Author: Vikram Raval

New Delhi, તા.૨૮ રાષ્ટ્રપતિ ભવનમાં બુધવારે (૨૮ મે) રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂએ પદ્મ પુરસ્કાર ૨૦૨૫થી લોકોને સન્માનિત કર્યા છે. દેશના સર્વોચ્ચ નાગરિક સન્માનમાંથી એક પદ્મ પુરસ્કાર ત્રણ શ્રેણીમાં આપવામાં આવે છે. જેમાં પદ્મ શ્રી, પદ્મ ભૂષણ અને પદ્મ વિભૂષણનો સમાવેશ થાય છે. આ પુરસ્કાર અનેક વિષય જેમકે કલા, સામાજિક કાર્ય, જાહેર બાબત, વિજ્ઞાન, વેપાર અને ઉદ્યોગ, ચિકિત્સા અને સાહિત્ય વગેરેમાં આપવમાં આવે છે. જેમાં ભારતના પૂર્વ મુખ્ય ન્યાયાધીશ જગદીશ સિંહ ખેહર, નૃત્યાંગના શોભના ચંદ્રકુમાર, એક્ટર અનંત નાગ અને પ્રતિષ્ઠિત કિંગ જૉર્જ મેડિકલ યુનિવર્સિટીના કુલપતિ સોનિયા નિત્યાનંદ સહિત ૬૯ પ્રતિષ્ઠિત હસ્તીઓને મંગળવારે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂએ પદ્મ પુરસ્કારોથી સન્માનિત કર્યાં. ૨૦૨૫માં ૧૩૯ લોકોને…

Read More

નક્સલીઓએ દોઢ ટન વિસ્ફોટક ભરેલી ટ્રક લૂંટી લીધી છે : આ ઘટના બાદ ઝારખંડ અને ઓડિશા પોલીસ એલર્ટ Odisha, તા.૨૮ ઓડિશાના રાઉરકેલામાં નક્સલીઓએ ફરી એક વખત સુરક્ષા વ્યવસ્થાને પડકારી છે. નક્સલીઓએ વિસ્ફોટકથી ભરેલી ટ્રક લૂંટી લીધી છે. નક્સલીઓએ દોઢ ટન વિસ્ફોટક ભરેલી ટ્રક લૂંટી લીધી છે. આ ઘટના બાદ ઝારખંડ અને ઓડિશા પોલીસ એલર્ટ પર છે. આ ટ્રક રાઉરકેલાના કેબલાંગ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી બાંકો પથ્થરની ખાણ તરફ જઈ રહી હતી. સૂત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે નક્સલીઓએ ટ્રકને રોકીને તેના ડ્રાઈવરને બંધક બનાવી લીધો અને ટ્રકને બળજબરીથી સારંડાના ગાઢ જંગલ તરફ લઈ ગયા. ઘટના બાદથી ઝારખંડ અને ઓડિશા પોલીસ સંપૂર્ણ એલર્ટ…

Read More

New Delhi, તા.૨૮ કર્નલ સોફિયા કુરેશી પર આપત્તિજનક ટીપ્પણી કરવા મામલે મધ્યપ્રદેશના મંત્રી વિજય શાહ વિરૂદ્ધ તપાસ કરી રહેલી જીૈં્‌એ આજે સુપ્રીમ કોર્ટમાં સીલ બંધ કવરમાં સ્ટેટ્‌સ રિપોર્ટ રજૂ કર્યો હતો. રિપોર્ટમાં તપાસ પ્રારંભિક તબક્કામાં હોવાનું જણાવવામાં આવતાં વધુ સમયની માગ કરવામાં આવી હતી. જેના પગલે સુપ્રીમ કોર્ટે વિજય શાહને રાહત આપી છે. સુપ્રીમ કોર્ટે જીૈં્‌ને તપાસ માટે વધુ સમયની ફાળવણી કરતાં વિજય શાહની ધરપકડ પર રોક મૂકી છે. જીૈં્‌એ કહ્યું કે, નિવેદનોનો વીડિયો ભોપાલ હ્લજીન્ને મોકલવામાં આવ્યો હતો. પરંતુ સ્રોતોના અભાવે તે તપાસ વિના જ પરત આવ્યો હતો. એક પત્રકારના મોબાઈલને પણ ઝ્રહ્લજીન્ મોકલવામાં આવ્યો છે. અત્યારસુધી ૭ સાક્ષીના…

