Author: Shri Nutan Saurashtra

(મિલાપ રૂપારેલ) Amreli તા.10 અમરેલીના લીલીયા નજીક સનાળીયા માર્ગ ઉપર ગઈકાલે બપોરે સર્જાયેલા બે છકડા રીક્ષા વચ્ચે અકસ્માત થતાં એક વૃદ્ધનું મોત નિપજ્યું છે, જ્યારે અન્ય 4 મુસાફરોને નાના-મોટા ઈજા થતાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. આ બનાવમાં મળતી માહિતી મુજબ અમરેલી જિલ્લાના લીલીયા તાલુકામાં સનાળીયા માર્ગ ઉપરથી લીલીયાથી ખારા ગામ તરફ જઈ રહેલી એક છકડો રીક્ષા સાથે બીજી રીક્ષા સાઈડમાં અથડાતા અકસ્માત સર્જાયો હતો. અથડામણ એટલી જોરદાર હતી કે છકડો રીક્ષા રોડની સાઇડમાં આવેલ ખાળીયામાં પલટી ખાઈ ગઈ હતી. આ અકસ્માતમાં પલ્તિવ ખાઈ ગયેલ છકડા રીક્ષામાં બેઠેલા 8 મુસાફરોમાંથી દેવાભાઈ બતાડા નામના એક વૃદ્ધનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું…

Read More

(મિલાપ રૂપારેલ)Amreli, તા.10 રાજુલા તાલુકાના હિંડોરણા ગામ નજીક મંગળવારે રાત્રે એક હનીટ્રેપની ઘટનાં બનતાં પોલીસે ભોગ બનનાર યુવકની ફરિયાદ નોંધી આ હનીટ્રેપના બનવાની ગંભીરતા સમજી અને આ બનવામાં એક મહિલા આરોપી સહિત ત્રણને ગણતરીની કલાકોમાં ઝડપી લીધાં હતાં. જાફરાબાદ તાલુકાના વારાહ સ્વરૂપ ગામે રહેતાં  રોનકદાસ ભરતદાસ મેસવાણીયા નામનાં 21 વર્ષીય યુવકને ગત તા.7ના રાત્રે 11/05 વાગ્યે રાજુલા તાલુકાના હીંડોરણા ગામે રહેતાં આરોપી કરણભાઇ દંતુભાઇ પટાટે યુવકને ફોન કરી રાજુલાના હીંડોરણા ગામે આવેલ ક્રિષ્ના સોસાયટીથી આગળ બાવળની કાટમાં બોલાવેલ હતાં. જ્યાં અને રાજુલા ગામે રહેતાં આરોપી સમીનાબેન સેલોત તથા જીતુભાઇ રાઘવભાઇ ચૌહાણ સાથે યુવકની ઓળખાણ કરાવી હતી. અને આ યુવકને મહિલા…

Read More

Bhavnagar તા.10 ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના વેજોદરી ગામે પીથલપુર રોડ પર આવેલા એક પ્લોટમાં સ્પેશિયલ ઓપરેશન ગૃપના સ્ટાફે ઓપરેશન હાથ ધરતા પ્લોટમાં શેરડીના વાવેતર વચ્ચે લીલા ગાંજાના છોડનું વાવેતર મળી આવ્યુ હતું. એસઓજીએ માદક પદાર્થ 21 લીલા ગાંજાના છોડ (કિં. રૂા. 4.16 લાખ)નો મુદામાલ કબજે કરી એક શખસની ધરપકડ કરી દાઠા પોલીસ મથકમાં ગુનો દાખલ કરાવ્યો હતો. બનાવની જાણવા મળતી વિગતો અનુસાર ભાવનગર સ્પેશિયલ ઓપરેશન ગૃપના સ્ટાફને બાતમી રાહે હકીકત મળી હતી કે, તળાજા તાલુકાના વેજોદરી ગામે રહેતા પરશોતમ ગોવિંદભાઈ ડોડીયાએ તેના વેજોદરી ગામે પીથલપુર રોડ પર જુની વાવના કેડા ઉપર આવેલા પ્લોટમાં શેરડીના વાવેતર વચ્ચે ગાંજાના છોડનું વાવેતર કરી…

