Author: Vikram Raval

Washington,તા.29 અમોરિકામાં ટ્રમ્પ-2 શાસનના સૌથી ચર્ચીત ચહેરા બની ગયેલા અને પ્રથમ વખત ડિપાર્ટમેન્ટ ઓફ ગર્વમેન્ટ એફીસીયન્સીના વડા એલન મસ્કે તેમના હોદા પરથી રાજીનામુ આપીને ટ્રમ્પ તંત્રને બાય-બાય કરી દીધુ છે. મસ્કે તેમના સોશ્યલ મીડીયા પ્લેટફોર્મ પર પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પનો પદભાર માનતા જાહેર કર્યુ કે, મારા ખાસ સરકારી કર્મચારી તરીકેના શેડયુલનો અંત આવ્યો છે અને સરકારના બિનજરૂરી ખર્ચમાં કાપ મુકવા માટે અને કામ કરવાની તક આપવા બદલ હું પ્રમુખનો આભાર માનુ છું. ટેસ્લા સહિતની વિશ્વવિખ્યાત કંપનીના સીઈઓ એલન મસ્ક ટ્રમ્પ-2 શાસનના પ્રારંભમાં પ્રમુખ બાદના બીજા નંબરના સૌથી શક્તિશાળી વ્યક્તિ બની ગયા હતા અને તેઓ ટ્રમ્પની દરેક પત્રકાર પરિષદ કે મહત્વની બેઠકોમાં…

Read More

WHO,તા.29 વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન (WHO)એ કોવિડ-19 વાઈરસમાં ફરી વધારો થવાને લઈને ચિંતા વ્યક્ત કરી છે. WHO અનુસાર, ફેબ્રુઆરી 2025ની મધ્યથી દુનિયાભરમાં SARS-CoV-2 વાઈરસની ગતિવિધિમાં વધારો નોંધાયો છે. WHOના આંકડા અનુસાર, કોવિડ ટેસ્ટમાં પોઝિટિવિટી રેટ 11% સુધી પહોંચી ગયો છે, જે જુલાઈ 2024 બાદ સૌથી વધુ છે. આ વધારો વિશેષ રૂપે ઈસ્ટર્ન મેડિટેરેનિયન (પૂર્વી ભૂમધ્યસાગર વિસ્તાર) સાઉથ-ઈસ્ટ એશિયા, વેસ્ટર્ન પેસિફિક (પશ્ચિમી પ્રશાંત વિસ્તાર)થી જોવા મળી રહ્યો છે.દિલ્હી AIIMSના પૂર્વ ડિરેક્ટર રણદીપ ગુલેરિયાએ કોરોનાને લઈને કહ્યું કે, આ વાઈરસનો નવો વેરિયન્ટ જેએન.1 આવ્યું છે. આ વેરિયન્ટ ઓગસ્ટ 2023માં રિપોર્ટ કરવામાં આવ્યો હતો, પરંતુ હવે આખી દુનિયામાં સૌથી વધુ છે. આ વેરિયન્ટમાં અમુક…

Read More

ટૂંક સમયમાં નવી તારીખની થશે જાહેરાત New Delhi,,તા.28 જમ્મુ કાશ્મીરના પહેલગામ આતંકી હુમલા બાદ ભારતીય સેનાએ ઓપરેશન સિંદૂર હેઠળ પાકિસ્તાન અને પાકિસ્તાન અધિકૃત કાશ્મીરમાં આતંકી ઠેકાણાઓ પર એર સ્ટ્રાઈક કરી હતી. આ દરમિયાન ભારત-પાકિસ્તાન વચ્ચે યુદ્ધ જેવી સ્થિતિને લઈને ગુજરાત સહિત દેશના અનેક જિલ્લામાં મોક ડ્રીલ થઈ હતી. ત્યારબાદ ભારત સરકારના આદેશ હેઠળ ગુજરાત સહિત પાંચ રાજ્યોમાં આવતીકાલ (29 મે) ફરી એકવાર મોક ડ્રીલ કરવાનું આયોજન કરાયું હતું. પરંતુ નવો નિર્ણય ન લેવાય ત્યાં સુધી મોક ડ્રીલ સ્થગિત કરી દેવાઈ છે. નવી તારીખની આગામી દિવસોમાં જાહેરાત કરવામાં આવશે.

