- Junagadh: ૨૦૧૭ના સરકારી કામગીરીમાં અડચણ અને હુમલા કેસમાં કોર્ટનો કડક ચુકાદો
- Keshod પોલીસે ઘોડી પાસાનો જુગાર રમતા ૪ ઇસમોને ઝડપી લીધાં
- Mangrol માં રાહુલ ગાંધીની ધરપકડ અને વિદ્યાર્થીઓ પર લાઠીચાર્જના વિરોધમાં જિલ્લા કોંગ્રેસનું વિરોધ પ્રદર્શન
- Amreli: કુંકાવાવ તાલુકા પંચાયત પ્રમુખના પતિદેવ અને વર્તમાન સરપંચ વચ્ચે થયુ ધીંગાણું
- Amreli: ભુરખિયા હનુમાનજી મંદિરનું થશે નવનિર્માણ, શ્રીરામ અને શ્રી મહાદેવના પણ ભવ્ય મંદિરો બનશે
- Amreli: લાઠીમાં ગાગડિયા નદીમાં ફસાયેલા વૃદ્ધનું રેસ્ક્યુ કરાતા દુર્ઘટના ટળી
- Rajkot: ૬ ઓગસ્ટથી ઓખા-બનારસ એક્સપ્રેસ ઓખા સ્ટેશનથી ૨૦ મિનિટ વહેલી ઉપડશે
- Amreli: જી.આઈ.ડી.સી. માટે જમીનની ફાળવણી થતા ઉદ્યોગકારો વેપારીઓમાં હર્ષની લાગણી
Author: Vikram Raval
છેલ્લા બે અઠવાડિયામાં ભારતમાં કોવિડ-૧૯ના કેસોમાં વધારો થયો છે. ૨૬ મે, ૨૦૨૫ના રોજ સક્રિય કોવિડ કેસો ડિસેમ્બર ૨૦૨૩ બાદ પહેલી વાર એક હજારને પાર પહોંચી ગયા. આ સમયે દેશભરમાંથી રોજ કોવિડ-૧૯ના લગભગ સો કેસો સામે આવી રહ્યા છે. સિંગાપોર, હોંગકોંગ, થાઇલેન્ડ અને દિક્ષણ કોરિયા જેવા પડોશી દેશોમાં પણ કોરોનાના કેસોમાં વધારો નોંધાયો છે. કોવિડ-૧૯નો હાલનો નાનો વેરિયન્ટ જેએન.૧, ઓમિક્રોન વેરિયન્ટ (બીએ.૧.૫૨૯)નો જ વંશજ છે. અસલમાં ઓમિક્રોન ચિંતાનો અંતિમ વેરિયન્ટ છે, જે નવેમ્બર ૨૦૨૧માં પહેલી વાર મળ્યો હતો. બીજા શબ્દોમાં કહીએ તો વાયરસમાં એટલું પરિવર્તન નથી થયું કે તેના કોઈ ઉપ-રૂપને ચિંતાનો વિષય માની શકાય. જેએન.૧ સૌથી પહેલાં લક્ઝમબર્ગમાં ઓગસ્ટ ૨૦૨૩માં…
ઋષભ રાજેન્દ્ર પંતને ઋષભ પંત તરીકે ઓળખવામાં આવે છે. તે આઈપીએલ માં સૌથી મોંઘો ખેલાડી રહ્યો છે Mumbai, તા.૨૯ ઋષભ રાજેન્દ્ર પંતને ઋષભ પંત તરીકે ઓળખવામાં આવે છે. તે આઈપીએલ માં સૌથી મોંઘો ખેલાડી રહ્યો છે. આ ક્રિકેટરે આઈપીએલ ૨૦૨૫ પર રાજ કર્યું છે. લખનૌ સુપર જાયન્ટ્સની ટીમે ઋષભને ૨૭ કરોડ રૂપિયામાં ખરીદ્યો. જ્યારે જાહેરાત કરવામાં આવી ત્યારે બધા ક્રિકેટ ચાહકો આશ્ચર્યચકિત થઈ ગયા. ક્રિકેટ કારકિર્દી વિશે હંમેશા ચર્ચા થતી રહે છે. આજે અમે તમને તેની અફવાવાળી ગર્લફ્રેન્ડનો પરિચય કરાવવા જઈ રહ્યા છીએ. જોકે ઋષભનું નામ ઉર્વશી રૌતેલા વિશે ઘણી ચર્ચામાં રહ્યું છે, પરંતુ બંનેએ ક્યારેય તેના પર ટિપ્પણી કરી…
