Author: Shri Nutan Saurashtra

થોરાળા, યુનિવર્સિટી, માલવિયા, તાલુકા પોલીસ સ્ટેશન દ્વારા હાટડી પર દરોડા પાડી 1,11,150નો મુદ્દામાલ કબજે Rajkot,તા.14  શહેરમાં ગૃહ ઉદ્યોગ ની જેમ ચાલતા દેશી દારૂ ના અડ્ડા પર  સ્ટેશન દ્વારા દારૂની હાટડી પર  સાત જગ્યાએ દેશી દારૂ ના અડ્ડા ઉપર રેડ કરતા 157 લીટર કિંમત ₹1,11,150 નો દારૂનો જથ્થો કબજે કરી અને બે મહિલા સહિત 5 ની ધરપકડ કરવામાં અને 3 મહિલા ફરાર થઈ હતી અને આરોપીઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરતા શહેરમાં ગુનેગારોમાં ફફડાટ ફેલાયો હતો આ અંગે પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ સ્થાનિક સ્વરાજની ચૂંટણી શાંતિપૂર્ણ રીતે યોજાય અને ગુનાખોરી અટકાવવા રાજકોટ શહેર પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝા દ્વારા શહેરમાં ચાલતા દેશી…

Read More

ચાર દિવસ પૂર્વે પેલેસ રોડ પરથી એક્ટિવા ઉઠાવ્યાની કબુલાત Rajkot,તા.14 શહેરના કપિલા હનુમાન રોડ પરથી એ ડિવિઝન પોલીસ મથકના સાથે વૈશાલીનગરમાં રહેતા નેપાળી શખસને ચોરાઉ એકટીવા સાથે ઝડપી લીધો હતો. પોલીસે આ શખસની પૂછતાછ કરતા આ એકટીવા તેણે ચાર દિવસ પૂર્વે પેલેસ રોડ પરથી ચોરી કર્યાની કબુલાત આપી હતી.જાણવા મળતી વિગતો મુજબ, એ ડિવિઝન પોલીસમાં મથકના પીઆઇ જે.વી. વાઢીયાની રાહબરી હેઠળ પી.એસ.આઇ.એસ.એમ. રાણા તથા તેમની ટીમ પેટ્રોલિંગમાં હતી. દરમિયાન હેડ કોન્સ્ટેબલ કનુભાઈ બસીયા, સાગરભાઇ માવદીયા, ધર્મેશભાઈ પરમાર અને કોન્સ્ટેબલ ધર્મેશભાઈ ખાંડેખાને મળેલી બાતમીના આધારે કપિલા હનુમાન રોડ પાસેથી શંકાસ્પદ એકટીવા સાથે એક શખસને ઝડપી લીધો હતો. પોલીસે આ શખસની પૂછતાછ…

Read More

Rajkot,તા.14 કુશળ અને સામાજિક રીતે સભાન ડોક્ટરો સમાજમાં ગહન પરિવર્તન લાવવાની શક્તિ ધરાવે છે: રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુભારતના રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુ આજે (13 એપ્રિલ, 2026) ગુજરાતના રાજકોટ ખાતે એઈમ્સ (AIIMS) રાજકોટના પ્રથમ પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યા અને સંબોધન કર્યું હતું. આ પ્રસંગે બોલતા રાષ્ટ્રપતિએ કહ્યું કે, દેશભરમાં પોસાય તેવા ખર્ચે વિશ્વસ્તરીય તૃતીયક (tertiary) આરોગ્ય સંભાળ પૂરી પાડવા માટે ઘણી એઈમ્સ સ્થાપિત કરવામાં આવી છે. તેઓ ગુણવત્તાયુક્ત તબીબી શિક્ષણ પ્રદાન કરવામાં, સંશોધન અને નવીનતાને પ્રોત્સાહન આપવામાં, જાહેર આરોગ્ય પહેલ કરવામાં અને રાષ્ટ્રીય આરોગ્ય નીતિઓ ઘડવામાં મહત્વની ભૂમિકા ભજવી રહ્યા છે. તેમણે કહ્યું કે નવીન સંશોધન અને દર્દીઓની સંભાળ દ્વારા આરોગ્ય સંભાળને…

