Author: Vikram Raval

Ahmedabad,તા.29 ગુજરાતના ડિંગુચાનો પટેલ પરિવાર કેનેડિયન સરહદેથી ગેરકાયદે રીતે સરહદ પાર કરવા જતા ઠંડીમાં ઠૂંઠવાઈને મૃત્યુ પામ્યા હતા. માનવ તસ્કરીના આ કેસમાં ગુજરાતી મૂળના કથિત રિંગ લીડર હર્ષકુમાર રમણલાલ પટેલને ફેડરલ પ્રોસિક્યુટરોએ 20 વર્ષની સજાની ભલામણ કરી છે. આ સિવાય તેને સાથ આપનારા તેના ડ્રાઈવર સ્ટીવ એન્થની શેન્ડને 11 વર્ષની સજાની ભલામણ કરવામાં આવી છે. રોયલ કેનેડિયન પોલીસને 19 જાન્યુઆરી 2022ના રોજ મેનિટોબા અને મિનેસોટા વચ્ચે તેમના થીજી ગયેલા મૃતદેહ મળ્યા હતા. આ દંપતિ શાળામાં શિક્ષક તરીકે કામ કરતું હતું. બીજા ગામવાસીઓની જેમ તે પણ સારા જીવનની તલાશમાં વિદેશ જવા નીકળ્યા હતા, પરંતુ તેમને અધવચ્ચે જ મૃત્યુ મળ્યું. વકીલ માઇકલ…

Read More

Surendranagar:તા.29 સુરેન્દ્રનગર અભયમની ટીમે પ્રેમલગ્ન કરનાર પરિણીતાની મરજી વિરૃદ્ધ ગર્ભપાત થતો અટકાવી બે જીંદગી બચાવી સરાહનીય કામગીરી કરી હતી. દીકરીએ પ્રેમલગ્ન કર્યા હોય પિયર પક્ષના લોકો ગર્ભપાત કરાવવા હોસ્પિટલ લઇ ગયા હતા. સુરેન્દ્રનગર ૧૮૧ અભયમ હેલ્પ લાઈનમાં પીડિતાના પરિવારજનનો ફોન આવ્યો હતો કે તેમના દીકરાના પત્નીને મરજી વિરૃધ્ધ પિયર પક્ષના લોકો ગર્ભપાત કરાવવા માટે હોસ્પિટલ લઈ ગયા હોવાનું જણાવી મદદ માંગી હતી. આથી ગણતરીની મિનિટોમાં જ કાઉન્સેલર શિતલબેન સોલંકી સહિતની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી. પુછપરછ દરમિયાન પરિણીતાએ ૬ મહિના પહેલા પ્રેમ લગ્ન કર્યા હોય પિયર પક્ષના લોકોએ તેની સાથે સબંધ તોડી નાંખ્યો હતો. તેમ છતાંય પરિણીતા પિયર જવા ઈચ્છતા…

Read More

Surendranagar:તા.29 ધ્રાંગધ્રામાં રહેતા વેપારીએ મુંબઇમાં રહેતા મિત્રને ૨૦૨૧માં હાથઉછીના પાંચ લાખ રૃપિયા આપ્યા હતા. જે નક્કી થયા મુજબ ચેક આપ્યા હતા. પરંતુ ચેક રિટર્ન થતાં તે અંગેનો કેસ કોર્ટમાં ચાલી જતાં કોર્ટે રકમ નહીં ચુકવનાર શખ્સને એક વર્ષથી સાદી કેદની સજા અને રોકડ રકમનો દંડ ફટકારતો ચુકાદો આપ્યો છે. ધ્રાંગધ્રાના વેપારી મહેશભાઈ ભલજીભાઈ સોલંકીએ મિત્ર હિતેષકુમાર રેવતીનંદન રાવલ (રહે.મુંબઈ)ને ૨૦૨૧માં ધંધા માટે ચેક થકી કુલ રૃા.૫ લાખ આપ્યા હતા. એપ્રિલ-૨૦૨૨માં મહેશભાઈને પરત ચુકવવાની ખાત્રી અને નોટરી પણ કરી આપ્યું હતું. નક્કી થયા મુજબ હિતેષકુમારએ મહેશભાઈને ૨૦૨૨ની સાલના રૃા.૫ લાખના ચેક આપ્યા હતા. જે ચેક મહેશભાઈએ બેંક ખાતામાં જમા કરાવતા બેલેન્સના…