આ ફિલ્મની ટીમ ખાસ તકેદારી રાખે છે કે તેઓ ફિલ્મની કોઈ જ માહિતી કે ફિલ્મની વાર્તા અંગે કોઈ પણ માહિતી જાહેર ન થઈ જાય Mumbai, તા.૨૯ ૨૦૨૫માં જે ફિલ્મની સૌથી વધુ રાહ જોવાતી હોય તેમાં ડિરેક્ટર લોકેશ કનગરાજની ફિલ્મ ‘કૂલી’નો પણ સમાવેશ થાય છે. તેમાં સુપરસ્ટાર રજનીકાંત લીડ રોલમાં છે. હાલ આ ફિલ્મ પોસ્ટ પ્રોડક્શનના તબક્કામાં છે. આ ફિલ્મ ૧૪ ઓગસ્ટે રિલીઝ થવાની છે. અતિ વિશાળ બજેટ સાથે બની રહેલી આ ફિલ્મ સાથેની અપેક્ષાઓ પણ આકાશને આંબે એટલી ઊંચી છે. તેમાં રજનીકાંત ઉપરાંત નાગાર્જૂન, ઉપેન્દ્ર, શૌબિન સાહિર, સથ્યરાજ અને શ્રુતિ હસન સહીતના કલાકારો છે. એવી પણ ચર્ચા છે કે આ…
અક્ષય કુમાર અને પરેશ રાવલ વચ્ચે વિખવાદ છેલ્લાં થોડાં દિવસોથી ચર્ચામાં છે કારણ કે પરેશ રાવલે અચાનક જ ‘હેરા ફેરી ૩’ છોડી દીધી છે Mumbai, તા.૨૯ અક્ષય કુમાર અને પરેશ રાવલ વચ્ચે વિખવાદ છેલ્લાં થોડાં દિવસોથી ચર્ચામાં છે કારણ કે પરેશ રાવલે અચાનક જ ‘હેરા ફેરી ૩’ છોડી દીધી છે. તેઓ બંને એકબીજા સાથે ઘણી ફિલ્મમાં કામ કરી ચુક્યા છે અને હેરા ફેરીની આગળની બે ફિલ્મમાં પણ તેઓ સાથે કામ કરી ચુક્યા છે. હવે બંને વચ્ચે સંબંધ એટલા વણસી ગયા છે કે હવે બંને વકીલ મારફતે જ વાત કરે છે. અક્ષય કુમારે પહેલી વખત આ મુદ્દે જાહેરમાં વાત કરી છે.મંગળવારે…
આગામી તારીખ ૩૧ મે ૨૦૨૫ના રોજ ફરી એકવાર નાગરિક સંરક્ષણ કવાયત હાથ ધરવામાં આવશે New Delhi, તા.૨૯ જમ્મુ કાશ્મીરના પહેલગામ આતંકી હુમલા બાદ ભારતીય સેનાએ ઓપરેશન સિંદૂર હેઠળ પાકિસ્તાન અને પાકિસ્તાન અધિકૃત કાશ્મીરમાં આતંકી ઠેકાણાઓ પર એર સ્ટ્રાઈક કરી હતી. આ દરમિયાન ભારત-પાકિસ્તાન વચ્ચે યુદ્ધ જેવી સ્થિતિને લઈને ગુજરાત સહિત દેશના અનેક જિલ્લામાં મોક ડ્રીલ થઈ હતી. જ્યારે સરહદ પર સીઝફાયર બાદ સિવિલ ડિફેન્સે ગુજરાત સહિત પાંચ રાજ્યોમાં ફરી મોક ડ્રીલ યોજવાનો નિર્ણય કર્યો છે. મોક ડ્રીલભારત સરકારના આદેશ હેઠળ ગુજરાત સહિત પાંચ રાજ્યોમાં આગામી તારીખ ૩૧ મે ૨૦૨૫ના રોજ ફરી એકવાર નાગરિક સંરક્ષણ કવાયત હાથ ધરવામાં આવશે. ઓપરેશન સિંદૂરની…
અનુરાગ બાસુની ફિલ્મ ‘મેટ્રો ઇન દિનોં’ની ટીમ દ્વારા ફિલ્મનો પહેલો લૂક અને પહેલા ગીત ‘ઝમાના લાગે’ની ઝલક રજૂ કરવામાં આવી છે Mumbai, તા.૨૯ અનુરાગ બાસુની ફિલ્મ ‘મેટ્રો ઇન દિનોં’ની ટીમ દ્વારા ફિલ્મનો પહેલો લૂક અને પહેલા ગીત ‘ઝમાના લાગે’ની ઝલક રજૂ કરવામાં આવી છે. આ ક્લિપમાં ફિલ્મના પાત્રોના જીવનની પણ એક નાની ઝલક મળે છે. તેમાં અનુપમ ખેર, પંકજ ત્રિપાઠી, કોંકણા સેન શર્મા, આદિત્ય રોય કપુર, સારા અલી ખાન, ફાતિમા સના શેખ, અલી ફઝલ, નીના ગુપ્તા અને શાશ્વતા ચેટર્જી છે.વીડિયો એક ડાયલોગ સાથે શરૂ થાય છે, “આ શહેર બદલાઈ ગયું છે એવી જ તેવી વાર્તાઓ પણ.” પછી તરત સારા અલી…
