહી છે. જેમાં એડ્રેસ કઈ રીતે લખવાનું, કઈ રીતે શેર કરવાનું એની સિસ્ટમ તૈયાર કરવામાં આવશે. આધાર કાર્ડ અને UPIથી ડિજિટલ પેમેન્ટમાં સરળતા કર્યા પછી હવે સરકાર એડ્રેસનું પણ ડિજિટાઈઝેશન કરશે. જેમ આધાર નંબર દરેક નાગરિકની ઓળખ માટે જરૂરી બની ગયો છે એમ આ ડિજિટલ ઍડ્રેસ ID દેશના દરેક ઘર અને જગ્યાની ઓળખને આસાન અને ચોક્કસ બનાવવામાં મદદ કરશે. આ સિસ્ટમથી સરકારી સેવાઓ અને પાર્સલની ડિલિવરી વધુ ઝડપી અને ચોક્કસ બનાવી શકાશે. આધાર નંબર પછી સરકાર હવે એડ્રેસની સિસ્ટમ ડિજિટલ પબ્લિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર (DPI)નો હિસ્સો બનાવવાની વેતરણમાં છે.…
Ahmedabad તા.30 મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ અને આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલના માર્ગદર્શન હેઠળ રાજ્યમાં ALL INDIA SERVICES (AIS)ના અધિકારીઓ, રાજ્ય સરકારના અધિકારી, કર્મચારી અને પેન્ટાનર્સ માટે ગુજરાત કર્મયોગી સ્વાસ્થ સુરક્ષા યોજના” શરૂ કરવામાં આવી. PMJAY- માં યોજના અંતર્ગત Gકેટેગરીના કાર્ડ દ્વારા કુટુંબદીઠ રૂ. 10 લાખ સુધીની કેશલેસ સારવાર આ તમામ કર્મીઓને મળવાપાત્ર બને છે. આરોગ્ય વિભાગ દ્વારા આ યોજના હેઠળ લાભ મેળવવા ઇચ્છતા ક્રર્મીઓ, પેન્શનર્સ અને તેમના કુટુંબીજનો માટેની નિયત સૂચના અને માર્ગદર્શિકા બહાર પાડવામાં આવી છે. તદ્દઅનુસાર “ગુજરાત કર્મયોગી સ્વાસ્થ સુરક્ષા યોજના” (કેશલેસ હેલ્થ બેનીફિટ પેકેજ) સહાય મેળવવા માટે PMJAY યોજનાનું કાર્ડ હોવું આવશ્યક છે. જે કાર્ડની ફાળવણી STATE HEALTH AGENCY…
Mumbai,તા.30 ન્યુ ચંડીગઢના મુલ્લાપુરમાં આયોજિત IPL 2025ની ક્વોલિફાયર-વન મેચમાં પંજાબ કિંગ્સને 8 વિકેટે હરાવીને રોયલ ચેલેન્જર્સ બેન્ગલુરુએ ફાઇનલમાં એન્ટ્રી મારી છે. પંજાબની ટીમ IPL પ્લેઑફ્સમાં સૌથી ઓછી 14.1 ઓવર રમીને 101 રનના સ્કોર પર ઑલઆઉટ થઈ હતી જે પ્લેઑફસ ઇતિહાસનો પહેલી ઇનિંગ્સનો લોએસ્ટ સ્કોર પણ હતો. બેન્ગલોરે ઓપનર ફિલ સોલ્ટની 56 રનની ઇનિંગ્સના આધારે 10 ઓવરમાં બે વિકેટ ગુમાવીને 106 રન ફટકારીને 102 રનનો સરળ ટાર્ગેટ ચેઝ કરી લીધો હતો. સ્ટાર બેટર વિરાટ કોહલીની બેંગ્લોર ટીમ ચોથી વાર ફાઇનલમાં પહોંચી છે. આ પહેલાં 2009, 2011 3અને 2016ની સીઝનમાં IPL ફાઇનલમાં પહોંચી છે, જ્યારે 2014માં એકમાત્ર ફાઇનલ રમનાર પંજાબની ટીમ એ…
New Delhi, તા.30 કેન્દ્ર સરકારે જમ્મુ અને કાશ્મીરમાં અમરનાથ યાત્રા માટે કેન્દ્રીય સશસ્ત્ર પોલીસ દળો (CRPF) ની 580 કંપનીઓને તૈનાત કરવાનો આદેશ આપ્યો છે. જેના માટે લગભગ 42,000 સૈનિકો તૈનાત કરવામાં આવશે. ગુરુવારે સત્તાવાર સૂત્રોએ આ માહિતી આપી. CRPF ની 424 કંપનીઓ કેન્દ્રશાસિત પ્રદેશમાં મોકલવામાં આવી રહી છે. તે જ સમયે, ઓપરેશન સિંદૂર દરમિયાન જમ્મુ અને કાશ્મીરમાં મોકલવામાં આવેલી 80 કંપનીઓને પણ સ્થાનાંતરિત કરવામાં આવશે અને અમરનાથ યાત્રા રૂટ, યાત્રાળુઓ અને શ્રીનગર સહિત અન્ય વિસ્તારોની સુરક્ષા માટે તૈનાત કરવામાં આવશે. વરિષ્ઠ અધિકારીઓએ જણાવ્યું હતું કે ગૃહ મંત્રાલયે આ સુરક્ષા દળોને તાત્કાલિક કેન્દ્રશાસિત પ્રદેશ જવાનો નિર્દેશ આપ્યો છે. અમરનાથ યાત્રા 3…
New Delhi, તા.30 નાણાકીય વર્ષ 2024-25 દરમિયાન બેંકિંગ સિસ્ટમમાં શોધાયેલ 500 રૂપિયાની નકલી નોટો (નોટબંધી કરાયેલ નોટો સિવાય) ની સંખ્યામાં પાછલા નાણાકીય વર્ષની સરખામણીમાં 37.35 ટકાનો વધારો થયો છે. રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાના ડેટા અનુસાર, 2023-24માં 500 રૂપિયાની 85,711 નકલી નોટો મળી આવી હતી, પરંતુ પાછલા નાણાકીય વર્ષમાં આ સંખ્યા વધીને 1,17,722 થઈ ગઈ. રિઝર્વ બેંકના વાર્ષિક અહેવાલ મુજબ, આ 2019-20 પછીનો સૌથી વધુ આંકડો છે. રસપ્રદ વાત એ છે કે, છેલ્લા કેટલાક વર્ષોમાં નકલી નોટોની સંખ્યામાં ઘટાડો થઈ રહ્યો છે. ગયા નાણાકીય વર્ષમાં કુલ 2,17,396 નકલી નોટો પકડાઈ હતી, જ્યારે 2023-24માં 2,22,638 નકલી નોટો પકડાઈ હતી. 200 રૂપિયાના મૂલ્યની…
