Author: Vikram Raval

New Delhi,તા.15 દેશમાં ચોમાસાની અનિશ્ચિત સ્થિતિ તથા ઈરાન યુદ્ધ ફરી ભડકતા ક્રુડતેલના ભાવમાં પણ ફરી વધારો થશે તેવા સંકેત છે તે સમય જૂન માસમાં જથ્થાબંધ ફુગાવો વધીને 9.87% થયો છે. મે માસમાં 9.68% હતો. ખાસ કરીને ખાદ્ય ચીજોના ભાવ વધ્યા છે. અર્થશાસ્ત્રીઓ ફુગાવો 9.15% રહેવાની આશા રાખતા હતા તેના બદલે મે માસની સરખામણીમાં તે વધુ ઉંચો ગયો છે. ખાસ કરીને ખાદ્ય ચીજોના ભાવે ફુગાવાને વેગ આપ્યો છે તો પેટ્રોલિયમ પેદાશો કાચા માલ તથા બેઝીક મેટલના ભાવ પણ વધ્યા છે. ખાદ્ય ફુગાવો 4.49% આમ વધીને 6.14% થયો છે. જયારે નોન ક્રુડ આર્ટીકલના ભાવ 1.43% વધ્યા છે અને મીનરલના ભાવમાં 0.58% નો…

Read More

New Delhi, તા. 15 નાબાલિગ છોકરી પર દુષ્કર્ષ ગુજારવાના કેસમાં જોધપુર જેલમાં આજીવન કેદની સજા કાપી રહેલાં આસારામે ફરી એકવાર મેડિકલના આધારે જામીન મેળવવા સુપ્રીમ કોર્ટનાં દરવાજા ખખડાવ્યા છે. આસારામ વતી હાજર રહેલાં વરિષ્ઠ વકીલે સુપ્રીમ કોર્ટની બેન્ચ સમક્ષ દલીલ કરી હતી કે 90 વર્ષીય આસારામની તબિયત અત્યંત નાજુક છે. અને ગત 8 જુલાઈએ તેમને અચાનક ઇન્ટરનલ બ્લીડિંગ (આંતરિક રક્તસ્રાવ) થવાનાં કારણે ગંભીર હાલતમાં જોધપુર એમ્સ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં છે. કોર્ટે આ મામલાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને 17 જુલાઈએ સુનાવણી હાથ ધરવાનું નક્કી કર્યું છે. અદાલતમાં વકીલોએ જણાવ્યું કે આસારામને હોસ્પિટલમાં લોહી ચઢાવવું પડ્યું છે અને ડોક્ટરોએ તેમને ‘હાઈ રિસ્ક…

Read More

New Delhi, તા. 14 મધ્ય પ્રદેશનાં ધારમાં આવેલાં ઐતિહાસિક અને વિવાદાસ્પદ ભોજશાલા સંકુલને લઈને સુપ્રીમ કોર્ટનાં ચીફ જસ્ટિસ સૂર્યકાંતની પીઠે એક મહત્વનો વચગાળાનો આદેશ આપ્યો છે. કોર્ટે મધ્ય પ્રદેશ સરકારને એવી વ્યવસ્થા કરવા નિર્દેશ આપ્યો છે કે, જેથી બંને પક્ષોને કોઈ મુશ્કેલી ન પડે અને મુસ્લિમ સમુદાય પહેલાની જેમ ત્યાં નમાઝ અદા કરી શકે. અદાલતે સ્પષ્ટ કર્યું છે કે આ વ્યવસ્થાનો મુખ્ય હેતુ કેસનાં છેલ્લાં નિકાલ સુધી વિસ્તારમાં શાંતિ અને સૌહાર્દ જાળવી રાખવાનો છે. આ વચગાળાની વ્યવસ્થા હેઠળ સુપ્રીમ કોર્ટે જણાવ્યું છે કે, ભોજશાલા સંકુલની બિલકુલ અડીને આવેલી એક ખુલ્લી જગ્યા મુસ્લિમ પક્ષને શુક્રવારની નમાઝ પઢવા માટે ઉપલબ્ધ કરાવવામાં આવે.…