Read More

Amreli,તા.13 અમરેલી જિલ્લામાં ભાજપ મહિલા નેતા કોકિલા કાકડીયાના નિવેદન બાદ ફરી એકવાર રાજકીય ચર્ચાઓ તેજ બની છે. અગાઉના વિવાદાસ્પદ નિવેદન પછી હવે કાકડીયાએ નવા ‘ખુલાસા’ સાથે પોતાના નિવેદનને સ્પષ્ટ કરવાનો પ્રયાસ કર્યો છે, પરંતુ આથી વિવાદ વધુ ઊંડો બન્યો છે. કોકિલા કાકડીયાએ પોતાના નિવેદનમાં કહ્યું કે “આતંકવાદનું કામ કરે છે એ બધા વિધર્મીઓનો નાશ થવો જોઈએ”. આ સાથે તેમણે દાવો કર્યો કે હિન્દુ-મુસ્લિમ ભાઈચારો દેશમાં છે, પરંતુ કેટલાક મુદ્દાઓ પર ચર્ચા થતી નથી, જેના કારણે તેમણે આ મુદ્દો ઉઠાવ્યો છે.કાકડીયાએ વધુમાં જણાવ્યું કે “દેશ માટે જે વિધર્મીઓ ખતરો ઉભો કરે છે, તે અંગે ખુલાસો હું કરું છું”. તેમણે આ નિવેદનને…

Read More

ક્રૂડ તેલના વાયદામાં રૂ.589નો ઝડપી ઉછાળોઃ સોનાનો વાયદો રૂ.1186 અને ચાંદીનો વાયદો રૂ.5492 નરમ કોમોડિટી વાયદાઓમાં રૂ.20369.25 કરોડ અને કોમોડિટી ઓપ્શન્સમાં રૂ.134855.13 કરોડનું ટર્નઓવરઃ સોના-ચાંદીના વાયદાઓમાં રૂ. 12046.11 કરોડનાં કામકાજ મુંબઈઃ દેશના અગ્રણી કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ તથા ઇન્ડેક્સ ફ્યુચર્સ અને ઓપ્શન્સમાં રૂ.155224.38 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું. કોમોડિટી વાયદાઓમાં રૂ.20369.25 કરોડનાં કામકાજ થયાં હતાં. કોમોડિટી વાયદા પરના ઓપ્શન્સમાં રૂ.134855.13 કરોડનું નોશનલ ટર્નઓવર નોંધાયું હતું. કોમોડિટી ઓપ્શન્સમાં કુલ પ્રીમિયમ ટર્નઓવર રૂ.3096.63 કરોડનું થયું હતું. કીમતી ધાતુઓમાં સોના-ચાંદીના વાયદાઓમાં રૂ. 12046.11 કરોડનાં કામકાજ થયાં હતાં. એમસીએક્સ સોનું જૂન વાયદો 10 ગ્રામદીઠ રૂ.151547ના ભાવે ખૂલી, ઉપરમાં રૂ.152144 અને…

Read More

રોકાણકાર મિત્રો, આનંદ ને…!! તા.૧૩.૦૪.૨૦૨૬ ના રોજ… ભારતીય શેરબજારમાં આજે સપ્તાહના પ્રથમ દિવસે જ ભારે વેચવાલી જોવા મળી છે.અમેરિકા-ઈરાન શાંતિ મંત્રણા નિષ્ફળ જવાની સીધી અસર ભારતીય શેરબજાર પર જોવા મળી છે. વૈશ્વિક સ્તરે વધતા ભૂ-રાજકીય તણાને કારણે સપ્તાહના પ્રથમ દિવસે જ બજાર ખૂલતાની સાથે જ રોકાણકારોમાં ગભરાટ ફેલાયો હતો, જેના પરિણામે સેન્સેક્સ અને નિફ્ટીમાં મોટો કડાકો બોલાઈ ગયો છે. એફઆઈઆઈ આઉટફ્લો, ક્રૂડ ઓઈલમાં તેજી અને ગ્લોબલ નબળાઈથી માર્કેટમાં વ્યાપક ઘટાડો. સોમવારના ટ્રેડિંગ સેશનમાં ભારતીય શેરબજારમાં સ્પષ્ટ રીતે મંદીનો ટ્રેન્ડ જોવા મળ્યો હતો. બજાર ગેપ-ડાઉન સાથે ખુલ્યું અને આખા દિવસ દરમિયાન વેચવાલીનું દબાણ યથાવત રહ્યું હતું. કોઈ પણ રિકવરી પ્રયાસ લાંબો…