Read More

Surendranagar, ‘અરે ભાઈ માવઠુ ભલે 10 દિવસથી વરસે પણ પીવાના પાણી માટે ટેન્કર ન આવે તો આખો દિવસ બે બેડા પાણી માટે ટળવળવું પડે છે.’ આ શબ્દો છે ઝાલાવડ વિસ્તારના બહેનોનાં અહીનાં 24 ગામોમાં આજે પણ પીવાના પાણી માટે ટેન્કર દોડાવવા પડે છે. ધોળીધજા ડેમ નજીક હોવા છતાં પાણી પરવઠા બોર્ડની જૂથ યોજનાનો લાભ મળતો નહી હોવાથી લોકોને પીવાનું પાણી મળતુ નથી. સૌરાષ્ટ્રમાં આ વર્ષે ઉનાળો આકરો રહ્યો છે છેલ્લા 10 દિવસથી બપોર સુધી આકાશમાંથી અગન વર્ષાનો અનુભવ થાય છે. બપોર બાદ વાતાવરણ ગોરંભાયેલું રહે છે. વીજળીના કડાકા ભડાકા સાથે કેટલાક વિસ્તારોમાં માવઠુ વરસતુ રહે છે. માવઠાને કારણે ખેતીના પાકને…

Read More

Ahmedabad,તા.29 ગુજરાતમાં કોરોનાના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. કોરોનાના કેસનો આંક હવે વધીને 190 થઈ ગયો છે. જેમાં સૌથી વધુ 131 કેસ માત્ર અમદાવાદમાંથી છે. 10 દિવસમાં 183 નવા કેસ નોંધાયા  આ અંગે પ્રાપ્ત માહિતી અનુસાર ગુજરાતના અનેક જિલ્લામાં હાલ કોરોના પોઝિટિવ દર્દીઓ છે. જેમાં અમદાવાદ કોર્પોરેશનમાંથી 131, રાજકોટ કોર્પોરેશનમાંથી 15, જામનગર કોર્પોરેશનમાંથી 10, મહેસાણામાંથી 6, ગાંધીનગર કોર્પોરેશનમાંથી 5, ભાવનગર કોર્પોરેશનમાંથી 4, કચ્છમાંથી 3, બનાસકાંઠામાંથી 2, ખેડામાંથી 2, આણંદ-ભરૂચ-પાટણ-વલસાડમાંથી 1-1 નવા કેસ સામે આવ્યા છે. ગુજરાતમાં 19 મેના કોવિડ પોઝિટિવનો આંક 7 હતો. આમ, 10 દિવસમાં કોવિડ પોઝિટિવનો આંક 183 જેટલો વધી ગયો છે. કોવિડ પોઝિટિવ દર્દીમાં કયો વેરિયન્ટ…

Read More

New Delhi,તા.29 કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન (EPFO) ટૂંક જ સમયમાં પોતાનું નવું પ્લેટફોર્મ EPFO ​​​3.0 લોન્ચ કરવા જઈ રહ્યું છે. EPFO ​​​3.0 પાસે એક મજબૂત IT પ્લેટફોર્મ હશે, જેનો ઉદ્દેશ્ય ખાતાધારકોની બેંક જેવી સેવાઓ સુલભ બનાવવાનો છે. કેન્દ્રીય શ્રમ અને રોજગાર મંત્રી મનસુખ માંડવિયાએ ગત મહિને કહ્યું હતું કે, આ નવી વ્યવસ્થા મે થી જૂન 2025 વચ્ચે ચાલુ થઈ જશે. મંત્રીએ કહ્યું હતું કે, EPFO ​​​3.0 એક વિશ્વસનીય પ્લેટફોર્મ હશે, જે 9 કરોડથી વધુ ગ્રાહકોને કોઈપણ મુશ્કેલી વિના ઘણી નવી સુવિધાઓ આપશે. જેમ કે તમારા ક્લેમનું ઓટોમેશન સેટલમેન્ટ, ડિજિટલ રીતે ભૂલો સુધારવી અને સૌથી મહત્ત્તવપૂર્ણ ATM માંથી પૈસા ઉપાડવાની સુવિધા.…

Read More

Ahmedabad,તા.29  રાઈટ ટુ એજ્યુકેશન એક્ટ અંતર્ગત બાળકોને મફત અને ફરજિયાત શિક્ષણના અધિકારો હેઠળ છ વર્ષે જ ધો. 1માં પ્રવેશના નિયમમાં અંતે દિવ્યાંગ બાળકો અને ખાસ જરૂરિયાત ધરાવતા બાળકોને છૂટ આપવામાં આવી છે. કેટલાક માનસિક અને શારીરિક દિવ્યાંગ બાળકોને છ વર્ષે ફરજિયાત ધો.1માં અભ્યાસ કરવાના નિયમથી અનેક મુશ્કેલીઓ ઊભી થતી થતી હતી. જેથી આ મુદ્દે નિયમમાં ફેરફારની અનેક માંગણીઓ સાથે સરકારને રજૂઆતો પણ કરવામાં આવી હતી. જેને ધ્યાને લઈ સરકાર દ્વારા એક્ટની જોગવાઈઓમાં ફેરફાર કરવામા આવ્યો છે અને ખાસ જરૂરિયાતવાળા દિવ્યાંગ બાળકોને ચાર વર્ષની છૂટ આપવામાં આવી છે. જે મુજબ દસ વર્ષ સુધી આવા બાળક ધો. 1માં પ્રવેશ લઈ શકશે અને…

