- Amreli ગે ડેટિંગ એપ પર મેસેજ અને પછી વીડિયો ઉતારી લૂંટ
- રાજકોટ Dhirendra Shastri ગરમ સળિયો પકડે તો ૧૦૧ ડોલર આપીશ
- Madhya Pradesh ટ્રેક્ટર ટ્રોલી પલટી ખાઇ જતાં ૬ ભક્તોના મોત, ૪૦ ઈજાગ્રસ્ત
- એશિયન ગેમ્સના ટ્રાયલ્સમાં Vinesh Phogatની શાનદાર જીત
- Sai Sudarshan નું બેડ લક ! બીજી વખત અનોખા અંદાજમાં આઉટ
- ઉત્તરપ્રદેશ, પશ્ચિમ બંગાળ અને બિહારમાં Rain-આંધીનો કહેર, ૨૬ લોકોના મોત
- ચોમાસું Keralaના દરિયાકાંઠે પાંચ દિવસથી ૩૦-૩૫ કિમી દૂર અટવાયું
- જેટલી ફોર્સ બોલાવવી હોય બોલાવી લો, હું સરકારી નિવાસ ખાલી નહીં કરુઃ Rabri Devi
Author: Shri Nutan Saurashtra
Mumbai,તા.10 બોલિવુડ વર્તુળોમાં મધુબાલાની બાયોપિકમાં કઈ હિરોઈન મુખ્ય ભૂમિકા ભજવશે તે અંગે સમયાંતરે નવી ને નવી હિરોઈનોનાં નામની અફવા ઉડાડાય છે. હવે ‘ધુરંધર ‘ સફળ થતાં તેની હિરોઈન સારા અર્જુનના નામે આ અફવા ચાલુ થઈ છે. એવું કહેવાય છે કે સંજય લીલા ભણશાળીના પ્રોડક્શન હેઠળ બનનારી મધુબાલાની બાયોપિક માટે સારા અર્જુનને ઓફર કરાઈ છે. જોકે, આ અંગે કોઈ સત્તાવાર કન્ફર્મેશન અપાયું નથી. આ પહેલાં આ રોલ માટે અનીત પડ્ડા, ક્રિતી સેનોન, તૃપ્તિ ડિમરી, કિયારા અડવાણી, સાઈ પલ્લવી સહિતના હિરોઈનોનાં નામમ ચર્ચાઈ ચૂક્યાં છે.
Mumbai,તા.10 લોસ એન્જલસની અદાલતે ‘ફ્રેન્ડ્સ’ ટીવી શોના સ્ટાર મેથ્યુ પેરીના મૃત્યુ માટે જવાબદાર મહિલાને 15 વર્ષની જેલની સજા ફટકારી છે. ‘કેટામાઇન ક્વિન’ તરીકે કુખ્યાત 42 વર્ષીય જસવીન સંઘાએ મેથ્યુને જીવલેણ ડ્રગ્સ સપ્લાય કર્યા હતા.ભારતીય મૂળની જસવીન સંઘા બ્રિટનમાં 1983માં પંજાબી પરિવારમાં જન્મી હતી. અમેરિકા અને બ્રિટનની બેવડી નાગરિકતા ધરાવતી જસવીન હોલીવુડની હાઇ પ્રોફાઇલ સેલિબ્રિટીઓને ડ્રગ્સ પૂરા પાડતી હતી. તે પોતાને ‘VIP સેલિબ્રિટીઝ’ માટેની ‘સ્પેશિયલ ડીલર’ તરીકે ઓળખાવતી હતી.સુપરહિટ શો ‘ફ્રેન્ડ્સ’માં ચાન્ડલર બિંગની ભૂમિકા ભજવતો મેથ્યુ પેરી લાંબા સમયથી ડ્રગ્સના વ્યસન સામે લડી રહ્યો હતો. ઓક્ટોબર, 2023માં લોસ એન્જલસ ઘરના હોટ ટબમાં તેનો મૃતદેહ મળી આવ્યો હતો. તપાસમાં જણાયું હતું કે…