Read More

તા.28-05-2025 ગુરુવાર મેષ આજના દિવસે આ રાશિ ના મોટા વેપારીઓ ને આ ના દિવસે ઘણું સોચી અને સમજી ને પૈસા નિવેશ કરવા ની જરૂર છે. સંબંધીઓ તથા મિત્રો તરફથી અણધારી ભેટ અને સોગાદો. ચિંતા ન કરતા આજે તમારા દુઃખ બરફની જેમ ઓગળી જશે. હાથમાં લીધેલા નવા કાર્યો અપેક્ષાથી ઊણા ઉતરશે. જેમની સાથે તમારો સમય ખરાબ થાય છે તેમની સાથે સંપર્ક વધારવા નું ટાળો. તમારા જીવનસાથી તમારા દિલની વાત સાંભળવા માટે પૂરતો સમય આપશે. વૃષભ આજના દિવસે તમારું સ્વાસ્થ્ય બરાબર રહેશે. જે બાબત ખાસ હશે એવી કોઈપણ બાબત માટે નાણાં ધીરવા મહત્વના લોકો તૈયાર હશે. બાળકોને તેમના અભ્યાસ પર ધ્યાન આપવાની…

Read More

તા.28-05-2025 ગુરુવાર તિથિ તૃતીયા (ત્રીજ) – 23:21:15 સુધી નક્ષત્ર આર્દ્રા – 22:40:04 સુધી કરણ તૈતુલ – 12:34:50 સુધી, ગરજ – 23:21:15 સુધી પક્ષ શુક્લ યોગ શૂળ – 15:46:49 સુધી વાર ગુરુવાર સુર્ય અને ચંદ્રની ગણતરીઓ સૂર્યોદય 05:54:13 સૂર્યાસ્ત 19:19:39 ચંદ્ર રાશિ મિથુન ચંદ્રોદય 07:44:00 ચંદ્રાસ્ત 22:02:00 ઋતુ ગ્રીષ્મ હિન્દૂ ચંદ્ર તારીખ શક સંવત 1947   વિશ્વાવસુ વિક્રમ સંવત 2082 કાળી સંવત 5126 પ્રવિષ્ટા / ગત્તે 15 મહિનો પૂર્ણિમાંત જયેષ્ઠ (જેઠ) મહિનો અમાંત જયેષ્ઠ (જેઠ) દિન કાળ 13:25:26 અશુભ સમય દુર મુહુર્ત 10:22:41 થી 11:16:23 ના, 15:44:52 થી 16:38:33 ના કુલિક 10:22:41 થી 11:16:23 ના દુરી / મરણ 15:44:52 થી 16:38:33 ના રાહુ કાળ 14:17:36 થી 15:58:17 ના કાલવેલા/અર્ધ્યામ 17:32:15 થી 18:25:57 ના યમ ઘંટા 06:47:54 થી 07:41:36 ના યમગંડ 05:54:13…

Read More

Mehsana,તા.૨૮ ઉત્તર ગુજરાતની સૌથી મોટી ડેરીએ ઉત્પાદકો માટે એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. દૂધસાગર ડેરીએ દૂધ ઉત્પાદકો માટે દૂધના ભાવમાં વધારો કર્યો છે. દૂધસાગર ડેરીએ દૂધના ભાવમાં પ્રતિ કિલોફેટ ૧૦ રૂપિયાનો વધારો કર્યો છે. દૂધનો ભાવ ૮૨૦ રૂપિયાથી વધારીને ૮૩૦ રૂપિયા પ્રતિ કિલોફેટ કરવામાં આવ્યો છે. મહેસાણાની દૂધસાગર ડેરીએ વધુ એક મોટી પહેલ કરી છે. દૂધસાગર ડેરીએ ખેડૂતોના હિતમાં મોટી જાહેરાત કરી છે. જૂન મહિનાની શરૂઆત પહેલા જ દૂધસાગર ડેરીએ પશુપાલકોને મોટી ખુશખબર આપી છે. દૂધસાગર ડેરીએ પશુપાલકો માટે ચરબીના ભાવમાં ૧૦ રૂપિયાનો વધારો જાહેર કર્યો છે. ચરબીના ભાવમાં ૧૦ રૂપિયાના વધારા સાથે, પશુપાલકોને હવે પ્રતિ કિલો ૮૩૦ રૂપિયાનો ભાવ…