Read More

Gandhinagar,તા.29 વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ વર્ષ 2018માં શરૂ કરેલ ટીબી નિમૂર્લન કાર્યક્રમ હેઠળ ગુજરાત સરકાર દ્વારા સરાહનીય કામગીરી કરવામાં આવી રહી છે. ગુજરાતે નવા ટીબી દર્દીઓના રજીસ્ટ્રેશન અને ટીબીની શ્રેષ્ઠત્તમ સારવાર દ્વારા મૃત્યુદર ઘટાડવામાં નોંધપાત્ર સિધ્ધી હાંસલ કરી છે. ગુજરાત સરકારના એક રીપોર્ટ પ્રમાણે રાજ્યમાં વર્ષ 2015ની સાપેક્ષે વર્ષ 2023 માં નવા દર્દીઓના રજીસ્ટ્રેશનમાં 34 ટકા અને મૃત્યુદરમાં 37 ટકાનો નોંધપાત્ર ઘટાડો નોંધાયો છે. જેના પરિણામે કેન્દ્ર સરકારે પણ આ કામગીરીની સરાહના કરીને ગુજરાત રાજ્યને સ્ટેટ્સ વીથ મોસ્ટ ઇમ્પ્રુવમેન્ટ શ્રેણીમાં પ્રથમ ક્રમાંકે રાખ્યું છે.  આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યુ હતું કે, ટીબી દર્દીઓને પોષણયુક્ત આહાર, શ્રેષ્ઠત્તમ સારવાર ઉપલબ્ધ કરાવીને મૃત્યુદર ઘટાડવા અને…

Read More

Gandhinagar,તા.29 મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વિકસિત કૃષિ સંકલ્પ અભિયાનનો રાજ્યવ્યાપી પ્રારંભ કરાવતાં સ્પષ્ટપણે જણાવ્યું કે, આ વિકસિત કૃષિ સંકલ્પ અભિયાન કૃષિ ઉત્પાદન વધારીને ખેડૂતોની આત્મનિર્ભરતા અને સ્વદેશીને પ્રોત્સાહન આપનારી આગવી પહેલ બનશે. તેમણે કહ્યું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણાથી દેશના ખેડૂતોને સમય અનુરૂપ ટેક્નોલોજીનો કૃષિમાં ઉપયોગ કરીને વેલ્યુ એડીશન, ફાર્મ મિકેનિઝમ, નેચરલ ફાર્મિંગ વગેરેના સંકલીત પ્રયાસો સાથે એકિકૃત દિશામાં કામ કરીને કૃષિમાં ક્રાંતિકારી પરિવર્તનની દિશા આપવામાં આ અભિયાન મહત્વપૂર્ણ બનવાનું છે. ગુજરાતમાં આ અભિયાન અંતર્ગત 235 તાલુકાઓના 2951 ક્લસ્ટર થકી 3.50 લાખથી વધુ ખેડૂતો સુધી સીધા પહોંચવાનું વ્યાપક આયોજન કરવામાં આવ્યું છે. આ અભિયાન દરમિયાન રાજ્યના 30 કૃષિ વિજ્ઞાન કેન્દ્ર અને…

Read More

વિશ્વની એક સૌથી મોટી સાયબર સ્ટ્રાઈકમાં ભારત, અમેરિકા સહિત 29 દેશોના 18 કરોડથી વધુ લોકોના ઓનલાઈન ડેટાની ઉઠાંતરી થઈ છે. ગુગલ, ફેસબુક, જીમેલ સહિતના પ્લેટફોર્મનો ઉપયોગ કરતા લોકોના યુઝર્સ નેઈમ અને પાસવર્ડ બન્નેની ચોરી થઈ છે અને તે ડાર્ડવેબમાં ઉપલબ્ધ હોવાનો ધડાકો થયો છે. જો કે આ ડેટા કોણે ચોર્યા તે અંગે હજું કોઈ માહિતી જાહેર થઈ નથી. 18.40 કરોડ લોકો જેમાં 220 સરકારી ઈ-મેલ ડોમીન નેમ ધરાવે છે તેની ચોરી થઈ છે. જેમાં અમેરિકા, બ્રિટન, ઓસ્ટ્રેલિયા, કેનેડા, ચાઈના, ભારત, ઈઝરાયેલ અને સાઉદી અરેબીયાના યુઝર્સનો સમાવેશ થાય છે. ‘વાપર્ડ’ દ્વારા આ અંગે માહિતી મુજબ સરકારી ડેટાની ચોરી ચિંતાજનક છે અને…

Read More