Author: Vikram Raval

આજકાલ દારૂ ઘણાં લોકોની લાઈફસ્ટાઈલનો ભાગ બની ગયો છે. સ્ટ્રેસ હોય કે ખુશી, બર્થ ડે હોય કે પછી અન્ય કોઈ પાર્ટી, દારૂ દરેક પ્રસંગે લોકોનો સાથી બની જાય છે. જો કે, થોડી ક્ષણોનો આનંદ આપનારો આ આલ્કોહોલ તમારા સ્વાસ્થ્યને ગંભીર નુકસાન પહોંચાડી શકે છે. તેની થોડી માત્રા પણ સ્વાસ્થ્ય પર ખરાબ અસર કરે છે. હવે હાલમાં જ આ વિશે એક નવો અભ્યાસ પણ સામે આવ્યો છે. આ નવા અધ્યયનમાં દારૂ પીવા અને  પેન્ક્રિયાટિક કેન્સરના વધતાં જોખમ વચ્ચે સીધો સંબંધ જોવા મળ્યો છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન (ડબ્લ્યુએચઓ)ની ઇન્ટરનેશનલ એજન્સી ફોર રિસર્ચ ઓન કેન્સર (આઇએઆરસી) દ્વારા હાથ ધરવામાં આવેલા આ અભ્યાસમાં એશિયા,…

Read More

તમારા મનમાં એક સવાલ જરૂર આવ્યો હશે કે પૃથ્વી બ્રહ્માંડમાં ક્યાં સુધી રહેશે ? વૃક્ષો, પર્વતો, મહાસાગરો, નદીઓ અને જીવનથી ભરેલી પૃથ્વી ક્યારેય નિર્જીવ બની જશે ખરી ? હવે વૈજ્ઞાનિકોએ સુપર કોમ્પ્યુટરની મદદથી પૃથ્વી પર ક્યારે અને કેવી રીતે જીવનનો અંત આવશે તે શોધી કાઢ્યું છે. વૈજ્ઞાનિકોની આ થિયરી લોકમાન્યતાથી વિપરીત છે, જેમાં કહેવાય છે કે, મહાકાય એસ્ટરોઇડ કે ઉલ્કાપિંડની ટક્કરથી ડાયનાસોરના અંતની જેમ પૃથ્વી પર જીવનનો અંત આવી જશે. જાપાનની તોહો યુનિવર્સિટીના સંશોધકોએ આગાહી કરી છે કે, પૃથ્વીનો ઓક્સિજન લગભગ એક અબજ વર્ષમાં અદૃશ્ય થઈ જશે, જેનાં કારણે ટકી રહેવું અશક્ય બની જશે. આ અધ્યયનમાં 400,000 સિમ્યુલેશન્સ ચલાવીને પૃથ્વીના…

Read More

Tap,તા.29  તાપી જિલ્લાના ઉચ્છલ-નિઝર હાઈવે પર આજે સવારે બે બાઈક વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાતા બે વ્યક્તિનાં ઘટનાસ્થળે જ કરુણ મોત નીપજ્યા છે. આ અકસ્માત સરવાડા અને દેવાડા ગામ વચ્ચે થયો હતો. સવારે બનેલી આ દુર્ઘટનામાં સરવાડા ગામના દગાભાઈ વિઠ્ઠલભાઈ પટેલ અને દેવાડા ગામના સંદિપ સિતારામ ઠાકરેનું મોત થયું હતું. બંને બાઈકચાલકો હાઈવે પરથી પસાર થઈ રહ્યા હતા ત્યારે અચાનક ગંભીર અકસ્માત સર્જાયો હતો, જેમાં તેમને જીવલેણ ઈજાઓ થતાં ઘટનાસ્થળે જ તેમણે દમ તોડ્યો હતો. આ ઘટના અંગે વધુ વિગતો મેળવવા અને અકસ્માતનું ચોક્કસ કારણ જાણવા પોલીસે તપાસ હાથ ધરી છે. આ કરુણ ઘટનાથી બંને ગામોમાં શોકનો માહોલ છવાઈ ગયો છે.