Morbi,તા.29 નાટકનો પર્દાફાશ કરી પોલીસે ફાયરીંગ કરનાર સહીત બેને ઝડપી લીધા, ૧.૪૫ લાખનો મુદામાલ જપ્ત માળિયાના મોટા દહીંસરા નજીક બિલ્ડર પુત્ર પર ફાયરીંગ પ્રકરણમાં મોટો ધડાકો થયો છે જેમાં વેપારીએ દેવું વધી જતા લેણદારોને રૂપિયા ચુકવવા ના પડે તે માટે પોતે જ ૩ લાખ આપવાનું નક્કી કરી પોતાના પર ફાયરીંગ કરાવ્યું હતું એલસીબી ટીમે ફાયરીંગ કરનાર સહીતન બે ઇસમોને ઝડપી લઈને મુદામાલ કબજે લીધો છે મોરબીના રહેવાસી તરુણભાઈ હંસરાજભાઈ ગામી (ઉ.વ.૪૬) વાળા ગત તા. ૨૦ ના રોજ મોટા દહીંસરા ગામથી નવલખી રોડ પર પોતાની કાર લઈને ઉભા હતા ત્યારે એક ઇસમેં ગાડીનો કાચ ખોલાવી ગાળો બોળી ગાળો બોલવાની ના કહેતા…
Morbi,તા.29 હળવદ પોલીસ મથકમાં પ્રોહીબીશન ગુનામાં સંડોવાયેલ ઇસમ વિરુદ્ધ પાસા દરખાસ્ત કરી આરોપીને પાસા તળે ડીટેઈન કરી વડોદરા મધ્યસ્થ જેલ હવાલે કરવામાં આવ્યો છે મોરબી એલસીબી ટીમ દ્વારા હળવદ પોલીસ મથકમાં પ્રોહીબીશન ગુનામાં સંડોવાયેલ ઇસમ વિરુદ્ધ પાસા દરખાસ્ત તૈયાર કરી જીલ્લા મેજીસ્ટ્રેટને મોકલતા ગુનામાં સંડોવાયેલ આરોપી વિજય જયંતીભાઈ અઘારા (ઉ.વ.૪૦૦ રહે જુના દેવળિયા તા. હળવદ વાળાનું પાસા વોરંટ ઈશ્યુ કર્યું હતું જે પાસા વોરંટની બજવણી કરતા વિજય અઘારાને પાસા એક્ટ તળે ડીટેઈન કરી મધ્યસ્થ જેલ વડોદરા મોકલવામાં આવ્યો છે
Morbi,તા.29 ચોમાસું નજીક છે અને ખેડૂતો વાવેતરની તૈયારી કરી રહ્યા છે પરંતુ ખેડૂતો માટે અતિ જરૂરી જ નહિ અનિવાર્ય DAP ખાતરની અછત સર્જાઈ છે ખાતર મળતું જ નથી અને યુરીયા ખાતર સાથે ફરજીયાત એમોનીયા ખાતર ખેડૂતોને પધરાવી દેવામાં આવી રહ્યું છે જેનાથી નારાજગી જોવા મળી રહી છે ખાતરની અછત અંગે ખેડૂતો વ્યથા ઠાલવી રહ્યા છે તો કૃભકો ડીરેક્ટર પણ ખાતરની અછત હોવાનો સ્વીકાર કરી રહ્યા છે મોરબીના ખેડૂતો ખાતરની અછતથી પરેશાન છે સરકાર DAP ખાતરનો પુરતો જથ્થો ઉપલબ્ધ કરાવી રહી નથી હાલ ખેડૂતો વાવેતર માટે તૈયારી કરી રહ્યા છે પરંતુ પાયામાં જરૂરી ખાતર જ મળતું નથી તો ખેડૂતો ક્યાં જાય.…
Morbi,તા.29 મોરબી મહાનગરપાલિકાની પ્રાણી રંજાડ અંકુશ શાખા દ્વારા ઢોર પકડવાની કામગીરી કરવામાં આવી રહી છે જેમાં તા. ૨૧ થી ૨૭ સુધીના સમયમાં વધુ ૭૫ પશુ પકડવામાં આવ્યા હતા મોરબી શહેરના અવની ચોકડી, બાપા સીતારામ ચોક, નગર દરવાજા, મંગલ ભુવન ચોક, શનાળા રોડ અને સામાકાંઠા વિસ્તારમાંથી ૭૫ પશુ પકડીને ગૌશાળામાં મુકવામાં આવ્યા છે તેમજ બે પશુ માલિક પાસેથી નિયત કરેલ વહીવટી ચાર્જ રૂ ૮૦૦૦ વસુલ કરી પશુને છોડવામાં આવ્યા હતા મહાનગરપાલિકા દ્વારા ઘાસ વેચાણ કરનાર ૧૧ વેપારી અને ૩ પશુ માલિકોને લાયસન્સ આપવામાં આવ્યા છે
