Author: Vikram Raval

Morbi,તા.29 ખાનપર ગામમાં ગ્રામ્ય મામલતદારની ટીમે રેડ કરી હતી અને મકાનમાંથી સરકારી અનાજનો જથ્થો મળી આવતા ટીમે ૩૦૭૧ કિલો ઘઉં અને ૨૭૦ કિલો ચોખા તેમજ વાહનો મળીને કુલ રૂ ૪.૩૬ લાખનો મુદામાલ કબજે લઈને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે મોરબી ગ્રામ્ય મામલતદાર દ્વારા ખાનપર ગામમાં આવેલ ઘરમાં રેડ કરવામાં આવી હતી ઘરમાંથી સરકારી અનાજનો જથ્થો મળી આવ્યો હતો ઘરમાંથી મામલતદાર ટીમે ૩૦૭૧ કિલો ઘઉં અને ૨૭૦ કિલો ચોખાનો જથ્થો જપ્ત કર્યો હતો અને સરકારી અનાજ તેમજ બે વાહનો એમ કુલ રૂ ૪ લાખ ૩૬ હજારનો મુદામાલ જપ્ત કરવામાં આવ્યો છે મોરબી જીલ્લામાં છાશવારે સરકારી અનાજનો જથ્થો મળી આવતો હોય છે…

Read More

Morbi,તા.29 વાંકાનેર બાઉન્ડ્રી પુલ પરથી નીચે પડી જતા ગંભીર ઈજા પહોંચતા ૫૫ વર્ષની મહિલાને સારવાર માટે હોસ્પિટલ ખસેડાઈ હતી જ્યાં સારવારમાં મોત થયું છે મધ્યપ્રદેશના  રહેવાસી સાવિત્રીબેન ગમરીયા નીંગવાલ (ઉ.વ.૫૫) નામની મહિલા ગત તા. ૨૭ ના રોજ વાંકાનેર બાઉન્ડ્રી પુલ પરથી નીચે પડી જતા ગંભીર ઈજા પહોચી હતી જેથી સારવાર માટે સામુહિક આરોગ્ય કેન્દ્ર કુવાડવા ખસેડાઈ હતી જ્યાં સારવારમાં મહિલાનું મોત થયું હતું વાંકાનેર તાલુકા પોલીસે અકસ્માત મૃત્યુના બનાવની નોંધ કરી વધુ તપાસ ચલાવી છે

Read More

Morbi,તા.29 મોરબી મહાનગરપાલિકાની સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ શાખા દ્વારા શહેરી વિસ્તારમાં તાજેતરમાં પ્રતિબંધિત પ્લાસ્ટિક વપરાશ કરનાર તેમજ ગદ્ન્કી કરનાર આસામીઓ સામે દંડની કાર્યવાહી કરવામાં આવી હતી જેમાં એક સપ્તાહમાં પ્રતિબંધિત પ્લાસ્ટિકનો વપરાશકર્તા ૫૬ આસમીઓ પાસેથી રૂ ૩૮,૦૩૦ નો દંડ વસુલ કરવામાં આવ્યો હતો તેમજ ગંદકી કરતા ૩ આસામી પાસેથી રૂ ૬૦૦ નો દંડ વસુલ કરવામાં આવ્યો હતો જાહેરમાં કચરો સળગાવતા ૪ આસામીઓ પાસેથી રૂ ૭૦૦ નો દંડ વસુલ કરવામાં આવ્યો હતો સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ શાખા દ્વારા પ્રી મોન્સૂન અંતર્ગત લીલાપર ગ્રામ પંચાયત, શ્રીમદ સોસાયટી, આસ્વાદ પાન સામે અવળે નાલા સફાઈ કામગીરી કરવામાં આવી હતી અને નગરજનોને ગંદકી ના ફેલાવવા અનુરોધ કર્યો…