Read More

New Delhi,તા.29 ઘણા નેતાઓ ઓપરેશન સિંદૂર અને આતંકવાદ પર ભારતનો સ્ટેન્ડ વિશ્વ સમક્ષ રજૂ કરવા માટે વિવિધ દેશોમાં ગયા છે. જેમાં ભાજપના સાંસદ બૈજયંત પાંડાના નેતૃત્વમાં એક સર્વપક્ષીય પ્રતિનિધિમંડળ સાઉદી અરેબિયા પહોંચ્યું. જ્યાં રિયાધમાં, AIMIMના વડા અને સાંસદ અસદુદ્દીન ઓવૈસીએ ભારત પર પાકિસ્તાનના હુમલા વિષે વાત કરી હતી આ સાથે મુસ્લિમો ભારતમાં કેવી રીતે રહે છે તે અંગે પણ વાત કરી હતી. પાકિસ્તાનના આતંકવાદ પર નિશાન સાધતા ઓવૈસીએ કહ્યું કે, જો પાકિસ્તાન આ આતંકવાદી જૂથોને રોકે છે, તો દક્ષિણ એશિયામાં સ્થિરતા આવશે અને પ્રગતિ થશે. પાકિસ્તાન સાર્કમાં અવરોધો ઉભા કરી રહ્યું છે.’ ઓપરેશન સિંદૂરનો ઉલ્લેખ કરતા ઓવૈસીએ કહ્યું કે, ‘પાકિસ્તાનના…

Read More

Panama,તા.29 પાકિસ્તાનની આતંકવાદી ગતિવિધિઓનો પર્દાફાશ કરવા માટે વિદેશ મુલાકાતે ગયેલા ભારતીય પ્રતિનિધિમંડળમાં સામેલ કોંગ્રેસ સાંસદ શશી થરૂરે પનામામાં મહત્ત્વનું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે, હવે મહાત્મા ગાંધીનો આ દેશ આતંકવાદ જેવા કૃત્ય પર પોતાનો બીજો ગાલ આગળ નહીં ધરે પણ તેનો જવાબ આપશે.કોંગ્રેસ સાંસદે આગળ કહ્યું કે, એવી કોઈ વસ્તુ નથી કે, તેની આગળ કોઈપણ સ્વાભિમાની દેશ ઝૂકી જાય. મહાત્મા ગાંધીજીની ધરતી હોવા છતાં પણ બીજો ગાલ ધરીશું નહીં. અમે તેનો જવાબ આપીશું. ઓપરેશન સિંદૂરમાં માર્યા ગયેલા આતંકવાદીઓના પાકિસ્તાની સેનાએ સન્માન સાથે અંતિમ સંસ્કાર કર્યા હતાં. આતંકવાદીઓના અંતિમ સંસ્કારમાં પાકિસ્તાનના ટોચના વડાઓ સામેલ થયા હતાં. જે અત્યંત નિંદનીય છે.…

Read More

Washington,તા.29 અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના આરોગ્યને લઈને વધતી ચિંતાઓ હવે જાહેર વલણમાં પણ દેખાવા લાગી છે. તાજેતરમાં જ થયેલા એક સર્વેમાં લગભગ અડધા અમેરિકનોનું માનવું છે કે, ટ્રમ્પ પોતાના આરોગ્ય અંગે સંપૂર્ણપણે પારદર્શક નથી,  જોકે, તેઓ નિયમિતપણે ઘણી દવાઓનું સેવન કરી રહ્યા છે. 78 વર્ષની ઉંમરે પણ ફિટ હોવાનો દાવો કરતા ટ્રમ્પના આરોગ્ય અંગે લોકોમાં વિશ્વાસ અને શંકા બંને સ્પષ્ટ નજર આવી રહી છે. તો શું પુતિનની જેમ ટ્રમ્પનું આરોગ્ય પણ સારું નથી? આ સ્થિતિ એવા સમયે સામે આવી છે જ્યારે ટ્રમ્પ પોતાની ઉંમર અને આરોગ્ય અંગે સતત સવાલોનો સામનો કરી રહ્યા છે. 78 વર્ષ અને 7 મહિનાની ઉંમરે શપથ…

Read More

Bangladesh,તા.29 બાંગ્લાદેશમાં વચગાળાની સરકાર ચલાવી રહેલા મોહમ્મદ યુનુસ વિરૂદ્ધ રોષ વધી રહ્યો છે. બુધવારે હજારો લોકો ઢાકાના રસ્તાઓ પર ઉતરી આવ્યા હતાં. તેઓ ‘ફાસીવાદ’ ખતમ કરોના સુત્રોચ્ચાર કરી રહ્યા હતાં. યુનુસનો વધતો વિરોધ તેમને રાજીનામું આપવા મજબૂર કરી રહ્યો છે. બીજી તરફ છેલ્લા થોડા દિવસથી મોહમ્મદ યુનુસ પણ સત્તા પર મજા ન આવતી હોવાનું નિવેદન આપતાં રાજીનામાંની વાત કરી રહી છે. તેમણે કહ્યું હતું કે, આ વર્ષના અંત સુધીમાં ચૂંટણી કરાવવી મુશ્કેલ લાગી રહી છે. જૂન, 2026 સુધી ચૂંટણીનું આયોજન કરી શકીએ છીએ. પરંતુ બીએનપી સહિત અનેક પક્ષોનું કહેવું છે કે, ચૂંટણી પહેલાં થવી જોઈએ. બાંગ્લાદેશના સેના પ્રમુખ વકાર-ઉજ-જમાં પણ…