Read More

ચેન્નઈમાં પોતાની નવી ફિલ્મ ઠગ લાઈફના ઓડિયો લોન્ચ પ્રસંગે બોલતા હાસને કહ્યું કે, કન્નડ ભાષા તમિલમાંથી નીકળી છે Chennai, તા.૨૮ દિગ્ગજ અભિનેતા અને રાજનેતા કમલ હાસન કન્નડ ભાષા પરની પોતાની ટિપ્પણીઓને કારણે વિવાદમાં સપડાઈ ગયા છે. ચેન્નઈમાં પોતાની નવી ફિલ્મ ઠગ લાઈફના ઓડિયો લોન્ચ પ્રસંગે બોલતા હાસને કહ્યું કે, કન્નડ ભાષા તમિલમાંથી નીકળી છે. તેમની આ ટિપ્પણી બાદ કર્ણાટક ભાજપના પ્રમુખ બી.વાય. વિજયેન્દ્રએ અભિનેતા પર પોતાની માતૃભાષાનો મહિમામંડન કરવાના પ્રયાસમાં કન્નડ ભાષાનું અપમાન કરવાનો આરોપ લગાવ્યો છે. ભાજપના નેતાએ એવી પણ માંગ કરી કે, અભિનેતા કન્નડ લોકો પાસે તાત્કાલિક અને બિનશરતી માફી માંગે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઠ પર વાતચીત કરતા…

Read More

પતિએ ફેમેલી કોર્ટમાં તે સાબિત કરી દીધું કે તેની પત્નીનો દિયર સાથે શારીરિક સંબંધ હતા અને આ બધુ તેના ઘરમાં થઈ રહ્યું હતું Raipur, તા.૨૮ છત્તીસગઢ હાઈકોર્ટે ૯ મે ૨૦૨૫ ના રોજ એક મહત્વપૂર્ણ ચુકાદો આપ્યો છે. એવું કહેવામાં આવ્યું હતું કે જો કોઈ મહિલા લગ્ન પછી બીજા કોઈ સાથે શારીરિક સંબંધ બાંધે છે અને તેના આધારે તેના છૂટાછેડા થઈ જાય છે, તો તે મહિલા તેના પતિ પાસેથી ભરણપોષણ માંગી શકતી નથી. તેનો ભરણપોષણનો અધિકાર સમાપ્ત થઈ જશે. એક રિપોર્ટ પ્રમાણે એક પતિએ ફેમેલી કોર્ટમાં તે સાબિત કરી દીધું કે તેની પત્નીનો તેના દિયર (પતિના નાના ભાઈ) સાથે શારીરિક સંબંધ…

Read More

ચીભડા ગામની સરકારી વીડીમાં ઢોર નહિ ચરાવવાનું કહેતા ત્રણ શખ્સોંએ લાકડી વડે માર મારી ખૂનની ધમકી આપી Rajkot,તા.28 લોધીકા તાલુકાના ચીભડાં ગામની વીડીમાં ઢોર ચરાવવાની ના પાડનાર ફોરેસ્ટ વિભાગના ગાર્ડને ત્રણ શખ્સોંએ લાકડી વડે માર મારી, ખૂનની ધમકી આપી ફરજમાં રુકાવટ કર્યાનો ગુનો નોંધાયો છે. મામલામાં રાજકોટ જિલ્લાના લોધીકા તાલુકાના ખીરસરા ગામે રહેતા મૂળ જામનગરના વતની અને ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટમાં બીટ ગાર્ડ તરીકે ફરજ બજાવતા વિજયભાઈ ધીરુભાઈ ગોલતરએ લોધીકા પોલીસમાં નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે માખાવાડ ગામે રહેતા બુધા જેસળભાઈ ગઢવી, રાયદે જેસળભાઈ ગઢવી અને ગોગન જેસળભાઈ ગઢવીનું નામા આપી જણાવ્યું હતું કે, ગત તા. ૨૭/૦૫/૨૦૨૫ ના આશરે ત્રણ વાગ્યે હું ખીરસરા…

Read More

કંપનીના કોમ્પ્યુટર ડિપાર્ટમેન્ટે લેપટોપ અને ઇમેઇલ આઇડીની ખરાઈ કરાવતા ભાંડો ફૂટ્યો Rajkot,તા.28 રાજકોટ શહેરની ભાગોળે આવેલ શાપર વેરાવળ જીઆઈડીસી સ્થિત રાજુ એન્જીનીયરીંગના તત્કાલીન વાઇસ પ્રેસિડેન્ટ સુભાષચંદ્ર ચિનોયએ કંપનીની ખાનગી વિગતો લીક કરી દીધાનો બનાવ સામે આવ્યો છે. વાઇસ પ્રેસિડેન્ટ રહી ચૂકેલા શખ્સની કામગીરી સંતોષકારક નહિ હોવાથી છૂટા કરવા નોટીસ આપ્યા બાદ તેણે અત્યંત ગુપ્ત માહિતી અન્ય કંપનીને આપી દીધાની આશંકાએ કારખાનેદારએ શાપર પોલીસમાં ફરીયાદ નોંધાવી છે. મામલામાં રાજકોટ શહેરની પંચવટી સોસાયટી શેરી નંબર સી-10માં રહેતા અને શાપર વેરાવળના સર્વે નંબર 210 ખાતે રાજુ એન્જીનીયર્સ નામે પ્લાસ્ટિક પ્રોસેસિંગ મશીનરી બનાવવાનું કારખાનું ધરાવતા 65 વર્ષીય કારખાનેદાર રાજેશભાઇ નાનાલાલ દોષીએ શાપર પોલિસમાં નોંધાવેલી…