Veraval, જુનાગઢ રેન્જ ડી.આઈ.જી.પી. રાજેન્દ્રસિંહ ચુડાસમા, ગીર સોમનાથ પોલીસ અધિક્ષક જયદિપસિંહ જાડેજા દ્વારા નાસતા ફરતા લાલશાહી આરોપીને પકડી પાડવા સુચના અનુસંધાને મીસીંગ સેલના ઈન્ચાર્જ પો.સ.ઈ. જે.આર.ડાંગર,એ.એસ.આઈ શૈલેષભાઈ ડોડીયા,પો.હે કો.પરેશભાઈ ગોહીલ,પો.ક. અજીતસિંહ વાળા ના મળેલ બાતમીના આધારે વેરાવળ સીટી પો.સ્ટે. ગુ.ર.નં. ઈ.પી.કો. ક. ૪૦૬, ૪૦૯, ૪૨૦,૧૨૦બી તથા જી.પી.આઈ.ડી. એ ક ૩ તથા ઉના પો.સ્ટે.ઈ.પી.કો. ક. ૪૦૬, ૪૦૯,૪૨૦,૧૨૦બી, જી.પી.આઈ.ડી. એ ક ૩ ના કામના આરોપીઓ એ ગીર સોમનાથ જીલ્લાના વેરાવળ તથા ઉના તાલુકાના ગ્રામ્ય તથા શહેરી વિસ્તારમાં રહેતા નાના નોકરીયાત તથા મજુર વર્ગના પોતાની મહેનતની મુડી માંથી ઉચ્ચ વળતર મળવાની અપેક્ષાએ રીયલ ઈન્ડીયા ઈન્ફાવેન્ચર્સ પ્રાઈવેટ લીમીટેડમાં રોકાણ કરેલ હતા જેમાં બને ગુના…
Gandhinagar,તા.10 ગુજરાત પ્રદેશ ભાજપા મીડિયા વિભાગની અખબારી યાદી જણાવે છે, આજે ભાજપા પ્રદેશ કાર્યાલય ‘શ્રી કમલમ‘ કોબા, ગાંધીનગર ખાતે સૌરાષ્ટ્રના યુવા ખેડૂત આગેવાન શ્રી રાજુભાઇ કરપડા સેંકડો સમર્થકો સાથે ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા હતાં. પ્રદેશ મહામંત્રીશ્રી અનિરૂદ્ધભાઈ દવેએ શ્રી રાજુભાઇ કરપડાને ભાજપાનો ખેસ પહેરાવી ભારતીય જનતા પાર્ટીમાં વિધિવત આવકાર્યા હતાં. આ પ્રસંગે યુવા ખેડૂત આગેવાન શ્રી રાજુભાઇ કરપડાએ જણાવ્યું હતું કે, વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી, કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રીશ્રી અમિતભાઈ શાહના નેતૃત્વમાં કેન્દ્ર સરકાર અને ગુજરાતની ભાજપા સરકાર ખેડૂતો માટે અનેકવિધ કાર્યો કરી રહી છે તે જોતાં ભાજપામાં રહી તેઓ ખેડૂતો માટે કાર્ય કરી રાજનીતિમાં આવવાના તેમના ખેડૂત કલ્યાણના ઉદ્દેશ્યને…
તા.10-04-2026 શુક્રવાર તિથિ અષ્ટમી (આઠમ) – ૨૩ઃ૧૮ઃ૩૭ સુધી નક્ષત્ર પૂર્વાષાઢા – ૧૧ઃ૨૮ઃ૩૧ સુધી કરણ બાલવ – ૧૦ઃ૨૪ઃ૧૯ સુધી, કૌલવ – ૨૩ઃ૧૮ઃ૩૭ સુધી પક્ષ કૃષ્ણ યોગ શિવ – ૧૮ઃ૨૯ઃ૧૧ સુધી વાર શુક્રવાર સુર્ય અને ચંદ્રની ગણતરીઓ સૂર્યોદય ૦૬ઃ૨૪ઃ૧૬ સૂર્યાસ્ત ૧૮ઃ૫૮ઃ૨૨ ચંદ્ર રાશિ ધનુ – ૧૮ઃ૦૪ઃ૩૦ સુધી ચંદ્રોદય ૨૬ઃ૧૦ઃ૦૦ ચંદ્રાસ્ત ૧૨ઃ૧૧ઃ૫૯ ઋતુ વસંત હિન્દૂ ચંદ્ર તારીખ શક સંવત ૧૯૪૮ પરાભવ વિક્રમ સંવત ૨૦૮૩ કાળી સંવત ૫૧૨૭ પ્રવિષ્ટા / ગત્તે ૨૭ મહિનો પૂર્ણિમાંત વૈશાખ મહિનો અમાંત ચૈત્ર દિન કાળ ૧૨ઃ૩૪ઃ૦૬ અશુભ સમય દુર મુહુર્ત ૦૮ઃ૫૫ઃ૦૫ થી ૦૯ઃ૪૫ઃ૨૧ ના, ૧૩ઃ૦૬ઃ૨૭ થી ૧૩ઃ૫૬ઃ૪૩ ના કુલિક ૦૮ઃ૫૫ઃ૦૫ થી ૦૯ઃ૪૫ઃ૨૧ ના દુરી / મરણ ૧૩ઃ૫૬ઃ૪૩ થી ૧૪ઃ૪૭ઃ૦૦…
તા.10-04-2026 શુક્રવાર મેષ આજે ભૂતકાળના સાહસમાં સફળતા તમારા આત્મવિશ્વાસને વધારશે. આજે ધન લાભ થવાની શક્યતા તો છેજ પરંતુ એવું પણ થયી શકે છે કે પોતાના ગુસ્સેલ સ્વભાવ ના લીધે તમે પૈસા કમાવા માં સક્ષમ ના થયી શકો. પ્રેમ હંમેશાં ઊંડી ભાવનાઓ ધરાવતું હોય છે અને આજે તમને એનો અનુભવ થશે. આજે તમને તમારા પ્રિયપાત્રની એક નવી અદભુત બાબત જોવા મળશે. તમે આજે જે સ્વયંસેવી કામ કરશો તે માત્ર તમારી મદદ કરનારાઓને જ નહીં બલ્કે તમને પણ તમારી જાત તરફ વધુ હકારાત્મક રીતે જોતા કરશે. આજે તમારા જીવનસાથી તમારી માટે કશુંક ખરેખર અદભુત ખરીદશે. વૃષભ આજના દિવસે તમારા મગજને પ્રેમ, આશા,…
તા.09 એપ્રિલ નવકાર મંત્ર દિવસ નવકાર મંત્ર દિવસનો પ્રારંભ અંદાજે 2020 પછી કરવામમાં આવ્યો હતો. કોરોનાકાળ દરમિયાન લોકોમાં માનસિક શાંતિ, સકારાત્મકતા અને સામૂહિક પ્રાર્થનાની જરૂરિયાત વધતા જૈન સમાજમાં એક વિચાર ઉભો થયો કે નવકાર મંત્રનું સામૂહિક જાપ એક વિશાળ સ્તરે કરવવામાં આવે. વિવિધ જૈન સાધ્વીઓ અને આધ્યાત્મિક આગેવાનો દ્વારા આ વિચારને આગળ વધારવામાં આવ્યો અને એક નિશ્ચિત દિવસ એટલે 09 એપ્રિલના રોજ લાખો લોકો એકસાથે નવકાર મંત્રનો જાપ કરે તેની શરૂઆત થઈ. વર્ષ 2020 બાદ દર વર્ષે તા.09 એપ્રિલના રોજ નવકાર મંત્ર દિવસની ઉજવણી કરવામાં આવે છે. નવકાર મંત્ર (Namokar Mantra) જૈન ધર્મનો સર્વોચ્ચ અને સૌથી પવિત્ર મંત્ર માનવામાં આવે છે. આ મંત્રને “મંત્રોમાં રાજા” તરીકે ઓળખવામાં આવે છે, કારણ કે તે દરેક પ્રકારની આધ્યાત્મિક…