Read More

Morbi,તા.29 બુધવારે અનેક વિસ્તારમાં બપોર સુધી કાપ રાખ્યા બાદ પણ સ્થિતિ જેસે થે ગુરુવારે સવારે પણ અનેક વિસ્તારમાં લાઈટ જતા ગરમીથી લોકો બેહાલ ચોમાસાની ઋતુ નજીક છે ત્યારે પીજીવીસીએલ તંત્રને મેન્ટેનન્સ કામગીરી યાદ આવી હતી અને વીજ તંત્ર દ્વારા બુધવારે અગાઉથી પ્રેસ નોટ પ્રસિદ્ધ કરી લગભગ અડધા મોરબીમાં વીજકાપ રાખ્યો હતો સવારથી લગભગ ત્રણ ચાર કલાક સુધી મેન્ટેનન્સ કામગીરી કર્યા બાદ બુધવારે લાઈટ આવી અને એકાદ કલાકમાં ફરી વીજળી ગુલ થઇ હતી અને ગુરુવારે પણ સવારે અનેક વિસ્તારમાં લાઈટ જતી રહી હોવાથી લોકોમાં રોષ ભભૂકી ઉઠ્યો છે મોરબી પીજીવીસીએલ દ્વારા બુધવારે  ૬૬ કેવી વજેપર સબ સ્ટેશનમાં GETCO દ્વારા કામગીરી કરવાની…

Read More

Morbi,તા.29 લાયન્સનગરમાં રહેતી ૨૫ વર્ષીય પરિણીતા પોતાના ઘરે પોતા કરતી હતી ત્યારે પગ લપસી જતા માથામાં ઈજા પહોંચતા સારવાર દરમિયાન મોત થયું હતું મૂળ ગોધરાના વતની અને હાલ મોરબીના લાયન્સનગર રણછોડનગર પાસે રહેતા દક્ષાબેન હેતુલભાઈ પટેલ (ઉ.વ.૨૫) નામની પરિણીતા તા ૨૮ ના રોજ પોતાના ઘરે ઓસરીમાં પોતા કરતી હતી ત્યારે લાદી પર પાણી ઢોળાયેલું હોવથી પગ લપસી જતા માથાના પાછળના ભાગે ઈજા પહોંચી હતી જેથી સારવાર માટે મોરબી બાદ રાજકોટ ખસેડાઈ હતી જ્યાં સારવારમાં મોત થયું હતું મોરબી બી ડીવીઝન પોલીસે બનાવ મામલે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે

Read More

Jamnagar,તા.29 જામનગરના રાધે સ્કેટિંગ રિંકના બાળ ખેલાડીઓએ રાજ્ય સ્તરના ખેલ મહાકુંભ 3.0 માં ભાગ લઈને ઉત્તમ પ્રદર્શન કર્યું હતું, અને એકસાથે 16 મેડલ જીતી ને જામનગર શહેરનું ગૌરવ વધાર્યું છે. ઉપરોક્ત તમામ બાળ ખેલાડીઓની પ્રતિભાઓને જામનગરના 78- ઉત્તર વિધાનસભા વિસ્તારના ધારાસભ્ય રિવાબા જાડેજાએ સન્માનિત કરીને નેશનલ સ્પર્ધાઓ માટે ખૂબ આગળ વધે તેવી શુભકામનાઓ પાઠવી હતી. જેમાં અંડર 14 કોમ્પિટિશનમાં કર્ણવ કનખરા (ગોલ્ડ: ફ્રી સ્કેટિંગ, અને ગોલ્ડ: સોલો ડાન્સ), દર્શિત કનખરા (સિલ્વર: ફિગર, અને સિલ્વર: સોલો ડાન્સ), જય ઠક્કર. (બ્રોન્ઝ: ફિગર, અને બ્રોન્ઝ: ફ્રી સ્કેટિંગ), મંથન નંદા (સિલ્વર: ફ્રી સ્કેટિંગ), ભવ્ય પરમાર ( બ્રોન્ઝ: સોલો ડાન્સ) ઉપરાંત ક્વૉટ્રેટ ઇવેન્ટ્સમાં પબ્જી ક્વાર્ટેટમાં…

Read More

Jamnagar,તા.29 જામનગર જિલ્લાના લાલપુર તાલુકાના પડાણા ગામમાં રહેતી અને સફાઈ કામદાર તરીકે નોકરી કરતી રીંકલબેન ઉકાભાઇ ડાઠીયા નામની 25 વર્ષની અપરણિત યુવતી, કે જે લાલપુરના સરકારી દવાખાને સફાઈ કામ કરવા જવાના બહાને ગઈકાલે પોતાના ઘેરથી નીકળ્યા બાદ એકાએક લાપતા બની ગઈ હતી. પરિવારજનો દ્વારા અનેક સ્થળે શોધખોળ કરી હતી, ઉપરાંત તેણીનો મોબાઇલ ફોન પણ સ્વીચ ઓફ આવતો હતો, જેથી પરિવારજનો ભારે ચિંતામાં મુકાયા હતા. સગા સંબંધીઓ તેમજ અન્ય પરિચય વગેરેને પૂછી લીધા બાદ પણ તેનીનો કોઈ પતો સાંપડ્યો ન હતો. આખરે મેઘપર-પડાણા પોલીસ મથકનો સંપર્ક સાધવામાં આવ્યો હતો, અને ગુમ નોંધ કરાવાઈ હતી. જેને પડાણા પોલીસ સ્ટેશનની ટીમ શોધી રહી…