Read More

New Delhi,તા.15 દેશના છ સૌથી મોટા મ્યુચ્યુઅલ ફંડ માર્કેટમાં મુંબઈ ટોચ  પર છે. જ્યારે અમદાવાદ છઠ્ઠા ક્રમે છે.અમદાવાદે દેશના છઠ્ઠા સૌથી મોટા મ્યુચ્યુઅલ ફંડ માર્કેટ તરીકે પોતાનું સ્થાન જાળવી રાખ્યું હતું. માર્ચ 2026માં અમદાવાદનું એસેટ્સ અન્ડર મેનેજમેન્ટ (AUM) વાર્ષિક ધોરણે અંદાજે 19 ટકા વધીને રૂ।. 202 લાખ કરોડ થઈ હતું, જે ગયા વર્ષે સમાન ગાળામાં રૂ।. 1.8 લાખ કરોડ હતું. દેશના કુલ મ્યુચ્યુઅલ ફંડ અઞખમાં અમદાવાદનો હિસ્સો 2.82 ટકા હતો, જે માર્ચ 2025ના 2.83 ટકાની સરખામણીએ લગભગ યથાવત હતો. બજારમાં સતત અસ્થિરતા હોવા છતાં અમદાવાદના રોકાણકારોની ભાગીદારી સ્થિર રહી હોવાનું દર્શાવે છે. અત્રે ઉલ્લેખનીય છે કે, વર્ષ 2024ની શરૂઆતમાં અમદાવાદ…

Read More

New Delhi,તા.15 ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાએ નવી દિલ્હીના જંતર-મંતરની મુલાકાત લઈને છેલ્લા 18 દિવસથી આમરણ ઉપવાસ પર બેઠેલા સામાજિક કાર્યકર અને શિક્ષણવિદ્‌‍ સોનમ વાંગચુકના સ્વાસ્થ્ય અંગે પૂછપરછ કરી હતી. સોનમ વાંગચુક કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાની માંગ સાથે શાંતિપૂર્ણ ઉપવાસ આંદોલન ચલાવી રહ્યા છે. શંકરસિંહ વાઘેલાએ પોતાના સોશિયલ મીડિયા પર જણાવ્યું કે તેઓ સોનમ વાંગચુકના શાંતિપૂર્ણ અને લોકશાહી આંદોલન પ્રત્યે આદર વ્યક્ત કરવા જંતર-મંતર પહોંચ્યા હતા. આ દરમિયાન તેમણે અભિજીત દીપક, સેવન શોટ્સ તથા CJP (Cockroach Janta Party)ના સભ્યો સાથે પણ મુલાકાત કરી અને તેમના મંતવ્યો સાંભળ્યા. વાઘેલાએ જણાવ્યું કે લોકશાહીમાં મતભેદ સ્વાભાવિક છે, પરંતુ સંવાદના દરવાજા ક્યારેય…

Read More

London,તા.15 ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે રમાયેલી પ્રથમ વનડે મેચમાં ભારતીય ટીમે શાનદાર વાપસી કરીને યજમાન ટીમને 6 વિકેટે પરાજય આપ્યો છે. ટી20 શ્રેણીમાં 0-4 થી કારમી હાર બાદ ભારતીય વનડે ટીમે આ જીત સાથે ધમાકેદાર શરૂઆત કરી છે. જો કે, મેચ પૂરી થયા બાદ મેદાન પર વિરાટ કોહલીએ ભારતીય ટીમના યુવા કેપ્ટન શુભમન ગિલ માટે જે ઉદારતા અને સન્માન દર્શાવ્યું, તેણે કરોડો ક્રિકેટ ચાહકોના દિલ જીતી લીધા છે અને આ ક્ષણનો વિડીયો સોશિયલ મીડિયા પર જોરદાર વાયરલ થઈ રહ્યો છે. બર્મિંગહામ ખાતે મેચ પૂરી થયા બાદ જ્યારે બંને ટીમના ખેલાડીઓ એકબીજા સાથે હાથ મિલાવવા માટે મેદાન પર આવી રહ્યા હતા,…

Read More

London,તા.15 ફિફા વર્લ્ડ કપ 2026ના પ્રથમ સેમિફાઇનલમાં સ્પેનની ફૂટબોલ ટીમે દમદાર પ્રદર્શન કરીને ટાઇટલની પ્રબળ દાવેદાર ગણાતી ફ્રાન્સની ટીમને 2-0 થી પરાજય આપ્યો છે. આ જીત સાથે સ્પેને ફાઇનલમાં પ્રવેશી લીધો છે. ડલાસમાં રમાયેલી આ રોમાંચક મેચમાં સ્પેને શરૂઆતથી જ મેચ પર પોતાનો હોલ્ડ જાળવી રાખ્યો હતો અને બંને હાફમાં 1-1 ગોલ કરીને ફ્રાન્સને ટૂર્નામેન્ટમાંથી બહાર કરી દીધું હતું. ઓયાર્જાબેલે પેનલ્ટી દ્વારા અપાવી પ્રથમ લીડમેચની 22મી મિનિટે સ્પેનને પ્રથમ સફળતા મળી હતી. ફ્રાન્સના ડિફેન્ડર લુકાસ ડિન્યેએ સ્પેનના લામિન યમાલ પર ફાઉલ કર્યો, જેના કારણે રેફરીએ સ્પેનને પેનલ્ટી એનાયત કરી હતી. મિકેલ ઓયાર્જાબેલે આ પેનલ્ટીને સફળતાપૂર્વક ગોલમાં ફેરવીને સ્પેનને 1-0 ની…