Read More

તા.14-04-2026 મંગળવાર તિથિ દ્વાદશી (બારસ) – ૨૪ઃ૧૫ઃ૨૬ સુધી નક્ષત્ર શતભિષ – ૧૬ઃ૦૬ઃ૫૧ સુધી કરણ કૌલવ – ૧૨ઃ૪૯ઃ૩૨ સુધી, તૈતુલ – ૨૪ઃ૧૫ઃ૨૬ સુધી પક્ષ કૃષ્ણ યોગ શુક્લ – ૧૫ઃ૩૮ઃ૩૭ સુધી વાર મંગળવાર સુર્ય અને ચંદ્રની ગણતરીઓ સૂર્યોદય ૦૬ઃ૨૦ઃ૩૮ સૂર્યાસ્ત ૧૮ઃ૫૯ઃ૫૪ ચંદ્ર રાશિ કુંભ ચંદ્રોદય ૨૮ઃ૩૭ઃ૦૦ ચંદ્રાસ્ત ૧૫ઃ૫૮ઃ૫૯ ઋતુ વસંત હિન્દૂ ચંદ્ર તારીખ શક સંવત ૧૯૪૮   પરાભવ વિક્રમ સંવત ૨૦૮૩ કાળી સંવત ૫૧૨૭ પ્રવિષ્ટા / ગત્તે ૩૧ મહિનો પૂર્ણિમાંત વૈશાખ મહિનો અમાંત ચૈત્ર દિન કાળ ૧૨ઃ૩૯ઃ૧૫ અશુભ સમય દુર મુહુર્ત ૦૮ઃ૫૨ઃ૩૦ થી ૦૯ઃ૪૩ઃ૦૬ ના કુલિક ૧૩ઃ૫૬ઃ૧૧ થી ૧૪ઃ૪૬ઃ૪૮ ના દુરી / મરણ ૦૭ઃ૧૧ઃ૧૬ થી ૦૮ઃ૦૧ઃ૫૩ ના રાહુ કાળ ૧૫ઃ૫૦ઃ૦૫ થી ૧૭ઃ૨૪ઃ૫૯ ના…

Read More

તા.14-04-2026 મંગળવાર મેષ આજે તબિયત સારી ન હોય એવા સંબંધીની મુલાકાત લેજો. કામ બાકી હોવા છતાં રૉમાન્સ તથા સામાજિક બાબતો તમારા મગજ પર રાજ કરશે. કોઈક નવા સંયુક્ત સાહસ માટે તમારી જાતને તૈયાર કરવાનું ટાળો-અને જરૂરી હોય તો તમારી નિકટના લોકોની સલાહ લો. તમે ખુદ ને સમય આપવાનું જાણો છો અને આજે તો તમને ઘણું ખાલી સમય મળવા ની શક્યતા છે. ખાલી સમય માં આજે તમે કોઈ રમત રમી શકો છો અથવા જિમ જાયી શકો છો. તમારા જીવનસાથી આજે તમને ખુશ કરવા માટે ખાસ જહેમત લેશે. વૃષભ આજે તમારી આસપાસનો લોકોનો સહકાર મળવાથઈ તમે ખુશ થશો. તમારૂં સમર્પણ તથા સખત…

Read More

તેમણે કહ્યું કે આ ૨૧મી સદીનો સૌથી મોટો નિર્ણય છે, જે નવા સંસદ ભવનથી મહિલા સશક્તિકરણ અને લોકશાહી શક્તિને સુનિશ્ચિત કરશે New Delhi, તા.૧૩ સંસદમાં નારી શક્તિ વંદન અધિનિયમ પર ચર્ચા થાય તે પહેલાં દિલ્હીના વિજ્ઞાન ભવનમાં નારી શક્તિ વંદન સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી હાજર રહ્યા હતા. આ પ્રસંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશની નારી શક્તિને સંબોધતા જણાવ્યું  કે, “આપણો દેશ ઇતિહાસ રચવાની ખૂબ નજીક છે. એક એવો નવો ઇતિહાસ, જે ભૂતકાળની સંકલ્પનાઓને સાકાર કરશે અને ભવિષ્યના સંકલ્પોને પૂર્ણ કરશે.” નારી શક્તિ વંદન સંમેલનમાં પીએમ મોદીએ કહ્યું કે, રાષ્ટ્રની વિકાસ યાત્રાના આ મહત્વના પડાવોની વચ્ચે…

Read More

મોટા પાયે છેતરપિંડી” કરવાના એજન્ડા સાથે મહિલા અનામત કાયદામાં સુધારો કરવા માંગે છે New Delhi,તા.૧૩ કોંગ્રેસે આરોપ લગાવ્યો કે સરકાર જાતિ વસ્તી ગણતરીને ટાળવા માંગે છે અને વડા પ્રધાન નરેન્દ્ર મોદી દેશને “ગુમરાહ” કરવાના અને “મોટા પાયે છેતરપિંડી” કરવાના એજન્ડા સાથે મહિલા અનામત કાયદામાં સુધારો કરવા માંગે છે. કોંગ્રેસના મહાસચિવ (સંચાર પ્રભારી) જયરામ રમેશે દાવો કર્યો હતો કે મોદી સરકાર કલમ ૩૩૪-છ માં સુધારો કરવા માંગે છે, એમ કહીને કે જાતિગત વસ્તી ગણતરીના પરિણામો થોડા વર્ષો સુધી ઉપલબ્ધ નહીં થાય, પરંતુ બિહાર અને તેલંગાણા બંનેએ છ મહિનાથી ઓછા સમયમાં વ્યાપક જાતિ સર્વેક્ષણ પૂર્ણ કરી લીધું છે તે હકીકતને અવગણી રહી…

Read More