Read More

Bangladesh,તા.29  IPL 2025 ના રોમાંચ વચ્ચે, ક્રિકેટ જગતમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. ખેલાડીઓ વચ્ચે ગરમાગરમ વાતાવરણ સામાન્ય રીતે ક્રિકેટના મેદાન પર ખેલાડીઓ વચ્ચે ઝગડો થાય તે સામાન્ય બાબત છે. ક્યારે બંને વચ્ચે દલીલો વધી પણ જતી હોય છે. પરંતુ બાંગ્લાદેશમાં એક એવી ઘટના બની છે જેમાં બે ખેલાડીઓ વચ્ચે ઝઘડો થયો અને મામલો મારામારી સુધી પહોંચી ગયો. જેને જોઈને અમ્પાયરે મામલો શાંત કરવા વચ્ચે આવવું પડ્યું હતું. એવામાં હવે આ ઘટનાની વીડિયો વાઈરલ થઈ રહ્યો છે. આ મેચમાં બાંગ્લાદેશે ટોસ જીતીને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો અને આ ઘટના બાંગ્લાદેશની બેટિંગ દરમિયાન જ બની હતી. જોકે આ…

Read More

Bhavnagar,તા.29 ભાવનગર-રાજકોટ હાઈવે બુધવારે (28 મે) મોડી રાત્રે અકસ્માત થયો હતો, જેમાં ભાજપ નેતાના મોતના સમાચાર સામે આવ્યા છે. બાઈક અને અજાણ્યા વાહન વચ્ચે અકસ્માત સર્જાતા ભાજપ નેતા મૂળજી મિયાણીનું મોત નિપજ્યું હતું. મળતી માહિતી અનુસાર, ભાવનગરના સિહોરમાં ગઢુલા ગામ નજીક ભાજપ નેતા મૂળજી મિયાણીનો અજાણ્યા વાહન સાથે અકસ્માત સર્જાયો હતો. મૂળજી મિયાળી ટુ-વ્હીલર બાઇક લઈ હાઇવે પરથી પસાર થઈ રહ્યા હતા તેમ સમયે અચાનક બાઇક સ્લીપ ખાઈ જતા અજાણ્યા વાહન સાથે ટકરાઈ અને ઘટનાસ્થળે જ તેમનું મોત નિપજ્યું હતું. ઘટનાની જાણ થતાં પોલીસ અને એમ્બ્યુલન્સ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને મૃતદેહને પોસ્ટમોર્ટ અર્થે હોસ્પિટલ મોકલવામાં આવ્યો હતો. હાલ…

Read More

Srinagar તા.29 પહેલગામ હુમલા બાદ ભારતના ઓપરેશન સિંદુર વચ્ચે કાશ્મીરમાં આતંકવાદીઓનો ધીમી ગતિએ ખાત્મો કરવાનું અભિયાન હાથ ધરવામાં આવ્યું છે ત્યારે સુરક્ષા દળોએ મહત્વપૂર્ણ સફળતા મેળવી હોય તેમ લશ્કર-એ-તોયબાના બે ત્રાસવાદીઓને જીવતા પકડવામાં આવ્યા છે. અને હથીયારો-વિસ્ફોટકો કબ્જે લેવાયા છે. કાશ્મીરનાં શોપીયામાં સૈન્ય, પોલીસ તથા સીઆરપીએફના સંયુકત અભિયાનમાં બન્ને ત્રાસવાદીઓને જીવતા ઝડપી લેવાયા હતા તેમની પાસેથી બે એકે 56 રાયફલ ચાર મેગેઝીન, બે હેન્ડ ગ્રેનેડ તથા અન્ય વિસ્ફોટકો મળી આવ્યા હતા. આધારકાર્ડ પણ મળ્યા હતા. સુરક્ષા એજન્સીનાં સુત્રોએ કહ્યુ કે ઈરફાન બશીન તથા ઉઝેર સાલમ નામાનં બન્ને આતંકવાદીઓ સુરક્ષાદળોનાં સર્ચ ઓપરેશનમાં ઘેરાઈ ગયા હતા. બન્ને એન્કાઉન્ટરથી બચવા માટે શરણે થઈ…

Read More