Read More

Bhavnagar તા.10 ભાવનગર શહેરના કાળુભા રોડ વિસ્તારમાં આવેલા એક બંગલામાં લોકલ ક્રાઈમ બ્રાન્ચની ટીમે બાતમીના આધારે ત્રાટકીને વિદેશી દારૂ અને બિયરનો મસમોટો જથ્થો ઝડપી પાડી બે શખ્સોની ધરપકડ કરી છે. મામાના કહેવાથી ભાણિયાએ 28 હજારના ભાડાના બંગલામાં દારૂનો અડ્ડો જમાવ્યો હોવાનું પોલીસ તપાસમાં ખુલ્યું છે. પોલીસે આ દરોડામાં કુલ રૂ. 11.01 લાખની કિંમતનો મુદ્દામાલ કબ્જે કર્યો છે. પ્રાપ્ત થતી માહિતી મુજબભાવનગર લોકલ ક્રાઈમ બ્રાન્ચના પી.આઈ. મયુરધ્વજસિંહ સર્વૈયાના માર્ગદર્શન હેઠળ પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હતી. તે દરમિયાન સચોટ બાતમી મળી હતી કે, હરેશ ઉર્ફે ભયલુ ધનજીભાઈ બારૈયા (રહે. ઘોઘા જકાતનાકા) ના માણસો કાળુભા રોડ પર આવેલા નાનભા વાડી વિસ્તારના એક બંગલામાં વિદેશી…

Read More

Bhavnagarતા.10 બ્રહ્માકુમારીઝ સંસ્થાના પૂર્વ મુખ્ય પ્રશાસિકા રાજયોગિની દાદી રતનમોહિનીની પ્રથમ પુણ્યતિથિ બુધવારે ’વિશ્વ એકતા દિવસ’ તરીકે મનાવવામાં આવી હતી. દાદીની સ્મૃતિમાં શાંતિવનમાં બનાવવામાં આવેલા ’જ્ઞાન રત્ન સ્તંભ’ પર દેશભરમાંથી આવેલા સંસ્થાના વરિષ્ઠ પદાધિકારીઓએ પુષ્પાંજલિ અર્પણ કરી હતી. મિડિયા સંયોજક બ્રહ્મા કુમાર મુકેશભાઈ જોશીના જણાવ્યા અનુસાર, ડાયમંડ હોલમાં આયોજિત શ્રદ્ધાંજલિ સભામાં મુખ્ય પ્રશાસિકા રાજયોગિની મોહિની દીદીએ જણાવ્યું હતું. કે દાદીનું જીવન યોગ, તપસ્યા અને સાધનાનું ઉત્કૃષ્ટ ઉદાહરણ હતું. દાદી એ મહાન આત્માઓમાંના એક હતા જેમણે આ ઈશ્વરીય વિશ્વ વિદ્યાલયની વર્ષ 1937 માં સ્થાપનાથી લઈને વર્ષ 2025 સુધીની 89 વર્ષની યાત્રાના સાક્ષી રહ્યા છે. 40 થી વધુ વર્ષો સુધી તેમણે યુવા પ્રભાગના…

Read More

Bhavnagar તા.10 ભાવનગરના પૂર્વ મેયર અને ભાજપના વરિષ્ઠ આગેવાન ભરત બારડની પાર્લામેન્ટરી બોર્ડની બેઠકમાં  બાદબાકી થતાં સ્થાનિક સંગઠનમાં નારાજગીના સૂર ઉઠ્યા છે. પ્રદેશ કાર્યાલય ‘કમલમ’ ખાતે યોજાયેલી મહત્વની બેઠકમાં શહેરના પૂર્વ પ્રથમ નાગરિક એવા ભરત બારડને આમંત્રણ ન મળતા વિવાદ સર્જાયો છે. પક્ષના જૂના અને પાયાના કાર્યકર્તા હોવા છતાં, ટિકિટ વિતરણ જેવી ગંભીર પ્રક્રિયામાં તેમનો કોઈ અભિપ્રાય લેવામાં ન આવતા ભરત બારડે જાહેરમાં પોતાની અવઢવ અને નારાજગી વ્યક્ત કરી છે.  શહેરના પ્રથમ નાગરિક તરીકે ભૂતકાળમાં કરેલી કામગીરીનું યોગ્ય આકલન થવું જરૂરી છે, પરંતુ પ્રદેશ સ્તરે યોજાયેલી બેઠકમાં તેમની સદંતર અવગણના કરવામાં આવતા આશ્ચર્ય ફેલાયું છે. એક તરફ પક્ષ શિસ્ત અને…

Read More

Veraval તા.10 વેરાવળ તાલુકાના ડાભોર ગામે ગત રાત્રે બે જૂથ વચ્ચે થયેલી ઉગ્ર અથડામણ સમગ્ર વિસ્તારમાં ચકચાર મચાવી દીધી છે. જૂના મનદુ:ખ અને અણબનાવને કારણે શરૂઆતમાં થયેલી બોલાચાલી થોડા જ સમયમાં હિંસક રૂપ ધારણ કરી ગઈ હતી. આ અંગે પ્રાપ્ત થયેલી માહિતી મુજબ ડાભોર ગામમાં રહેતા બે જૂથ વચ્ચે લાંબા સમયથી ચાલી રહેલા મતભેદ ફરી ભડક્યા હતા. ગત રાત્રે સામાન્ય બોલાચાલી દરમિયાન વાત એટલી વકરી ગઈ કે બંને પક્ષો વચ્ચે છૂટા હાથની મારામારી શરૂ થઈ ગઈ. ઘટનામાં પથ્થરો અને છુટા હાથે મારામારી સર્જાઈ છે. આ અથડામણમાં મહિલા સહીત પાંચ લોકો ઈજાગ્રસ્ત બન્યા છે. ઇજાગ્રસ્તોમાં 52 વર્ષીય વાલીબેન વાજા, રવિ ભીમા…