Read More

રૂ. 2.15 લાખની રોકડ સાથે માધાપર ચોકડી નજીકથી ચારને ઝડપી લેતી એલસીબી ઝોન-2 ટીમ : બે મહિલાઓ સહીત ત્રણની શોધખોળ Rajkot,તા.28 શહેરના મોરબી રોડ ઉપર રહેતા તબીબ દંપતિને પાંચ લાખ રૂપિયામાં એક કિલો સોનું આપવાની લાલચ આપી પૈસા પડાવી લેનાર સલાટ વાંદરી ગેંગના ચાર શખ્સોને પોલીસે દબોચી લીધા હતા. આ ટોળકીએ પાંચ વર્ષની અંદર શહેરમાં પાંચ શિકાર કર્યાની કબૂલાત આપી છે. ગેંગમાં મહિલા સહિત સાત લોકો સામેલ છે. જેમાંથી ચારને ર.૧૫ લાખની રોકડ સાથે એલસીબી ઝોન-2 ટીમે દબોચી લીધા હતા. જ્યારે તબીબ દંપતિ પાસેથી મેળવેલી પાંચ લાખની રકમમાંથી અમુક રકમ ફરાર થઈ ગયેલા ત્રણ લોકો પાસે હોય તેમને પકડી પૈસા…

Read More

 પ્ર.નગર, એ ડિવિઝન, સાયબર ક્રાઇમ, મહિલા અને ટ્રાફિક શાખાના ઇન્સ્પેક્ટરોની અરસ પરસ ટ્રાન્સફર Rajkot,તા.28 શહેર પોલીસ માં ફરજ બજાવતા છ પીઆઈની આંતરિક બદલીનો આદેશ પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝા દ્વારા જાહેર કરવામાં આવ્યો છે. પ્રાપ્ત વિગત અનુસાર શહેર પોલીસ કમિશનર બ્રજેશ બ્રજેશકુમાર ઝા દ્વારા પોલીસ ઇન્સ્પેક્ટરોની આંતરિક બદલીનો આદેશ જાહેર કરવામાં આવ્યો છે. જે આદેશ અનુસાર ડીસીબી અટેચ પ્ર.નગર પોલીસ મથકના પીઆઈ પી.આર. ડોબરીયાને ડીસીબી અટેચ સાઇબર ક્રાઇમ પોલીસ સ્ટેશન ખાતે મૂકવામાં આવ્યા છે. જ્યારે એ ડિવિઝન પીઆઈ આર જી બારોટને ટ્રાફિક શાખામાં મૂકી દેવામાં આવ્યા છે. આ ઉપરાંત ટ્રાફિક શાખાના પીઆઈ એસ એન રાઠોડને મહિલા પોલીસ મથક ખાતે મૂકવામાં આવ્યા…

Read More

બિહારથી પ્રસંગ પતાવી પરપ્રાંતિય પરિવાર શાપર જઈ રહ્યો’તો ત્યારે ગઠીયાઓનો ભેંટો થઇ ગયો Rajkot,તા.28 ટ્રેનમાં અમદાવાદથી રાજકોટની મુસાફરી દરમિયાન બિહારી પરિવારના બેગમાં કાપો મારી બે અજાણ્યા શખસો રોકડ રૂપિયા ૮૦ હજાર અને સોના-ચાંદીના દાગીના સહિત રૂ.1.25 લાખની મત્તા ચોરી કરી ગયા અંગે રેલવે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. બનાવની જાણવા મળતી વિગતો મુજબ હાલ શાપરમાં રહેતા મૂળ બિહારના વતની અક્ષયબરનાથ સીતારામ ઓઝા(ઉ.વ 55) દ્વારા રેલવે પોલીસ સ્ટેશનમાં નોંધાવવામાં આવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે, તે છેલ્લા દસ વર્ષથી શાપરમાં રહે છે અને સાત વર્ષથી શાપર પ્રગતિ મોલ ગેટ પાસે વિનસ ઇન્ડસ્ટ્રીઝ કારખાનામાં મજૂરી કામ કરે છે. ફરિયાદીનું મૂળ વતન બિહારના…

Read More