Read More

Ahmedabad,તા.29  અમદાવાદના ચંડોળા તળાવમાં ગેરકાયદે દબાણો પર બુલડોઝરની કાર્યવાહી હજુ શાંત પણ નથી થઈ ત્યાં બાપુનગરમાં તંત્રએ મોટાપાયે ડિમોલિશનની કાર્યવાહી હાથ ધરી સપાટો બોલાવ્યો છે. ગુરૂવારે (29 મે) સવારથી અકબરનગર વિસ્તારમાં આશરે 400થી વધુ જેટલાં કાચા-પાકા મકાન-દુકાનો પર બુલડોઝર ફેરવી દેવાયા હતા.પાંચ જેસીબી અને આઠ જેટલા હિટાચી મશીન તથા અનેક ટ્રક સાથે મોટાપાયે તંત્ર દ્વારા આજે સવારથી જ સપાટો બોલાવવામાં આવ્યો હતો. તંત્રની કાર્યવાહીના પગલે લોકોએ ઉતાવળે તેમના બાંધકામ પરથી પતરાં અને કામની વસ્તુઓ હટાવવાની શરૂઆત કરી દીધી હતી. જોકે કોઈ અનિચ્છિનીય ઘટનાને ટાળવા માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો હતો. આ ડિમોલિશનની કાર્યવાહી અંગે બાપુનગર વિસ્તારના ભાજપના…

Read More

Ahmedabad,તા.29 અમદાવાદ શહેરમાંથી ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. અમદાવાદની ઓળખ ગણાતા કોટ વિસ્તારના ધનાસુથારની પોળમાં બુધવારે ભારે પવનના કારણે મોડી રાત્રે બે માળનું મકાન ધારાશાયી થયું હતું, જેમાં બે મહિલા કાટમાળ નીચે દટાઈ હતી. જેમાંથી એક મહિલાને રેસક્યુ કરીને બચાવી લેવામાં આવી છે, જ્યારે અન્ય એક 30 વર્ષની મહિલાનું કાટમાળમાં દબાઈ જવાથી મોત નિપજ્યું છે. શહેરના કાલુપુર વિસ્તારમાં આવેલી ધનાસુથારની પોળમાં બુધવારે (28 મે) મોડી રાત્રે મોટો અકસ્માત સર્જાયો હતો. લગભગ રાતના 2 થી 3 વાગ્યાની આસપાસ એક બે માળનું જર્જરિત મકાન ધરાશાયી થતાં બે મહિલાઓ કાટમાળમાં દબાઈ ગઈ હતી. ઘટનાની જાણ થતાં તુરંત ફાયર અને પોલીસની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી.…

Read More

Ahmedabad,તા.29 મનરેગા કૌભાંડ આચરી લાખો રૂપિયા સેરવી લીધાં છે. આ કૌભાંડને પગલે મંત્રી બચુ ખાબડનુ મંત્રીપદનું આસન હાલકડોલક થવા માંડ્યુ છે. સચિવાલયમાં મંત્રી ખાબડને નહી આવવા સૂચના અપાઈ હોવાની ચર્ચા છે. તેઓ કેબિનેટની બેઠકમાં પણ ગેરહાજર રહ્યાં હતાં જેના કારણે ખાબડની હકાલપટ્ટી નક્કી માનવામાં આવી રહી છે. હું ભાગેડુ નથી તેવી ડીંગો હાંકતાં બચુ ખાબડ કેબિનેટની બેઠકમાંય હાજર રહ્યાં ન હતાં. સચિવાલયમાં ચર્ચા છે કે, ખાબડને સચિવાલયમાં નહી આવવા જણાવી દેવાયુ છે. છેલ્લા બે અઠવાડિયાથી તેઓ સચિવાલયમાં આવતાં જ નથી. સ્વર્ણિમ સંકુલ-2 માં મંત્રીની ચેમ્બર ખાલીખમ પડી છે. મુલાકાતીઓ પણ ડોકાતા નથી. માત્ર પટાવાળા સિવાય સ્ટાફ પણ દેખાતો નથી. અત્યારે…

Read More