Read More

Mumbai,તા.10 એકટ્રેસ હંસિકા મોટવાણીએ તેની એક્સ  ભાભી તથા ટીવી કલાકાર મુસ્કાન નેન્સી જેમ્સ પર બદનક્ષીનો દાવો  કર્યો છે. હંસિકાના ભાઈ પ્રશાંત તથા મુસ્કાને ૨૦૨૦માં લગ્ન કર્યાં હતાં. જોકે, ૨૦૨૨માં  તેઓ છૂટાં પડી ગયાં હતાં. તે પછી મુસ્કાને પ્રશાંત, હંસિકા તથા  તેના પરિવારજનો સામે ઘરેલુ હિંસાનો કેસ કર્યો હતો. હંસિકાએ મુંબઈની એક અદાલતમાં આ દાવો દાખલ કરતાં જણાવ્યું છે કે મુસ્કાનનાં વિધાનોને કારણે તેની બદનામી થઈ છે. તેણે મુસ્કાન પાસેથી બે કરોડનાં વળતર તથા જાહેર માફીની માગણી કરી છે. આ ઉપરાંત મુસ્કાનને તેની વિરુદ્ધ કોઈપણ નિવેદન કે સોશિયલ મીડિયા પોસ્ટ નહિ કરવાના આદેશની પણ માગણી કરી છે.

Read More

Mumbai,તા.10 ‘ધુરંધર ટુ’નાં ક્લાઈમેક્સમાં મંજૂરી વિના ‘તિરછી ટોપી  વાલે  ..’ ગીતના ઉપયોગ બદલ મૂળ ફિલ્મ ‘ત્રિદેવ’ની નિર્માતા કંપની ત્રિમૂર્તિ ફિલ્મ્સ દ્વારા આદિત્ય ધરની કંપની બી સિક્સ  સ્ટુડિયોઝ વિરુદ્ધ કોપીરાઈટ ભંગનો કેસ દાખલ કરાયો છે.   ફિલ્મનાં ‘રંગ દે લાલ’ ગીતમાં ‘તીરછી ટોપીવાલે..’નાં કેટલાક  અંશોનો ઉપયોગ થયો છે. રાજીવ રાયની ત્રિમૂર્તિ ફિલ્મસના જણાવ્યા અનુસાર  આ ગીતની  રચના અને ધ્વનિ  રેકોર્ડિંગ એમ  બંને પર તેના અધિકાર છે.  અન્ય કોઈ તેની મંજૂરી વિના તેનો કમર્શિઅલ ઉપયોગ કરી શકે નહિ.  ઉલ્લેખનીય છે કે ‘ત્રિદેવ’ ફિલ્મનું આ ગીત સોનમ તથા  નસીરુદ્દિન શાહ પર પિક્ચરાઈઝ થયું હતું અને જે જમાનામાં આ ગીત સુપરહિટ થયું હતું. રાજીવ રાયે…

Read More

Mumbai,તા.10 મહિલાઓ જો બરોબરીની વાત કરતી હોય તો થોડી શારીરિક તકલીફો  વેઠીને પણ કામ કરવું જોઈએ. મહિલાઓ  પિરિયડસનાં બહાના  કાઢે એ ચાલે નહિ તેવાં  વિધાનોને કારણે શ્રીલીલા ભારે ટ્રોલ થઈ રહી છે. ઉલ્લેખનીય છે કે શ્રીલીલા  પોતે એક  ક્વોલાઈફ્ડ ડોક્ટર છે. શ્રીલીલાએ પોતાની એક ફિલ્મનાં સંદર્ભમાં કહ્યું હતું કે મેં પિરિયડસ ચાલુ હોય ત્યારે  પણ ઘણું શૂટિંગ કર્યું છે.  મહિલાઓ પોતાના સમાન અધિકારોની વાત કરતી હોય તો આવાં શારીરિક કે માનસિક કારણોને આગળ ધરીને છૂટછાટ માગી શકે નહિ. લોકોએ શ્રીલીલાને એમ કહીને ટ્રોલ કરી હતી કે તેણે એક ડોક્ટર તરીકે સમજવું જોઈએ કે દરેક મહિલાની શારીરિક ક્ષમતા એકસમાન હોતી નથી. …

Read More