Read More

Islamabad,,તા.૨૮ પહલગામ આતંકવાદી હુમલાનો સૌથી મોટો ખુલાસો થયો છે, જેના માટે નક્કર પુરાવા પણ મળી આવ્યા છે. પહલગામ આતંકવાદી હુમલાનો માસ્ટરમાઈન્ડ પાકિસ્તાનના આર્મી ચીફ અને ફિલ્ડ માર્શલ અસીમ મુનીર છે. પહેલગામ આતંકવાદી હુમલામાં ફક્ત પાકિસ્તાની સેનાના વડા જ નહીં પરંતુ પાકિસ્તાની સેનાના ૪-૫ ઉચ્ચ અધિકારીઓ પણ સામેલ હતા. અમે કોઈ પણ સ્ત્રોત દ્વારા એવું નથી કહી રહ્યા કે આર્મી ચીફ અને પાકિસ્તાની સેનાના અધિકારીઓ આ આતંકવાદી હુમલામાં સીધા સંડોવાયેલા હતા, પરંતુ આ સનસનાટીભર્યો ખુલાસો પાકિસ્તાની સેનામાં કામ કરતા એક અધિકારી દ્વારા કરવામાં આવ્યો છે. પાકિસ્તાની સેનાના ભૂતપૂર્વ મેજર આદિલ રાજાએ જણાવ્યું કે પાકિસ્તાની સેના આતંકવાદીઓને કેવી રીતે ટેકો આપે છે…

Read More

અપહરણ કરાયેલ આ ત્રણ યુવકો પંજાબના સંગરૂર, એસબીએસ નગર અને હોશિયારપુર જિલ્લાના રહેવાસી છે New Delhi, તા.૨૮ ઓસ્ટ્રેલિયા જઈ રહેલા ત્રણ ભારતીયોનું ઈરાનમાં અપહરણ થયુ છે. તેમના પરિવારજનો પાસે રૂ.૧ કરોડની ખંડણી માગવામાં આવી છે. આ ત્રણ યુવકો પંજાબના સંગરૂર, એસબીએસ નગર અને હોશિયારપુર જિલ્લાના રહેવાસી છે. આ ત્રણેય યુવકો દિલ્હીથી વર્ક પરમિટ પર ઓસ્ટ્રેલિયા જઈ રહ્યા હતાં. એજન્ટ મારફત ઈરાન થઈ તેમને ઓસ્ટ્રેલિયા લઈ જવામાં આવી રહ્યા હતાં. તેઓ ૧ મેથી ગુમ થયા હતાં. ઈરાનમાં ભારતની એમ્બેસીએ સ્થાનિક પોલીસ અને સત્તાધીશોની મદદ લઈ આ ત્રણેય ગુમ યુવકોને શોધી કાઢવાની તજવીજ હાથ ધરી છે. ઈરાન પહોંચ્યા બાદ આ યુવકો ગુમ…

Read More

ઉત્તર પ્રદેશના વૃંદાવનમાં આવેલા પ્રખ્યાત શ્રી બાંકે બિહારી મંદિરના સંચાલનને લઇને મામલો સુપ્રીમ કોર્ટ પહોંચ્યો New Delhi, તા.૨૮ ઉત્તર પ્રદેશના વૃંદાવનમાં આવેલા પ્રખ્યાત શ્રી બાંકે બિહારી મંદિરના સંચાલનને લઇને મામલો સુપ્રીમ કોર્ટ પહોંચ્યો છે. સુપ્રીમ કોર્ટે રાજ્ય સરકારનો ઉધડો લેતા સવાલ કર્યો હતો કે આ સમગ્ર મામલામાં રાજ્ય પક્ષકાર નથી તો પછી કેમ દખલ દેવા માગે છે? કઇ સત્તાના આધારે રાજ્ય સરકારે આ વિવાદમાં પ્રવેશ કર્યો? ઉત્તર પ્રદેશ સરકારે મથુરામાં આવેલા પ્રખ્યાત શ્રી બાંકે બિહારી મંદિરના પુનઃવિકાસ માટે યોજના જાહેર કરી છે, જેને સુપ્રીમ કોર્ટે મંજૂરી આપી હતી. સુપ્રીમ કોર્ટના આ નિર્ણયમાં સુધારો કરવાની માગ કરતી અરજી અરજદાર દેવેન્દ્રનાથ ગૌસ્વામી…

Read More