Read More

London,તા.15 ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચેની પ્રથમ વનડે મેચમાં જસપ્રિત બુમરાહે બાઉન્ડ્રી લાઈન પર એક એવો અદ્ભુત કેચ પકડ્યો, જેને જોઈને ક્રિકેટ ફેન્સ આશ્ચર્યચકિત થઈ ગયા છે. આ કેચ એટલો શાનદાર હતો કે સોશિયલ મીડિયા પર ફેન્સે તેને ‘સૂર્યા મોમેન્ટ પાર્ટ-2’ કહેવાનું શરૂ કરી દીધું છે. આ કેચના કારણે મેચનો આખો રૂખ બદલાઈ ગયો હતો.મેચની 12મી ઓવરમાં ભારતીય બોલર ગુરનૂર બરારે શાનદાર બોલિંગ કરીને ઈંગ્લેન્ડના બંને ઓપનરોને પેવેલિયન ભેગા કર્યા હતા. ઈંગ્લેન્ડના ઓપનર બેન ડકેટે મોટો શૉટ મારવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ બાઉન્ડ્રી લાઈન પર ફિલ્ડિંગ કરી રહેલા જસપ્રિત બુમરાહે અશક્ય દેખાતા કેચને અદ્ભુત સ્ફૂર્તિ સાથે પકડી લીધો હતો. ડકેટ 43…

Read More

London,તા.15 બર્મિંગહામના એજબેસ્ટન મેદાન પર રમાયેલી પ્રથમ વનડે મેચમાં ભારતીય ટીમે ધમાકેદાર પ્રદર્શન કરતા ઇંગ્લેન્ડને 6 વિકેટે હરાવી દીધું છે. ટૉસ જીતીને પહેલા બેટિંગ કરવા ઉતરેલી ઇંગ્લેન્ડની ટીમ 47.5 ઓવરમાં 258 રન બનાવીને ઓલઆઉટ થઈ ગઈ હતી. જવાબમાં ભારતીય ટીમે માત્ર 45.2 ઓવરમાં 4 વિકેટ ગુમાવીને 262 રન બનાવી લીધા હતા અને 28 બોલ બાકી રહેતા શાનદાર જીત મેળવી હતી. પ્રથમ ઇનિંગમાં ભારતીય બોલરોએ ઇંગ્લેન્ડના બેટરોને પિચ પર ટકવા દીધા નહોતા. સ્પિનર અક્ષર પટેલે ઘાતક બોલિંગ કરતા 9.5 ઓવરમાં 62 રન આપીને સૌથી વધુ 4 વિકેટ ઝડપી હતી. ફાસ્ટ બોલર પ્રસિદ્ધ ક્રિષ્નાએ 10 ઓવરમાં 2 મેડન સાથે 50 રન આપીને…

Read More

London,તા.15 ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે રમાનારી આગામી મેચ પહેલાં ક્રિકેટના મેદાનમાંથી એક એવો કિસ્સો સામે આવ્યો છે જેણે સોશિયલ મીડિયા પર જોરદાર ચર્ચા જગાવી છે. બર્મિંગહામ ખાતે યોજાયેલા ભારતીય ટીમના સત્તાવાર પ્રેક્ટિસ સેશન દરમિયાન હેડ કોચ ગૌતમ ગંભીર અને દિગ્ગજ બેટ્સમેન વિરાટ કોહલી એ એકબીજા સાથે વાત કરવાનું કે સંપર્ક કરવાનું સંપૂર્ણપણે ટાળ્યું હતું. નેટ્સમાં બંને વચ્ચે જોવા મળેલી આ દૂરી કેમેરામાં કેદ થતાં જ ક્રિકેટ જગતમાં નવો વિવાદ શરૂ થઈ ગયો છે. બર્મિંગહામ ગ્રાઉન્ડ પરથી સામે આવેલા અહેવાલો અને વીડિયો અનુસાર, વિરાટ કોહલી જ્યારે નેટ્સમાં લાંબા સમય સુધી બેટિંગની પ્રેક્ટિસ કરી રહ્યો હતો, ત્યારે હેડ કોચ ગૌતમ ગંભીર ત્યાં…

Read More