હે ઈશ્વર. આપનાં શ્રીચરણોમાં મારા સહ પરિવાર સાદર સાષ્ટાંગ પ્રેમ પ્રણામ. આજે ગુરુવાર એટલે કે પ્રાર્થનાંનો દિવસ. પ્રવર્તમાન સમયમાં સૌ કોઈ મનોમન યુદ્ધને કારણે પરિસ્થિતિ વધુ ખરાબ થાય નહીં, એની પ્રાર્થના કરતાં જ હશે! અને આમ તો ચિંતનની ધારા સર્વત્ર સામાજિક શાંતિનાં જયઘોષ માટે જ નિત નૂતન પહેલું લઈ વહી રહી છે. પરંતુ આપણી એક નાદાની એ છે કે સુધરવાની જરુર સામેવાળાને છે! પોતે તો સર્વગુણ સંપન્ન છે! સ્વયંના જાગરણ વગર સામાજિક શાંતિ કે યુગ પરિવર્તન શક્ય નથી. નરસિંહ મહેતા એ જીવને જગાડતી અને આત્મ તત્વ સુધી પહોંચાડતી કેટલીય રચના લખી છે! અને આપણે કેટલીય…
2020 માં, જ્યારે વિશ્વ કોવિડ-19રોગચાળાના અભૂતપૂર્વ સંકટનો સામનો કરી રહ્યું હતું, ત્યારે સરકારોએ નાગરિકોના રક્ષણ માટે કડક લોકડાઉન પગલાં અમલમાં મૂક્યા. ભારત પણ તેનો અપવાદ ન હતો. શાંત શેરીઓ, બંધ બજારો અને સ્થગિત ઉદ્યોગો સમગ્ર દેશમાં સામાન્ય હતા. પરંતુ આ જાહેર આરોગ્ય કટોકટી વચ્ચે, બીજું, ઓછું દેખાતું સંકટ ઉભરી રહ્યું હતું: સત્તાનો દુરુપયોગ અને માનવ અધિકારોનું ઉલ્લંઘન. ઘણી જગ્યાએ, પોલીસ અને વહીવટીતંત્રને કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે વ્યાપક સત્તાઓ આપવામાં આવી હતી, પરંતુ કેટલાક કિસ્સાઓમાં, આ સત્તાઓ દમનના સાધન બની ગઈ. આ પૃષ્ઠભૂમિમાં, તમિલનાડુના સટ્ટનકુલમમાં કસ્ટોડિયલ મૃત્યુનો એક કિસ્સો બન્યો, જેણે માત્ર ભારતમાં જ નહીં પરંતુ આંતરરાષ્ટ્રીય સ્તરે પણ ન્યાય…
SurendranagarM,તા.૯ સુરેન્દ્રનગર જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓની તારીખો જાહેર થઈ ચૂકી છે. જિલ્લા પંચાયતની ૩૨ બેઠકો, તાલુકા પંચાયતની ૧૮૨ બેઠકો, ૪ નગરપાલિકાઓ અને એક મહાનગરપાલિકા માટે ચૂંટણીઓ યોજાવાની છે. આ ચૂંટણીઓ માટે ભાજપ દ્વારા કડક નિયમો બનાવતા જૂના કાર્યકર્તાઓમાં નારાજગી ફેલાઈ છે. બીજી તરફ કોંગ્રેસમાં ભાજપના ત્રણ ટર્મના આગેવાનો જોડાતા રાજકીય ગરમાવો વઘ્યો છે. ભાજપ દ્વારા તાજેતરમાં ટિકિટ વિતરણ માટે નવા નિયમો બનાવવામાં આવ્યા છે. જેમાં ૬૦ વર્ષથી વધુ ઉંમરના કાર્યકર્તાઓને ટિકિટ ન આપવાનો, ત્રણ ટર્મ પૂર્ણ કરેલા ઉમેદવારોને ફરી તક ન આપવાનો અને સંગઠનમાં કાર્યરત પદાધિકારીઓના સગા-સ્નેહીજનોને પણ ટિકિટ ન આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ નિયમોને કારણે વર્ષોથી ભાજપમાં…
